મોટું કોણ અધિકાર કે અંધશ્રદ્ધા !!

  • 2.9k
  • 1
  • 901

અનામિકા ને સમજાતું નથી કે રોજ સવાર પડે ને એનો પતિ નાહી ને મંદિર જવા શા માટે નીકળી પડે છે? આમ તો, પોતે પણ તેની સાથે જ રોજ સવારે તૈયાર થઇ જાય છે. એનેય પતિ સાથે મંદિર જવાની ઈચ્છા થાય છે; પણ પતિ નો એક જ જવાબ મળે એ મંદિર માં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે. આજે એનું મન વિચાર ના ચકડોળે ચઢ્યું છે કે, “જ્યાં સ્ત્રીઓ પ્રવેશી જ ના શકે?” ગઈ કાલે રાતે તો આ વિષય માં પતિ સાથે ઘણી દલીલો થઇ અને વાત છુટા પડવા સુધી પહોંચી ગઈ હતી. આજે પણ મંદિર જતા પતિ ને જોઈ એ બધી દલીલો