પ્રેમ વાસના - પ્રકરણ - 30

(250)
  • 5.4k
  • 10
  • 3.4k

પ્રકરણ -30 પ્રેમવાસના મનીષાબહેન અને કર્નલ રાહતનો દમ ખેંચ્યો હાશ થઇ કે એક પ્રેતતો ગયું હવે આ છોકરાઓની મુક્તિ એ પિશાચથી થાય એટલે ગંગા ન્હાયા. સદગુણાબ્હેનની ધીરજ ના રહી એમણે કહ્યું "બાપજી હવે આ છોકરાઓ નું શું એમની વિધી કરાવોને ...... અઘોરીબાબાએ કહ્યું એમની હજી વાર છે એમનું વિધી વિધાન થાય તે પ્હેલાં એક વિધી હજી બાકી છે અને અમારે એ પહેલાં કરવી છે તમારા પતિનાં આત્માએ અમારાં ઉપર મોટો ઉપકાર કરેલો છે એનું ઋણ ઉતારવાનું છે અને એ મહાન આત્મા અત્યારે ખૂબ ખુશ થશે આનંદમાં રહેશે એમની તો સદગતિ થઇ જ છે અને સાથે સાથે બીજા બે જીવની