કર્મયોગી કાનજી-૩

(14)
  • 3.3k
  • 6
  • 1.3k

કર્મયોગી કાનજી-૩ આપણે આગળના ભાગમાં જોયું કે શેઠ ધરમચંદ અને વાકાણી વચ્ચે વાતોનો દોર ચાલુ થયો. શેઠ થોડા ઉગ્ર બની જાય છે એટલે પોલીસ સ્ટેશનમાં શાંતિ જાળવવા વાકાણી કહે છે હવે આગળ, 'વાકાણી સાહેબ, એક વાતની ૧૦૦ વાત કે એ જમીન ખાનદાની લોકોને શોભે એવી છે. જમીનદાર અને જાગીરદાર લોકોના તોલે આવે એ પ્રકારનો ભાગ છે અને એ જમીનના ભોગે અમે કાનજીને પૈસા આપવા તૈયાર છીએ કારણ કે એ જમીન ગામના સીમાડા પાસે છે એટલે આજે નહિ તો ભવિષ્યમાં એના ભાવ આવશે અથવા તો એ જગ્યા પર કોઈ હોસ્પિટલ કે કોઈ કારખાનું બની શકે એવી સરસ જગ્યાને આ કાનજી બરબાદ