અભિમાન હંમેશા આસમાન તોડે છે

  • 3.6k
  • 2
  • 1.2k

પૃથ્વીનો દરેક જીવ સ્વસ્થ અને શાંતિપૂર્વકનું જીવન ઈચ્છે છે. આનંદ અને સુખના હિલોળે જીવન વિતાવવા માંગે છે. પણ બધું આપણું ધાર્યું ક્યાં થાય છે? સમય અને નસીબ જેટલું શક્તિશાળી કોણ છે ? આપણા સંવિધાનના મૂળભૂત હકો અને અધિકારો જેમ કે - વાણી સ્વાતંત્ર્ય, હરવા- ફરવાનું સ્વાતંત્ર્ય, રહેઠાણનું સ્વાતંત્ર્ય, પસંદગીનું સ્વાતંત્ર્ય એ દરેક જીવને આપવામાં આવેલા છે. જેમ જંગલી પ્રાણીઓને જંગલમાં, જળચર પ્રાણીઓને જળમાં એમ મનુષ્યને ધરતી પર સુખપૂર્વક જીવવું હોય છે. પોતે નિર્માણ કરેલી જીવસૃષ્ટિને કુટુંબ બનાવી એમની સાથે જીવન માણવું હોય છે. આપણા કવિઓ મુજબ માનવજીવન એટલે -'હરે, ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે ' ક્યાંય કશી