કર્ણલોક - 14

(86.2k)
  • 8.5k
  • 5
  • 4.8k

દુર્ગાએ કપડાં સંતાડ્યાં પણ ચૉકલેટની જેમ બાળકોને વહેંચ્યાં નહીં તે રહસ્ય મને મૂંઝવતું રહ્યું. નલિનીબહેન તેના પર લેખિત કાગળો કરશે, નેહાબહેનને કે કોઈને બોલાવીને કેસ કરશે એવું મેં માનેલું. એવું કંઈ પણ થયું નહીં. જાણે કંઈ બન્યું જ નથી તેમ આખી વાત શા કાજે દબાઈ રહી તે મને સમજાયું નહોતું.