વારસાગત પ્રેમ - 7

(16)
  • 2.2k
  • 3
  • 1.4k

આગળના ભાગમાં જોયું કે, શંકરે અગાઉની તમામ વાતો અને બનેલા બનાવનું વર્ણન લક્ષ્મણકાકા આગળ કરી દીધું અને ત્યારબાદ બન્ને છુટા પડ્યા.હવે આગળના ભાગમાં જોઈએ....વારસાગત પ્રેમ (ભાગ ૭) પંચાયતે આપેલ સમય મુજબ દિવસો નીકળી ગયા સાથે સાથે તપાસ પણ કરવામાં આવી અને આખરે આજે સભા ભરાવાનો સમય છે દિન હતો ૧૫મો,ગામના આગેવાનો ગ્રામજનો અને દોષીઓને બોલાવવામાં આવ્યા,હજી લાખા ભરવાડ અને શંકરનો ક્યાંય અતોપતો જણાતો નહોતો.લાખા ભરવાડ તો એમ પણ સભા પહેલા માં સિકોતરના મંદિરે દર્શન કરીને જ સભામાં બેસતા એટલે મોડું થતું, પણ સભાને શંકરની રાહ હતી.ચારે બાજુ ગ્રામજનો વાતો કરી રહ્યા હતા, શંકર ક્યાં હશે ?? એવામાં જ એક ઘેરો અવાજ સૌના