કેપ્ટન નોબુક્ગના અને આત્મવિશ્વાસ

(24)
  • 4.3k
  • 2
  • 828

ભારતએ વર્ષોથી શાંતિ અને સંસ્કૃતિનો પક્ષધર રહ્યો છે.આમ છતાય જયારે જયારે દેશ ઉપર જબરજસ્તીથી યુદ્ધ થોપવામાં આવ્યું છે ત્યારે ત્યારે ભારતદેશના જાબાજ સૈનિકોએ પોતાની વીરતા બતાવી છે તથા જંગ જીતાવાની પૂરેપૂરી લગન અને આત્મવિશ્વાસ સાથે યુદ્ધ લડયા છે.અને વિજય પણ મેળવ્યો છે. આમતો ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધ થયા છે એ લગભગ યુદ્ધોમાં બંનેની સૈન્ય સામ સામે હોય અને યુદ્ધો ખેલાયા છે અથવા જો આધુનિક યુદ્ધો ની વાતો કરીએતો સામે સામે દેશોના આર્મી એટલે કે લશ્કર હોય અને આધુનિક હથિયાર દ્વારા લડાય છે પણ આજે એક આવા આધુનિક યુદ્ધની હક્કિતની વાતો કરવા માંગું છુ કે જે અદભુત અને અવિસ્વનીય હતું જેની હિકકત સાંભળીને ભલ-ભલા આંખો આશ્ચર્યથી ભીંજાય જશે આ યુદ્ધ વિશે આમતો બહુજ ઓછા લોકો કે સાવ નહીવત પ્રમાણમાં લોકોને ખબર હશે પણ મારી નજરે આ યુદ્ધએ વિશ્વનું સૌથી મોટું પ્રેરણાદાઈ યુદ્ધ છે આ યુદ્ધમાં ઝીંદગી ની દરેક પરિસ્થતિને આવરી લીધી છે જેવાકે આત્મવિશ્વાસ,લાગણી ,ભક્તિ ,જનુન ,હિંમત જેવા મહત્વના પાસાઓ આવી જાય છે. ઘણા લોકો આવું માને કે અતો આર્મી કે અન્ય યુદ્ધની કથા છે આમાં શું વાંચવું આપણે ક્યાં લશ્કરીદળ કે ફોંજમાં જવું છે આતો આપણા કામનું નથી પણ ના એવું નથી ભાઈ આ એક એવી યુદ્ધની હક્કિત છે કે જેમાં ઝીંદગીના દરેક પાસાને આવરી લેવાય છે આ વાર્તાએ તમને તમારી દરેક જગ્યાએ ખાસતો જયારે તમે ઝીંદગીમાં હાર માનીને બેસી જવો છો કે જયારે આત્મવિશ્વાસ નથી રેતો કે તમે તમારા કર્યોમાં હતાસ કે નકારાત્મક થઇ જાઓ છો ત્યારેઆ વાર્તા એક વાર જરૂર વાંચવી આમાં ખુબજ સરસ અને પ્રેરણાદાય આધુનિક ભારતીય ભૂમિદળના એક મહાન વીર જવાનની યુદ્ધ કથા છે. આશા રાખું છું કે આ વાર્તા તમને સફળતા અપાવે અને જો તમે તમારી ઝિંદગીના યુદ્ધમાં હતાશ કે હાર માનીને બેઠા હોયતો આ વાર્તા તમને ઉભા કરશે અને ફરીપાછા ઝીંદગીનું યુદ્ધ જીતવા માટે લડવા તૈયાર કરશે.