નદી ફેરવે વહેણ્ - 7

(19)
  • 2.6k
  • 5
  • 1.2k

જીઆ તટસ્થતાથી વિચારતી રહી. મમ્મીની વાત સાથે તેનુ મન સહમત નહોંતુ થતુ..પણ એટલી સૌમ્યતાથી રીટાએ તેને માર્ગદર્શન પણ આપ્યુ અને તેના કથન ને ખંડીત પણ કર્યુ. વિધાતાનાં વિધાનો જુદા છે. દરેક જણાનો જન્મ સમય જુદો, બુધ્ધી શક્તિ જુદી, વિકાસનું સ્તર અલગ અને પરિસ્થિતિ જુદી એ વાત તો તેને સમજાઇ પણ આ ઘટના શીલાને કોણ સમજાવે? તેમણે તેમના શરુઆતમાં વેઠેલી દરેક વાતો મારે વેઠવીજ જોઇએ તેવુ તેમનું માનવુ ખોટુ છે. સુર પપ્પા એ તેમને યોગ્ય રીતે ના જાળવ્યા એટલે સંભવે પણ એમ જ વર્તવાનુ એ વાત કેટલી અયોગ્ય છે?