કર્ણલોક - 8

(56)
  • 5.5k
  • 3
  • 3.4k

નિમુબહેનની વાડીએથી નીક્ળ્યો ત્યારે વિદાય આપતાં નિમુબહેને મને ઊભો રાખીને કહ્યું, ‘આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણ ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવો જોઈએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.’