Prabhuma Vishwas Jivan ma Suwas Shri Yashovijay Jain Gurukul - Palitana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Prabhuma Vishwas Jivan ma Suwas

પ્રભુમાં વિશ્વાસ જીવનમાં સુવાસ

ઃશ્રી યશોવિજય જૈન ગુરુકુળ-પાલીતાણા-સાલગિરિ પ્રસંગે આપેલા વકતવ્યમાંથી :

જીવન જીવી જાણ્યું નહીં તો, જીંદગી શા કામની

સાચું સુખ જો માણ્યું નહીં તો, જીંદગી શા કામની ..જીવન

કાળા કર્યા, ધોળા કર્યા, નાણાં બહુ ભેળા કર્યા.

જાતી વેળાએ ખાલી ચાલ્યા તો તીજોરીઓ શા કામની ......જીવન.

સાબુ અને અત્તર ઘણાં તુજ અંગ પર લેપાય તું

અંતે જયારે અગ્ની મુકાશે તો ટાપટીપ શા કામની . જીવન.

હાથી અને ઘોડે ફરે -પૃથ્વી પર નવ પગ ધરે

પણ છેલ્લી પાલખી વાંસની તો મોટરો શા કામની.. જીવન.

મહેલ ચણાવ્યો દશ માળનો, મુર્હત લીધું વાસ્તુ તણું..

મુર્હત પહેલા મોત આવ્યું તો હવેલીઓ શા કામની. જીવન.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

હું જીવું છું એ જગતમાં જયાં નથી જીવન, જીંદગીનું નામ છે બસ બોજ ને બંધન,

આખરી અવતારનું મંડાણ બાંધી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

આ ભૂમીમાં ખૂબ ગાજે પાપ ના પડઘમ,બેસુરી થઇ જાય મારી પુણ્યની સરગમ,

દિલરૂબાના તારનું ભંગાણ સાંધી દે,જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જોમ તનમાં જયાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઇ અહીંયા ના કરે પોષણ,

મતલબી સંસારનું જોડાણ કાપી દે, જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

તું મને ભગવાન એક વરદાન આપી દે, જયા વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

દુષ્કર છે આ ભવસાગરનો દૂર દૂર કિનારો,

ડુબી ના જાઉં જો જો ભગવાન હાથ પકડજો મારો,

તારા શરણે આવેલાને મળે નહિં જાકારો,

તારે શરણે સોંપી દીધો છે, અંતરનો એકતારો.

જે પ્રભુની પાસે રહે છે, પ્રભુ તેની સાથે રહે છે.

અનુક્રમણિકા

૧.તીજોરી ની ત્રણ ચાવી

૨.પહેલી ચાવી

૩. બીજી ચાવી

૪.ત્રીજી ચાવી

૧૦૮- વાર્તાઓની અનુક્રમણિકા

૧ આપઘાતમાં સમ્યક સમજ

૨ જન્મ દિવસ

૩ અનોખો આત્મ વિશ્વાસ

૪ વિધિના લેખ કોઇ ન મારે મેખ

૫ મધુબિંદુ

૬ બુદ્ધિનો ખેલ

૭ તૃષ્ણાનો ખાડો કદી પુરાતો નથી

૮ હીરાઝડીત સોનાનું કડુ

૯ નવમી પેઢીનું શું?

૧૦ જીવનમાં સંતોષી રહેવું

૧૧ બળથી નહીઁ પણ કળથી કામ થાય છે

૧૨ જીભ નો ઘા

૧૩ વચન ની કીંમત

૧૪ પુરુષાર્થનું પરિણામ

૧૫ વસ્તુનું સાચું મૂલ્ય

૧૬ હેર હીટલર

૧૭ રીક્ષાવાળા ભાઇની વાત

૧૮ સ્ટીમરમાં ધક્કો

૧૯ ડોશી અને શેઠની કથા

૨૦ અમર ફળ

૨૧ ખેમચંદ શેઠ

૨૨ પેરાલીસીસ જમણાં ભાગમાં

૨૩ ક્રોધ ન કરવાની બાધા

૨૪ ર્સ્વગનો સ્ટોર

૨૫ ડોકટર દિકરો અને મા

૨૬ વાસી ખાઇ છે બધા

૨૭ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી

૨૮ વડીલ છત્ર છે

૨૯ બે ઠગની વાત-બળદ-મોચી વિગેરે

૩૦ પાંચ રત્નો

૩૧ કટાક્ષ ભર્યુ હાસ્યનું વીપરીત પરિણામ

૩૨ નિયમનો ફાયદો

૩૩ સંતોષી નરનું પહેરણ

૩૪ વિશ્વની સાત અજાયબીઓ

૩૫ કારપેંટરની સમતા

૩૬ કઢીવાલે બાબા

૩૭ બાવાજીની કફની

૩૮ વગર વિચાર્યે કયારેય કંઇ કામ કરવું નહીં

૩૯ સમ્રાટ સંપ્રતિ

૪૦ મહારાજા શ્રેણિક

૪૧ સત્ય પાલન

૪૨ મુનીશ્રી ઢંઢણકુમાર

૪૩ કુહાડી-ઝાડ કાપતા તળાવમાં પડી જાય છે

૪૪ નંદીષેણ મુની

૪૫ પ્રવૃત્તિઓ ઘણી બદલી હવે વૃત્તિને બદલીએ

૪૬ મેઘરથરાજા

૪૭ કુબેરદત્તા

૪૮ ધન્ય તને પુણીયા

૪૯ પુણીઓ શ્રાવક

૫૦ શ્રી માનતુંગસુરિ

૫૧ મેતારજ મુની

૫૨ અનાથી મુની

૫૩ ગજસુકુમાલ

૫૪ ભરતેશ્વર અને બાહુબલિ

૫૫ સંતોષી કોણ?

૫૬ વચન મુજબ કરણી

૫૭ શ્રી કુરગુડુ મુની

૫૮ શ્રી નમિરાજા

૫૯ આંધળાનો હાથી

૬૦ રેતી અને પથ્થર

૬૧ ધોબીનો કુતરો ન ઘર નો કે ઘાટનોે

૬૨ સૂર્યોદય

૬૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ મ્હારો

૬૪ તેલનો અઢોળ કટોરો

૬૫ જગડું તુ દાતાર, દૂજો થાવો નથી

૬૬ હસતો ગઢ ગિરનાર

૬૭ સજ્જનનું વર્તન

૬૮ કાયાના કુંભ પર કીર્તિકળશ

૬૯ મમ્મણ શેઠ

૭૦ નાની વાળી અને મોટી વાત

૭૧ ભકિતના કોડીયામાં શ્રદ્વાનું સિંચન

૭૨ અતૂટ અભિગ્રહ

૭૩ ભકિતનો ચઢાવ-ઉતાર

૭૪ ભૂલની કબુલાત

૭૫ સરસ જિનમંદિરનું સત્ય

૭૬ નિંદાની નનામી ઊંચકી શકે તેને

૭૭ રજકણ સૂરજ થવાને પંથ

૭૮ મનની તાકાત

૭૯ કલ્યાણનો પંથ

૮૦ સત્સંગ

૮૧ સંત તુકડોજી

૮૨ સહકાર

૮૩ અભિમાન

૮૪ ચિંતા

૮૫ લોભ ને થોભ નથી હોતો

૮૬ પ્રણમું તમારા પાય

૮૭ પૂર્ણ હૃદયથી આપો

૮૮ સાચી ઋણમુકિત

૮૯ બોધ આપવાનો મહાન માર્ગ કયો

૯૦ આલોયણા

૯૧ વાદળ આકાશમાં નથી પણ મનમાં છે

૯૨ પારસમણિ

૯૩ ગર્વ કિયો સોઇ નરઃ-છેલ્લો પડદો પણ હટી ગયો

૯૪ નીતિનું પાલન

૯૫ નિયમ ઘડવૈયાની ફરજ

૯૬ આત્મનિર્ભરતાનો આનંદ

૯૭ સાંભળો અને આચરણ પણ કરો

૯૮ જીવન ચંદનવન

૯૯ કાયમી પરબ

૧૦૦ ત્યારે પરમાત્મા સાથે મીલન શકય બને છે

૧૦૧ બે નારા માં કયો ચઢે?

૧૦૨ મન સ્વચ્છતો પરિવાર સ્વચ્છ

૧૦૩ જૂનાગઢના રાજાનું ગોવાળ વચને પરિવર્તન

૧૦૪ મેઘકુમાર

૧૦૫ આદર્શ મહાન દીકરો

૧૦૬ ભગવાન સાથે ભોજન

૧૦૭ મંત્ર તો એનો એ પણ

૧૦૮ ત્યાં ભગવાન જરૂર હશે?

પ્રભુમાં વિશ્વાસ

જીવનમાં સુવાસ

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

ઙડટ્ટઠ્ઠણ્ત્ત્ડ્ઢ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્દઢણ્ત્ત્ણૂણ્ત્ત્ડ્ઢ ણ્દ્મ ત્ણ્ણૂડ ડટ્ટદ્દણ્ત્ત્ડ્ઢ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ ઠ્ઠણ્ડ્ઢડદ્મદ્દણ્ત્ત્ડ્ઢ.

ઉ થ્ર્ટ્ટડ્ઢડ ઠ્ઠણ્ડ્ઢડદ્મદ્દડઠ્ઠ ણ્દ્મ ટ્ઠડદ્દદ્દડદ્ર દ્દઢટ્ટત્ત્ ટ્ટ દ્યથ્ત્દ્ધત્ર્ડ ઢદ્ધદ્રદ્રણ્ડઠ્ઠત્ધ્ દ્રડટ્ટઠ્ઠ.

આ લખાણમાં મારું કશું નથી. આ લખાણ ગુજરાતી ધર્મ ગ્રંથોમાંથી ઉતારેલ છે. હું કો નથી. ફકત વાર્તાઓનું સંપાદન કર્યુ છે. કો વ્યાવસાયિક નિમિત્તે નહીં પણ ાામાન્યજનના હૃદયમાં,મનમાં શ્વર સ્નેેહ,શ્વર નિષ્ઠા,શ્વર ભકિત જાગે તે નિમિત્તે આ પુસ્તિકાનું સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મારા પૂ.માતુશ્રી સ્વ.લીલાવંતીબેન મનસુખલાલ વનમાળીદાસ લવજી શાહના કરકમળમાં સમર્પિત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું તેઓ જયાં પણ હોય તેમના આશીર્વાદ સદા અમારી સાથે રહે. જૈનધર્મનું બીજુ નામ દયાધર્મ છે. દરેકે દરેક ધર્મમાં દયાધર્મ ને ખુબજ મહત્વ આપેલ છે. માટે હંમેશા દયાભાવ બધા માટે રાખો,આ જ સાચો ધર્મ છે. અહીંસા પરમોધર્મ છે. જીવદયા સાથે જીભદયા રાખો. સૈેરુમ મિઝેલે પરમ સમીપેમાં ખુબજ સંદર લખ્યું છેઃ-

મારા મસ્તકમાં વસો અને મારી આંખોમાં પણ,

મારી આંખોમાં વસો અને મારી દ્રષ્ટિમાં પણ,

મારા મુખમાં વસો અને મારી વાણીમાં પણ,

ાારા હૃદયમાં વસો અને મારી લાગણીમાં પણ,

ાભુ, મારા અંતિમ દિવસોમાં પાસે હજો અને વિદાયવેળાએ પણ.

મારા જીવનમાં આજ સુધી કદી આવી રીતે લખાણ કરેલ નથી. પહેલી જ વાર કોશીશ કરું છું. ઘણી બધી ચોપડીઓ,મેગેઝીનો,છાપાઓમાંથી મને યોગ્ય લાગ્યું તે લખાણ મારી રીતે ગોઠવેલ છે.મેં અલગ અલગ પુસ્તકો વિગેરે જે વાંચેલ છે અને મને તેમાંથી જે સારું લાગ્યું

તે આપ સર્વો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. સાધારણ પાણીનું ટીપુ, જયારે કમળના

પાન પર પડે છે, મોતી નથી છતાં મોતી જેમ શોભે છે. એવીજ રીતે મારામાં શકિત નથી કે

આવડત નથી, તે છતાં ભગવાનના પ્રભાવથી જ આ લખી રહ્યો છું. ફકત ભગવાનની વાણી

આપ સર્વો સુધી સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયત્ન છે.કાંઇ ભુલ ચુક હોયતો ક્ષમા કરવા

વિનંતી છે. આપના સુઝાવ વગેરે મોકલવા નમ્ર વિનંતી છે. જાણતાં કે અજાણતાં મારાથી

કાંઇ પણ એવું લખાઇ જાય કે કોઇ ને દુઃખ થાય તો હું તેમની ક્ષમા માંગુ છું. પુસ્તકના આ

લખાણમાં કયાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઇ ગયું હોય તો એનું અંતઃકરણ પૂર્વક

ત્રિવિધે ત્રવિધે મિચ્છામિદુક્કડં માંગુ છું. મારો હેતુ આપના જીવનમાં સુવાસ ફેલાય અને

આપનો પ્રભુમાં વિશ્વાસ વધતો રહે, જીવનનો સદુપયોગ થાય,સારા સારા કાર્યો આપના

હસ્તકે થાય-આપ સર્વો પુણ્ય ઉપાર્જન કરો અને જીવનમાં નવા કોઇ કર્મો બાંધો નહીં એજ છે.

ખુદ ભગવાન પણ માતા-પિતા સામે આવેતો સિંહાસન ઉપરથી ઉભા થઇને તેમને સામે તેડવા

જાય છે. કાર્ય પૂર્ણ થતાં વળાવવા જાય છે. જે કાર્ય કરે તેમને પૂછીને સંમતિ મેળવીને કરે છે.

માતૃભકિત અને પિતૃભકિતમાં તેઓ કયારેય પાછા પડતાં નથી.મા બાપ ને સુખ આપશો તો

તમને પણ જીવનમા સુખ જ મળશે. કર્મ એવા કરો કે મા બાપ તમોને ખોબે ખોબે ભરીને

અંતરથી દુઆ તથા આર્શીવાદ આપે તોજ જીવનમાં તમારી સુવાસ ફેલાશે. જેની સાથે મા-

બાપ ના સાચા આર્શિવાદ છે તેને જીવનમાં બધે જ સફળતા મળે છે. કારણ ખુદ ભગવાન તેની

બધી મદદ કરવા હંમેશ તૈયાર જ હોય છે.

આપણે જેવા પણ હતા,

મા-બાપે આપણને સ્વીકારી લીધા !

મા-બાપ જેવા પણ છે,

આપણે એમને સ્વીકાર્યા છે ખરા?

સાંભળનારા લાખો છે,

સંભળાવનારા હજારો છે,

સમજનારા સેંકડો છે

પણ આચરનારા તો આંગણી ને વેઢે ગણાય એટલા જ હોય.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ.

ભુલો ભલે બીજું બધુંં સંતાનને ભૂલશો નહીં,

ભુલો ભલે બીજું બધુંં સંતાનને ભૂલશો નહીં,

અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.

સંતાનને ઘડવાની આશા આપી તમને ઇશ્વરે,

સંતાનના ઘડતરમાં ખામી, કોઇ દિવસે રાખશો નહીં.

અવગુણ તમારી જિંદગીમાં, કેટલાયે હો ભલે,

સંતાન આગળ અવગુણોને પ્રગટ કદી કરશો નહીં.

હો ભલે શિક્ષિત, અશિક્ષિત, અલ્પ શિક્ષિત પણ તમે,

સંતાનના શિક્ષણ મહીં, પાછા કદી પડશો નહીં.

સ્વજની હો કે ગૃહિણી હો ને હો પરસ્પર પ્રેમ પણ,

સંતાન આગળ ચેનચાળા, પ્રેમના કરશો નહીં.

સંસ્કાર સારા જિંદગીમાં હોય સીંચાયેલા તો,

સંતાનમાં એ સીંચવાનું કદી વિસરશો નહીં.

જે આપશો તે પામશો, જેવા હશો તેવા થશે,

જેવા ઘડો તેવા ઘડાશે,એ વાત ભૂલશો નહીં.

ગુણમાં તમારાથી સવાયા, નામ એ તમ રાખશે,

ઘડપણ મહીં થાશે સહારો,વાત વિસરશો નહીં.

સંતાનનું સુખ સૌથી મોટું, દુઃખ પણ સંતાનથી,

શાંતિ માટે જીવનમાં,સંતાનને ભૂલશો નહીં.

ભૂલો ભલે બીજું બધુંુ,મા બાપને ભૂલશો નહીં,

ભૂલો ભલે બીજું બધુંુ,મા બાપને ભૂલશો નહીં,

અગણિત છે ઉપકાર એના, એહ વિસરસો નહીં.

પથ્થર પૂજયા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મૂખેથી કોળિયા,મ્હોમાં દઇ મોટા કર્યા

અમૃત તણા દેનાર સામે,ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કૌડ સૌ પૂરા કર્યા,

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં.

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

સંતાનથી સેવા ચાહો,સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને સૂકે સૂવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં

પુષ્પો બીછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીંં

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીંં.

જે પ્રભુની પાસે રહે છે, પ્રભુ તેની સાથે રહે છે

દુઃખં પ્રાપ્ય ન દીનઃ સ્યાત સુખં પ્રાપ્ય ચ વિસ્મિતઃ

જ્ઞાનસાર

સડક પરથી નીકળતા રહે છે વરઘોડા અને સ્મશાનયાત્રા અને છતાં સડકને નથી હોતો એનો

કોઇ હરખ કે શોક ! જીભ આવતું રહે છે ઘી અને પાણી અને છતાં ઘીથી જીભ નથી બનતી

ચીકણી કે પાણીથી નથી કાયમ રહેતી ભીની ! ટપાલ પેટીમાં આવતી રહે છે -ટપાલો

વિવાહની અને મરણની અને છતાં ટપાલ પેટી અલિપ્ત રહે છે આનંદથી અને ઉદ્વેગથી!

પ્રભુ!

આપે આવી જ સલાહ આપી છે અમને? સુખ આવે તો વિસ્મિત ન બનો, દુઃખ આવે તો દીન

ન બનો. કારણ કે સુખ અને દુઃખ બંને કર્મની દેન છે. શુભ કર્મ છે તમારી પાસે માટે તમને

સુખ મળે છે. અશુભ કર્મ ઉદયમાં આવે છે માટે તમને દુઃખ મળે છે. આ સ્થિતિમાં હરખ-

શોક કરવાની તમારે જરૂર જ કયાં છે ? વાત તો

પ્રભુ!

આપની સાવ સાચી છે; પણ સુખને અમે અમારી હોશિયારીનું ફરજંદ માની બેઠા છીએ માટે

જ એ મળતાં અમે વિસ્મિત બની જઇએ છીએ અને દુઃખમાં અમે બીજાને જવાબદાર માની

બેસીએ છીએ માટે જ એમા દીન બની જઇએ છીએ! કૃપા કરો આપ કે આવી ભ્રમણામાંથી

અમે વહેલામાં વહેલા મુકત બની જઇએ.

પ્રભુ!

આપ એવા આશીર્વાદ આપો કે અમો સહુને સુખ મળો અને સહુનું દુઃખ ટળો એવી ભાવના

રાખીએ. પ્રભુ ! આપ અમારા હૃદયમાં પ્રવેશ કરીને, અમારા દોષોને હઠાવીને કાયમ માટે

અમારા હૃદયસિંહાસન પર બિરાજમાન થાઓ એવી આપને નમ્ર વિનંતી છે.

આકાશમાં રચાયેલું સપ્તરંગી મેઘધનુષ્ય નીરખતાં હૈયામાં ઊભરાતા આનંદનું આયુષ્ય

કેટલું? એ મેઘધનુષ્યને વિખેરી નાંખતો સૂર્ય આકાશમાં બહાર નથી આવ્યો ત્યાં સુધીનું!

મોતીની ભ્રમણા કરાવતું ઘાસના તણખલા પર રહેલા પાણીના બિંદુનું એ સૌંદર્ય કયાં સુધી?

પવનની એક નાનકડી લહેરખી નથી આવી ત્યાં સુધી!

ભગવાનનું શુદ્ધ સ્વરૂપ આપણામાં પ્રગટે. આ શુદ્ધ સ્વરૂપ આપણે નથી મેળવ્યું, માટે જ

ભટકીએ છીએ.ભગવાન સર્વત્ર છે જ, માત્ર એની અનુભુતિની જરૂર છે. જો એ થઇ જાય તો

કોઇપણ દર્દ કે દુઃખ રહી શકે નહીં. પૌદગલિકતાના આજના વાતાવરણમાં અહંકાર તીવ્ર છે

એના માટે નમસ્કાર ભાવની તીવ્ર જરૂર છે. આ પુસ્તકનું મિશન આજ છે.

જીવન જીવતાં આટલી કરકસર કરીએ તો અવસરેહાથ છૂટો રહે. પરંતુ પેટ જ પટારા જેવું

રાખ્યું હોયતો પછી પરમાર્થની નાની પણ પેટીઓ કયાંથી પૂરાય? જયાં સુધી સ્વાર્થમાં

કરકસર નહીં થાય ત્યાં સુધી પરમાર્થમાં-પરોપકારમાં હાથ પહોળો નહીં થાય. મેળવેલું ધન

સાથે નહીં આવે, પરંતુ ધન મેળવવા માટે બંધાયેલુ પાપ સાથે જ આવશે. બુદ્ધિનો ઉપયોગ

બજારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમા અને શ્રદ્વાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઇએ.

પુસ્તકનો પણ ઉપયોગ સારો એવો થાય માટે આપે વાંચ્યા બાદ બીજા બધાને પણ વાંચવા

આપવા નમ્ર વિનંતી છે. આપ આ રીતે પુણ્ય કાર્ય ના સહભાગી થશો. જે કોઇ ભાઇ કે બેન

આપની પાસેથી મળેલ આ પુસ્તક વાંચશે તેઓ ચોક્કસ આપનો આભાર માનશે. જ્ઞાન

ભંડારમાં રહેલા પુસ્તકો નકામા નથી જ. એને યોગ્ય કોઇને કોઇ જીવ આ વિશ્વમાં છે જ.

યોગ્ય કાળે એ આવી જ પહોંચશે. પુસ્તકો પોતાને યોગ્ય વાંચકોની પ્રતિક્ષા કરતાં અંદર

બેઠેલા છે. આ પુસ્તકના વાંચન પછી ખરેખર પરમાત્માની ભકિતમાં વધારે આનંદ આવશે.

આપના અશુભ ભાવોને દૂર કરી ઉપશમ ભાવ,વૈરાગ્ય ભાવ, ત્યાગ ભાવ તથા ભકિતભાવને

વધારવામાં આ પુસ્તક આપના આત્મા માટે ટોનીક પૂરવાર થશે.

ધર્મ ન હિન્દુ, બૌદ્ધ છે, ધર્મ ન મુસ્લિમ, જૈન,

ધર્મ ચિત્તની શુદ્ધતા, ધર્મ શાંતિ-સુખચેન,

ધર્મ ધર્મ તો સહુ કહે, પણ સમજે ના કોઇ,

શુદ્ધ ચિત્તનું આચરણ, સત્ય ધર્મ છે સોઇ.

એ જ ધરમની પરખ છે,એ જ ધર્મનું માપ,

જન જનનું મંગલ કરે, દૂર કરે સંતાપ.

બીજાનેે જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત.

બીજાને ઘન આપીએ તો આપણું ધન સુરક્ષિત.

બીજાને સુખ આપીએ તો આપણુંં સુખ સુરક્ષિત

બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત.

પ્રત્યેક કલાકાર પોતાની કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે.

પરંતુ જનેતા પોતાના બાળકને એના પિતાનું નામ આપી દે છે.

માતા-પિતાનું ઋણ માથે રાખ્યા વિના કશું કાર્ય થાય નહીં.

માતા-પિતાની પ્રસન્નત્તા વિના ધર્મ-કર્મ કાંઇ થાય નહીં.

