ઓહ્હ મમતા...

(13)
  • 3.2k
  • 5
  • 1k

હત્યાનું કારણ આજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. ત્રણ મહિનાઓ થી મમતાના કેસ ઘણા બધા ગવાહો અને પુરાવાઓ પોલીસને મળ્યા હતા. તપાસ ચાલુ હતી. વીકીની નજર સતત ન્યુઝ ચેનલ પર હતી. શું થયું હશે કોણે મારી હશે કે પછી આત્મહત્યા ના, મમતા આત્મહત્યા જેવું પગલું ના ભરી શકે. હું જાણું છું એને. તો પછી કોઈ દુશ્મન મમતા નો સ્વભાવ કોઈને દુશ્મન ન બનાવી શકે… એ તો સૌની દોસ્ત બનીને રહેતી. બધાને દોસ્ત બનાવી શકતી. તો પછી એનો પતિ હા, હોઈ શકે. પણ મમતાએ કદી લગ્નજીવન બાબતે ફરિયાદ નહોતી કરી ....તો કોણ હશે