પારદર્શી - 2

(49)
  • 2.8k
  • 6
  • 1.6k

પારદર્શી-2           ગઇકાલે બનેલી ઘટનાનાં આઘાતમાંથી સમ્યક લગભગ બહાર આવી ગયો.સારી જીવનસંગીની જો નસીબમાં હોય તો માણસ બહારનાં ગમે તેવા આઘાતમાંથી ઝડપથી નીકળી જાય છે.સમ્યક હવે પોતાના કામે લાગી ગયો.પોતાના બાળકો સાથે....પત્નિ સાથે થોડા દિવસમાં જ પોતાનાં પપ્પાનાં દુઃખને અને ક્ષણિક ગુમ થવાની એ ઘટનાને એ ભુલી ગયો.ફેકટરીમાં પણ બધુ જ બરાબર ચાલતુ હતુ.પણ એનાં મનમાં એક ગાંઠ પડી ગયેલી કે પોતાની ચેમ્બરમાં કયાંરેય એકાંતમાં અને નવરાશમાં ન બેસવું.એટલે એ પોતાની ફેકટરી અને પોતાની ઓફીસમાં વ્યસ્ત જ રહેતો.કંઇ કામ ન હોય તો ઓફીસની બહાર નીકળી જતો.               આમને આમ દસ દિવસ વિતી