અનુક્રમણિકા

તીજોરીની ત્રણ ચાવીે

મારી પાસે ચાવી છે તીજોરીની જેની અંદર કરોડોનો માલ છે પણ કોઇ આ ચાવી લેવા તૈયાર

નથી. હું ચાવીઓ દેખાડું છું : તમો આજથી રોજ પરમાત્માની પૂજા ચાલુ કરો,રાત્રી ભોજન

કંદમૂળનો ત્યાગ કરો. પક્ષીઓને ચણ નાંખો,ગાયને ઘાસચારો નાંખો, દીન અને ગરીબોની

સેવા કરો,ગરીબોેને ભણતરમાં સહાય કરો,ગરીબ બીમારોની સેવા કરો, પ્રભુ ભકિત, પ્રભુ

નામ સ્મરણ કરો. અભક્ષ્યનો ત્યાગ,માનવતા અને જીવદયાના બધા કાર્યો પુણ્યની ફેકટરી

જેવા છે. પુણ્ય વધતું જશે-પાપ ઘટતું જશે. દુઃખો આપોઆપ પલાયન થઇ જશે તે મારી

ગેરંટી છે. તમારા જીવનમાં જય મંગલ થશે. સમય એજ જીવન છે તેને વેડફો નહીં. સમયનો

સદુપયોગ કરો. જીવનમાં એક માત્ર ધર્મ જ કરવો જોઇએ. જિંદગીમાં જેટલો ધર્મ થશે,તેટલી

જીંદગી સાર્થક,જેટલો ધર્મ ન કર્યો તેટલી જીંદગી નિરર્થક. સાધુપણાના આચારોની

અનુમોદના કરવાથી પાપની નિર્જરા થાય છે.વંદન કરવાથી ઉચ્ચ ગોત્ર બંધાય છે. આચરણમાં

ઉતરેલું હોય તે જ શિક્ષણ લાભદાયી નીવડે છે.બાકીનું જ્ઞાન વણવપરાયેલા શબ્દભંડાર જેવું

બની રહે છે. બોલ સકોતો મીઠા બોલો, કટુ બોલના મત શીખો,

બદલ સકોતો કુપથ બદલો, રાહ બદલના મત શીખો,

બતા સકોતો રાહ બતાઓ, પથ ભટકાના મત શીખો,

જલા સકોતો દીપ જલાઓ, દીલકો જલાના મત શીખો

બીછા સકોતો ફૂલ બીછાઓ, કાંટે બીછાના મત શીખો,

કમા સકોતો પુણ્ય કમાઓ, પાપ કમાના મત શીખો,

મીટા સકોતો વૈર મીટાઓ, પ્રેમ મીટાના મત શીખો,

લગા સકોતો બાગ લગાઓ,આગ લગાના મત શીખો.

આંતકવાદી જો આ સમજી જાયતો આતંક જ મટી જાય.

નીચોવી પ્રાણને માતા વરસાવે જ સ્નેહને,

ભોગના ત્યાગમાં ભોગ જે માણે ધન્ય તેહને.

અનુક્રમણિકા

પહેલી ચાવી

સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઇ આચરો.

રાગ દ્વેષથી મુકત થઇને, મોક્ષ સુખ સહુ જગવરો.

આજે ને આજે જ સુખી બનવું હોય તો આ રહ્યો ઉપાય! ધનને અમાપ બનાવવાના પ્રયત્નો

છોડીને હૃદયને વિશાળ બનાવવાના પ્રયત્નો કરતાં જાવ. જીવ માત્ર કાળ અનાદિથી સુખી થવા

ઇચ્છે છે. એક પણ જીવ એવો જોવા નહીં મળે કે, જેની નાની મોટી પ્રવૃત્તિનું દૂરનું કે નજીકનું

ધ્યેય સુખપ્રાપ્તિ ન હોય. કીડી હોય કે કુંજર હોય, સંસારી હોય કે સાધક હોય,આ બધાની

સામે સતત સતેજ રીતે તરવરતું કોઇ તત્વ હોય,તો તે સુખ છે. સુખી થવું હોય તો બીજાના

સુખની ચિંતા કરો. દુઃખ દૂર કરવું હોય તો બીજાના દુઃખ દૂર કરવા મથો! કેમકે દુનિયામાં

જે કાંઇ સાચા સુખી દેખાય છે, એ બીજાના સુખની ચિંતા કર્યા વિના રહ્યા નથી. તેમ જે

ખરેખર દુઃખી દેખાય છે,એમના અંતરમાં પોતાના જ સુખની ઇચ્છા ઠાંસી ઠાંસીને ભરી છે.

કોઇ દુઃખ આવે છે તે પીડા માટે નહીંં પણ આપણને ઘડવા માટે આવે છે. કોઇ આપણાંજ

નિકાચિત્ત કર્મ ઉદયમાં આવવાથી દુઃખ આવે છે. કોઇ વાતમાં વિરોધ હોય તો પહેલા તેની

વાત શાંતિથી સાંભળવી. પછી પાત્રતા મુજબ મધુરતાથી હિતશિક્ષા આપવી. કોઇ પ્રત્યે લેશ

અરુચી કે દ્વેષ મનમાં સંઘરવો નહીંં. મનને સદા પ્રસન્નતાના મહાસાગરમાં ઝુલતું રાખવું

જેથી સાધના કાળે આનંદ માણી શકાય.દરેક આત્મા જાતિથી એક જ છે - તેથી જીવ માત્રમાં

પોતાના આત્માનું દર્શન કરવું . દરેક જીવ પ્રત્યે સમભાવ અને કરુણા ભાવ રાખવો. પ્રભુ-

આપના એવા આશીર્વાદ વરસાવો કે અમો સહું પ્રભુએ ચીંધેલા માર્ગર્માં સ્થિર બની ઉત્તરોત્તર

પ્રગતિ સાધી પરમપદનાં ભોકતા બનીએ.સંસાર એ મોહરાજાનું નાટક છે. નાટકમાં હું રાજાય

નથી ને ભિખારી પણ નથી. મને મળેલો પાઠ મારે નિર્લેપભાવે ભજવવાનો છે. હું અને મારું

એજ દુઃખ છે. હું નહીં અને મારું નહીં એજ સુખ છે.આખો સંસાર આ મોહની શૃંખલા

છે.સંસાર એટલે શરીરનો મોહ. બધા તોફાનો આ શરીરને કારણે છે. કુટુંમ્બ પરિવારને

પોતાના માન્યા તો દુઃખ. શરીર-ઘર-મિલ્કત-પરિવાર બધુ ગમે છે. પણ મર્યા પછી શું?તેનો

વિચાર નથી. બીજાને પોતાના માનવાથી જીવ દુઃખી થયો. હવે વિચારજો કે હું કોણ. પુત્રને

પોતાનો માન્યો-જમાનો આવ્યો પાપનો,દીકરો નહીં બાપનો.ભગવાનને પોતાના માન્યા?

ભગવાન જ આપણું સર્વસ્વ છે એમને સમર્પિત રહીએ તો જ સુખી થઇએ. માટે ભાવથી

દિલથી ભગવાનની ભકિત કરવી. બીજા આપણું બગાડતા નથી પણ આપણે જ આપણું

બગાડીએ છીએ. દુઃખ મમતાનું છે. સહન કરવામાં અનેક ફાયદાઃ દેવું ચૂકવાઇ જાય-જુનું કર્મ

સાફ થઇ જાય-નવું કર્મ ન બંધાઇ-ભાવી ઉજળું થાય અને ભગવાનની આજ્ઞા પળાય.સુખી

થવાનો રસ્તો આવકનો વધારો નહીં પણ જરૂરતનો ઘટાડો છે. જાતના સુખની નહીં, જગતના

સુખની ઇચ્છા,એ સુખી થવાનો રાજમાર્ગ છે. જે સાધક બીજાના સુખની ચિંતા કરે છે, પોતાના

તરફથી અન્યને પીડા ન પહોંચે,એ માટે જે સતત સજાગ રહે છે. એના જીવનમાં અહિંસાની

માત્રા-યાત્રા વધતી જ રહે છે. અને જે વધુને વધુ અહિંસક બનતો જાયએ વધુનેે વધુ સુખી

બનતો જાય. દ્વનિ એવો પ્રતિદ્વનિ આ કહેવત પણ આજ વાત કહી જાય છે. આપણે બીજાના

સુખની ચિંતા કરીએ, તો બીજા આપણા સુખની ચિંતા કરે, આપણે બીજાને દુઃખ ન પહોંચે,

એ માટે સતત સજાગ રહીએતો બીજા પણ આપણને દુઃખ ન પહોંચે એની સતત ચિંતા

રાખે.જીવનમાં સુખી થવું હોય તો મારે કાંઇ જોઇતું નથી અને મારો કોઇ શત્રુ નથી.. આ

રટણ ચોવીસ કલાક કર્યા કરો. આજનું સુખ કે અત્યારનું દુઃખ,બેમાંથી એકેય શાશ્વત નથી

એ સમજણ જેટલી વહેલી આવશે એટલો વહેલો આપણો જીવનપથ ઊજમાળો બનશે. પારકાં

જયારે પોતાના લાગવા માંડે ત્યારે જીવનમાં માનવતાનો મહેરામણ ઊમટે છે. પ્રાણીમાત્રમાં

પ્રભુના દર્શન થાય છે. આપણા સાધનોથી કોઇ જરૂરતમંદના ચહેરા ઉપર સ્મિત રેલાવી

શકાય, કોઇના જીવનમાંનો પરિતાપ દૂર કરી શકાય તો તેથી જે શુકુુન મળે છે તે પ્રભુપૂજા

સમાન છે. અલૌકિક છે, અદ્દભૂત છે, સાત્વિક સુખ પામવા માટે પ્રતિદિન કોઇને ખપમાં

આવવાની કોશીશ કરીને પુણ્યની પ્રાપ્તિ કરતાં રહીએ.ગુરુદેવ ટાગોર કહેતાઃસુખ દુઃખથી

પર એવી પરમ આનંદની ભૂમિકામાં હું એવો લયલીન થઇ ગયો છું કે સર્વત્ર તારાં વરદાનની

ધૂપસુગંધ જ મને અનુભવાયા કરે છે. તમારે સુખ જોઇતું હોય તો સુખ વાવો,બીજાને સુખ

આપો. બીજા સુખી થાય તેવી ભાવના કરો. સર્વ જીવોને સુખી જોવાની ભાવનાનું પરિણામ એ

આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે.

વાવીએ તે ઉગે,જે વાવે તેજ ભોગવે. જે કર્મ બાંધ્યા તે ભોગવવા પડે છે.મહેમાનને આમંત્રણ

આપ્યું હોય તો પછી એ આંગણે આવે ત્યારે જમાડવો જ પડેને!તો પછી રોતા રોતા શા માટે

જમાડવો? હસતે મોઢે શા માટે ન જમાડવો? તેમ જે કર્મો આપણે બાંધ્યા છે તે જ કર્મો

કાળક્રમે ઉદયમાન થાય છે. કર્મ ઉદયમાન થયું. એટલે તે જેવું કર્મ તે પ્રમાણે ફળ આપીને જ

જવાનું છે, તો તે વખતે રોવા શા માટે બેસવું?હાયવોય શા માટે કરવી? ઉદયમાન થયેલા

કર્મો હસતે મોઢે શા માટે ભોગવી ન લેવા?મળ્યો છે દેહ માનવીનો જગતમાં ધૂપસળી

થાજો,સુંગઘ અન્યને દેવા તમે જાતે બળી જાજો. જીવનમાં નક્કી કરો કે હું કદી કોઇને દુઃખ

નહીં આપંું, બને તેટલું સુખ આપીશ. એક વાત નક્કી છે સુખ આપશો તો સુખ જ મળશે. જે

આપો તે મળે. પ્રેમ આપોે તો પ્રેમ મળે. વેર આપો વેર મળે. દુઃખ આપો દુઃખ મળે. દુઃખ-

સંકટ આપણી એવી શકિતઓને બહાર લાવે છે, જે સુખ-સમૃદ્ધિ ના સમયે આપણામાં સુતેલી

હોય છે. આપણને દુઃખ શુંં કામ આવે છે આપણે કાંઇક પાપ-કર્મ કર્યા છે તો તે ભોગવવાજ

પડે છે. જો આપણને દુઃખ ન જોઇએ તો આપણે નવાં કર્મ-પાપ બાંધવા નહીં . કોશીશ કરશો

તો જીવનમાં તમો આમ કરી શકશો. આપણે ડગલે ને પગલે સાવચેત રહેવાનું છે કે મારાથી

હવે જાણતાં-અજાણતાં કોઇ નવા કર્મ-પાપ થાય નહીં. દુઃખ આવે જીવનમાં તો પણ દુઃખી

થવું જરૂરી નથી. મનને સમજાવો કે મેં કોઇ પાપ કર્મ કર્યા હશે એટલે મારે ભોગવવા તો પડે.

ટૂંકમાં મારું દેવું ઓછું થઇ રહ્યું છે તેમ સમજવાથી દુઃખી નહીં થાવ. દુઃખને કેમ જીરવવું, કઇ

રીતે પોતાની પ્રસન્નતા ટકાવવી અને આસપાસનાં સૌની વધારવી એ જીવનની મોટી કળા છે.

ઝિંદાદિલીનો-જીવનસાફલ્યનો મર્મ પણ આવી કળામાં સમાયેલો હોવાનું અનુભવે સમજાય.

તમામ દુઃખોની જડ અસ્વીકાર છે. તમારા સુખોની જડ સ્વીકાર છે. પહેલાં, સુખ આવે ત્યારે

હું સુખી થતો હતો અને દુઃખ આવે ત્યારે દુઃખી થતો હતો. હવે સુખ અને દુઃખ બંનેની પાછળ

તમારો ચહેરો ઝલકે છે. આનંદના દરિયામાં હવે તારું જહાજ નિઃશક થઇને તરતું જાય છે.

સૂર્યોદયનો આનંદ જેને જોઇતો હોય એણે સૂર્યાસ્તને સ્વીકારવાની તૈયારી રાખવી જ

પડે.ખીલતા ફૂલને જોવાની મજા જેને જોઇતી હોય એણે કરમાતા ફૂલને સ્વીકારે જ છૂટકો.

બાળકના જન્મની ખુશાલી જોઇતી હોય તો એના મૃત્યુને સહન કરવું જ પડે. ટૂંકમાં જેને

સુખ જોઇતું હોય એને દુઃખની ઉપેક્ષા કરવી ન પાલવે. પણ માનવમનની આ એક નબળી કડી

છે.પગમાં એક નાનકડો કાંટો ખૂંચી જાય છે તો જાણે ભાલો ભોંકાઇ ગયો હોય એવી ચીસ

પાડે છે. પણ માણસ એ વાતને ભૂલી જાય છે.આ દુઃખો,સંકટો,ઉપાધિઓ અને સમસ્યાઓ

જ મારું ઘડતર કરે છે, મારો વિકાસ કરે છે,અને સુખના માર્ગે આગળ વધારે છે. યાદ કરો,

મહાસતી મયણાને,સીતાને,દ્ધૌપદીને, દમયંતીને,અંજનાને,કલાવતીને-આ તમામના જીવનમાં

દુઃખના ડુંગરાઓ તૂટી પડયા–પણ જરાય ગભરાયા વગર આ દુઃખોને એમણે હસતે મુખે

ઝીલી લીધા. તો આગળ જતા સુખના મહાસાગરમાં તેઓ તરવા લાગ્યા.કવિએ કેટલું સરસ

દ્રષ્ટાંત આપ્યું છેકોઇ પણ મોંઘી વસ્તુ સહજમાં મળતી નથી. રત્નો મેળવવા હોય તો

દરિયામાં ડૂબકી મારવી પડે છે, કિનારે તો છીપલાને પથરા જ મળતા હોય છે. કોઇ બીજા

કવિએ આજ મતલબની વાત કરી છે..

શોધે છે શું કિનારે મોતીને શોધનારા, કોડી અને છીપલાઓ દેશે તને કિનારા,વસ્તુ કદી મોંઘી

મળતી નથી સહજમાં, મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા.

ટૂંકમાં, સુખઃદુઃખ એ પુણ્ય/પાપના ફળ છે. સુખમાં તો ઇશ્વર કૃપા સમજાય છે. પણ દુઃખમાં

યે પ્રભુ કૃપા છેકારણકે દુઃખ ભોગવવાથી પાપનો ક્ષય થાય છે અને સુખ પ્રાપ્તિનો માર્ગ

મોકળો થાય છે. એટલે આ દ્રષ્ટિથી વિચારીએ તો દુઃખ,સંકટ,આપત્તિ, મુશ્કેલી એ પાપ નથી

પણ વરદાન છે.પરમાત્માની અકૃપા નહીં પણ મહાન કૃપા છે.જેમ દુનિયામાં દિવસ અને

રાત્રિ, જીવન અને મૃત્યુ, ફુલ અને શૂલ,શ્વેત અને શ્યામ,અમૃત અને ઝેર એવા ઘણાં દ્રવ્યો

રહેલા છે.તેમ સુખ અને દુઃખ પણ રહેવાના જ. માણસને સુખ પચાવતા આવડવું જોઇએ

અને દુઃખની સામે હિમ્મતથી લડતા આવડવું જોઇએ.સુખમાં છકી ન જવું જોઇએ અને

દુઃખમાં ડગી ન જવું જોઇએ. દેેવ-ગુરુ-પસાય કહેવું એટલે ભગવાન અને ગુરુની શકિતનો

સ્વીકાર કરવો. જીવનનું સંસ્કરણ કરો. જ્ઞાનસારમાં તેની પ્રેરણા છે. ભંગાર બની ગયેલા

વાસણો પણ ચકચકિત થઇ શકે છે. સડી ગયેલા લાકડા પણ સંસ્કારિત કરી આકર્ષક બનાવી

શકાય છે.ફાટી ગયેલ કપડાંમાંથી કાંઇક નવીનતમ બનાવી શકાય છે તો આ જીવન કેમ ન

સુધારી શકાય? જીવન એ રીતે જીવવાની પ્રેરણા લો કે તમારાથી કોઇને પણ હાનિ ન પહોંચે.

ધર્મ એવી શકિત છે જે ઉપાધીઓને રોકે છે. પ્રતિકુળ સંજોગોમાં પણ માનસને સ્થિર રાખે

છે,સમાધી આપે છે.ધર્મથી પુણ્ય વધેછે. પાપ ઘટેછે. પરભવનું ભાથું બંધાય છે.

પોતાના દુઃખે અને પોતાના દર્દે રોનારા તો આ દુનિયામાં જયાંને ત્યાં અથડાય છે..બીજાના

દુઃખે દુઃખી થનારા આ જગતમાં કેટલા?લિસ્ટ કરવા બેસો તો સહુ પ્રથમ નામ તીર્થંકર

ભગવંતોનું આવે.આગલા ત્રીજા ભવમાં એ તારક પરમાત્માએ જીવોને ચારગતિ રૂપ સંસારમાં

ભટકતા જોઇને ભાવના ભાવી‘જો હોવે મુજ શકિત ઇસી, સવિ જીવ કરું શાસનરસી’ આ

ભાવના ભાવીને પ્રભુ માત્ર બેસી નથી રહ્યા, તે માટેનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ કર્યો. કોઇ હિંદી

કવિએ ઓછા શબ્દોમાં આ વાત સારી રીતે સમજાવી છે.

કાંટા ઉનકો લગા, આંખે અમારી ભર આઇ .

આવો,આપણા દુઃખે તો ઘણીવાર દુઃખી થયા છીએ, હવે જરા બીજાના દુઃખે દુઃખી થવાનો

સ્વાદ પણ લઇએઃ-

વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે,

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,

વાચ-કાચ-મન નિચ્છલ રાખે, ધન-ધન જનની તેણી રે,

સમનહીંને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,

જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે,

માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,

આમ શું તાલી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે,

ને કપટ રહિત છે, કામ, ક્રોધ નિવાર્યા રે,

સેૈવો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે.

અનુક્રમણિકા

બીજી ચાવી

આંખમાં અમી તો દુનીયા ગમી

જીભમાં અમી તો દુનીયા નમી.

વાંચક મિત્ર આપને મહાવીરસ્વામી બનવાનું પસંદ પડે કે ચંડકોશીયો બનવાનું?સ્વાભાવીકછે

મહાવીરસ્વામી બનવું ગમે.જીવનમાં જો મહાવીર સ્વામી બનવું હોય તો ભગવાનનાચરણમાંથી

દુધ અવિરત વહ્યું તેમ આપણામાં પણ બધા માટે શુભ ભાવ હોવો જોઇએ.આપણે એક

ઝાડનો દાખલો લઇએ ઝાડ મોટું થાય છે તેમ તેની ડાળી નીચી નમે છે. આપણે પણ જીવનમાં

મોટા બનીએતો ઝાડની ડાળી જેમ નમતા શીખવાનું છે.નવકાર મંંત્રનો પ્રથમ અક્ષર પણ નમો

થી શરૂ થાય છે. જે નમે તે સહુ ને ગમે-નહીંતો ભવમાં ભમે. પૂ.રવિશંકર મહારાજ તેમના

ભૂદાનયજ્ઞ દરમ્યાન કોઇ નવદંપતિ આશીર્વાદ લેવા આવે ત્યારે તેમને કાયમ માટેઆશીર્વાદમાં

સુખી થાઓ એવું કહેવાને બદલે સુખી કરજો એમ કહેવાનું ચાલુ કરેલું. જીવનમાં દરેકને સુખી

તો થવું જ છે તે માટે સુખી થવાની વાત છોડી અન્યને સુખી કરવાની વાત જીવનમાં અમલમાં

મુકવાથી અનાયાસે સુખ આવી મળે છે. સુખ મેળવવા કરતાં સુખ આપવાનીશરૂઆતજીવનમાં

સુખી થવાના તમામ દરવાજાઓ ને ખુલ્લા કરી દે છે.પ્રભુ પ્રેમ તમનેકરીએછીએભકિતઆપની

કરીએ છીએ-પણ દોટ તો બીજી જ વસ્તુ પાછળ મૂકી આધાર તો બીજા જ બળોનો લીધો.

પછી સાંજ ઢળ્યે સરવૈયું કાઢયું ત્યારે જણાયું કે કેવી તુચ્છ બાબતોમેં જીવનવહીગયું.વરદાનોનો

ધોધ આંગળીઓ વચ્ચેથી સરી ગયો-દિવસ ડૂબી ગયો ને અંતરમાં દીવો થયો નહીં. હે દિવ્ય

સ્વામી,એવું કરો કે,હું આશ્વાસન મેળવવા નહીં આપવા ચાહું. મને બધા સમજે એ કરતાં હું

બધાને સમજવા ચાહું. મને કોઇ પ્રેમ આપે એ કરતાં હું કોઇને પ્રેમ આપવા ચાહું–કારણકે

આપવામાં જ આપણને મળે છે. ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ. મૃત્યુ

પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

દયાસિંધુ! દયાસિંધુ! દયા કરજે દયા કરજે!

મને આ જંજિરોેમાંથી, હવે જલ્દી છૂટો કરજે

નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જવાળા

વરસાવીેે પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે.

ના જોઇએ ધન વૈભવો, સંતોષ મુજને આપજે,

ના જોઇએ સુખ સાધનો,મન સંયમે મુજ સ્થાપજે,

ના જોઇએ અનુકૂળતા,સુખરાગ મારો કાપજે,

મુજ જીવનઘરમાં હે પ્રભુ! તુજ પ્રેમ સૌરભ આપજે.

અનુક્રમણિકા

ત્રીજી ચાવી

જીવનમાં કોઇ સંપુર્ણ નથી. દરેકમા કાંઇ સારુ છે કાંઇ ખરાબ પણ છે. આપણે સફેદ જોવાનું

છે કાળુ નહીં. બીજાની નીંદા કરવી નહીં. જેટલું થયું એટલું આપણું,માટે જ કરવાનું જલ્દી

કરી લો. સમય કોઇના માટે રાહ નથી જોતો. હું જે કાંઇ પણ લખું છું તે ભગવાનના પ્રભાવથી

લખું છું ને ભગવાનના ચરણોમાંજ તે અર્પણ કરું છું. બાકી હું તો કાંઇ જ નથી. સંસારમાં છું

માયાજાળમાં તો હું પણ ફસાયેેલ છું. હું પણ સંપૂર્ણ નથી -મારામાં પણ ખામીઓ તો છે

પણ ધીમેધીમે તે ખામીઓ દૂર કરવાના પ્રયત્નોે ચાલું જ છે. શ્રદ્વા રાખશો ભગવાનમાં તો

ધીમેધીમે આપણી ખામીઓ દૂૂર થતી જશે અને ગુણો વધશે. કોઇની ભૂલ જોવી નહીં. જોઇ

હોય તો શૂલની જેમ ફેંકી દેવી અને કોઇ જો આપણી ભૂલ બતાવેતોતે ફૂલની જેમ માથે

ચઢાવીને ભૂલને સુધારીને ભુલને શૂલની જેમ ફેંકી દેવી.નીંદા કરવી જ હોય તોે પોતાની

સ્વ.નીંદા કરવી. બીજાનું અશુભ વિચારશો નહીંંં-અશુભ કરશો નહીં-અશુભ ચાહશો નહીં.

જેથી કર્મ બંધાય નહીં.. કર્મ ભોગવવાજ પડે છે. આપણે દુઃખી નથી થવું - સુખી થવું છે તો

કર્મ કરતા પહેલા વીચારવું કે આ કર્મ કરીશ તો મારે તેની સજા ભોગવી જ પડશે. દોષ લેવા

હશે તો દોષ જોશો. ગુણ લેવા હશે તો ગુણ જોશો. આ ક્ષણ આપણા હાથમાં છે. તમો ઝાડને

પત્થર મારશો તો તે તમને ફળ આપશે તેમ આપણે પણ વેર ભાવના છોડી પ્રેમમય બનવાનું

છે.ઝાડ પોતે તડકો સહન કરે છે પણ બીજાને છાંયો આપે છે.ઝાડ કેટલાને છાંયો આપે છે

હિસાબ નથી રાખતું. આપણે પણ આપણા જીવન દરમિયાન બધાને છાંયો આપવાનો છે.

