બે પાણા : ડૉ.સાગર અજમેરી ‘બે પાણા’ સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર લખાયેલી નાનકડી વાર્તા છે, જેમાં કાનજી અને લખમીના પ્રેમનું આલેખન છે. સાથે સાથે પરિવારમાં મિલકત માટે રચાતા કાવતરા અને તેના દ્વારા ભેગ બનતા નિર્દોષ જીવની વાત પણ છે. હૃદય કંપાવી મૂકતી ઘટનાને પાનની પીચકારી મરવા જેવી સામાન્ય ગણનારા નિષ્ઠુર સમાજ પર વ્યંગ કરાયો છે. માનવી કરતા તો પથ્થર વધુ લાગણીશીલ તેવી વાત સાથે વાર્તાના કથાનકમાં કેટલાય ‘બે પાણા’ (સૌરાષ્ટ્રની ભાષામાં ‘પાણા’ એટલે પથ્થર) જોવા મળે છે.! વાર્તાની ભાષામાં સૌરાષ્ટ્રની લોકબોલી સ્પર્શે તેવી છે. આપને માટે આ પ્રથમ વાર્તા.... ‘બે પાણા’.