કર્ણલોક - 9

(52)
  • 6.1k
  • 5
  • 2.8k

નેહાબહેને દુર્ગાને ઘરે રોકાવા કહ્યું અને મારે એકલા એ જ દુકાને પાછા આવવું પડ્યું. પાછા ફરતાં દુર્ગા સાથે જે વાતો કરવાની નક્કી કરી રાખી હતી તે થઈ ન શકી. હુસ્નાના જવાબે અને કૉર્ટના આદેશે મને કંઈક અજંપ સ્થિતિમાં મૂક્યો હતો. અચાનક મને એ બધું લખવાનું મન થઈ આવ્યું અને મેં જી’ભાઈએ આપેલી ડાયરી કાઢી. લખીને પછી નંદુને વંચાવવા ગયો.