ભલે તડકો આપણે સહન કરીએ-પણ બીજાને હંમેશા છાંયો આપીએ એવી શુભ ભાવના

આપણા મનમાં તથા આચરણમાં હોવી જરુરી છે. ત્યારે આપણે કાંઇ સારું કાર્ય કરીએ એટલે

તરતજ બધાને કહેવાનું ચાલુ કરીએ કે મેં આમાં રૂપીયા વાપર્યા છે. મનને સમજાવવાનું કે

ભગવાને મને શકિત આપી છે તેનો જ મોટો ઉપકાર છે મારા ઉપર એટલે જ આ શુભકાર્ય

મારા હાથે શકય થયું છે. બાકી પ્રભુ ઇચ્છા-કૃપા ન હોય તો હું કશું કરી શકુ એમ નથી. એક

વાત સ્પષ્ટ કહી દઉ કે આપણે કાંઇ જ નથી. દાદાની ઇચ્છા હોય તો જ આપણે કાર્ય સંપૂર્ણ

કરી શકીએ છીએ. તેમની ઇચ્છા ન હોય તો એક જ સેંકન્ડમાં તમારો હાથ અટકી જાય. મન

ફરી જાય. એટલે જીવનમાંજે કાંઇ પણ થાય છે તે ભગવાનની ઇચ્છા મુજબ જ થાય છે તેમ

સમજશો તો સુખી થશો. જે થાય છે તે સારા માટે થાય છે.

નાનકડી પણ પાંખ,પંખીને જો વિરાટ આકાશની સફરે લઇ જઇ શકે છે,

તો નાનકડો પણ પ્રેમ, આત્માનું વિરાટ એવા પરમાત્મા સાથે મિલન કરાવી શકે છે.

અનુક્રમણિકા

વાર્તા નં :૧ આપઘાત માં સમ્યક સમજ

મહર્ષિ રમણ પતરાળા બનાવતાં હતા ત્યાં એક ભાઇ આવે છે. આપઘાત કરવો છે-છેલો

આપના દર્શન કરવા આવ્યો છું.રમણ મહર્ષિ તે ભાઇને કહેછે મારું એક કામ કરશો-આ

તેૈયાર પતરાળાને સામે ઉકરડામાં ફેંકી આવો. આપઘાત કરવા વાળો માણસ કહે છે કે

તમોએ આટલી મહેનત કરી આ પતરાળા બનાવ્યા છે તો તેને વાપર્યા પછી જ ઉકરડામાં

ફેંકાય. તરત રમણ મહર્ષિએ કહ્યું કે આ માનવ દેહ ફરી મળશે કે નહીં તે ખબર નથી. માનવ

જન્મ અમુલ્ય છે.મોહ માયા છોડો.જીંદગી વેડફો નહીં. સમય વેડફો નહીં. જીવન સુધારો,સારા

કાર્ય કરો. ભગવાને આપેલી આ મૂલ્યવાન કાયા આમ અકાળે રોળી નાંખવા માટે નથી.

એનો માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવાનો છે. આપઘાતતો કાયરો કરે છે. મર્દે તો શહીદ

થવાનું હોય, બીજાના ભલા માટે મરી ફીટવાનું હોય. પેલા ભાઇને ગળે વાત ઊતરી ગઈ કહે

કે મારા કરેલા કર્મ મારે જ ભોગવવાના છે. હવે સમભાવે રહીશ અને જીવનમાં સુવાસ

આપીને રહીશ. કોઇને દુઃખી નહીં કરુ બને તેટલું બધાને સુખ આપીશ. નવ વર્ષ બાદ તેજ

સંતની ઝુંપડી પાસે એક મોટી ગાડી આવીને ઊભી રહી. એકદમ સફેદ યુનીફોર્મ પહેરેલ

ડ્રાઇવરે શેઠ માટે દરવાજો ખોલ્યો. શેઠ તરતજ બહાર નીકળી સંત શિરોમણીને સાક્ષાત

દંડવત પ્રણામ કર્યા. પછી પૂછે છે કે આપ મને ઓળખો છો? સંતને કાંઇ યાદ ન હતું તેમ

કહ્યું.પછી આજ ભાઇ પોતે આપઘાત કરવા આવેલ અને આપે જ્ઞાન આપી જીવનને સફળ

કરવા કહેલ અને ન્યાયથી બધું દેવું ચૂકવવાનું કહેલ વ્યાજ સાથે. અને આપની વાણીથી મારો

આત્મ વિશ્વાસ- મન મજબુત થયું અને પુરેપુરું વ્યાજ સહિત બધાને સામે જઇને દેવુ ચૂકવયું.

હવે પૈસા આવી ગયા એટલે પત્ની-બાળકો-મિત્રો બધા પાછા આવી ગયા છે. મેં બધાને

દીલથી માફ કરી દીધા છે. જીવન ધર્મ માર્ગે વાળતો જાવ છું. મનની ખુબ શાંતી મળે છે તે જ

બધી શકિત આપે છે. આપ હુકમ કરો તો આ ઝુંપડીની બદલે મોટો મહેલ આપને બનાવી

આપું.બીજું કાંઇ પણ કામ હોય તો મને લાભ આપશોજી. રમણ મહર્ષિ કે અમારે કાંઇ જોઇતું

નથી પણ તારા હાથે તારી મેળે સારા કામમાં જરૂર લક્ષ્મીનો સદુપયોગ કરતો રહેજે. ઢાળ

નદીને પહેલાં સાગર તરફ વાળે છે અને અંતે સાગર બનાવી દે છે તેમ પ્રેમ આત્માને પહેલાં

પરમાત્મા તરફ વાળે છે અને અંતે પરમાત્મા બનાવી દે છે.

જે ગણે શ્રી નવકાર તેને ન કોઇનો તિરસ્કાર ,

જે ગણે શ્રી નવકાર તે પામે સહુનો સત્કાર..

નવકાર એ મોક્ષમાં જવાની કાર છે.

અહંકાર એ નર્કમાં જવાની કાર છે.

અનુક્રમણિકા

વાર્તા નંઃ૨ જન્મ દિવસ

બેંકના ઓફીસર છે.નાનું કુટુંબ છે.એક પત્ની અને એક ૧૦ વર્ષનો દિકરો છે. દિકરાનો

જન્મદિવસ મુજબ કેક લાવી ઉજવવોજ છે. પિતા કહે છે ભલે તેમ કરશું. જન્મદિવસે પિતા

દિકરાને સ્કુટરમાં બેસાડી લઇ જાય છે. રસ્તામાં એક કતલખાના પાસે સ્કુટર ઉભું રાખે છે.

દીકરાને લઇ અંદર દાખલ થાય છે.કસાઇ એક વાછરડાને હલાલ કરવાની તૈયારીમાં છે. પિતા

તરતજ તેને રોકે છે અને કહે છે કે વાછરડાંને છોડાવવાના કેટલા રૂપીયા થશે.કસાઇ કહે છે

કે બે હજાર રૂપીયા આપો તો આને છોડી દઉં.પિતા દિકરાને પુછે છે કે તારે કેક લેવી છે કે

આ પુણ્યનું કામ કરવું છે. મારી પાસે તો ફકત બે હજાર રૂપીયા છે. હવે તારી ઇચ્છા મુજબ

કરશું. દિકરો પુછે છે કે આ વાછરડાં ના મા-બાપ કયાં છે તો કસાઇ કહે છે કે હમણાં જ તેને

હલાલ કરી દીધા છે.દિકરો પિતાને કહે છે કે બધા જીવોને છોડાવો તો સારું-પણ બાપ કહે છે

બેટા અત્યારે તો મારી પાસે એટલા રૂપીયા નથી પણ તું મોટો થા ત્યારે તારાથી જન્મદિવસે

જીવ છોડાવાય તેટલા જીવ છોડાવજે. કોઇ માણસ કંચનમય મેરુપર્વત જેટલું સુવર્ણનું દાન

કરે તથા સમગ્ર ધરતીનું પણ દાન આપે, એના કરતાં એક જીવને અભયદાન આપવાનું ફળ-

પુણ્ય અનેકગણું વધી જાય છે.જન્મ એ દુઃખનું કારણ છે એટલે તેને ઉજવાય નહીં.જન્મ એ

કર્મના કારણે થયેલો હોઇ જન્મને સારો કહેવાય નહીં કે વખાણાય નહીં. તિર્યંચ કેપંચેંદ્રિયનો

જીવ પણ વખાણાય નહીં. ફકત ભગવાનનો જ જન્મ ઉજવાય કે વખાણાય. ભગવાને તો જન્મનું

બીજ જ બાળી નાખ્યું છે.ફરીથી જન્મ લેવાના જ નથી માટે તેના જન્મકલ્યાણકો ઉજવવાજોઇએ

વગર આડંબરે. પ્રતિક્ષણ!પ્રતિપળ!જગતમાં કર્માધીન પ્રાણીઓના જન્મ અને મરણ થાય છે.

ફુલ ખીલે છે ને કરમાય છે.એમા કંઇ વિશેષતા નથી.એ સુવાસ ફેલાવે છે એમાજ એની મહત્તા

છે.સૂર્ય ઉગે છે ને આથમે છે એમા કંઇ વિશેષતા નથી-એ પોતાના પ્રકાશથી જગતને પ્રકાશિત

કરે એમાજ એની મહત્તા છે.ધૂપસળી પણ સળગે છે અને થોડા સમયમાં રાખ બનીનીચેપડેછે.

પણ તે વચ્ચેના સમયમાં આખાય વાતાવરણને સુવાસથી ભરી દે છે એમા જ એની મહત્તાછે.

તેમજ મહાપુરુષો પણ જગતમાં જન્મે છે ને સમય થતાં વિદાય લે છે તે કોઇ વિશેષતા નથી

પણ-વચ્ચેના સમયમાં તેઓ પોતાના જીવન દરમિયાન સંયમ સાધુતાની સુવાસ જગતમાં

પ્રસરાવી દે છે એજ મહત્વની વાત છે. તેઓમાં સંયમની શોભારુપ સમતા,અહિષ્ણુતા,વિનય,

વિવેકાદિ આદી ઉચ્ચ કોટીના ગુણ હતા. આ પ્રમાણે તેઓના જીવન બાગમાં સંયમગુણના

સુમનોથી સુરભીવંત હતા.તેઓના ગુણોની સૌરભ આખાયે સમુદાયમાં ધૂપસળીની માફક

વ્યાપક હતી.તેઓશ્રી સદાયે પ્રભુ ભકિતમાંમસ્ત રહેતા ખરેખર!ધન્ય જીવન!ધન્ય મૃત્યુ! પુષ્પ

કરમાયું પણ પરિમલ પ્રસરાવીને-સૂર્યઆથમ્યોપણ પ્રકાશ પાથરીને. જનમ પછી મરણનિવારી

નથી શકાતું પણ સુધારી જરૂર શકાય છે માટેધર્મ સ્વીકારી જીવન સુધારી લે.

અનુક્રમણિકા

વાર્તા નંઃ ૩ અનોખો આત્મ વિશ્વાસ

આ વાર્તા મારા પુત્ર નિલેશે કહેલ છે જે તેણે આલમામેટર કોર્સમાં સાંભળેલ હતી. જીવનમાં

શ્રદ્વા હોય તો જ ફળ મળે.શ્રદ્વા વગર કાંઇ ન થાય. આજે આપ વિમાનમાં જાવ છો - પાઇલોટ

પર વિશ્વાસ છે ને? કારમાં જાવ છો-ડા્રઇવર પર વિશ્વાસ રાખો છે ને? એમ જીવનમાં પ્રભુ

ઉપર પણ વિશ્વાસ-શ્રદ્વા રાખશો તો જ આ ભવસાગર તરી શકશો-જીવનસાર્થક થશે. એક

ગામમાં એક વર્ષ વરસાદ ન આવ્યો- ખેડુતો એ ગમેતેમ ચલાવ્યું.બીજે વર્ષે પણ વરસાદ ન

પડયો.આ વર્ષ પણ ચલાવ્યું. હવે ત્રીજે વર્ષે પણ વરસાદ પડયો નહીં . દુકાળ, હવે સહન થાય

તેમ ન હતું- દુઃખમાં સાંભરે ભગવાન.બધા ગામ લોકાએે નક્કી કર્યુ કે ગામના દેરાસર સામે

મોટુ મેદાન છે ત્યાં સવારના ૧૦ વાગે સમુહ પ્રાર્થના મેઘદેવતાને પ્રસન્ન કરવા રાખવી. દસ

વાગે બધાજ આવી ગયા. એક દસ વર્ષનો બાળક રેનકોટ પહેરી ને આવેલ. બધાનું ધ્યાનતેના

સામે ગયું. પુછયુંકે કેમ રેનકોટ પહેરીને આવ્યો છે તો બાળકે કહ્યુંકે આપણું આખું ગામભેગું

થયું છે મેઘદેવતાને પ્રાર્થના કરવા,તો તો જરૂર મેઘરાજા આપણી પ્રાર્થના સસાંભળશે અને

જોરદાર વરસાદ તુટી પડેતો આપણે એકાએક ભીના થઇ જઇએ. ફકત એક જ બાળકને શ્રદ્વા

હોય સંપૂર્ણ પણે. પ્રભુ ઉપર સંપૂર્ણ ભરોસો-શ્રદ્વા રાખશો તો તમારું ધાર્યુ જરૂર થશે.

મદ્રાસથી ૬૦ કીલોમીટરના અંતરે એક કીચીગુડી ગામ છે. એક યુવક-યુવતી અલગ અલગ

ધર્મના લગ્ન બાદ કુટુંબ સ્વીકાર ન કરતા અહીં આવી રહેવા લાગ્યા. એક વર્ષ બાદ પુત્ર જન્મ

આપી માં નું ડીલીવરીમાં મૃત્યુ થાય છે. ૨૧ દિવસ બાદ પિતા પણ મૃત્યુ પામે છે. નાના

બાળકને બાજુમાં રહેતાં પાડોશી મોટો કરે છે.બાળકનું નામ રામક્રૃષ્ણ રાખે છે. બાળક

ભણવામા ખુબજ હોંશિયાર છે. દરેક પરીક્ષામાં પ્રથમ આવે છે તથા સ્કોલરશીપ મેળવી

યુનીવર્સીટીમાં મેેકેનીકલ એંજીનીયરની ડીગ્રી મેળવે છે એક મોટી કંપની તેના ગામમાં સીમેંટ

નું કારખાનું નાંખે છે અને તેને આમા ચીફ તરીકે ૫૦,૦૦૦ ના પગારે કામ થી રાખી લે

છે.પહેલાજ દિવસે ફેકટરીમાં જાય છે અને કમનસીબે ઉપરથી એક મશીનનો ભાગ તેના

ઉપર પડે છે - બંન્ને ખંભાથી હાથ પુરેપુરા કપાય જાય છે.હાથ વગર જીવન ખુબજ કઠીન

બની જાય છે.આપણને છીંક આવે કે ચળ આવે આપણે ખંજવાળી શકીએ પણ તે કોને કહે.

તેના નસીબ કાંઇક સારા હશે કંપની તરફથી ફ્રી રાતદિવસ નર્સ તથા દવા તથા અર્ધો પગાર

ચાલુ હતો આજીવન. નસીબ વાંકુ હશે - તેનું અર્ધુ શરીર પેરેલાઇઝ થઇ ગયું. હવે તો

ખુરસીમાંજ જીવન વિતાવવાનો વારો આવ્યો. પણ તેણે હીંમત ન હારી તેના મા-બાપ

પાસે ૨૮ એકર બંજર જમીન હતી..એક કો-ઓપરેટીવ ચાલુ કરી તેમા ૭૦૦ હેન્ડીકેપને

શેરહોલ્ડર કરી તેમાં ખેતી શરુ કરી - ભગવાનની મેહરબાનીથી ખુબજ સારો પાક ઉગ્યો

અને હવે બીજી જમીન પણ લીધી એક ફેકટરી પણ ચાલુ કરી. આ રામક્રૃષ્ણને મળવા ત્રણ

ત્રણ રાષ્ટ્રપતિઓ તથા બે તો પ્રાઇમ મીનીસ્ટરો આવ્યા હતા. આખી દુનીયા તેની હીંમતના

વખાણ કરવા લાગી .

હમણાંતો એક અમેરીકન યુવતીએ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુકયો છે. બધા કહે કે તેની

નજર આના નાણાં પર છે પણ પછી ખબર પડી કે તેની પાસબુકમાંતો ૯ લાખ ડોલર જમા

છે.તેણીએ સ્પષ્ટ કર્યું કે તેને તો કોઇ ર્સ્વાથ નથી. પણ આમની સેવા નર્સ કરે કરતા તે જો

લગ્ન કરે તો સારી રીતે કરી શકેે તેજ ભાવનાથી આ વાત કરેલ છે. ખબર છે કે પતિથી તેને

કોઇ શારિરીક સુખ મળવાનું નથી પણ સેવા ભાવથી જ લગ્ન કરવા છે. આખરે તેના લગ્ન

થાય છે.રામક્રૃૃષ્ણ અને તે બહેન તન મન ધનથી તેની સેવા આજે પણ કરે છે તે ગામમાં જઇ

જોઇ શકશો. આને કહેવાય મન હોય તો માળવે જવાય - આપણી તકલીફ સાથે સરખાવી

જુઓ. આવું મનોબળ જોઇએ.આવી પરોપકારી ભાવના હોયતો પુણ્યની બેંકમા કદી ખોટ ન

પડે. ત્યાગ ભાવના આવી જોઇએ-જયાં સ્વાર્થ નથી ફકત ત્યાગ-બીજાનું ભલું કરવાની ઉચ્ચ

ભાવના જોઇએ . ભલું કરશો તો ભલું તમારું પણ થશે.

પ્રેમ એક એવુંપંખી છે કે જેને પગે તમે અપેક્ષાનો પથ્થર બાંધો છો તો એ વાસના બની જાય

છે અને જેને તમે લાગણીની પાંખ આપો છો તો એ ભકિત બની જાય છે.

શ્રી વીરભદ્રસૂરિ રચિત એક ગ્રંથ છે,જેનું નામ છે આરાધના પતાકા. આ ગ્રંથમાં એક બહુ

મજાની વાત કરી છે. આ સંસારની તમામ શુભ આરાધનાઓના કેન્દ્રસ્થાને કોઇ બિરાજમાન

હોય તો તે છે પરમાત્મા. એવા તારક તીર્થંકર પરમાત્માની જે આત્મા ભકિત કરતો નથી તે

માણસ સંયમ જીવન ધારણ કરવા છતાં ઉત્તમ ચોખાને ઉખરભૂમીમાં વાવી રહ્યો છે. ગંગાની

શિતળતા પામવા ગંગામાજ ઉતરવું પડે -ગંગામાં ન ઉતરીએ અને કિનારે કિનારે ચાલીએ તો

ગંગાને સ્પર્શીને આવતો પવન પણ થોડી ઠંડક આપે..તેમ ગુરૂના ચરણોમાં સમર્પિત ન

બની શકીએ તો છેવટે એમનો વાસક્ષેપ/આશિર્વાદ પણ આપણા માટે મહાન છે.

જયાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો - કરતાં જ રહો, કરતાં જ રહો.

જે હિમ્મત હાર્યા, તે બધું જ હારી ગયો. ધન જતા કૈંક જાય છે દોસ્ત જતા જ ઘણું,

પણ હિમ્મત જેની જાય છે સઘણું જાયે તે તણું.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪ વિધિ ના લેખ કોઇ ન મારે મેખ

આ વાર્તા મારા મિત્ર અમૃતલાલભાઇના ધર્મપત્ની અ.સૌ.ભાનુબેનેે મને લખીને આપેલ છે.

તેમનો ખુબ જ આભાર. ઉજૈન નગરીના રાજા વીરવિક્રમ છ મહિના વેશપલ્ટો કરી નગરચર્ચા

જાણવા ફરતાં અને બીજા છ મહિના રાજય ચલાવતા હતાં. નગરજનોને કોઇ દુઃખ નથી તેનું

ખાસ ધ્યાન રાખતા. એક દિવસ રાજા વિક્રમ ફરતાં ફરતાં એક ગામડે આવી પહોંચ્યા. સાંજ

થઇ ગઇ હતી એટલે વિચાયુર્ં કે રાત ગામમાં રોકાઇને સવારે જંગલ તરફ પ્રયાણ

કરવું.ગામમાં એક બ્રાહ્મણનું ઘર હતું તેને ત્યાં રાતવાસો કરવાનું વિચાયુર્ં. રાજા બ્રાહ્મણનાં

ઘરે જાય છે.તેણે એક ખાટલો બહાર ઓસરીમાં ઢાળી દીધો અને ફાટેલ ગોદડું આપીને ભિક્ષા

માટે જાય છે. પણ કાંઇ ન મળવાથી થોડું મીઠું અને પાણી આપ્યું.રાજા સમજી ગયા કે

બ્રાહ્મણના ઘરમાં કાંઇ પણ ખાવાનું નથી.રાજાએ મીઠાનો ફાંકડો માર્યો અને પાણી પીધું. હવે

બંન્ને બેઠા હતા બ્રાહ્મણે પૂછયું કે તમે કોણ અને કયાંથી આવો છો. રાજાએ કહ્યું કે ભાઇ હું

વટેમાર્ગુ છું, મારું નામ વિરો છે અને ઉઘરાણીએ જાવ છું. બ્રાહ્મણના ઘરમાં દીવો જોયો

એટલે પૂછયું કે ઘરમાં કોઇ નથી?બ્રાહ્મણે કહ્યું કે મારી પત્ની અને પાંચ દિવસનો પુત્ર છે

આજે છઠ્ઠો દિવસ હોવાથી વિધાતા દેવી લેખ લખવા આવશે એટલે દીવો કરીને કાગળ અને

કલમ રાખેલ છે. રાજાને આશ્ચર્ય થયું અને મનમાં નક્કી કર્યુ કે વિધાતામાને મારે મળવું જ

છે એટલે તે વિધાતામાની વાટ જોઇને ખાટલામાં જાગતા રહ્યાં.બ્રાહ્મણતો સુઇ ગયો.અડધી

રાત્રે જેવા વિધાતામા બ્રાહ્મણનાં ઘરે અંદર ગયા એટલે રાજાએ ખાટલો બારણાની આડો

ઢાળી દીધોે અને વિધાતામા બહાર આવે તેની રાહ જોવા લાગ્યા. વિધાતામા જેવા બાળકના

લેખ લખી બહાર નિકળવા ગયા ત્યાં તેની સાડી રાજાના અંગુઠામાં ભરાણી. રાજાએ

વિધાતાને રોકીને પૂછયું કે તમે આ બાળક ના લેખમાં શું લખ્યું છે તે કહો. વિધાતામાએ

કહ્યું કે હે રાજન હું તને ઓળખી ગઇ છું, પણ લેખમાં શું લખ્યું છે તે તને જણાવીશ નહીં.

રાજાએ હઠ પકડી. ન છૂટકે વિધાતામાએ કહ્યું કે તું સાંભળી દુઃખી થઇ જઇશ. છતાં પણ

તારી જીદ હોય તો કહું છું : આ બાળક ગરીબ રહેશે અને ૧૬મે વર્ષે તેના લગ્નના દિવસે તે

મૃત્યુ પામશે એમ કહી અદ્રશ્ય થઇ ગયા. રાજાને વિચાર આવ્યો કે આ બાળકને કેમે કરીને

બચાવો જ છે. સવારે નીકળતી વખતે રાજાએ પોતાનું સરનામું બ્રાહ્મણને આપ્યું અને કહ્યું કે

તારા દિકરાના લગ્નમાં મને જરૂર બોલાવજે.

દિવસ આખો ગામમાં ફર્યા પછી ઉજૈન તરફ રવાના થયા. જતાં જતાં જંગલમાંજ રાત પડી.

રાજાએ એક ઝાડ ઉપર ચડીને ત્યાં રાતવાસો કરવો પડયો. અડધી રાત્રે એક નાગદેવતા ત્યાં

ઝાડ નીચે આવીને મોઢામાંથી નાગમણી કાઢીને શીકાર કરવા ગયા. થોડીવાર પછી પાછા

આવીને મણી લઇને પાતાળલોકમાં ચાલ્યા ગયા. રાજાએ આ બધું જોયું.સવારે બાજુના

ગામમાં જઇને લુહારને મળીને એક લોઢાનું ઢાંકણ તેને એક લાંબી સાંકળ બંધાવીને તે લઇને

પાછા જંગલમાં આવ્યા. અડધી રાત્રે પાછા નાગદેવતા આવ્યા અને મણી મૂકીને શીકાર માટે

ગયા. તરતજ રાજાએ સાંકળ વાળા ઢાંકણથી મણીને ઢાંકી દીધો. મણી ઢંકાઇ જતાં અંધારુ થઇ

ગયું અને નાગદેવતા ક્રોધીત થઇને પાછા ફર્યા.

