સંબંધ નામે અજવાળું - 10

(11)
  • 2.6k
  • 850

આપણા પુરાણોમાં વર્ણવાયેલા ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંનો એક મહત્વનો અવતાર છે, વામન અવતાર. દેવોને પરાસ્ત કરી ત્રણેય લોકની સત્તા મેળવી દૈત્યરાજ બલી જ્યારે મહાયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કર્યો. બલીના યજ્ઞમાં જઈ ચતુરાઈથી ત્રણ ડગ જમીન માંગીને ત્રણેય લોકો પાછા મેળવ્યા. આ કથામાં જે વામન ભગવાન હતા એ ઠીંગણા હતા. મતલબ કે ઈશ્વરે પણ ઠીંગણા હોવાની લીલા ભજવી છે. આ ઠીંગણા બનીને જ ઈશ્વર ત્રણેય લોકને દૈત્યની સત્તામાંથી પાછા મેળવી શક્યા હતા.