નસીબ ના ખેલ ... - 19

(67)
  • 3.8k
  • 6
  • 1.8k

જમવાનું પતાવી ને ધીરજલાલ હંસાબેન અને ધરાના માસી સગાઈ ની વિધિ માટે ની થોડી તૈયારીમાં લાગી ગયા... ધરાના મામા ગોર મહારાજ ને તેડવા ગયા, અને ધરા એકલી પડી... મન માં ખૂબ દુઃખી હતી ધરા.. પણ કોઈને કાઈ કહી શકતી ન હતી. તેને સમજાતું ન હતું કે કેમ એના પપ્પા અત્યારે એની મરજી પણ જાણવા નોહતા માંગતા.. કેમ એના પપ્પા ને એના જ મોટાભાઈ શાંતિલાલ કે જેણે એમને ખૂબ દગો આપ્યો હતો એની જ દીકરી ની વાત માં આવી ગયા હતા ? અને બીજી બાજુ નિશા અને આવેલા બધા મહેમાન ખુશ હતા.. નિશા