રાજાએ ઝાડ ઉપરથી કહ્યું- હે નાગદેવતા તમારો મણી મારી પાસે છે-હું રાજા વિક્રમ છું અને

મારે તમારો નાગલોક જોવો છે. તમારો મણી લેવા બદલ ક્ષમા કરશોજી. નાગદેવતા

વિક્રમરાજાને પાતાળમાં નાગલોક લઇ ગયા. નાગરાજા અને નાગરાણીએ રાજાનું સ્વાગત

કર્યુ, રાજાવિક્રમે કહ્યું કે મારે અમીનો કુપો (અમૃત) જોઇએ છે મને જયારે જરૂર પડે ત્યારે તે

લેવા હું આવીશ. અમૃતના ટીપા પાવાથી મરેલ માણસ સજીવન થાય છે. આ વાતને ૧૬ વર્ષ

વિતી ગયા.

આ બાજુ બ્રાહ્મણના દિકરાના લગ્ન નક્કી થયા. તેને વટેમાર્ગુ યાદ આવ્યો. તેનું સરનામું

લઇને ઉજૈન નગરી કંકોત્રી આપવા આવ્યો ત્યારે ખબર પડી કે તે વટેમાર્ગુ બીજું કોઇ નહીં

પણ રાજા વીર વિક્રમ હતા.રાજાએ બ્રાહ્મણનો સત્કાર કર્યો અને કહ્યું કે તારા દિકરાના

લગ્નનો બધો ખર્ચો હું આપીશ અને મારા સૈનીકોની સાથે લગ્નમાં હાજર રહીશ. બ્રાહ્મણ

ખુશ થતો તેને ગામ ગયો.લગ્નને દિવસે રાજા સૈન્યની સાથે આવ્યો અને હુકમ કર્યો કે કાંઇ

પણ અણઘડતું ન થાય તેનું ધ્યાન રાખજો.લગ્નની વિધિ પતિ અને ચોરી ના ફેરા ચાલુ થયા.

ચોરીના મંડપમાં ચારે દિશામાં જે માટલા હતા તેમાં એકમાં સિંહનું ચીત્ર હતું. તેમાંથી સિંહ

પ્રગટ થાય છે ને વરરાજાને મારી નાંખે છે.રાજાને આશ્ચર્ય થાય છે કે વિધિના લેખ મુજબ જ

થયું પણ હીંમત ન હારી અને બ્રાહ્મણને કહ્યું કે તારા દિકરાના શબને અગ્નિસંસ્કાર આપતો

નહીં. હું કાલે સવારે આવું ત્યાં સુધી શબ એમને એમ રાખજો. રાજા જંગલમાં જાય છે અને

નાગદેવતાની સહાયથી નાગલોકમાં જઇને અમીનો કૂપો લઇ તે આવે છે બ્રાહ્મણના દિકરાને

પાય છે. બ્રાહ્મણનો દિકરો સજીવન થાય છે. વિધાતામાં પણ ખુશ થયા અને કહ્યું કે રાજન

હવે તેની ગરીબી પણ દૂર થશે અને લાંબુ જીવશે. રાજા વિક્રમ તે આજે વિધિના લેખ બદલી

નાંખ્યા. જે આજ સુધી કોઇ કરી શકયું નથી તે કરીને બતાવ્યું.

ઇચ્છા એજ દુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે. કારણકે ઇચ્છાઓથી અપેક્ષા વધે

છે, અને તે પૂર્ણ ન થતાં દુઃખ વધે છે. મોક્ષમાં ઇચ્છાઓનો સર્વથા અભાવ ત્યાં પરમસુખ છે.

જે થયું છે તે સારું થયું છે,જે થઇ રહ્યું છે તે સારું થઇ રહ્યું છે,જે થશે તે પણ ઉત્તમ જ થશે.

પાણી ને શોષવાનું કામ જો તાપ કરે છે,જીવને શોષવાનું કામ જો સાપ કરે છે

તો આત્માના આનંદ ને શોષવાનું કામ પાપ કર છે.

અનુક્રમણિકા

વાર્તાનંઃ૫ મધુબિંદુ

જૂના વખતમાં વણજારાની પોઠો ચાલતી. આ પોઠોથી દેશનો વેપાર ચાલતો. વણજારા એક

દેશ થી બીજે દેશ માલ લઇ જતા ને લાવતા. હજારો બળદ રાખતા, હજારો સાંઢિયા રાખતા.

અનેક ચોકી કરનારા કૂતરા રાખતા. માંગો એટલી વાર. રાત-દિવસની ઝડપી ખેપ કરે.

લાવીને માલના ઢગલેઢગલા કરી દે.એ વખતના લોકો મુસાફરી માટે પણ વણજારાની

પોઠોનો સંગાથ શોધતા. આ સંગાથ માટે થોડા પૈસા વણજારાને ભરવા પડતા, પણ પછી

તમામ વાતની નિરાંત. ન ચોર ડાકુ નો ડર! ન વાટ ભૂલ્યાનો ભો! ન વાઘવરુની બીક!એક

ગામમાં શંબલ કરીને એક માણસ રહે. એને મુસાફરી કરવાનું મન થયું. તાકડે વણજારાની

પોઠોએ પણ ગામને પાદર પડાવ નાંખ્યો. જોગ સારો બાઝયો, પણ શંબલતો કહેવા માત્ર

શ્રીમંત હતો - મનતો એનું ગરીબ હતું. શ્રીમંતાઇ કે ગરીબાઇ પૈસામાં નથી રહેતી,મનમાં

રહે છે.શંબલે વિચાર્યુ કે જો આ વણજારાઓની સાથે મુસાફરી કરીશ, તો ભાડું આપવું પડશે.

વળી કોઇ ઓળખીતું-પાળખીતું નીકળશે તો બે પૈસે ઘસાવું પડશે. વળી પોઠ ઊઠે ત્યારે ઊઠવુું

પડશે, ને રોકાય ત્યાં રોકાવું પડશે. પૈસા આપવા અને તાબેદારી વેઠવી, એ તો ઠીક નહીં.

એના કરતા પોઠની પાછળ પાછળ જઇએ તો ભાડું પણ આપવું નહીં પડે, બીજો ઘસારો પણ

નહીં પહોંચે,ને સહેલાઇથી મુસાફરીની મુસાફરી થઇ જાય!બીજે દિવસે સવારે પોઠો રવાના

થઇ, એટલે પોતે પણ ખંભે થેલો ભેરવી રવાના થયો. પોઠ જયાં મુકામ નાંખે, ત્યાંથી થોડે

દૂર પોતે મુકામ કરે.વાહ,ભાઇ વાહ!અક્કલ છે કંઇ કોઇના બાપની? વગર ભાડાં ભથ્થે કેવી

મઝાની મુસાફરી!

લોકો કહેતા,ભાઇ,આતો હરામની મુસાફરી કહેવાય. લાભ લેવો, ને હકસી ન આપવી, એ

નીતિ ન કહેવાય .શંબલ કહેતો,જાઓ, જાઓ! હું એમનું કંઇ લઉ છું? એમની સાથે કંઇ

રહું છું?એમનું કંઇ ખાઉં છું? શું આ જમીન પણ તેના અખ્તયારમાં છે, કે અમારાથી ચલાય

નહીં?જોયા ન હોયતો નીતિધર્મના થાંભલા! અલ્યા વણજારાની દલાલી -બલાલી તો બાંધી

નથી ને?લોકો બિચારા ભોંઠા પડતા! નાગાથી તો પાદશાહ પણ આઘા, એમ સમજી ચાલ્યા

જતા.વણજારાઓ ખેપ કરતાં કરતાં એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યા. રાત પડી જતાં

ભરજંગલમાં મુકામ કર્યો. શંંબલ પણ થોડે દૂર એક ઝાડી પાસે ઠર્યો. રાત ભેંકાર હતી.

વાઘવરુ, ચોરચખારનો પૂરો ડર હતો. વણજારાની પોઠોના ચોકીદારો અને કુતરાઓ ચોકી

કરતા હતા,ને મુસાફરો નિરાંતે ઊંઘ કાઢતા હતા. પણ શંબલના નસીબમાંતો આખી રાત

જાગવાનું હતું. રખેને અહીં થી વાઘ આવશે,રખેને પણેથી ચોર ચોરી કરવા આવશે, તો હું

એકલો શું કરીશ? ઘણી વાર એને થતું કે લાવ ને પોઠોમાં ચાલ્યો જાઉં, પણ પાછો વિચાર

થતો કે અડધે રસ્તેતો આવી ગયા. અડધા માટે હિંમત કાં હારું?આમ વિચાર કરતો શંબલ

આખી રાત જાગતો બેઠો, પણ પાછલા પહોરે એને ઊંઘ લાધી ગઇ.એ જાગ્યો ત્યારે બપોર

થઇ ગઇ હતી. સૂર્યનારાયણ સોળે કળાએ તપી રહ્યા હતા. શંબલ એકદમ ખડિયા-પોટલિયા

ઉપાડી આગળ વધ્યો. એ થોડે દૂર ગયો, ત્યાં ઝાડીમાંથી બે ચોરોને હથિયાર સાથે આવતા

જોયા. શંબલ તો જોતાની સાથે મૂઠીઓ વાળીને નાઠો; નાસતો નાસતો એક ભયંકર

જંગલમાં પેઠો. ધોળે દિવસે રાત લાગે, એવી ગીચ ઝાડી! હાશ! હવે અહીં ચોર તો શું,

એક ચકલું પણ એનો પીછો પકડી રહ્યું! ખરાં બચ્યા મારા બાપ!હાશ કરીને જેવો શંબલ

પાછળ જુએ છે, ત્યાં તો પાછળ એક ભયંકર હાથી ઉભેલો જોયો. પોતાના સ્વતંત્ર રાજમાં

દખલ કરનાર આ કાળા માથાના માનવીને જોઇ હાથી ધમપછાડા કરવા લાગ્યો. એ હવામાં

સૂંઢ વીંઝવા લાગ્યો, પગથી પૃથ્વી ખોદવા લાગ્યો, ને ભયંકર પીંગળી આંખો કાતરતો પાછળ

ઘસ્યો.માર્યા મારા બાપ! શંબલ તો ઉભી પૂંછડીએ ભાગ્યો. આગળ એ, પાછળ જીવતું મોત!

સીધે રસ્તે જાય તો હાથી પકડી પાડે, ઝાડ પર ચડે તો ઝાડ ઊથલાવી પાડે. ત્યારે કરવું શું?

ત્યાં તો એણે ઘાસથી છવાયેલો ને વડની વડવાઇઓથી ઢંકાયેલો એક કુવો જોયો.શંબલે તો

એમા ઝંપલાવ્યું, પણ એના સારા નસીબે વડલાની એક વડવાઇ એના હાથમાં આવી ગઇ.

શંબલે તે પકડી લીધી. અધવચ્ચે એ ટિંગાઇ રહ્યો. મનમાં ને મનમાં એણે પ્રભુનો ફરી પાડ

માન્યો. ચોર ચોરી કરે, નિર્દોષ ને સિપાહી પકડી જાય, ત્યારે ચોર માને કે ભગવાન તેની

ભેરમાં છે. મૂર્ખ શંબલ એ વડવાઇને પકડીને અડધે કૂવે લટકી રહ્યો. હવે હાથીની મઝાલ

નહોતી કે કંઇક ઇજા કરી શકે?ખૂબ બચ્યા! એણે પોતાના ભાગ્યની મનમાં ને મનમાં

પ્રશંસા કરી, પ્રભૂનો ફરી પાડ માન્યો.ને થોડી વારે નિરાંતમાં આવી ચારે તરફ જોવા લાગ્યો.

કૂવો અવડ અને અવાવરું હતો. શંબલે તળિયા તરફ નજર કરી. એ પોતે અચ્છો તરવેૈયો

હતો, પણ નીચે નજર નાંખતા જ એના મોતિયા મરી ગયા. કૂવાને તળિયે એક ભયંકર

અજગરને મોં ફાડીને બેઠેલો જોયો, એનું મોં પણ કૂવા જેમ મોટું ને પહોળું હતું. એમા

પડયા તો સોએ સો વર્ષ પૂરાં. શંબલે જરા ધ્યાનથી નીચે જોયું તો એક અજગર ઉપરાંત ચાર

બાજુ ચાર મોટા ભોરીંગ સાપ બેઠા હતા કે આ અજગરદાદા જરાક આઘા ખસે કે

ભાઇસાહેબની ખેર લઇ નાંખીએ. શંબલ આંખ મીંચીને બે પળ વિચારી રહ્યો.ત્યાંતો એના

માથા ઉપર ભયંકર સુસવાટો સંભળાયો. ઊંચે જોયું તો પોતાના માથા ઉપર હાથીની સૂંઢ

ફરતી હતી, પણ પોતાને પહોંચી શકે તેમ નહોતી. કાળા કામ કરનાર,પણ કાયદાની

ચુંગાલથી બચી જનાર કાળા-બજારિયાની જેમ એને શાંતી વળી, પણ જેના મૂળમાં પાપ હોય

એને વળી શાંતિ કેવી? તરત જ એક કાળો ને એક ધોળો એમ બે ઉંદરો એની નજરે ચડયા. એ

મોઢેથી ભયંકર ડાકલી વગાડતા હતા.પણ જેમ રીઢો ગુનેગાર જેવા તેવા સિપાહીને ગાંજે

નહીં, એમ એણે ઉંદરોને કંઇ દાદ ન આપી. પણ થોડી વારમાં એને ખ્યાલ આવ્યો કે જે

વડવાઇના આધારે એ લટકી રહ્યો છે,એ વડવાઇને જ આ ઉંદરો કરકોલી રહ્યા હતા. એક

નાનીશી ચિનગારી પણ આખા સાત માળના મહેલને ફૂંકી દઇ શકે ને!શંબલ વિચારમાં પડયો

ત્યાંતો બહાર ઊભેલા હાથીએ ભારે જોર કરવા માંડયું. આખા વડને ઊથલાવી નાંખવા

માંગતો હોય એમ સૂંઢ ભેરવીને એ આંચકા આપવા લાગ્યો.વડલોધ્રૂજી રહ્યો. સિપાહીઓથી

ઘેરાયેલા, પણ જંગલની ઊંડી ગુફામાં છૂપાયેલા હિંમતવાન ચોરની જેમ એ ઝનૂનથી

વડવાઇને પકડી રહ્યો.વડ ઉપર એક મોટો મધપૂડો બાઝેલ હતો.વડ હાલતાં મધપૂડામાંથી

રાતાં મોંવાળી મધમાખીઓ છૂટીને શંબલને વળગીને ચટકા ભરવા લાગી, શંબલ મૂંઝાયો.

પોતાને આ દુઃખમાંથી ઉગારવા પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો; લાખે જેનું મૂલ ન થાય એવા

દેવદેવીઓને પોતાની મદદે ધાવા ત્રણ ટકાના સિંદૂૂર,તેલને શ્રીફળની લાલચ આપવા લાગ્યો.

શંબલને મન ધર્મમાં પણ લાંચ-રુશ્વત કામ આવતાં હશે!અને વાહ ભાઇ વાહ! ત્યાંતો એના

કપાળ ઉપર મધનું એક બિંદુ ટપકયું. એ ટીપું સરીને એનાં મોંમાં ઉતરી ગયું. વડલો ડોલી

રહ્યો હતો. એટલે વારંવાર મધપૂડામાંથી ઝરીઝરી ને મધુબિંદુઓ શંબલના મોેંમાંપડવાલાગ્યા

ભૂખ્યો-તરસ્યો,થાકયો-હાર્યો શંબલ આ મધુબિંદુઓને લહેજતથી આરોગવા લાગ્યો. એને

તો જાણે અમૃત લાધ્યું. એ તો બધું દુઃખ ભૂલી ગયો. ડાળ કાપતા ઉંદરોની યાદ ચૂકી ગયો.

ડંશ દેતી માખીઓની સૂધબૂધ વીસરી ગયો. એ તો મધબિંદૂઓમાં મસ્તાન બની ગયો.ટપક!

ટપક! મધુબિંદુઓ ઝરતાં હતાં! શું સ્વાદ! શો રસ! નર્યુ અમૃત! શંબલ મોં ફાડીને ડાળે

લટકતો એ ઝીલતો રહ્યો. બનવાનું હશે તે, અચાનક એક વિધાધર રાજા પોતાની રાણી સાથે

ત્યાં થઇને નીકળયો. રાજા-રાણીને હથિયાર સાથે જોઇ હાથી જંગલમાં નાસી ગયો. અજાણ્યા

માણસને આવી બેહાલ હાલતમાં સપડાયેલો જોઇ રાણીને ખૂબ દયા આવી. એણે રાજાને કહ્યું

કે એને બચાવો! રાજાએ કહ્યું, રાણી! એ તમારો બચાવ્યો બચે એવો નથી. એ બધા હાથે

કરીને દુઃખ ઊભું કરનારા - દુઃખનો માર્ગ લેનારા છે, અને દુઃખ આવ્યા પછી હાયવરાળને

દીનતા બતાવનારા છેઃ થાંભલાને પકડીને થાંભલો મને છોડતો નથી એમ કહેનારા છે. એવા

પર દયા કરવી નકામી છે. ના,ના, જુઓતો ખરા,બિચારો કેવી હાલતમાં આવી પડયો છે!

એને જરુર બચાવો રાણીનું વચન ન ઉથાપનારો રાજા કૂવાની પાળ પર ગયો અને બોલ્યો -

ભલા માણસ,તું કોણ છે? અહીં કેવી રીતે આવી ચડયો છે?શંબલ કહે, ભાઇસાહેબ,માણસ

તો સજજન છું, પણ અત્યારે ભારે ઉપાધિમાં આવી પડયો છું. પૂંઠે હાથી પડયો છે. નીચે

અજગર બેઠો છે. જેનો આધાર છે એ ડાળને ઉંદર કાપી ખાય છે! આપદાનો પાર નથી.

જુઓને, આ મધમાખીઓએ મારું શરીર ચારણી જેવું કરી નાંખ્યું છે.વિધાધર રાજાએ હાથ

લાંબો કરતાં કહ્યું- મારો હાથ પકડીને બહાર નીકળી આવ. કોઇ તારોવાળ પણ વાંકો કરી

શકશે નહીં.. ધન્ય ધન્ય તમને પ્રભુ!પણ થોડી વાર થોભો.આ મધુબિંદુઓ ટપકે છે તે થોડાં

ચાખી લઉં. વિધાધર રાજા રાહ જોઇને ઉભા રહ્યા. થોડીવારે ફરી હાથ લંબાવીને એણે કહ્યું

ભાઇ ચાલ હવે.આવુંછું મારા સાહેબ!નરકાગારમાંથી તમેજ મને છોડાવશો.જનમ જનમનો

તમારો દાસ થઇને રહીશ,પણ બાપજી,ભેગાભેગું થોડું થોભો.અહા,મધબિંદુઓશું છે.નર્યા

અમૃતબિંદુઓ જ જોઇ લો!રાજા ને રાણી વળી થોભ્યાં,પણ પેલાનો સ્વાદ ન છૂટયો. રાજાએ

વળી કહ્યું - ચાલ ભાઇ ચાલ, બહાર તને બધું મળી રહેશે.શંબલ બોલ્યો હાથમાં રહેલો અડધો

રોટલો,બીજાના હાથમાં રહેલા બે રોટલા કરતાં વધુ કીમતી છે. જવું તો છે જ, બે ઘડી વહેલા

કે મોડા! પણ આ તો ભારે મજો છે હોં! આખરે સાંજના તડકા ઢળ્યા. રાજા-રાણી થાકીને

ચાલ્યા ગયાં, છતાં મધુબિંદુના સ્વાદમાં પડેલ શંબલને કાળખંજરી બજાવતી આવી રહેલી

કાળી રાત્રિનું ભાન ન રહ્યું.

આ વાર્તા એક વાર એક જ્ઞાની પુરુષે કહી,ને એનો સાર આ રીતે કહયો. ભાઇઓ, એ ઘોર

જંગલ એટલે આ સંસાર.હાથી એટલે મૃત્યુ. કૂવો તે મનુષ્ય જન્મ. અજગર તે નરક-જેલ.

માણસનાં ક્રોધ,માન,માયા ને લોભ તે પેલા હળાહળ વિષથી ભરેલા ચાર નાગ. વડલાની ડાળ

તે આયુષ્ય.ડાળને કાપનારા બે ઉંદર તે શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ રૂપી સમય. માખીઓ તે

વ્યાધીઓ.મધુબિંદુ તે સંસારના એશઆરામો.પૈસા-પાર્ટી,વેપાર-વણજ,સોનું-રૂપું,મારું તારું,

આ વસ્તુઓના મોહમાં માણસ એવો વિવેક વિનાનો ઘેલો બન્યો છે,કે કોઇ એનો હાથઝાલીને

ઊંચે લઇ જવા ચાહે છે,પણ એનું મન માનતું નથી! હકની રોટી, ન્યાયનું ધન, સેવાની કિર્તીને

ઇજજત-ઇમાનભર્યું જીવન આ મધુબિંદુઓ પાછળ માનવી ભૂલી બેઠો છે! એ જે સમજશે,

તો સુખી થશે. માનવ જીવનની માપ શીશી માનવી કેટલું જીવ્યો એ નહીંં પણ કેવું જીવ્યો એજ

છે.પવિત્રતાથી જીવો. જેેને નમવામાં આવે છે, તે પંચ પરમેષ્ટિ પુદગલથી વિરકત છે અને

ચૈતન્ય પ્રત્યે અનુરકત છે અને તેથી જ તેઓને ભાવથી નમનાર પુદગલ પ્રત્યે વિરકત અને

ચૈતન્ય પ્રત્યે અનુરકત બને છે. વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આ લોક અને પરલોકને વિશે

ફળદાયી થાય છે. વિનયહિન વિદ્યા પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.પોતાની

મેળે પ્રગટ થઇ જશે. આપણા સુખમાં આપણે બીજાને સાથીદાર બનાવીએ. બીજાના દુઃખમાં

આપણે એના ભાગીદાર બનીએ. મંદીમાં ધર્મ થતો નથી..તેજીમાં ધર્મ કરવો નથી.આપણૂં

થશે શું?

એક ઉધોગપતિ પોતાના પુત્રને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા ત્યાંના પ્રિન્સીપાલ પાસે ગયા.

તેણે પ્રિન્સીપાલને કહ્યુંઃ મારા દિકરાને ટૂંક સમયમાં ડીગ્રી મળી શકે તે માટે કોઇ રસ્તો

ખરો?એતો એ શું બનવા માંગે છે એના ઉપર આધાર રાખે છે એમ કહી પ્રિન્સીપાલે છેલ્લે

એટલું જ કહ્યું :

જુઓ ભગવાને આંબો ઉગાડવાનું ઇચ્છયું તો તેમને તેને ઉછેરતા બાર વર્ષ લાગ્યા અને ઘાસ

માટે ફકત બે જ મહિના લાગ્યા. તમારે આ બેમાંથી જ પસંદગી કરવી રહી.

સમય અને દરિયાની ભરતી કોઇની રાહ નથી જોતી.

ધર્મ કરો, ધર્મ નૌકા સમાન છે-સંસાર સાગર તરી જવાય છે.

મનુષ્ય કાયા નથી મોજ માટે,

ઘડી નથી તે પશુ પક્ષી ઘાટે,

અખંડ સ્વર્ગ સુખ આપનારું,

કરો કરો કાંઇક કામ સારું.

અનુક્રમણિકા

વાર્તાઃનંઃ ૬ બુદ્વિના ખેલ

રાજગૃહી નગરી છે. શ્રેણીક રાજા છે. રાજાને ચારસો નવ્વાણું મંત્રી છે.પણ રાજાને ચેન નથી.

એને એક બુદ્વિશાળી મંત્રી જોઇએ છે.જે ગમે તેવી આંટી-ઘૂંટીમાં પણ અકળાય નહીં. જે

પોતાની કાબેલીયતને કૌવતથી આખા મગધ દેશને ધ્રુ્રજાવે. રાજા આવા માણસની શોધમાં

છે. એને મુખ્ય મંત્રી બનાવવાની એમની ઇચ્છા છે. રાજાએ એક યુકિત કરી છેઃ નગરના મધ્ય

ભાગમાં એક કુવો છે. એમા રાજાએ પોતાની મોંઘેરી વીંટી નાંખી છે ને જાહેર કરાવ્યું છે કે,

કૂવાને કાંઠે ઊભા રહીનેજ,જે માણસ પાતાના હાથે આ વીંટી કાઢી આપશે,એને મુખ્યમંત્રી

બનાવવામાં આવશે. પાંચસો મંત્રીઓમાં જેની ધાક હોય,એવી મંત્રી મુદ્રા એનેઅપાશે.ગલીએ

ગલીએ ઢંઢેરો ફરે છે.ચોરે-ચોરે ને ચૌટે ચૌટે એક જ વાત છેઃઆ તોભારે અઘરી શરતકૂવાના

કાંઠે રહીને તે વળી વીંટી નીકળતી હશે? ભલા રાજા! ભલા એના મંત્રીઓ! આમ તે કાંઇ

મુખ્યમંત્રી મળી જતા હશે?તમાશાને તેડું નહીં! આખો દિવસ કૂવાને કાંઠે મેદની જામે છે.

