અપરાધ ભાગ - ૫

(93)
  • 5.6k
  • 7
  • 4.3k

વિરલે ફોન પર વાત કરીને કૉલ કટ કર્યો અને મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂક્યો."શું કહ્યું શાસ્ત્રીજી મહારાજે મોટાભાઈ?" અવિનાશે પૂછ્યું."તેઓ અત્યારે બહારગામ છે બે દિવસ પછી તેઓ ઘરે આવશે." વિરલે જવાબ આપ્યો."ચાલો કેશવભાઈ હવે અમે જઈએ" નીકુલે કહ્યું."ભલે , આમ પણ આજકાલમાં મારું પણ મૃત્યુ થશે જ ત્યારે આવજો." કેશવ નાખી દીધેલા અવાજે બોલ્યો."કેમ આવી વાત કરો છો! ભગવાન પર ભરોસો રાખો. સૌ સારાવાના થઈ જશે." નિકુલ કેશવને આશ્વાસન આપતાં બોલ્યો.ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.@@@@@@@ઈ.સન.:૧૯૭૫"આ તો સામે ચાલીને મોતના મુખમાં હાથ નાખ્યા , હવે તો મૌત નક્કી જ છે." વિક્રાંત ગભરાટ સાથે બોલ્યો."હાથ નહીં પણ આખું શરીર