રહીમભાઈ સ્વભાવે એકદમ સાલસ વ્યક્તિ અને પરગજુ અને મિત્રોમાં ખુબ લોકપ્રિય કારણ તે કોઈને કદી ના ન કહે. કોઈના માટે સમય નો ભોગ આપવો હોય કે પૈસા નો ભોગ આપવો હોય તે હંમેશા એકદમ તૈયાર. નાના ગામમાં રહેતા હતા તેથી આખું ગામ તેમને વખાણે અને રહીમચાચા કહીને બોલાવે . કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય કે નાનો પ્રસંગ રહીમભાઈને આમંત્રણ ચોક્કસ હોય . ૫૦ ની ઉંમરે પહોંચેલા રહીમભાઈ વધારે બહાર ગયેલા નહિ કોઈ વખત શહેર જવાનું થાય તો સાંજે પાછા આવી જાય . સગુંવહાલું આજુબાજુ ના ગામડામાં તેથી ગયા હોય તો એકાદ દિવસ માટે . સ્વભાવ ભોળો હોવાથી પરિવાર ના લોકો