વિષાદ યોગ - પ્રકરણ 29

(173)
  • 5.4k
  • 3
  • 4k

વિષાદયોગ-29 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ નિશથ અને સમીર જ્યારે નિચે પહોંચ્યા ત્યારે કશિશ અને નૈના તે લોકોની રાહ જોઇને ગાર્ડનમાં બેઠી હતી. ત્યારબાદ ચારેય ડાઇનીંગ હોલમાં જઇ જમ્યાં. નિશીથ જમતી વખતે સતત વિચારમાં ખોવાયેલો રહ્યો. કશિશ સમીર અને નૈના આડાઅવળી વાતો કરતા રહ્યા. કશિશે ઇશારાથીજ સમીરને નિશીથ વિશે પુછ્યું પણ સમીરે તેને શાંતિ રાખવા ઇશારો કર્યો. જમ્યા ત્યાં સુધી કશિશે પણ નિશીથને વિચારમાં ખલેલ ન પહોંચાડવાનું જ યોગ્ય સમજ્યું. જમ્યાં બાદ કશિશે નિશીથને કહ્યું “નિશીથ જો તારી ઇચ્છા ન હોય તો આપણે કાલે વાત કરીશું. તમે આરામ કરો.” આ સાંભળી નિશીથ હસ્યો અને બોલ્યો “કશિશ તને જાણવાની ઇંતજારી છે તે હું જાણું