બધા માણસો કુવામાં ડોકિયું કરે છે.અંધારામાં અજવાળું કરતી વીંટી જુએ છે ને પાછાં ફરી

જાય છે.એને કાઢવાની મહેનતતો કોઇ કરતું નથી. વીંટી કાઢવાનું બીડું ઝડપે પણ કોણ?

બુદ્વિ જોઇએને? કાંઠે ઉભા રહેવાનું છે. કુવો પાછો છીછરો નથી ને વીંટીને ઉપર લાવવાની

છે. એક દિવસ વિત્યો. બીજો દિ પસાર થયો.ધીમે ધીમે આ વાત આજુબાજુ ફેલાવા લાગી ને

લોકો રાજગૃહી આવવા લાગ્યા. બુદ્વિના ખાં ગણાતા મોટા મોટા મંત્રીઓ રાજગૃહીમાં આવ્યા

છે.મગધના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોને ન હોય?પણ એ કુવો જોતા ને શરત સાંભળતા

જ બધાના મોતિયાં મરી જાય છે. ધોળે દિવસે સૌ તારા ભાળવા માંડે છે ને બબડે છે :

રાજાજી! તમે તો અમને છેતર્યા! આ વીંટી આમતો કદી નીકળતી હશે ખરી?

રોજ રોજ ઢંઢેરો ફરે છે.પણ રાજાને હજી મનગમતો એવો માળસ જડતો નથી,જેને મુખ્યમંત્રી

બનાવી શકાય.પણ એક દિવસની વાત છે. એક પરદેશી છોકરો છે. રાજગૃહીમાં પેસતા જ એ

શું જાુએ છે!ઠેર ઠેર મેદની જામી છે.કૂવાનો કાંઠોતો ભરચક છે. એ પૂછે છેઃ ભાઇઓ! વાત

શી છે? આટલી હલચલ શાની છે?શું કુવામાં કોઇ પડી ગયું છે? માણસોતો છોકરાની

હાંસી ઉડાવે છે.કહેઃહા,પરદેશી કુમાર! કુવામાં મગધનો મહામંત્રી પડયો છે.તમારું એમા

કામ નથી. તમ-તમારે ખાઓ,પીઓ ને મજા કરો.આ તો બુદ્ધિનો ખેલ છે!પરદેશી છે તો

છોકરો!પણ બુદ્વિ એના બાપની છે. એણે બધું જાણવું છે.એ પૂછે છે કૂવામાં મહામંત્રી

પડયા છે ને બધાં આમ ફાડી ફાડી ને શું જોયા કરે છે. કોઇ કેમ એમને બહાર કાઢતું નથી?

લોકો કહેઃ ભલા, પરદેશી છોકરા! કોણ મંત્રીને બહાર કાઢે?કાંઠે રહીને જ કાઢવાની આજ્ઞા

છે.આતો અમારાં દેશની વાત છે.તમે શીદને એમા રસ લો છો?જાવ, તમે તો આ રાજગૃહીને

જુઓ. રાજા શ્રેણિકનાં દર્શન કરો.પરદેશથી આવ્યા છો તો રાજગૃહીને જોતા જજો. આ

નગરીનો જોટો નહીં જડે! તમારો આંટોય સફળ થઇ જશે. પરદેશીનેતો હવે વળી જાણવાની

વધુ ચાનક લાગી! એને થયુંઃ આ તે વળી કેવુંં?મંત્રીજી અંદર પડયા છે ને કાંઠે રહીને

કાઢવાની આજ્ઞા! જરૂર આમાં કંઇ રહસ્ય હોવું જોઇએ. એ કહેઃ અમે પરદેશી છીએ, એ વાત

સાચી! પણ રાજગૃહીનું હેત હમારા હૈયે પણ છે.વાત જરા માંડીને કહો, તો કંઇ સમજ પડે.

શકિત હશે તો રાજગૃહીની સેવા કરીશું. બધા કહેઃ છોકરાં સાથે કંઇ છાશ ન પીવાય.પણ

તમારી આટલી બધી જાણવાની ઇચ્છા છે,તો જાણી લો કે, અમારાં રાજાને મગધનો

મહામંત્રી જોઇએ છે, એ માટે એમણે એવો ઢંઢેરો પીટાવ્યો છે કે, આ કૂવામાંથી વીંટી જે કાંઠે

રહીને કાઢશે,એને મહામંત્રી બનાવવામાં આવશે!છોકરાં,બોલ,હવે તારું આમાં ગજું ખરું?

નાના મોઢે મોટી વાતો ના કરતા હોં પરદેશી.આ સાંભળીને એ પરદેશીતો તાળી પાડીને

બોલ્યોઃ ઓહો! આમાં તે શી મોટી ધાડ પાડવાની હતી?મરચાના છોડને ઠેકી જતાશી વાર?

ચાલો, અમારી બુદ્વિ જોવી હોયતો ચાલો.આ વીંટીતો અમે અબઘડી કાઢી આપીએ! બુદ્વિ

અમારા બાપની છે!લોકો હસ્યા. કહેઃ છોકરા! બડી બડી બડાશો ન હાંક! મોટા મોટા

મંત્રીઓનેય જયાં ધોળે દહાડે તારાં દેખાય છે, ત્યાં તું શું કરવાનો? ત્યાં જઇને હાર કબુલવી

એના કરતા અહીંથી જ પાછો ફર!છોકરરમતની રમતના રમીએ! છોકરોતો સીધો કુવા પાસે

આવ્યો.એણે કુવો જોયો, વીંટી જોઇ, પછી કહેઃ જાવ, તમારા રાજાને કહોકે, એક છોકરાંએ

વીંટી કાઢવાનું બીડું ઝડપ્યું છે, બુદ્ધિ ખેલ છે, જોવા હોય તો પધારો!

સેવકો દોડયા, રાજા પાસે આવ્યા,કહેઃરાજાજી એક છોકરો આવ્યો છે. છેે તો પરદેશી પણ

એણે બીડું ઝડપ્યું છે,લોક એને પૂછે છેઃઅલ્યા!નાના છોકરા!તું શું કરવાનો? તો

સણસણતો જવાબ વાળતા એ કહે છેઃ નાનો છું, પણ રાઇનો દાણો છું.શાણો છું અને

તમારો રાણો બનવાનો છું.તીખુ મરચું છે. રાજાજી! બોલવા ચાલવામાં બડો ચબરાક છે.

એણે આપને સંદેશો આપ્યો છેઃ બુદ્ધિ ખેલ છે,જોવો હોયતો કૂવા કાંઠે પધારો!રાજા

શ્રેણિકતો તૈયાર થઇ ગયા. ન રથ જોડાવ્યો, ન ઘોડો મંગાવ્યો, રાજાજીતો પગે ચાલીને કૂવા

આગળ આવ્યા.કહેઃ છોકરાં! બીડું તે ઝડપ્યું છે? છોકરો મઝાક કરતો કહેઃહા, રાજાજી વીંટી

તો કાઢી આપીશું. પણ અમને મુખ્યમંત્રી બનાવશોને? રાજા કહેઃશરત સાચવીને વીંટી

કાઢશો,તો અમે તમને મહામંત્રી બનાવીશું. લોકોતો કંઇ એકઠાં થયા છે,એકઠાં થયા છે.

જાણે કુવાની ચોમેર કીડીયારૂં ઊભરાયું. છોકરો કહેઃ રાજાજી! અમને થોડું છાણ મંગાવી

આપો. લોકો તો મનમાં બબડે છેઃ આમ, છાણથી કંઇ વીંટી નીકળતી હશે? રે! રાજાજીય શું

છોકરાં સાથે છાશ પીવા બેઠા? સેવકો દોડયાને છાણ લઇ આવ્યા.છોકરોભારે નિશાનબાજ!

એણે તો છાણ સીધું જ કુવામાં નાંખ્યું. બરાબર વીંટી પર જ છાણ પડયું. છાણથી વીંટી ઢંકાઇ

ગઇ. સહુ આશ્ચર્યથી જોઇ રહ્યા છે.છોકરો કહેઃમહારાજ! અમને હવે થોડું સુકું ઘાસ જોઇએ,

અગ્નિ પણ જોઇએ.પછી અમારે વીંટી કાઢવી, એ તો ડાબા હાથનો ખેલ છે. આ તો બુદ્ધિ

ખેલ! સેવકો ગયા ને ઘાસ અને અગ્નિને લઇને હાજર થયા. છોકરાંએ ઘાસનો પૂળો કૂવામાં

ફેંકયો. છાણ ઢંકાઇ ગયું. પછી તરત જ એણે ઘાસ પર અગ્નિનો તણખો ફેંકયો.ભડ ભડ કરતું

ઘાસ સળગી ઉઠયું.કૂવામાં રહેલું લીલું છાણ સૂકાઇ ગયું. વીંટી એની અંદર બંધાઇ ગઇ. છાણ

આગની ગરમીથી છાણું બની ગયું. કોઇને કંઇ સમજાતું નથી કે,આ છોકરો શું કરવા ધારે

છે?એની યોજના શી છે? રાજાજી કહેઃપરદેશી! હવે શી આજ્ઞા છે? છોકરો નમ્ર થઇને કહેઃ

રાજાજી! આપને તે વળી આજ્ઞા કરવાની હોય? હવે આ કૂવામાં પાણીની નીક છોડવાની છે.

સેવકોએ પાણીની નીક છોડી.કૂવો પાણીથી ભરાવા માંડયો.સુકાઇ ગયેલું છાણું જેમ જેમ

કૂવામાં પાણી ભરાતું ગયું,એમ ઉંચે આવવા લાગ્યું.છાણાની અંદર વીંટી તો બંધાઇ જ ગઇ

હતી.મૂશળધાર નીક વહે છે. કૂવો ભરાવા આવ્યો છે. થોડીવાર થઇ ને પરદેશી કહેઃ રાજાજી!

બસ નીક હવે બંધ થાય.પાણી આવતું બંધ થયું.છોકરો કૂવાની નજીક આવ્યો.કાંઠે ઉભા

રહીને એણે પોતાના હાથથી, કૂવામાં તરી રહેલું સૂકું છાણું લઇ લીધું. લોકો હજી સમજી

શકતા ન હતાં,ત્યાંતો છાણાને તોડતો એ કહેઃ લો, રાજાજી! આ તમારી વીંટી! કુવામાં

પડેલા મહામંત્રી બહાર નીકળ્યાં કે નહીં? શરત મુજબ અમે કામ કર્યુ હોય, તો અમને ઇનામ

આપો!રાજા શ્રેણીક તો રાજીના રેડ થઇ ગયા છે.કહેઃ છોકરા! ખરો નીકળ્યો તું? પરદેશના

ઓપંખી! તારો માળો કયાં છે? તું કયાં રહે છે? તું શા માટે અહીં આવ્યો છે? એ તો જરા

કહે.રાજગૃહીની પ્રજાના કાન સાવધાન થયા.છોકરો કહેઃમહારાજા! અમે બેનાતટ નગરથી

આવીએ છીએ.રાજા આભો બનીને પૂછેઃબેનાતટથી? ત્યાં ભદ્રશેઠની દીકરી સુનંદાને તમે

ઓળખો ખરા?બેનાતટનું નામ સાંભળતા જ રાજાની આંખ આગળ પોતાનો બાલ્યકાળ

તરવરી ઉઠયો.નાનપણમાં પિતાથી રીસાઇને શ્રેણીક બેનાતટ ગયેલા.ત્યાં સુનંદાની સાથે

લગ્ન કરેલું.પણ એક દિ પિતા પ્રસેનજિતની માંદગીના સમાચાર આવતા જ,શ્રેણિકને

પોતાની પત્નીને મૂકીને રાજગૃહી આવવું પડેલું. આજે એમને એ વહાલી પત્ની યાદ આવી છે.

આ બનાવ બન્યાને વર્ષો વીતી ગયા હતા. પરદેશી છોકરો કહેઃ રાજાજી કેમ ન ઓળખીએ

અમે એને? એનો બેટો તો બડો ચાલાક છે. અમારો તો એ દિલોજાન દોસ્ત છે. રાજાજી કહેઃ

વાહ! એને વળી દીકરો છે? છોકરો રમતે ચડયો. કહેઃ હા,એનું નામ અભયકુમાર! એ મારો

દિલોજાન દોસ્ત!ઘડી-પળ પણ હું એને ન છોડું, એ મને ન છોડે! રાજાનું હૈયું પુત્રપ્રેમથી

ભરાઇ આવ્યું. કહેઃ એ દેખાવે કેવો છે? રૂપે-રંગે કેવો છે? છોકરો કહેઃ બરાબર મારા જેવો

જ! મને જુઓ ને એને ભૂલો. એને જૂઓ ને મને ભૂલો. રાજાજી! આપ એમ જ જાણી લો ને

કે,હું જ અભય છું.રાજા તો સન્ન થઇ ગયા. કહેઃ શું તું જ મારો બેટો! તો તારી મા કયાં?

મને બનાવી ન જતો હોં! છોકરો કહેઃએવું તો હોય રાજાજી! હું જ આપનો અભય! મારાં

માતાજી નગરની બહાર છે.ને એ છોકરો બાપના ચરણે ઢળી પડયો. પછી કહેઃ પિતાજી! મેં

આપને આટલા હેરાન કર્યા,એની ક્ષમા માંગુ છું.આખું રાજગૃહી હેલે ચઢયું છે. એને

મુખ્યમંત્રી જ નથી મળ્યો.ભાવિનો રાજાય મળ્યો છે.શ્રેણિકને બેટો સાંપડયો છે.બેટાને બાપ

લાધ્યો છે.પ્રજા આખી આનંદ મંગલ કરવા માંડી છે.ત્યાં તો અભય કહેઃ રાજાજી! વાજાં

વગડાવો! ધવલમંગલ ગવડાવો! મારી માતાના સ્વાગત કાજે ઠેર ઠેર મોતીના ચોક પૂરાવો!

રાજગૃહીનાં વાતાવરણમાં આનંદ છવાયો! લોક કહેઃ અભયકુમારે બુદ્ધિ ખરા ખેલ બતાવ્યાં.

હજી એક વાર્તા બુદ્ધિના ખેલ ની છે : એક શ્રેષ્ઠી.નામે ધન્ય સાર્થવાહ. મગધના

મહાશ્રીમંતોમાં એની ગણના થાય,ભદ્રમાન પણ એવાજ. દૂરંદેશી ધન્ય સાર્થવાહ હંમેશા ખૂબ

સમજીને પગલું માંડે.ધન્ય સાર્થવાહનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીનું અવસાન થયું હતું ત્યારથી

ધન્યશ્રેષ્ઠી નિરંતર વિચારમગ્ન રહેતા. એમને પત્નીની યાદ કોરી ખાતી. કેવી સુંદર હતી

એ!પત્નીનું સ્મરણ અને શાણપણ યાદ આવતાં અને ધન્ય સાર્થવાહ વિહૃળ બની જતા. એણે

માત્ર મને, પરિવારને સાચવી જ નહીં પણ શોભાવી પણ જાણ્યાં. ચાર પુત્રો અને

પુત્રવધુઓથી ઘર ભલે તું મુકીને તું ચાલી ગઇ,ભદ્રા!પણ તારા વિના આ પરિવારનો વિકાસ

કેમ થશે?તારું ડહાપણ અને શાણપણ તો આ ભવનનો જલતો દીપક બની રહેતાં! શેઠ

સ્વગત બોલતા.ધન્ય શ્રેષ્ઠી હમણાંથી મૂંઝવણમાં રહેતા હતા.એમનેે પોતાના કુળના સંરક્ષણ,

વિકાસની ચિંતા થતી હતી. એમનેે થતું હતું કે પુરુષતો માત્ર ધન કમાઇ લે,કિંન્તુ પરિવારની

શાનતો બની રહે ઘરની સ્ત્રી.ધન્ય શેઠે વિચાર્યું કે ચારેય પુત્રવધુઓની પરીક્ષા કરવી જોઇએ,

તો જ ખ્યાલ આવે કે આ ઘરની શોભા કોણ વધારશે? એમણે મનોમન એક યોજના વિચારી

લીધી.આખો પરિવાર, સંપત્તિ અનેે સૌંદર્યથી ઊભરાતો હતો.પુત્રો વિવેકી હતા.પુત્રવધુઓ

સુશીલ હતી. સહુ શેઠની મર્યાદા સાચવતા હતા. કિંન્તુ શેઠની ચિંતા અનોખી હતી. એમણે

સમગ્ર પરિવારને તેમજ સ્વજનોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. કુટુંમ્બ મેળો જામ્યો અને

કિલ્લોલ વ્યાપી રહ્યો. શેઠે સહુને આદર આપ્યો,સત્કાર કર્યો.પછી ચારેય પુત્રવધુઓને

બોલાવી. દરેક પુત્રવધુને એમણે પાંચ-પાંચ ડાંગરના અખંડ દાણા આપ્યા,કહ્યુંઃહું જયારે

પાંચવર્ષ પછી પાછા માગું ત્યારે મને આપજો. પુત્રવધુઓએ દાણા ગ્રહણ કર્યા.પિતાતુલ્ય

સસરાના આશીર્વાદ માન્યા. સૌએ દાણા લીધા તો ખરા, કિંન્તુ ચારેયની મંથનની ઘટમાળા

વિભિન્ન માર્ગે ચાલુ થઇ ગઇ.સૌથી મોટી પુત્રવધુ હતી, ઉજિઝતા. એ તો વિચારમાં પડી ગઇ.

એને સસરાજી ઉપર હસવું આવી ગયું.એકતો મોટો ભોજન સંભારંભ કર્યો. મહેમાનોને

નિમંત્ર્યા અને પુત્રવધૂઓને ભેંટ આપી તો શું આપી?ડાંગરના પાંચ દાણા! એમનેય વળી

ઘરડે ઘડપણે આ શું સુઝયું? અને કહે છે કે હું પાંચ વર્ષ પછી પાછા માંગુ ત્યારે પાછા

આપજો! કમાલ છે! ઠીક છે,માંગે ત્યારે પાછા આપવાના છેને? ઘરમાંતો કોઠારો છલકાય

છે!માંગશે ત્યારે આપી દઇશ! અને ઉજિઝતાએ પાંચ દાણા કચરામાં ફેંકી દીધા.

બીજી પુત્રવધુ હતી ભોગવતી.એના મનની ધારા જૂદી હતી. ભોગવતી એ ચિંતવ્યુંં કે ભલે

સસુરજીએ પાંચ દાણા આપ્યા. એતો વડીલ છે, પૂજય છે, અને અનુભવી છે. આતો એમની

પ્રસાદી કહેવાય. આમ વિચારીને ભોગવતી એ પાંચ દાણા ખાઇ ગઇ! મનમાં ધાર્યુ કે શેઠ

માંગશે તો કોઠારમાંથી પાંચ દાણા લાવતાં શી વાર લાગવાની છે!ત્રીજી પુત્રવધુનું નામ હતું

રક્ષિકા,એ નામ જેવા ગુણ ધરાવતી હતી. રક્ષિકાને થયુંકે સસરાજીએ આજે કમાલ કરી! એતો

કેવા અનુભવીને કેવા વ્યવહારુ છે! આટલો વિશાળ સંભારંભ કર્યો, અમને બોલાવ્યા, પાંચ

દાણા આપ્યા, નક્કી એમા કોઇક રહસ્ય લાગે છે! મારે આ દાણા યથાવત સાચવી રાખવા

જોઇએ.એણે પાંચ દાણા મૂકયા સોનાની ડબીમાં અને ડબી મુકી પોતાની અંગતમંજૂષામાં!

રોહિણી એ ધન્યશ્રેષ્ઠીની સૌથી નાની પુત્રવધૂ હતી. એ ખૂબ ચકોર હતી,ખૂબ ભદ્રશાળી હતી.

એના હૈયે સૌ પ્રત્યે હેત હતું અને કુટુંબનું હિત હતું. એ કદી ઉતાવળે નિર્ણય ન લેતી અને

કદી ઉંચા સાદે બોલતી નહીં..એની ઠાવકાઇ માટે સૌને માન અને પ્રેમ હતા.રોહિણીનાહાથમાં

પાંચ દાણા આવ્યા અને પળવાર વિચારમાં પડી, પળવાર જ! અને એને થયું : નક્કી આ

સસરાજીએ આપેલ પાંચ દાણા એ માત્ર પાંચ દાણા નથી,પણ અમારી પરીક્ષા માટેની યોજના

છે અમારે એનાથી પાર પડવું જ રહ્યું. એણે પોતાના વિશ્વાસુ અનુચરને બોલાવીનેકહ્યુંઃભાઇ

ભાઇ, તું એક કામ કર.આ ડાંગરના પાંચ દાણા લે ને મારે પિયર જા,મારા ભાઇઓનેઆપજે

ને કહેજે કે જુદા ખેતરમાં એને વાવી દે.તેમાંથી જેટલા દાણાં થાયતે ફરીથી વાવે,આમ ચોથા

વર્ષે જે પાક થાય તે પાંચમા વર્ષે વાવે ને છેવટે જે અનાજ તૈયાર થાય તે જૂદા કોઠારમાં ભરી

રાખે.કહેજે કે ખાસ તમારી બહેને કહેડાવયું છે.પેલો અનુચર રોહિણીના પિયરમાં પહોંચ્યો ને

તેના ભાઇઓને સંદેશો આપ્યો. ભાઇઓએ તે મુજબ વાવેતર કરાવ્યું. પાંચ વર્ષ પૂરા થતાં શી

વાર લાગે?દીર્ધદ્રષ્ટિવંત ધન્યશ્રેષ્ઠી દિવસો ગણતા હતા.પાંચવર્ષ પૂરાં થયા એટલેપુનઃભોજન

સંભારંભ યોજયો. સૌને તેડા મોકલ્યા. કિલ્લોલ વ્યાપી રહ્યો. ભોજન સંભારંભના અંતે શેઠે

પોતાની મોટી પુત્રવધુ ઉજઝિતાને બોલાવી કહ્યું,બેટા,મેં પાંચવર્ષ પૂર્વ જે પાંચડાંગરનાદાણા

આપેલા તે લાવો.મને આપો. ઉજઝિતા કોઠારમાં દોડી,પાંચ દાણા લઇ આવી સસરાજીને

આપ્યા! શેઠે એ દાણા હાથમાં લીધાને એમના ચેહરા પર કડકાઇ આવી ગઇ. આમેં આપેલા

તે જ દાણા છે? ના જી. ઉજઝિતાની ગભરામણનો પાર ન રહ્યો.તેણે સાચી વાત કહીદીધી.

શેઠ ના ચેહરા પર એ જ કરડાકી હતી. તમારે આજથી ઘરમાં કચરો કાઢવાનું કામ કરવાનુંછે.

બીજા કામમાં ભાગ લેશો નહીં,જાવશેઠે બીજી પુત્રવધૂભોેગવતીનેબોલાવી.તેણેઉજઝિતાની

વાત સાંભળી હતી.શેઠે કહ્યું,મેં જે પાંચ દાણા આપેલા તે લાવો. ભોગવતી કોઠારમાં ન દોડી.

