માંદગી અને હાસ્ય.

(35)
  • 3.3k
  • 4
  • 1.2k

પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે જ્યારે એકવાર માંદગીના બિછાને હતા, ત્યારે એમના એક મિત્ર એમની ખબર કાઢવા આવ્યા. જ્યોતીંદ્રભાઇએ એમને આવેલા જોઇને, ખાટલામાંથી ઊભા થઈને, રૂમની ખીંટી પર લટકતો કોટ પહેરવા માંડ્યો. આ જોઈને એમના મિત્રે પૂછ્યું, “તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો?” જ્યોતીંદ્રભાઈએ કહ્યું, “ ના રે ના. આ તો હું ખાટલામાં સૂતેલો તમને બરાબર દેખાઉંને એટલે મેં કોટ પહેર્યો.”