ઉદય ભાગ ૫

(44)
  • 3.3k
  • 2
  • 1.3k

દેવાંશી ઘરે પહોંચી ત્યાં સુધી વિચાર કરતી રહી કે આમને ક્યાંક જોયા છે . ઘરે પહોંચી ત્યાં સુધીમાં મગજ માં પ્રકાશ થયો આ તો પ્રખ્યાત માનસશાસ્ત્રી ડૉક્ટર પલ્લવ ઓઝા . તેમના લખેલ પુસ્તક માં ફોટો જોયો હતો તે યાદ આવ્યું . તેને વિચાર્યું તેમનું પુસ્તક રેફરેન્સ તરીકે કેટલી વાપર્યું છે અને ફોટો ઘણી વાર જોયો હોવાથી તેમનો ચેહરો જાણીતો લાગતો હતો. પણ તેને આશ્ચર્ય થયું કે આટલો મોટો વિદ્વાન મજુર તરીકે કામ કેવી રીતે કરે છે . આ વિષે જાણવું પડશે અને તે પણ કોઈને ખબર પડવા દેવા વગર શું ખબર કઈ મજબૂરી ને લીધે મજુર નો વેશ ધારણ કર્યો