પુસ્તક સમીક્ષા - અતરાપી

(12)
  • 64.6k
  • 18.9k

પુસ્તક: અતરાપીલેખક:- ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટનું પુસ્તક તત્વમસિ વાંચીએ અને તેના  કથા તત્ત્વ પરથી બનેલ રેવા ફિલ્મ જોઈયે ... કેટલી ધારદાર રજૂઆત...તે જ રીતે સમુદ્રાન્તિકે, અગ્નિકન્યા, તિમિર પંથી, અકૂપાર, લવલી પાન હાઉસ, અતરાપી દરેક પુસ્તકો જેટલી વાર વાંચીએ એટલું તેમને સમજવું અઘરું અને ઓછું જ પડે. દરેક વખતે નવી વિચાર સ્ફુરણા,, દરેક પાત્ર ના વિચારોમાં નવીન દ્રષ્ટિ જોવા અચૂકપણે મળે. 'અતરાપી' પુસ્તક ને ઓળખવા ધ્રુવજીના પ્રવાહમાં પૂરતો સમય આપી ડુંબવું પડે. પ્રથમ વાર પુસ્તક હાથમાં લીધું ત્યારે શરૂઆતમાં લાગ્યું શ્વાન એક સામાન્ય પાત્ર હશે આગળ જતા કોઈ સરસ કથાનાયક આવશે એમ વિચારી વાંચતી રહી પણ...અહીંતો આખે આખું પુસ્તક શ્વાન પર .. જલસો