તેણે સાચી વાત કરી નાંખી! પિતાજી,એ તો હું આપની પ્રસાદીગણી ને દાણા ખાઇ ગયીહતી,

મને માફ કરો! શેઠના ચેહરા પર આનંદ નહોતો.એમની ભીતર મૂંઝવણનો લાવા ઘૂઘવતો

હતો. એમણે કહ્યું - આજથી રસોડું તમારે સંભાળવાનું છે!જી. ભોગવતી ચાલી ગઇ.ધન્ય

સાર્થવાહે રક્ષિકા પાસે દાણા માંગ્યા. તે દોડતી સોનાની ડબ્બી લઇ આવી. તેણે કહ્યું પિતાજી,

આપે જે દાણા આપેલ છે તે જ આ છે.મેં સાચવીને રાખેલા છે. શેઠના ચેહરા પર સ્મિતની

આછી લહેરખી આવીને ચાલી ગઇ. તમારે આજથી તિજોરીની ચાવીઓ સંભાળવાની છે. શેઠે

એ પળે જ બધી ચાવીઓ રક્ષિકાને સોંપી દીધી.શેઠે છેલ્લી પુત્રવધૂ રોહિણીને બોલાવી.રોહિણી

બેટા,ડાંગરનાં પાંચ દાણા આપો.રોહિણી એ હાથ જોડી ને કહ્યું કે-પિતાજી,એ દાણા લાવવા

માટેતો ગાડાંઓ જોઇશ! હેં! પાંચ દાણા માટે ગાડાં?હા જી. રોહિણીના મુખ પર સંસ્કારની

પ્રતિભા છલકાતી હતીઃ હા પિતાજી,આજે પાંચ દાણા પાંચ જ નથી રહ્યા પણ પાંચકરોડદાણા

થયા છે.રોહિણીએ પોતાના સસુરજીને સમગ્ર વાત કહી.ધન્ય શેઠ એ વાત સાંભળતા ગયા

અને તેમની આંખોમાં હર્ષનાં આંસુ વહેતાં રહ્યા.એમની,કુટુંબની,પરિવારની ગૌરવભરી શાન

આ પુત્રવધૂના હાથમાં અખંડ રહેવાની હતી! શેઠને થયું,ભદ્રા શેઠાણીની ઉણપ પોતાની આ

પુત્રવધૂ પૂર્ણ કરશે! એમણે કહ્યું-બેટા, આજે મારી જીંદગીનો સુખનો દિવસ છે. મને શ્રદ્વા છે

કે તું મારા કુળ ને ઉજાળીશ.આ કુટુંબની માન મયાર્દાને સાચવીશ. આ પરિવારના સુખમાં

અભિવૃદ્ધિ કરીશ. બેટા-સુખી થજે.અને શેઠે બીજી પુત્રવધૂઓને કહ્યું કે બેટા-તમે જયારે પણ

મુંઝાઓ ત્યારે રોહિણીની સલાહ લેજો ને સંપથી બધાં કામ કરજો. જયાં સંપ છે ત્યાં જંપ છે.

શેઠ રોહિણી તરફ ફર્યાઃ બેટા હું હમણાંજ ગાડાં મોકલીને દાણા મંગાવુ છુ, મારે મન એ

ડાંગરના નહીં સોનાના દાણા છે! રોહિણી એ વિનય થી હાથ જોડયા.ધન્ય સાર્થવાહના

જીવનમાં સુખનો સુર્યોદય થયો.

પાંચ ડાંગરના દાણાની જગાએ આ પાંચ મહાવ્રતો છે. અહિંસા થી તન, સત્ય થી વચન,

અર્ચોય થી ધન, બ્રહ્મચર્યથી મન અને અપરિગ્રહથી સુંદર જીવન. તન-મન-ધન-વચન અને

જીવન વ્યવસ્થિત હોય તો જ માણસ સુખી બને.

છે શકયતા તુજમાં ઘણી પણ યોગ્યતા મુજમાં નથી

છે દિવ્યતા તુજમાં ઘણી પણ ભવ્યતા મુજમાં નથી

છે ધૈર્યતા તુજમાં ઘણી પણ નમ્રતા મુજમાં નથી

તેથી જ આ સંસારમાં રખડી રહ્યો છું નાથજી.

હે જીવ! તુ સુખી હો તો પણ સુખના કારણરૂપ શ્રેષ્ટ ચારિત્રને કર (પાળ),

પરંતુ કલિકાળના આલંબનથી મોહ પામીને સચ્ચારિત્રનો ત્યાગ ન કરીશ.

‘તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી.’

અનુક્રમણિકા

વાર્તા નં : ૭ તૃષ્ણાનો ખાડો કદી પુરાતો નથી

તૃષ્ણા ત્યાગો. દુઃખી કોણ છે? જે મોહાધીન છે. મોહાધીન કોણ છે?જેને તૃષ્ણા છે.

ટૂંકમાં,તૃષ્ણા એ જ દુઃખનું મૂળ કારણ છે. કહ્યું છે કે જેની તૃષ્ણા ખતમ થઇ ગઇ, એનો મોહ

નષ્ટ થઇ ગયો.અને જેનો મોહ નષ્ટ થયો એનું દુઃખ દૂર થઇ ગયું. તૃષ્ણા એ ભયંકર ઊંડી

ખાઇ છે,એને પૂરવાની કયારેય કોશિષ ન કરવી જોઇએ.કારણ કે એને પૂરવાનો જેટલો

પ્રયત્ન કરવામાં આવે એટલી એ વધુને વધુ ઊંડી થતી જાય છે.

માણસ આખી જિંદગી પોતાની ઇચ્છાઓને-તૃષ્ણાઓને પૂરી કરવામાં ઘસી નાંખે છે,પણ

અફસોસ!એનું શરીર ઘસાઇ જાય છે,પણ એની ઇચ્છાઓ ઘસાતી નથી.એતોસદૈવ નવજુવાન

બની રહે છે. આંખ હોવા છતાં અંધારી રાતમાં પાસે રહેલી વસ્તુ નથી દેખાતી,તેમતૃષ્ણાગ્રસ્ત

વ્યકિતને પાસે રહેલી સંપત્તિ દેખાતી નથી.એટલે જ એ વધુને વધુ સંપત્તિ મેળવવા દોડે જ

રાખે છે. જીવનભર ઘાણીના બળદની જેમ પરિશ્રમ કરતો રહે છે. સબુર! દુઃખથી મુકત થવું

છે? મોહના બંધનોથી મુકત બનો. મોહથી મુકત થવું છે? તો તૃષ્ણાનો ત્યાગ કરો.વર્ષો પૂર્વે

ગુજરાતના એક શહેરમાં બની ગયેલ આ પ્રસંગની વાત છે. ૫૫ વર્ષની વયના એ બહેન

ખુબજ શ્રીમંત પરિવાર.ત્રણેક મહિનાથી એમને પેટમાં તકલીફ હતી. અનેક પ્રકારનાઉપચારો

પછી ય એમા કોઇ રાહત ન અનુભવાય ત્યારે એમના દીકરાએ મોટા ડોકટર પાસે બતાવ્યું

અને નિદાનમાં કેન્સર આવ્યું. દીકરાએ મનને મજબુત રાખીને મમ્મીને આ સમાચાર આપી

દીધા.પળ બેપળની ખામેશી પછી મમ્મી એ મૌન તોડયું. બેટા, એક ઇચ્છા છે- મનેનથીલાગતું

કે હવે છ મહિનાથી વધુઆ દુનિયામાં રહી શકું-મારી ઇચ્છા છે કે તું મને અમેરીકા,જર્મની,

ફ્રાન્સ,રશિયા,જાપાન, ચીન જે જે સ્થળે સારી સારી હોટલો હોય ત્યાં લઇ જા.જીંદગીનાજેટલા

પણ મહિનાઓ કે દિવસો બચ્યા છે એમા મારે એ દરેક હોટલોમાં પીરસાતી શ્રેષ્ટ વાનગીઓ

ખાઇ લેવી છે કારણકે મર્યા પછી તો આ બધું ખાવાનું કયાં મળવાનું છે?કલ્પના કરો-જીવન

સમાપ્ત થવાના આરે હોય,મોત આંખ સામે ડાચું ફાડીને ઉભું રહી ગયું હોયત્યારેજોખાવાની

આ હદની લાલસા જીવંત રહી શકતી હોયતો શરીર તંદુરસ્ત જ હોય,નખમાંય રોગ ન હોય

ત્યારે આપણે મનુષ્ય જીવન પ્રભુમય બનવામાં વિતાવવાનું છે પણ આપણે જી ઓે ડી ગોડની

બદલે ડી ઓ જી ડોગની જેમ જીવન વિતાવવા માંગીએ છીએ. પુણ્ય ભોગવવામાંજ રસ છે -

પુણ્ય બાંધવામાં રસ નથી. સમ્યક સમજણ નથી. ધર્મનું જ્ઞાન નથી કે પછી શ્રદ્વા નથી. શું

સમજવું?આતો પ્રેમની દુનીયા છે.આ જગતમાં માણસને માણસ ગમે છે. પ્રેમ થી પ્રેમ વધે

છે. સુખ દુઃખમાં સાથી જરુરી છે.સુખમાં છકીન જવું ને દુઃખમાં હિંમત ન હારવી.સુખદુઃખની

વાતતો મનુષ્ય લલાટે લખાવીને જ આવ્યો છે. સુખદુઃખ એક માનસિક પરિસ્થિતિ છે. મનની

લાગણી છે. દરેક માનવીના મનમાં ગર્ભિત અતૃપ્ત વાસનાઓ-ઇચ્છાઓ વિગેરે છૂપાયેલ છે.

આપણે ઇચ્છાની પણ કોઇ ઇચ્છા નથી તેવાં બનવાનું છે. ભગવાન મહાવીર સ્વામીએ કહેલ

છે કે બધા પાપનું કારણ આપણી ઇચ્છા જ છે. માટે ઇચ્છા જ ન કરવી તેવો ભાવ કેળવવા

મનને તૈયાર કરો.શાસ્ત્રકારો હંમેશા મહેચ્છ મટી એચ્છ બનવાની અને અલ્પેચ્છ મટીને

અનિચ્છ બનવાની વાતો ભવપ્રપંચ કથામાં શાસ્ત્રકારોએ મનમાં ઉઠતી ઇચ્છાઓને

મધમાખીઓની ઉપમા આપી છે. જીવ પહેલાં ઇચ્છાઓના મધપૂડાને છંછેડે છે પછી એમાથી

હજારોમાખીઓ ઉડવા માંડે છે ને પછી એજ માખીઓ તેનેચારેકોરથી ચટકાભર્યા કરે

છે.જીવ આખો દિવસ આવી અનેક - વિધ ઇચ્છાઓ,સંકલેશ, વિકલ્પો કર્યા કરે છે અને પોતે

જાતે ને જાતે દુઃખી થયા કરે છે.માણસના નેવું ટકા દુઃખો તો આ જાતે છંછેડેલા મધપૂડાની

માખીઓનાડંસમાંથી ઉભા થયેલા છે, દા.ત. તમે સાવ નવરા બેઠા છો અને એકાએક તમારા

મનમાં વિચાર આવ્યો કે સાલ્લુ બધા શેર ખરીદે છે તો આપણે કેમ ન ખરીદીએ?આ એક

ઇચ્છાનો જન્મથયો.બસ!હવે તમે સમજી લેજો કે મોંકાણ મંડાઇ જવાની છે.તમે એકેક કદમ

આગળ વધતા જશો.પપ્પા ને પૂછવું પડશે,પણ તે ના પાડશેતો?ડોસો તો આમેય કઇવાતે હા

પાડે છે,છો ના પાડે-આપણે પૈસાની અરેંજમેંટ તો કરવી પડશે ને?કંઇ વાંધો નહીં મારો

મિત્ર નરુ છે ને? એને કહીશું થોડી હેલ્પ કરને! પણ ના પાડશે તો? ના પાડે તો સંબંધ કાપી

નાંખવાનો, છેવટે વાઇફના દાગીના છે ને! વેંચી નાંખશું.ગીરવે મુકશું પણ તે ના પાડશે

તો?ના પાડેતો પીયર રવાના કરી દેવાની, પણ દાગીના ભેગા લઇને જતી રહેશે તો શું

કરશું?પોલીસ કમ્પલેઇન કરી પહેલા દાગીના મૂકાવી દઈશું પણ પછી સસરા છૂટાછેડાનો

કેસ કરશે તો? કંઇ વાંધો નહીં. એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. દેખોતો સહી તમે

કયાંના કયાં નીકળી ગયા. એક જ ઇચ્છા પાછળ કેટલી મધમાખીઓ ઉડી તમને કલાકો સુધી

પરેશાન કરી મૂકયા. અલબત્ત ઉપરના વિચારોમાંથી તમે એક પણ વિચાર અમલમાં મૂકવાના

નથી, મૂકી શકવાના પણ નથી. પરંતુ શેખચલ્લીના વિચારો કરીને તમે તમારી જાતને

વારંવાર દુઃખી કરી રહ્યા છો.તમારા મનમંદિરમાં તમે દીવોે કરો અને અંદરમાં ઉઠતી આ

ઇચ્છાઓની આંધીઓનો કંટો્રલ કરો, નહીંતર પેલી કૂવસ નામની વનસ્પતિને અડયા પછી

આખા શરીરે જેમ વલૂર ઉપડે છે તેમ એક ઇચ્છાને નહીં રોકોતો આખા શરીરે જેમ વલૂર

ઉપડે છે તેમ આખા આતમમાં એક એવી કાતીલ વલૂર ઉપડશે કે તમે દિનરાત વલૂર વલૂર

કરીને થાકી જશો. હમણાં વેસ્ટર્ન કંટી્રઝમાં ડાઉન શીફટીંગ જેવા શબ્દો પ્રચલિત બન્યા છે.

ઘણાં ઉંચે ચડયા હવે જરા નીચે ઉતરો. માણસ દિવસ-રાત વેપાર ધંધામાં અટવાયેલો છે.

ઉપાધીઓથી વીંટળાયેલો છેે. ટેન્શન ટેન્શન અને ટેન્શન! ફલેટ આખ ો લકઝરી આઇટમોથી

ઉભરાઇ રહ્યો છે. કુટુંબ આખું કલેશ કંકાસથી ઉભરાઇ રહ્યું છે.શરીર આખું રોગોથી ઉભરાઇ

રહ્યું છે અને માણસ નામનું એક અજબ કીસમનું પ્રાણી બ્લડપ્રેશર, હાર્ટએટેક,હેમરેજ અને

ડીપ્રેશન નામના વી.આઇ.પી. દર્દોથી ઉભરાઇ રહ્યુંં છે.આમાથી બચવાનો ઉપાય છે -

સાદગીથી -ઓેછી ચીજોથી ચલાવી લેવાનો સંકલ્પ કરો. ઇચ્છાઓ - અપેક્ષાઓ બધુ

ઘટાડોતો જ હાયહાય જીવનથી બચશો અને શાંતીથી જીવી શકશો.અપેક્ષા કયારેય રાખશો

નહીં., આવેશમાં આવશો નહીં, અધીરા કયારેય બનશો નહીં ત્રણેય દુઃખ આપનારા છે.

પરિગ્રહ - પરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત

વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે.સારી રીતેઆજીવિકાચાલતી એટલું ધન જો કમાવા

મળતું હોયતો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો સદુપયોગ

માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઇએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યુંં છે અને

રહેવાનું છે કે જૂજ વ્યકિતઓને જ આ તત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ

વ્યકિતઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છેસંત મહાત્માઓ વખતો વખત કહેતા

આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઇ હરણ કરી

શકતું નથી . જે મળેલ છે તેને ત્યાગો. જે નથી તેની ઇચ્છા કયારેય ન રાખશો.

હે માનવ અંતે શૂં?

‘ છે કોણ એવું આ જગતમાં મોત જેનું ના થાય,

પિંજર મુકી ચાલ્યા ગયા,જલી રાખ થઇ ઊડી ગયા,

ગુણ દેહ એના ના જલે, વરસો ભલે વીત્યા કરે.,

તે વિશ્વ વિભુતિના ચરણમાં,નમન જગ ભાવે કરે.’

માનવ જયારે માનવ મટીને દાનવ બને ત્યારે ધર્મને બદલે ધન, વિરાગને બદલે વિલાપ,

યોગને બદલે ભોગનું સ્વાગત કરે છે. કામ-ક્રોધ ભાન ભૂલાવે,માયા-મમતા નાચ નચાવે.

પછી હાલ મહમદ ગિઝની જેવા થશે. મહમદ ગિઝનીએ ૧૭ વાર હિંદ પર ચઢાઇ કરી.એ

અહીંથી ઘણી બધી દોલત માલ લેતો ગયો.અનેક મૂલ્યવાન રત્નો,અલભ્ય મોતીઓ,

અતિચમકદાર હીરા-માણેક-પન્ના-પોખરાજ વિ.લઇ જઇને મજબૂત તિજોરીઓ બનાવી તેમાં

મૂકાવ્યા. મહેલની ચારેબાજુ દોલતથી ભરપૂર કમરા. એવી માંદગી હતી એને કોઇ પણ વૈદ

ગમે તેટલી દોલત આપે પણ એને સાજો કરવા સમર્થ ન હતા. શરીર સાવ અટકી ગયેલ-

હાથ પગમાં તાકાત ન હતી. બધું પલંગમા જ કરવું પડતું હતું. હવે એને આવું જીવન પણ

ભારે લાગતું હતું. પોતાના સ્વાર્થ માટે કરેલ પાપની સજા તો ભોગવવી જ પડે છે..મૃત્યુ

સમયે નોકરોને બોલાવીને કહે, મને ખજાના પાસે લઇ જાવ, મારે છેલ્લે છેલ્લે દર્શન કરવા

છે. ઉભા તો થવાતું ન હતું. સેવકોએ એને ઉંચકયા. એને ખજાનાના એક એક રૂમમાં ફેરવ્યા.

એક પછી એક તિજોરી પાસે લઇ ગયા અને બતાવ્યું કે એનો ખજાનો ત્યાં સલામત પડયો

છે. હીરા જોયા, મોતીને માણેક જોયા, જર અને ઝવેરાત જોયું.જોતો ગયો અને રોતો ગયો.

આંખમાંથી આંસુ વહેતા ગયા અને એને મનમાં થઇ ગયુંઃ અરે રે! આખી જીંદગી આ ભેગુ

કર્યું અને ખરેખર આ બધું છોડીને જવાનું? સેવકો પણ રડતાં રડતાં કહી રહ્યા હતાઃ હે

જહાંપનાહ! આપે ભેગો કરેલો ખજાનો સલામત છે પણ એને ભોગવનાર આપ?હવે એ

બધું છોડીને આપ ખાલી હાથ જઇ રહ્યા છો. જિંદગીભરની કમાઇ ઉપર મહંમદ ધ્રુસકે ધ્રુસકેે

રડયો અને રડતાં રડતાં આ દુનિયામાંથી વિદાય થયો. દુનિયાભરના વૈભવો સામગ્રી ભેગી

કરીને એશ-આરામ કરવાનો પ્લાન કરનાર તું તારા વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરીશ

તો તને ખ્યાલ આવશે કે આમાં તારું શું અને કેટલું? ૨૧મી સદીના માનવી! બધું પ્રાપ્ત

કરીશ પણ અંતે શું?મોત-સમાધિમરણ નહીંતો કમોત-દુર્ગતી કરે છે. દેરાસર અને મૂર્તિનો

વિરોધ કરનારા એમ કહે છેભગવાન તો નિરાકાર છે.એને આકાર શા માટે આપવો?

એનો જવાબ છે-નિરાકારને જોવા માટે આપણે અંધ છીએ. મૂર્તિ એ સાકાર છે. નિરાકારને

પામવા માટે સાકારનો સહારો લેવો પડે જ.અગર દેરાસર અને મૂર્તિ હટી જશેતો જેઓને

આકારથી કદી પરમાત્માનું સ્મરણ નથી થયું તેઓને નિરાકારથી પરમાત્માનું સ્મરણ કેમ

થશે? હજી એક વાત-આપણે-નમો અરિહંતાણં બોલીયે છીએ. તેનો અર્થ નમો એટલે નમતા

શીખો-અરિનોઅર્થ-અહંકાર-અભિમાન-રાગ-દ્વેષ-મોહ-માયા-કંચન- કાયા-કામિની, તથા

હંત એટલે નાશ. આપણે જે કોઇપણમાં આ અવગુણ નથી તે બધાઓને એક સાથે વંદન

કરીએ છીએ. આમાં વંદન કોઇ આકારને નથી પણ ગુણો છે તેને વંદન છે.આ ગુણો અરિહંત

ભગવંતમાં છે.જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર ભગવંતોને-અરિહંત ભગવંત માન્ય કરેલ છે અને

તેઓને મૂર્તિ રૂપ આકાર આપેલ છે.બીજી લીટી-નમો સિદ્ધાણં-જે સિદ્ધ થયેલ છે-પણ તેઓ

નિરાકારી છે. હવે જયારે આપણે આ બંને પદ નવકાર મંત્રમાં બોલીયે છીયે એટલે આપણે

સર્વો એક જ છીયે. મનુષ્યનાં સ્વભાવને લીધે-કે પછી ગમે તેમ વાડા થઇ ગયા છે જે દૂર

કરવા વિચારશું તો જરૂર આ કામ થશે.બધા મોટા મોટા ગચ્છાધિપતિ વિગેરે મળીને કરશે તો

મારું માનવું છે - દરેક વિવાદનો ઉકેલ છે. સમસ્ત જૈન એક જ માધ્યમથી ઓળખાશે. મારું

ચાલે તો આખી દુનિયાના બધા લોકોને એક રાખી રાજી ખુશીથી-એક જ થઇ જાય-ધર્મ માં

જેને જે ગળે ઉતરે તે કરે-કોઇ વાતમાં દબાણ નહિં કરવાનું.એકતામાં તાકાત છે.સાથેઆપણી

ત્રણ ચાવી ઉપર લખેલ છે તે કદી ભૂલવાની નહિં.આપણે તો બધા ને સુખ જ આપવું છે

કોઇપણને દુઃખ આપવાની વાત જ નથી. આમાં સારા કામ કરવામાં વિશેેષ ધ્યાન તથા

વિચારવાનું જરૂરી છે - મારાથી કોઇપણ ને દુખ ન થવુંં જોઇએ. સુખ આપી શકું તો મનમાં

આનંદ છે. પણ મારે નવા કર્મ બાંધવા નથી. કોઇ પાપ કરવું નથી હવે. આપણે ધર્મ સાથે

માનવ-સેવા,જીવદયા,બાળકો-બાળાઓ ને ભણતર આજના સમય સાથે ધર્મનું પણ આપી

શકીશું.હવે સમય આડંબરથી દૂર રહેવાનો છે.જરૂરી હોય તે જરૂર કરવાનું-બીનજરૂરી દેખાવ-

આડંબરથી દૂર રહેવાની જરૂરત છે. મૃત્યુ બાદ ચક્ષુ દાન - દેહ દાન કરવાની ભાવના રાખશો

અને જરૂરી તે માટે ફોર્મ-તમારે અગાઉથી ભરી દેશોજી- જવાનું તો નક્કી છે જ -તો મરણ

બાદ પણ બધાની દુઆ મળે તેમ કરશું-જેથી મનની ખૂબ જ શાંતિ મળશે.પરભવસુધરી જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૮ હીરાઝડીત સોનાનું કડુ

આ વાર્તા પણ મારા મિત્ર અમૃતલાલભાઇના ધર્મપત્ની અ.સૌ.ભાનુબેને મને લખી ને આપેલ

છે. તેમનો બંનેનો ખુબ ખુબ જ આભાર-સાથ સહકાર બદલ.

તપ અને જપ ઇશ્વરને પ્રાપ્ત કરવાની સાચી જડીબુટ્ટી છે.મિરાના ગુરુ રોહીદાસ તે ચમાર

હતા.એકવાર એક બ્રાહ્મણ તેના ચંપલ સંધાવવા રોહીદાસ પાસે ગયો. ચંપલ સંધાય ગયા

પછી બ્રાહ્મણે એક પાવલી મજુરી આપી. રોહીદાસે કહ્યું કે બ્રાહ્મણ પાસેથી મજુરી નો લેવાય.

પણ બ્રાહ્મણે કહ્યુંકે મારો ધર્મ મજુરી દેવાનો છે. રોહીદાસે પૂછયું કે તમે કયાં જાવ છો?

બ્રાહ્મણે કહ્યું કે ગંગાસ્નાન માટે જાવ છું.રોહીદાસે બ્રાહ્મણને બે પાવલી આપીને કહ્યું કે

ગંગામાતાને હાથોહાથ આપી દેજો. બ્રાહ્મણને થયું કે રોહીદાસ ગાંડો થયો લાગે છે. એની બે

પાવલી લેવા શું ગંગામાતા સાક્ષાત પ્રગટ થશે?બ્રાહ્મણે ગંગાનદીએ જઇને સ્નાન કરી

રોહીદાસે આપેલી બે પાવલી હે ગંગામાતા! હું તમોને હાથોહાથ આપું છુએમ બોલીને

ગંગાનદીમાં પધરાવી ત્યાંતો ચમત્કાર થયો. ગંગાનદીના પાણીમાંથી બે હાથ બહાર આવ્યા,

બ્રાહ્મણને આશ્ચર્ય થયું,આટલા વર્ષોથી હું પૂજા કરુ છું પણ મને ગંગામાતાએ દર્શન આપ્યા

નથી . ગંગામાતા પ્રગટ થયા અને બ્રાહ્મણને સોનાનું હીરાઝડીત કડુ આપ્યું ને કહ્યું કે આ કડુ

મારા ભકત રોહીદાસને આપજો એમ કહી અદ્રશ્ય થઇ ગયા.

બ્રાહ્મણની મતી બગડી. તે કડુ પોતાને ઘરે લઇ ગયો અને પત્નીને આપ્યું. બ્રાહ્મણની પત્નીએ

કહ્યું કે આ કડુ આપણે રાજાને આપી ઘણુંજ ધન મેળવશું. બ્રાહ્મણને વાત ગમી એટલે રાજાને

કડુ આપ્યુ. રાજાએ ખુશ થઇને ખુબ જ ધન આપ્યુ. હવે રાજાએ તે કડુ રાણીને આપ્યુ.

