પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 13

(19)
  • 3.1k
  • 2
  • 1.4k

ઘરવાળાંને અને ખાસ કરીને પ્રસૂતા સ્ત્રીને જે વાતની શંકા હતી તે જ થયું. ત્રણ દિકરીઓ બાદ દિકરીનો જન્મ થયો હતો. અનર્થ! ભયંકર અનર્થ! મા, પિતા અને વૃદ્ધ દાદીમા ઉપર તો આખું આભ તૂટી પડ્યું જાણે. હવે તો ભગવાન બચાવે તો બચાય એમ હતું. સૌ નવજાત બાળકીને રાક્ષસી માનતાં હતાં. થતું - ‘‘આ અભાગણી આ ઘરમાં શું કામ આવી? ને આવવું જ હતું તો વહેલી કેમ ના આવી? ભગવાન દુશ્મનને ઘેર પણ તેંતર ને જન્મ ના આપે.’’