૯૧૬૬ અપ: ઘણું બધું બદલાયું… - 15

(120)
  • 12k
  • 15
  • 3.9k

૨૦૦૨ના રમખાણોના પડઘા બહુ વર્ષો સુધી પડયા. રમખાણોનો લાભ દરેક વ્યક્તિ લેવા માગતી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનો કરાવ્યા છે. તેમના કારણે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા તેવી જે વાતો થતી હતી તે અંગે મોદીએ ગણતરીપૂર્વક મૌન ધારણ કરી લીધું. તેનો સીધો ફાયદો તેમને ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં થયો. કૉંગ્રેસ સહિત ટેલિવિઝન ચેનલો અને અખબારો મોદીને મુસ્લિમોના હત્યારા તરીકે ગાળો આપતા ગયા એટલા મોદી હિન્દુમાં વધુ લોકપ્રિય થયા. ૨૦૦૨ના રમખાણોએ કોને કેટલો લાભ લીધો તેની યાદ બહુ લાંબી છે. પણ ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ પણ હોશિયાર હતા.