રાણીતો કડુ જોઇને જ ખુબ જ ખુશ થઇ ગઇ. એણે રાજા ને કહ્યું કે મને હજી એક કડુ જોવે છે

જેથી મારા બંને હાથ શોભે. રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું કે આ કડા જેવું જ હજી

એક કડુ આઠ દિવસમાં લઇ ને આવ - નહીં તો તને ફાંસીની સજા થશે. બ્રાહ્મણ હવે મુંજાયો,

હવે બીજુ કડુ કયાંથી આવશે- બધા સોનીઓ પાસે ચક્કર માર્યા-પણ બધાએ એકજ વાત કરી

આવી કારીગરી-આવા હીરા-અમારાથી શકય નથી. કયાંય શકયતા ન હોવાથી છેવટે બ્રાહ્મણ

છેલ્લા ઉપાય તરીકે રોહીદાસ પાસે ગયો. તેના પગે પડી ગયો અને માફી માંગીને સાચી

હકીકત જણાવી. અને કહ્યું કે ભાઇ હવે તમે જ મને જીવનદાન અપાવી શકો તેમ છે.

રોહીદાસને દયા આવી અને થયું કે જો હું આને મદદ નહીં કરું તો રાજા આ બ્રાહ્મણને મારી

નાંખશે-તેનુ કુટુંબ વેરવિખેર થઇ જશે અને મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. રોહીદાસે જે

કડાઇમાં ચામડુ પલાળેલ તેને લઇને તેની અંદર પાણી નાંખીને ઉપર એક કપડું બાંધીને

ગંગામૈયાને યાદ કરી કહ્યું કે હે ગંગામાતા મારે આ બ્રાહ્મણનો જીવ બચાવવો છે, મારે લીધે

તેની હત્યા ન થવી જોઇએ.ગંગામાતાએ તેની દયાભાવભરી સાચી પ્રાર્થના સ્વીકારીને તેને

બીજુ કડુ આપ્યુ. બ્રાહ્મણતો રોહીદાસને બધુ ધન આપવા લાગ્યો - પણ રોહીદાસ ખુબ જ

સંતોષી હતા, તેમણે કહ્યું કે મારે કશું જોઇતું નથી પણ આ ધનનો ઉપયોગ સારા માર્ગે

કરશોજી. સાચા મનથી - સાચા હૃદયથી - સાચા ભાવથી જો પ્રાર્થના કરો તો પરમાત્માની

પ્રાપ્તિ થાય.

આજે તમને ત્યાગની વાતમાં આનંદ નથી આવતો. એનું કારણ એ જ છે કે ત્યાગ બુદ્ધિથી ધર્મ

થતો નથી. જો ત્યાગબુદ્ધિથી ધર્મ કરો તો ત્યાગની વાત સાંભળતા આત્મા પ્રફુલ્લિત થાય.

રોમરાજી વિકસ્વર થાય-શ્રી શ્રેણિકરાજા શાલિભદ્રને ત્યાં ગયા ત્યારે એની સાહ્યબી જોઇ,શ્રી

શાલિભદ્વને જોઇને,એની સુકોમળતા વગેરે જોઇને,એમને એક જ વિચાર આવે છે કે-ભગવાને

કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંનો આ પણ એક પ્રકાર છે.એ વિચારે છે કે મારા

વિલાસભુવનમાં જે નથી તેવું આના પશુઓના રહેવાના મકાનમાં! કેવું અદ્દભૂત પુણ્ય! ધન્ય

છે કે મારા રાજયમાં આવા પુણ્યવાન વસે છે. અને જયારે શ્રી શાલિભદ્ર સંયમ લે છે એવી

ખબર મળે છે, ત્યારે રાજા શ્રેણિક કહે છે આવો ભોગી પણ સંયમી થાય છે અને હું હજી

રખડું છું, એનો મહોત્સવતો હું જ કરીશ.શ્રી શ્રેણિક મહારાજા ત્યાગ નહોતા કરી શકતા,

પણ ત્યાગ પ્રત્યે સન્માન કેટલું ધરાવતા?

મેરુપર્વતથી ઊંચુ કંઇ નથી. આકાશથી વિશાળ કંઇ નથી, તેવી જ રીતે જગતમાં અહિંસાથી

ઊંચો કોઇ ધર્મ નથી. ત્રણ વસ્તુઓને વેડફો નહીં : સમય - પૈસો - યુવાની. ત્રણ વાતને યાદ

રાખશો નહીં - તમારું કોઇકે કરેલું અપમાન, (ભૂલી જશો) તમે કરેલો ઉપકાર -(ભૂલી

જશો) બીજાના દુર્ગુણો.- (ભૂલી જશો).

હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણોનું સ્તવન કરે. અમારા કાન તમારી કથાઓનું શ્રવણ કરે.

અમારા હાથ તમારી સેવા કર્મ કરે.અમારું મન તમારા ચરણોના ચિંતનમાં રહે.અમારું શિર

તમારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહે.અમારી દ્રષ્ટિતમારી મૂર્તિરૂપ સંતોના

દર્શનમાં રહે.દીન, દુઃખી તથા અશકત વગેરે જિવો પ્રત્યે દયાપૂર્વક દૂઃખ દૂર કરવાની વૃત્તિતે

કરૂણા. પ્રભુએ માંદગી રૂપી સાયરન દ્વારા ચેતવણી આપી દીધી છે કે હવે ગમેત્યારે મૃત્યુની

સવારી આવી શ્કે એમ છે- તો હવે આરામ કેમ કરાય?મારે પરલોકમાં આરાધનાની મુડી

અને એના સંસ્કારો સાથે લઇ જવા છે. પ્રભુ ભકિત તથા સ્વાધ્યાયમાં કાયમ તત્પર રહેવું.

સ્વાધ્યાયના ભોગે બીજી પ્રવૃત્તિ ન કરવી. ભગવાનની આશાતના ન થાય તેનું ધ્યાન રાખવું.

ઇતની શકિત હમેં દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના,

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલકર ભી કોઇ ભૂલ હો ના.ઇતની શકિત.

અનુક્રમણિકા

વાર્તા નં ૯ નવમી પેઢી નું શું?

એક શેઠ હતા. ખુબજ માલદાર હતા. એક દિવસ શેઠે મુનીમને પુછયું કે આપણી પાસે કેટલા

રૂપીયા છે? મુનીમ કહે કે શેઠજી આપણી પાસે તમારી આઠ પેઢી સુધી ચાલે તેટલા રૂપીયા છે.

તમારે ફીકર કરવાની કોઇ જરુર નથી.. પણ શેઠતો ચીંતામાં પડી ગયા અને મુનીમને કહે કે

મારી નવમી પેઢી નું શું? મુનીમ હાંેંશીયાર હતા તેમણે શેઠને કીધુ કે આપણા ગામમાં

મહારાજ સાહેબને વંદન કરવા જઇએ અને તેમની સલાહ લઇએ. શેઠ અને મુનીમ મહારાજ

સાહેબ પાસે આવે છે.વંદન કરે છે પછી મુનીમ તેમને શેઠની નવમી પેઢીની ચીંતાની વાત કરે

છે. મહારાજ સાહેબ કહે છે.આના માટે એક રસ્તો છે હું કહુ તેમ કરશો તો તમારી ચિંતા દૂૂર

થઇ જશે. શેઠ કહે સાહેબ આપ કહેશો તેમ જ કરીશું. સાહેબે કીધું કે ૩૦ દિવસ ચોવીહાર

કરવો પડશે અને બપોરે તમારે ઘરના ઓટલામાં બેસી ચાલીસ રોટલા ભીખારીઓને એક

એક કરીને આપવાના - પછી જ તમારે સાંજના જમવા બેસવાનું છે. શેઠ કહે આજથી જ

આપના કહ્યા મુજબ કરવાનુ ચાલુ કરી દઉ છું.શેઠ રોજ ચાલીસ રોટલા લઇને ઘરની બહાર

ઓટલા ઉપર બેસી જતા અને દરેક ભીખારી કે જે કોઇ માંગવા આવે તેને એક એક રોટલો

દેતા ત્યારબાદ જ જમવા બેસી જતા. આમ કરતા ઓગત્રીસ દિવસ થઇ ગયા. ત્રીસમે દિવસ

શેઠ રોટલા લઇને બેઠા ૩૮ રોટલા ખાલી થઇ ગયા ત્યારબાદ કોઇ ભીખારી આવતા નથી.

શેઠ રાહ જોઇને બેઠા છે કે કોઇ આવે રોટલા આપું અને પછી હું જમવા બેસુ. થોડીવારમાં

એક ફકીર આવે છે કહે બાબા અલ્લાહ કે નામ પે કુછ દેદે. શેઠ તેને બંને રોટલા આપવા

જાય છે પણ ફકીર કહે છે દેવો હોયતો એક જ રોટલો આપો-બે નહીં. શેઠ કહેછે કે બંને

રોટલા લઇલે તને કાલે કામ આવશે. ફકીર કહે છે બાબા કલ કી ફીકર કરે ઓ દુસરા હમ

નહીં. શેઠના મનમા ખ્યાલ આવે છે કે આની પાસે કાંઇ નથી તો પણ સાવ બેફીકર જ છે.

નથી પહેરવાનાં લુગડાં કે નથી રહેવાનું કોઇ ઠેકાણું, નથી જમવાનું પણ કાંઇ ઠેકાણું તો પણ

જરાપણ ફીકર નથી ત્યારે મારી પાસે તો આટલું બધું છે છતા હું ખોટી ફીકર કરું છુ. શેઠની

આંખ ઉઘડી જાય છે અને ચિંતાથી મુકત બને છે. આમાં સમજવાનુ કે કાલની ફીકર કરવી

નહીં - આપણો પુરુષાર્થ ચાલુ રાખવો-પછી આપણા ભાગ્યમાં જે હશે તે મળશે. તમોએ

સારા કર્મ કર્યા હશે તો સારુ થશે - બુરા કર્મ કર્યા હશે તો બુરુ થાશે.

એક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે

એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે.

મનુષ્યનો આંતર વૈભવ તેની ગુણસંપત્તિ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૦ જીવનમાં સંતોષી રહેવું

એક ભાઇ ધન કમાવા અમેરીકા ગયા.અમુક સમય પછી થોડા ઘણાં ડોલરો કમાણા. પછી

વીચાર કર્યો કે હવે તો સુટ બુટ ખરીદી કરુ. એક સાંજે ભાઇ ખરીદી કરવા નીકળી ગયા. સુટ

લેવાઇ ગયો પણ બુટ લેવા હવે પાસે બે જ ડોલર વધ્યા હતા.બુટ ઓછામા ઓછા ૨ ડોલરથી

નીચે કોઇ દુકાનમાં મળતા ન હતાં.તે ભાઇ ભગવાનને કહેછે કે તમો કેવા છો મને સુટ -

શર્ટ - ટાઇ બધું આપ્યું પણ બુટ માટે ડોલર ન આપ્યા.તેવા જ સમયે બાજુની ગલીમાંથી તેણે

કોઇને ભારતીય ફીલ્મનું ગીત ગાતા સાંભળે છે વિચારે છે કે હું એટલો દુઃખી છું ત્યારે આ

ભાઇ કેટલા આનંદમાં છે-ચાલો જોઇએ તો ખરા કે કોણ છે તે. તે પણ બાજુની ગલીમાં જાય

છે-જોવે છે કે એક માણસ લાકડાની ઘોડી લઇ ચાલી રહ્યો છે-તેને પગ જ નથી, તે છતાં

આનંદથી ગીત ગાઇ રહ્યો છે. અને એકદમ ખુશ છે. તરત જ ભગવાનને હાથ જોડી કહે છે કે

હે ભગવાન ભલે મને બુટ ન આપ્યા પણ તારી તો અંત્યંત દયા છે કે મને પગ તો આપ્યા.

ટુંકમા સાર એ છે કે જે ભગવાને આપણને જે આપ્યું તેમા ખુશ રહેવું- સંતોષ રાખવો.

નરવા જીવનમાં ખડતલતા હોયજ અને એવી ખડતલતા આવે છે માણસની દુઃખના ઘા

ઝીલવાની- ખમવાની શકિતમાંથી. ખમે તે ખમતીધર. દુઃખ ખમવાનાં આવે- સંકટ સહન

કરવાનાં થાયતો એને તો, કવિ કલાપી કહે છે તેમ, જીવનનું એક લહાણું સમજવું જોઇએ.

ઉમાશંકરે પણ કહ્યું છે,જે સહી શકે છે તેજ ખરેખરું હસી શકે છે.વેઠે તેનો વટ-

વક્કર..ખાડાખૈયાવાળા-ઊબડખાબડ રસ્તે ચાલનારાને પછી લીસા સપાટ રસ્તે ચાલવામાં

દેખીતી રીતે જ કોઇ તકલીફ નહી જણાય. તકલીફ એ લોકોને થાય છે, જેમને સપાટ રસ્તો

છોડી પરિસ્થિતિ વશાત ઊબડખાબડ રસ્તે ચાલવાનું આવે છે. આપણાં સંતોએ તેથી જ યોગ્ય

રીતે દુઃખને જીવનમાં પ્રભુની પ્રસાદી-એનું વરદાન લેખીને આવકારવાનું કામ કર્યું છે. દુઃખને

માણસે પોતાના ખમીર અને ખુમારી બતાવવાની શુભ ઘડી માનવાની રહે છે. જયોત ઉપર

વહી જાય છે. એની પાછળ પાતળી ધૂમસેર ઉપર ચડતી રહે છે. તે પૂર્વે આત્મા બીજા કોઇ

શરીરમાં હોય છે અને આગળ નવા નવા શરીરો સાથેનું ભવિષ્ય ઊભુંજ હોય છે. એક

શરીરમાંથી બીજા શરીરમાં જવું તે સંસાર છે. શરીર દશામાંથી અશરીર દશામાં જવું તે મોક્ષ

છે. સંસાર સહજ થઇ ગયો છે. મોક્ષ અસહજ લાગે છે. આ અજ્ઞાન છે. સંસાર અને અજ્ઞાનની

જુગલબંદીમાં જીવ બરબાદ થઇ રહેલ છે. ગુરુ બોલે છે તો એમને એ રીતે બોલવાનો અધિકાર

છે.ગુરુ બોલ્યા તે ગુરુનું પરમજ્ઞાન.આપણને ન સમજાયું તે આપણું અજ્ઞાન. આ અધ્યાતમનું

પ્રારંભબિંદુ છે. અજ્ઞાનનું ભાન થવાથી અજ્ઞાનતો તૂટતું નથી પણ અભિમાન ભાંગી જાય છે.

અષ્ટપદીનો આનંદ અહીંથી પ્રકટે છે.ભકિતમાં સમય જાય છે તેમ હું નથી માનતો-આજ

સમય સફળ બને છે અને ભગવાનના જ પ્રભાવથી જ શકય છે.

અનુક્રમણિકા

વાર્તા નં :૧૧ બળથી નહીં પણ કળથી કામ થાય છે

આ વાર્તા મારા પૂ.રમણીકલાલકાકાએ કહેલ છે તેમનો ખુબજ આભાર. એક ગામમાંથી

એક મહારાજ સાહેબનો વિહાર હતો. ગામના બધા તેમને ગામના પાદર સુધી મુકવા જાય

છે- પછી મ.સા. ને કહે છે કે સામે બે રસ્તા છે તમો ડાબી બાજુના રસ્તાથી નહીં જતા ત્યાં

એક ભીલ રાક્ષસ જેવો છે - જે ત્યાંથી જાય છે તેને મારી ને લુંટી લે છે. મ.સા.કહેકે મને શું

ડરવાનું -ભગવાનની ઇચ્છા હશે તેમ થાશે. હું તો ડાબી બાજુએથી જ જઇશ.

મહારાજ સાહેબ ડાબી બાજુના રસ્તામાં વિહાર કરી ચાલવા લાગ્યા. થોડીવારમાં જ એક

ભીલ કદાવર અને મોટી મોટી મુછો - હાથમાં ભાલો લઇને સામે ઉભો રહી ગયો - મ.સા.

ને કહે છે ખબર નથી - આ જંગલ મારું છે- આ રસ્તામાં જે આવે તેને હું જાનથી મારી નાંખુ

છું એટલે હવે તમે પણ મરવા માટે તૈયાર થઇ જાવ. મ.સા. કહે કે ભાઇ તારામાં તાકાત તો

ખુબ જ લાગે છે- તું તો ખુબ જ શકિતશાળી છો. તારી બાજુમાં આ ઝાડ છે તેના પાંચ પાંદડા

તોડે તો તને માનું. ભીલ કહે છે-એમા શું- લો આ પાંચ પાંદડા તોડી નાંખુ છુ.ભીલે તો એક

સેકંડમાં પાંચ પાંદડા તોડીને મ.સા.ને આપ્યા. મ.સા. કે હવે હું માનું છું કે તું શકિતમાન છો-

પણ જો તું સાચો જ શકિતમાન હોય તો આ પાંચ પાંદડા પાછા ઝાડ પર જયાંથી તોડયા ત્યાં

પાછા લગાડી આપ. ભીલ તો મુંઝાય ગયો. તે કહે તોડી શકાય પણ પાછા કાંઇ લગાડી થોડા

શકાય. મ.સા. કહેછે કે હું તને કયારથી આ જ સમજાવું છું.તારે મારો જીવ લેવો સહેલો છે

પણ જીવ લીધા બાદ તું પાછો થોડો આપી શકીશ. જે ચીજ આપણે પાછી ન આપી શકીએ તે

લેવાનો આપણને હક્ક નથી. પછી તારી મરજી- મારો જીવ હવે લેવો હોય તો લઇ લે અમે

તો સાધુ મહારાજ - અમે તો બધું ત્યાગીને સંયમનો માર્ગ સ્વીકારેલ છે. તું મારું માન અને તું

પણ આ પાપનું કામ છોડી મારી સાથે સંયમ સ્વીકારી ભગવાનની ભકિતમાં જીવન વિતાવીશ

તો સુખી થઇશ. ભીલના હૃદયમાં વાત ઉતરી ગઇ. તે પણ મ.સા. સાથે તેમનો શીષ્ય બની

ધર્મના માર્ગે ચાલીને મોક્ષ ગતિ પામ્યો. આપણામાં બળ ન હોય પણ કળ હોય તો જીવનમાં

ગમે તે મુશ્કેલી આવે સામનો કરી શકાય. પ્રભુ! મને એવી નિર્મળ દ્રષ્ટિનો સ્વામી બનાવો કે

જેના બળે હું પાપોથી નિવૃત થઇને જ રહું.

હું શરીર નથી. હું શરીરમાં છું. હું આત્મા છું.આ બોધ ઉઘડી રહેલ છે.મેં આચરેલો ધર્મ મારા

આત્માને લાભાન્વિત કરી રહેલ છે. આ પ્રતીતી મનમાં જીવી રહી છે. ખૂબ ખુશી મળી રહી

છે. ધર્મ કરવો એક વાત છે. ધર્મમાં આનંદ પામવો બીજી વાત છે. ધર્મ નામના ફૂલમાંથી

આનંદની અઢળક સુવાસ નીકળવી જોઇએ. સુવાસ વિનાનું ફૂલ નકામું, આનંદ વિનાનો ધર્મ

નકામો. ધર્મનો આનંદ નક્કર છે,અઢળક છે અને એ આનંદ વહાલો લાગે છે.

હે પ્રભુ - મેરા મન હો સુંદર - વાણી હો સુંદર – જીવન સુંદર.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૨ જીભ નો ઘા

માતાપિતાની સાથે રહેતા ભાઇ-બહેન. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ. શરીર જુદા પણ આત્મા

જાણે એક ન હોય એવી લાગણી! ભાઇ-બહેનનો નિર્દોષ પ્રેમ. સમય જતાં ભાઇના લગ્ન

થયાં. પણ પાત્ર બરોબર ન હતું-આ સંસાર કાયમ માટે સુખમય હોય તો ભગવાનને કોઇ

માનત નહીં.. ચડતી-પડતી-તડકો-છાંયો–ઉદય-અસ્ત આ બધું સંસારમાં અનુભવાય છે.

ભાઇને ધંધામાં જબરી ખોટ આવી.. ખાવા પીવાનાં પણ સાંસા થઇ ગયા. તેવામાં પત્ની પણ

ઘર છોડીને ચાલી ગઇ. કાંચીડો રંગ બદલે તેમ તેનો રંગ બદલાઇ ગયો. હવે શું થયું-તેની

નજર તો તેના રૂપિયા પર હતી અને એક દિવસ બધું ઉઠાવીને પોતાના જુના પ્રેમી સાથે

ભાગી ગઇ. ભાઇને દુઃખ થયું પણ પછી મનને મનાવ્યું કે જે રકમ છે તેમાં કામ ચલાવીશું.

બેન માટે સાચવીને રાખેલ એટલે તેના કામમાં વાંધો આવવાની શકયતા ન હતી. એક વખત

માતાના પેટમાં ભયંકર પીડા-વેદના થઇ. એ દુઃખાવાની પીડામાં માતા ખલાસ થઇ ગઇ.

ભાઇ-બહેન અને પિતા શાંતિથી જીવન વિતાવી રહ્યા છે.એક દિવસ અચાનક બહેન ચીસ

પાડીને જાગી જાય છે. વેૈદ ઉપાય બતાવે છે કે જે રીતે કહું તેમ તેલ બનાવી છ મહિના

બહેનને માલીશ કરો.તેલ બનાવવામાં આવ્યું. તેલથી ભયંકર સહન ન થાય તેવી દુર્ગંધ આવે

છે. બહેનની માલિશ કરવાં કોઇ તૈયાર નથી.પિતાને દમની તકલીફ ને મોટી ઉંમર.. આ સમયે

ભાઇએ છ મહિના સુધી રોજના ત્રણ કલાક માલિશ કરી બહેનનું સ્વાસ્થ્ય સારું થઇ ગયું.

સમય જતાં ભાઇએ બહેન માટે યોગ્ય વરની શોધ કરી. લગ્નપ્રસંગની તૈયારી કરી. કરોડપતિ

ઘરનાં છોકરા સાથે સગપણ નક્કી થયું. ભાઇએ બહેનના લગ્ન કરી વિદાય આપી કરિયાવર

પણ ખુબજ સારો બહેનને કર્યો. થોડા સમય બાદ પિતા પણ આ દુનીયા છોડી ગયા. ભાઇ

બહેનને ખુબજ લાગણી હોય પંદર દિવસે પત્ર લખે. એકાદ મહિને મળી પણ આવે. ભાઇ-

બહેન બંને સુખી છે.ભાઇ એકવાર બહેનના ગામના પાદરે પહોંચે છે.બહેનને સંદેશો

મોકલ્યો.પણ બપોર થવા આવી,બહેન ન આવી.ભાઇને થયું કે બહેન ભુલી ગઇ હશે.

વિશ્વાસ એ સંસારનું બહું મોટુ તત્વ છે.ભાઇની પરિસ્થતિના સમાચાર બહેનને મળી ચુકયા

હતા. કે હવે ભાઇ ખાલી થઇ ગયા છે. ખાવાનું પણ ઠેકાણું નથી. બનેવી પાછલા બારણેથી

બહાર નીકળી ગયા. ઇન-આઉટ ની વ્યવસ્થા રૂપ આ સંસાર છે! વાળ અને દાઢી વધેલાં છે,

કપડાં મેલા છે. બહેન ભાઇને જોઇને કહે છે આટલો મોડો આવ્યોતો જમીને જ આવ્યો

હોઇશ. બહેને એક ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. થોડીવારે પાડોશી સહેલી આવી. બાંકડા

ઉપર બેઠેલા માણસને જોઇને પુછે છે કે આ કોણ આવ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં

સહુ ઇમેજ જાળવવા ટેવાયેલા છે.બહેન બોલે છે આ તો મારા બાપાના ઘરનો રસોઇયોે

આવ્યો છે. બહેનના મુખથી આવા વેણ સાંભળી ભાઇનું ંતર ચિરાઇ ગયું. કાતરની ધાર,

ચપ્પુની ધાર, મશીનની ધાર ઘસાય છે, પણ આ એક એવી ચીજ છે જેમ જેમ ઉંમર થાય તેમ

તેમ ધારદાર થઇ જાય છે. એ ચીજ એટલે જીભ. છરીના ઘા કરતાંય જીભના ઘા ભયંકર હોય

છે.ભાઇની નજર સામે બહેન સાથેની યાદો બાળપળથી માંડીને લગ્ન સુધીની તાજી થઇ.

આટલો પ્રેમ ધરાવતી બહેન માટે હું નોકર બની ગયો. બહેનપણી તો ચાલી ગઇ. બહેને

ભાઇને કહ્યું વહેલો અજવાળામાં ઘરે પહોંચી જજે. તું રોકાવવાનો થોડો છે? ભાઇ ઉભો થઇ

ચાલવા લાગ્યો ત્યારે બહેને ખાવામાટે સવારનો સૂકો બાજરાનો રોટલો થેલીમાં આપ્યો.

