અવતાર

(26)
  • 1.2k
  • 2
  • 485

હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈ વિવેકના દેહાંતની ખબર આવી ત્યાં સુધી વિનાયકના મોઢેથી ગાળો વહેતી રહી હતી. પરંતુ વિવેકની વિદાય સાથે એની જીભને તાળું લાગી ગયુ હતુ. એ હવે ખૂલ્યુ હતુ એક ભવિષ્યવાણી સાથે, વિનાયક ઠાકોરના ખૌફનાક અંદાજમાં.. ‘વિવેક ફરીથી આવશે!’ વિવેકની અંતિમક્રિયા, બેસણું બધી વિધિઓને વિનાયકે શૂન્યમનસ્ક હાલતમાં જ ન્યાય આપ્યો. પ્રથમ તારીખમાં કોર્ટ રૂમમાં હાજર રહેલા નટવરને એક જોરદાર તમાચો ઝીંકી દીધા પછી એ પોતે પણ અનરાધાર રડ્યો. વિવેકના મોત પછી આ એનું પ્રથમ રૂદન હતું. એ પછી આશ્ચર્યજનક રીતે વિનાયકમાં બદલાવ આવવા લાગ્યો. નટવરના જામીન પણ એણે પોતે આપ્યા. કોઈની પૃચ્છાનો