મોત ની સફર - 4

(350)
  • 6.7k
  • 16
  • 3.1k

ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો રાજા દેવ વર્મન નો ખજાનો શોધી શક્ય એટલો ખજાનો પોતાની સાથે લઈ વિરાજનાં ગુરુ સિવાયનાં મિત્રો શ્યામપુર પાછાં આવી પહોંચ્યાં હતાં. જોડે લઈને આવેલાં ખજાનામાંથી બધાં ની જીંદગી યોગ્ય રફતારમાં દોડવા લાગી.. પણ કહ્યું છે ને જીંદગી ક્યાં કઈ જગ્યાએ ટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી.. આવો જ એક વિચાર વિરાજનાં મનમાં થયો અને એને ગુફામાંથી મળેલ લ્યુસીનો પાસપોર્ટ અને એની અમુક વસ્તુઓ એનાં પરિવારને સુપ્રત કરવાં લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું વિચાર્યું.