અપરાધભાવ

(20)
  • 5k
  • 1
  • 914

આ વાર્તા લેખક એડગર-એલન-પો ની ટૂંકી વાર્તા The Tell-Tale Heart નો અનુવાદ છે. જે 1843માં લખાઈ હતી. વાંચો આગળ... હા, એ સાચું છે કે હું બીમાર છું અને તમે એમ પણ કહેશો કે મેં મારા મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. મારા મતે એ સાચું નથી હું માનસિક રીતે એકદમ સ્વસ્થ છું. મારી બીમારીને કારણે મારી બધી જ ઇન્દ્રિયો સતેજ થઇ ગઈ છે. ખાસ કરીને મારી સાંભળવાની શક્તિ. હવે હું એવા અવાજો પણ સાંભળી શકું છું, જે પેહલા નોહતો સાંભળી શકતો. મને હવે સ્વર્ગ અને નર્ક બન્ને માંથી આવતા અવાજો સંભળાય છે.