દગાખોરને મળ્યો પરભોગોર

(57)
  • 2.7k
  • 5
  • 1.1k

બાળવાર્તા – દગાખોરને મળ્યો પરભોગોર– ‘સાગર’ રામોલિયા નામ તો એનું પ્રભાશંકર. જાતે બ્રાહ્મણ. ગોરપદું કરે એટલે લોકો પરભોગોર કહે. એકદમ ભોળો. લોકો તેને જે આપે તે લઈને સંતોષ માની લે. કોઈ જાતની રકઝક ન કરે. એને તો પોતે ભલો ને પોતાનું કામ ભલું. એ ગામમાં રહે એક માણસ. નામ એનું મગન. મોટો દગાખોર! કોઈને છેતરવું એતો એના માટે રમત વાત! કોઈને ન છોડે! હવે એક વખત મગનને થયું કે ઘરમાં સત્યનારાયણની કથા કરાવું. મગન તો પહોંચ્યો પરભાગોર પાસે. કથાની વાત કરી. ગોરજીએ દિવસ ને સમય કહ્યો. નક્કી કરેલ દિવસે કથા થઈ. દક્ષિણા આપવાના સમયે તો મગનની ‘વાહ, વાહ’ થઈ ગઈ. મોટી