જ્યારે બધાએ werewolves એ મળીને અવિનાશ પર આક્રમણ કર્યું ત્યારે અવિનાશે એક સાથે બધાય werewolves ઉપર મંત્ર ના પ્રહાર શરૂ કર્યા. એ બધા સાથે લડવા માં વ્યસ્ત હતો ત્યાં એમના સેનાપતિ એ મોકાનો લાભ ઉઠાવી ને અવિનાશ ના પીઠ પાછળ પ્રહાર કર્યો. પ્રહાર એટલો જોરદાર હતો કે અવિનાશ જમીન પર ઢળી પડ્યો અને પીડા ના કારણે અધમૂઓ થઈને તરફડિયાં મારવા લાગ્યો. એમનો સેનાપતિ એના સામે પુનઃ માનવ સ્વરૂપ માં આવ્યો અને એના સામે જોઈ ને હસવા લાગ્યો. “મૂર્ખ ..જાદુગર ..તું શું સમજે છે તારા જેવો તુચ્છ જાદુગર ..અમારા જેવા દુનિયા ના સૌથી શક્તિશાળી જીવો ને હરાવી શકીશ ...અમારો ઉપયોગ કરી