સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ (૨) - સ્વ જાગૃતિ

  • 3.9k
  • 2
  • 1.2k

માનવજીવન એટલે તાર્કિક જીવન. સામાન્યતઃ આપણે આપણા માં રહેલી જાણકારી, સમજણ અને ડહાપણ થી તર્ક સમજતા હોઈએ છીએ. પરંતુ આપણી જ એક સમજણ મુજબ સામાજીક અનુકરણ માં જ ડહાપણ છે એમ માની આપણે આપણાં કર્મો, કાર્યો ને justify કરતા હોઈએ છીએ. આપણને ગમે કે ના ગમે પરંતું બધા કરે એટલે હું કરું ની નીતિ અપનાવી જીવન જીવવાનો આગ્રહ રાખીએ છીએ. ઉદાહણરૂપે જોઈએ તો યંત્ર્યુગ માં જીવતા આપણે સૌ દુન્યવી સંશોધનો વિશે માહિતગાર થતાં હોઈએ છીએ અને ભૌતિકતા ના ભાગ રૂપે એ મુજબ જીવવા પ્રેરાતા હોઈએ છીએ. આ જ સંજોગો માં ભારતીય અભ્યાસમાં શાળા કોલજોમાં ચાલતાં traditional education આપણને કંટાળા જનક