કૃષ્ણ સાથે ઓટલે - અંતરનો બળાપો - અંતરનો બળાપો

(12)
  • 4.3k
  • 4
  • 756

આ બધો બળાપો, અને એમા પણ નોકરીમાં સારી સેલેરી મેળવવાની જફામારી. કામ કાજ કરવાનું અને શોખને મારી મારીને બસ સતત જીવ્યા જ કરવાનું. કાંઈ સમજાય તો ને, કે આખર કરવું શું જોઈએ…? ક્યારેક તો ડર લાગે છે, કે શું જીવન આમ જ વીતી જશે…? પણ ના, એ તો હું નહિ જ થવા દઉં. જીવનમાં એવું ઘણું બધું કરવું જ છે, જે કરવા માટે જ કદાચ હું અસ્તિત્વમાં આવ્યો હોઈશ. પણ, આ ગેબી યોજના આખરકાર હોઈ શુ શકે…? ‘જો એ જાણી શકાતું હોતને વાલા, તો હંધાય લોકો આમ કામ ન કરતા હોત. બધાય એમનું ભાવી જોઈને ફાંસીના માંચડે નો ચડ્યા હોત