ગામ બહાર જઇ ભાઇ વિચારે છે-લોહીના સંબધો પૈસાના સંબધોથી તોલાતા હશે એની

આજે ખબર પડી હવે જીવીને શું કરું?જીવનનો અંત આણવા તૈયાર થાય છે.ધર્મ પામ્યો

હોયતો વૈરાગ્ય તરફ વળે અન્યથા આગમાં બળે. સુખનો સુરજ લાવવા સ્વયં સમજણ લાવવી

જ પડશે.જીવનનો અંત આણવા ભાઇ કૂવાની પાળે ચડયાં છે.તમાચાના માર કરતાં

તિરસ્કારનો માર ભયંકર છે. સંસારમાં એકબીજાનો તિરસ્કાર કરવાનું બંધ કરો. એ સમયે

ત્યાંથી સાધુઓનું વૃંદ વિહાર કરતા નીકળ્યુ.ભાઇ જરાક ઉભો રહે. અવાજની દિશામાં જોયુંતો

સાધુઓ. ધન્ય ભાગ્ય મારા! મુનિ દર્શન મળ્યા. ચોક્કસ સારું થશે. ગુરુદેવની વાત્સલ્યયુકત

વાણી સાંભળી મસ્તક ઝુકાવી ધ્રુસકે ધ્રુસકેે રડે છે. પોતાની આપવીતી સંભળાવે છે. ગુુરુદેવ

ઉદય અને અસ્તની વાત સમજાવે છે. શામ સુરજ કો ઢલના શિખાતી હૈ, ઠોકરે ઇન્સાન કો

ચલના શિખાતી હૈ.ભાઇ, તને લાગેલી ઠોકર જ તને મહાન બનાવશે.ગુરુદેવ કહેછે પાછો

બહેનનાં ગામે જા જયાં ઠોકર લાગે ત્યાં ખોદજે. મન માનતું નથી છતાં તહતિ કરી આશીષ

મેળવે છે. આ આજ્ઞા લઇ નીકળ્યોે.મહાપુરુષોની મહાનતા કેવી છે કે એકબીજાનું નામ પણ

પુછયું નથી. આગળ ચાલતાં રસ્તામાં ઠોકર વાગે છે. ગુરુજી ના વચનને યાદ કરી ત્યાં ખોદે

છે તો ત્યાં રત્નના નિધાન નીકળ્યા. નિધાન એક જગ્યાએ રાખી ધંધાની શરૂઆત કરે છે.૨-

૪ માસમાં કરોડોની સંપત્તિ મેળવી. હોંશીયારી અને વાકચાતુર્યથી રાજ દરબારમાં પણ ઊંચુ

સ્થાન મેળવી લીધું. રક્ષાબંધનનો દિવસ આવતા અચાનક બહેનની યાદ તાજી થઇ. રાજા

પાસેથી અનુજ્ઞા મેળવી હાથી-ઘોડા સાથે બહેનના ગામના પાદરે આવ્યો.નામઠામ અનુસારે

સૈનિકોએ બહેનના ઘરે જઇ આપનો ભાઇ આવ્યો છે એ મુજબ સમાચાર આપ્યા. રાજના

સૈનિકોને જોઇ બહેનના મનમા શંકા પડી કે નક્કી ભાઇએ કાંઇ ગરબડ કરી હશે. મારોતો

કોઇ ભાઇ નથી આજ જવાબ આપી દીધો. સૈનિકો પાછા આવ્યા. બીજા માણસોનેમોકલાવ્યા

આ જ ઘર છે. આજ બહેન છે. બહેન, તમને તમારો ભાઇ બોલાવે છે. બહેન કહે છે, મારો

કોઇ ભાઇ જ નથી. બહેન વિચારે છે કે ઘર બંધ કરી અહીંથી ચાલ્યા જવામાં જ સાર છે.

સૈનિકો આવીને ભાઇને સમાચાર આપે છે. ભાઇ વિચારે છે આ સંસારનો ત્રીજો ફટકો. સગી

બહેન નથી ઓળખતી તો હું તો તેને ઓળખું છું ને! ભાઇ બહેનના ઘર તરફ આગળ વધ્યો.

આ બાજું પાછલે દરવાજેથી બનેવી ઘરે પહોંચી જઇ કહેછે તારો ભાઇ હાથી ઉપર બેસી

ઠાઠમાઠથી તને મળવા આવે છે.જલદી આરતી તૈયાર કર.આરતી લઇ બહેન બારણે ઉભી રહી

ગઇ. ભાઇ આવતાં ઓવારણા લીધાં. આરતી ઉતારી - સુંવાળી રેશમની ગાદી પર બેસાડે છે.

જમવામાં વિવિધ પકવાનો તૈયાર કરે છે. ચાંદીની થાળી પીરસાઇ. ભાઇ! હવે જમવાનું શરૂ

કરો. ત્યારે ભાઇએ પોતાના દાગીના કાઢયા અને બાંસુદીમાં ઝબોળી કહ્યુંકે દાગીનાઓ તમે

જમો. બહેન કહેછે ભાઇ ગાંડાતો નથી થયા ને?ત્યારે ભાઇ કહેછે કે ના બહેન, હવે તો હું

ડાહયો થયો છું. આ મારું જમવાનું નથી. આતો શણગાર જોઇને પીરસવામાં આવ્યું છે. મારું

જમવાનુંતો આ છે.એમ કહી સુકો બાજરાનો રોટલો કાઢે છે. ત્યાં બહેન રડી પડેછે. ભાઇ

મનેે માફ કર. ધનના મોહમાં પાગલ બની ગઇ હતી. ભાઇ કહેછે બહેન રડ નહીં, જ્ઞાનીઓએ

કહેલ સંસાર સ્વરૂપ ને હું જાણી ગયો છું. તને સમજાવવા માટે જ આવ્યો છું. ભગવાન તને

સુખી રાખે. આમ કહી ભાઇ બહેનને ઘણાં રત્નો-આભૂષણો ભેંટ આપે છે. લોહીની સગાઇ

રૂપ આ નાતો છે. એક વાર બહેન તારી ઉપર ક્રોધ હતો. પણ હવે નિર્મળ બન્યો છું મને કોઇ

ઉપર દ્વેષ નથી. હવે હુંં મારા માર્ગે જઇશજીવનનો માર્ગ સ્તવનમાં. જૂઠા જગની જોઇ મેં

જૂઠી રીત રે,જૂઠી રીત રે.જૂઠી રીત રેજૂઠી મમતા.જૂઠી પ્રીત રે..જૂઠા મધપુડસ માંહે મધ

જયાં લગી છે. મધ જયાંંલગી છે.માખીના ફેરા બસ ત્યાં લગી છે બસ ત્યાં લગી છેમધ

ખૂટે મધમાખીની પુરી થઇ પ્રીત રેપુરી થઇ પ્રીત રેેમારું મરણ જયારે નજદીક આવે-સ્નેહી

સ્વજનને મતલબ રડાવે,મતલબ રડાવે,મારાં કરતાં વહાલું સૌને પોતપોતાનું હિત રેસૌને

પોતપોતાનું હિત રેસોેૈને પોતપોતાનું હિત રેભૌતિક સ્તરનાંં જેટલા પણ સુખ હોય

તેનાથી ધર્મનુ સુખ સાવ જુદું છે.ભૌૈતિક સુખનું વર્ણન ભાષા કરી શકે. અંતરંગ સુખનું

વર્ણન ભાષા ન કરી શકે.કબીરદાસજી કહે છે તેમ, દેખન સરિખી બાત હૈ, બોલન સરિખી

બાત નાહીં. માર્ગ પર ચાલવાનો આનંદ, પ્રભુકથિત આરાધના કરવાનો આનંદ છે. માર્ગ

વિકટ અને વિરાટ છે પણ આપનાર પ્રભુ છે તે બહુ મોટી વાત છે. માર્ગ, પ્રભુનો દીધેલો છે

તો ચાલવાની તાકાત પણ પ્રભુ દેશે. રેતીમાંથી તેલ પ્રગટાવવું મોટી વાત નથી. આ દેહમાં

પ્રભુને પ્રગટાવવા એ જ મોટી વાત છે. એમાજ જીવનની સફળતા છે. બીજાને સમાધિ

આપશું તો જ આપણને સમાધી મળશે.ધર્મની માટે વિચારવાથી સૌથી મોટો ફાયદો એ થાય

છે કે સંસાર માટે વિચારવાનું ઓછું થઇ જાય છે. વિચારમાંથી સંસારની જેટલી બાદબાકી

થાય છે તેટલો વિવેકભાવ જાગૃત થાય છે. વિચાર જેટલો સ્પષ્ટ-ગતિ તેટલી તીવ્ર.ધર્મ ક્રિયા

સમજપૂર્વક કરતાં હોઇએ તો એક લાગણી મનમાં સતત રહ્યા કરેઃ ‘મારો મોક્ષ નજીક આવી

રહ્યો છે.’ શરીર શત્રુ નથી. શરીર માધ્યમ છે. સંસાર ગમે તો શરીર સંસાર સાંધવાનુંમાધ્યમ.

ધર્મ ગમે તો શરીર ધર્મ સાધવાનું માધ્યમ. મળવા લાયક તો એકલો આત્મા શરીર વિનાનો

છે. તે હવે સમજાતું થયું છે. આપણે હવે શરીર વિના મળીશું. ક્ષમા રાખો ક્ષમા માંગો-ક્ષમા

આપો.ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.વેર થી વેર શમે નહિ જગમાં, પ્રેમ થી પ્રેમ વધે જીવનમાં.

વાર્તાઃઃ૧૩ વચન ની કીંમત

ચ્ર્ઢદ્રડડ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્મ ત્ત્ડદ્યડદ્ર ઠથ્ત્ર્ડ ટ્ઠટ્ટઠણૂઃ - ટ્ટદ્રદ્રથ્દ્વ ડ્ડદ્રથ્ત્ર્ ટ્ઠથ્દ્વ, ત્ટ્ટત્ત્ડ્ઢદ્ધટ્ટડ્ઢડ ડ્ડદ્રથ્ત્ર્ ત્ર્થ્દ્ધદ્દઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્મથ્દ્ધત્ ડ્ડદ્રથ્ત્ર્ ટ્ઠથ્ઠ્ઠધ્. ચ્ર્થ્ત્ત્ડ્ઢદ્ધડ ણ્દ્મ ટ્ટટ્ઠથ્દ્ધદ્દ દ્મણ્દૃ ણ્ત્ત્ઠઢડદ્મ , ટ્ઠદ્ધદ્દ ણ્દ્દ ઠટ્ટત્ત્ ઠ્ઠડડ્ડડટ્ટદ્દ દ્દઢડ ત્ર્ટ્ટત્ત્ થ્ડ્ડ દ્મણ્દૃ ડ્ડડડદ્દ.

માણસો વચનબદ્ય ન હોેય તેને અભી બોલા અભી ફોક જેવા વિશેષણો લાગે છે. ગંગા ગયે

ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ કહેવાય. જયારે મહાપુરૂષો જે બોલે છે તે પાળે છે. તે

એકજ વાર બોલે છે અને કરીને બતાડે છે. આપણે દિકરા-દિકરીને ઘણીવાર કહીયે છીએ કે

તારા જન્મ દિવસે સાયકલ અપાવીશ. પછી જન્મ દિવસના રોજ તમે બીજું કાંઇક લઇ આવો

છો - આવી રીતે વેપારમાં પણ ઘણીવાર કહીયે છે ઉઘરાણી કરનાર ને કે સોમવારે તમારો

ચેક મોકલશુ. પછીતો ઘણાં દિવસો નીકળી જાયતો પણ ચેક મોકલતાં નથી. આમ કરવાથી

બાળકો - વેપારીના મનમાં તમારી છાપ એમ પડી જાય કે આમની જબાનનોે કોઇ ભરોસો

નહીં . મારી વિનંતી છે કે જે બોલો તે પાળો તે કરી બતાઓ તો જ જીવનમાં આગળ આવશો.

સૂુર્યપૂુર્વનો પશ્ચિમમાં ઉગે એ કદાચ બને હજુ પણ શૂરવીર પુરુષો-મહાનપુરુષો-ઉત્તમપુરુષો

ગુણવાન આત્માઓ એક વાર બોલ્યા પછી કયારેય ફરતાં નથી.એમની જબાન કી કિંમત

ખુબજ હોતી થીજબાન દીયાસો દીયા- ફીર નફા યા નુકસાન સોચતે નહીં થે. લેકીન અપની

જબાન પર અડગ રહેતે થે આજ કે જૈસે નહીં.અભી બોલા અભી ફોક.વચનની કિંમત

સમજતા શીખજો. વાણી મળી છે તો એમજ પાણીના ધોધની જેમ વહાવતા નહીં. ઘી ની જેમ

સમજીને ઉચ્ચારજો. જો તમારાથી શકય ન હોય તેવા વેણ, તેવા વચનો કયારેય બોલવા

નહીં. બધી વાતે વિચાર્યા સમજયા વિના હા હા કરે જવી નહીં. ખોટી બડાશો કાંઇ હાંક હાંક

કરવી નહીં. વચનોના બણગા ફૂંકવા નહીં. હંમેશા જે બોલો તે પાળો.વચનનું કાયમ પાલન

કરવું.જબાનની કિંમત સમજશો તો જ જીવનમાં આગળ વધી શકશો અને તમારી સાખમાં

એમ કહેવાશેકે તેમણે કીધું એટલે પાકું જ તેમ કરશે. તથા કદી અપ્રિય વાણી ઉચ્ચારશો નહીં.

વાણીમાં બને તેટલી નમ્રતા-મીઠાશ-દયા-કરુણા-લાગણી રાખશોજી. તમારા કર્તવ્ય રૂપે સૌનુ

ભલું વિચારો અને ન્યાયનું કામ કર્મના નિયમને સોંપી દેવુ.ન્યાય કરવાવાળા આપણેકોણ ઉપર

પરમાત્મા છે તે કરશે.આપણી ગુજરાતી લોકભાષાના જેમ પ્રસિધ્ધ દુહામાં ગવાયું છે કેઃ

વા ફરે વાદળ ફરે,

ફરે નદીના પુર,

શુરા બોલ્યા ના ફરે,

ભલે પશ્ચિમ ઉગે સુર.

અંગ્રેજોના સમયની એક વાત આનાજ અનુસંધાનમાં જણાવું છું. સાચો કિસ્સો છે.

લક્ષ્મીપતસિંહ નામના જીયાજીગંજના શ્રાવક કલકત્તામાં અંગ્રેજની દુકાને જુદા જુદા કલરના

કાચના ભાવ પુછી રહ્યા હતાં. ટુંકી બંગાળી ધોતી અને ઉપર એક પાતળુ પહેરણ પહેર્યુ

હતુ. હાથમાં ધોતીયાનો છેડો પકડીને ઉભા હત્ાંાં. ઘણાં બધા ગ્લાસના ભાવ પુછતા પણ

કોઇ આઇટમ તેમણે હજી ખરીદી ન હતી. અંગ્રેજ દુકાનદારને થયું મનમાં કે આધાનંગા

જૈસા ખડા હૈ ઓર હરચીજકા દામ પુછકે સર ગરમ કરા હૈ. ઔર કુછ ખરીદના હૈ કી નહીં .

એણે ગુસ્સામાં કહી નાંખ્યુ, કે તું હમાલ જૈસા હર ચીજકા દામ પૂછ રહા હૈ તો કયા કાચ

ખરીદને કો આયા હૈ કી પુરી દુકાન ખરીદને કો આયા હૈ? લક્ષ્મીપતસિંહતો બહુ મોટી હસ્તી

હતી. તેમણે પણ બહુ ઠંડકથી જવાબ આપ્યો કે હર ચીજકા દામ બતાનેકા સમય નહીં હૈ તો

પુરી દુકાન કા ભાવ બતાદો- બોલો કયા ભાવ હૈ પુરી દુકાન કા? અંગ્રેજ વેપારીએ ગરમા

ગરમીમાં ઉતાવળે કહી નાંખ્યુ કે પુરી દુકાન કા ભાવ સાત લાખ રૂપીયા - બોલ હૈ તાકાત

ખરીદનેકી?શેઠશ્રીએ કમર પર બાંધેલા દશ લાખ રૂપીયા બાહર કાઢયા અને અંગ્રેજને કહ્યું ં

કે અભી જો આપ બોલે હો તો એ સાત લાખ ગીનલો.બાકી કી રકમ લૌટાદો ઔર નીકલ

જાઓ બહાર. હમને સારી દુકાન ખરીદ લી હૈ! અંગ્રેજ એક સેકંડનો પણ વિચાર કર્યા વિના

દુકાનમાંથી બહાર નીકળી ગયો અને કહેવા લાગ્યોકે તુમ તુમ્હારે વચન પર અડગ હો તો હું

પણ મારા વચન પર અડગ છું.તુમ ઇંડીયન હો તો મેં અંગ્રેજ હું.જાઓ આજસે એ દુકાન

તુમ્હારે હવાલે.અરસપરસના વચનોની આટલી મોટી કદર હતી. આ દુકાનમાં ૩૨ લાખના

કાચ છે તેમ સ્ટોક લેવાથી ખબર પડી. શેઠેતો માત્ર સાત લાખમાં લઇ લીધા. ઘરે જઇ

બંગલામાં લગાડવાનો વિચાર હતો પણ પૂજય માતુશ્રીએ કહ્યું કે વચનધર્મ ના પાલનથી

મળેલો માલ મહેલ કે બંગલામાં નહીં પણ દેરાસરમાં લગાડો. આ બધા કાચ કાટગોલાના

પ્રસિદ્ધ આદિનાથ ભગવાનના જિનાલયમાં લગાડવામાં આવ્યા. આજે પણ તે કાચમાંથી છ એ

ઋતુઓના સવાર-બપોર-સાંજની સંધ્યાઓમાં વિવિધ કલરો દેખાય છે. કલકત્તામાં દાદાવાડી

નામે પણ ઓળખાય છે.ઉદારતા તીજોરીમાંથી નહિં પણ હૃદયમાંથી પ્રગટે છે.દેહથી સંસાર

છૂટે તેનું નામ ત્યાગ. દિલથી સંસાર છૂટે તેનું નામ વૈરાગ્ય.

રઘુકુલ રીત સદા ચલી આર્ઇ,

પ્રાણ જાય પણ વચન ન જાય.

ભકિતમાં સમય જાય છે તેમ હું નથી માનતો

આજ સમય સફળ બને છે અને

ભગવાનના જ પ્રભાવથી જ શકય છે.

ગુણીજન વિશે પ્રિતી ધરું, નિર્ગુણ વિશે મધ્યસ્થતા,

આપત્તી હો સંપત્તિ હો, રાખું હૃદયમાં સ્વસ્થતા,

સુખમાં રહું વૈરાગ્યથી, દુઃખમાં રહું સમતા ધરી,

પ્રભુ આટલું ભવોભવ મને તું આપજે કરૂણા કરી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૪ પુરુષાર્થનું પરિણામ

જૂના જમાનાની વાત છે. એક રાજાને પ્રધાનમંત્રી નિયુકત કરવાની જરૂર ઉભી થઇ.

પ્રધાનમંત્રી કોને બનાવવા બાબત તે વિચારવા લાગ્યા. તેને એક ઉકેલ આવ્યો. ત્રણ વ્યકિત

પ્રધાનમંત્રી થવા ઇચ્છુક હતા.આ વાર્તા લખતાં લખતાં મનમાં સ્વ. વજુ કોટક લીખીત પુસ્તક

પ્રભાતનાં પુષ્પોની એક ખુબજ સુંદર વાત યાદ આવી છે તે તમના શબ્દોમાં જ લખું છુંઃઃ--

સાગર કિનારે જયારે હું નિરાશ થઇને હું એકલો બેઠો હતો ત્યારે તેમણે કહ્યુંઃવત્સ! તારા

જેવા આ દુનિયામાં ઘણાં છે કે જેઓ જીવનભર કિનારે બેસીને, સાગરના પટ પર આગળ

વધી રહેલા નાવિકોની ખોડખાંપણ જોયા કરે છે. તું પોકાર પાડે છે કે આવા તોફાનમાં

ઝુકાવનારા મૂર્ખા છે. પણ તને ભાન નથી કે મૂર્ખતો એ છે કે જે તોફાનથી ડરીને કિનારે બેસી

રહે છે.ધૂળના ઢેફામાં છુપાએલું સોનુંજો અગ્નિથી ડરવા માંડે તો તે કદીસુવર્ણ રૂપે બહાર

આવતું નથી. ધરતીના પેટમાં પડેલ બીજ કદી પણ એવા વિચાર નથી કરતું કે બહાર ટાઢ અને

તડકો સહન કરવા કરતાં અંદર પડયા રહેવું સારું. એ તો ધરતી ચીરીને બહાર આવે છે અને

ટાઢ તથા તડકામાંથી પોષણ મેળવીને તે વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે. કિનારે પડેલા પથ્થરોથી

ડરીને સાગરનાં મોજા કદી પાછા ફર્યા નથી. તેઓ જાણે છે કે પથ્થરો સાથે અફળાવવાથી

તેમના ટૂકડે ટૂકડા થઇ જશે. આમ છતાં પણ તેઓ ચોવીસે કલાક પથ્થરો સાથે માંથાં ઝીંકે છે

અને આખરે એમને રેતીમાં ફેરવી નાંખે છે. ખરું કહું તો મુશ્કેલીઓ, આફતો અને તોફાનો મેં

એટલા માટે જ પેદા કર્યા છે કે માણસને આગળ વધવાની પ્રેરણા મળે અને મને જાણવાનો તે

પ્રયત્ન કરે. શું તું એટલું પણ નથી જાણતો કે જયારે અગરબત્તી પોતાની જાતને બાળે છે ત્યારે

એેમાંથી પ્રગટ થતી સુવાસ મારાં ચરણો સુધી પહોંચે છે.પુરુષાર્થ એ ભાગ્યની તીજોરીની

ચાવી છે. રાજાએ સંબોધિત કરતાં કહ્યું, જુઓ! આ ત્રણ ઓરડા છે. ત્રણેય ઉમેદવાર અંદર

જશે.ત્યારબાદ ઓરડાનો દરવાજો બંધ કરી બહાર તાળું લગાવી દેવામાં આવશે. જે વ્યકિત

અંદર રહીને તાળું ખોલીને બહાર આવી જશે એને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. કેટલી

અસંભવ અને સમજણથી પર એવી વાત. અંદર બેઠેલી વ્યકિત બહારનું તાળું કઇ રીતે ખોલી

શકે? ત્રણેેય ઉમેદવાર અંદર ગયા અલગ અલગ ત્રણ ઓરડામાં. બહારથી તાળું લગાવી

દેવામાં આવ્યું. પ્રથમ વ્યકિત એ વિચાર્યુ અંદરથી તાળું ખોલવાનું શકય નથી. એ અંદર જ

બેસી રહ્યો. તેણ્ેા કોઇ પ્રયત્ન ન કર્યો. બીજી વ્યકિત ઊભી થઇ કહે છે આ અસંભવ શરત છે

એમ વિચારી ઓરડામાં જઇ બેસી ગયો.ત્રીજી વ્યકિતએ વિચાર્યું કે આ શરતમાં અવશ્ય કોઇને

કોઇ રહસ્ય હોવું જોઇએ. શરત રાખનાર કોઇ સામાન્ય માણસ નથી. રાજા છે. તે આગળ

વધ્યો. દરવાજો ખખડાવ્યો. થોડો ધક્કો લાગ્યોને દરવાજો ખૂલી ગયો. તાળું ખાલી એમજ

લગાવેલું. બહાર નીકળી ગયો. તેને પ્રધાનમંત્રી પદ મળી ગયું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૫ વસ્તુનું સાચું મૂલ્ય

એક ધનવાનને હીરા,માણેક વગેરે કિંમતી ઝવેરાત ખરીદવાનો બહુ શોક હતો, જે કોઇ

માણસ એને ત્યાં મહેમાન તરીકે આવે એને પોતાનું કિંમતી ઝવેરાત બતાવે. પેલો મહેમાન

એ ઝવેરાતના વખાણ કરે ત્યારે તેને ખૂબ જ આનંદ થતો.

એકવાર એને ત્યાં એક સંત પધાર્યા. એ સંતને પણ તેણે પોતાનો કીંંમતી ખજાનો બતાવ્યો.

સંતે હીરા, માણેક વગેરે જોઇને પેલા ધનવાનને પૂછયું, તમને આનાથી કશો ફાયદો થાય

છે ખરો? ધનવાન ગર્વભેર બોલ્યો, મહારાજ, એમાથી કશી ઊપજ થતી નથી. ઊલટું એ

કિંમતી વસ્તુઓ સાચવવા માટે મારે બીજો ખર્ચ કરવો પડે છે.

ધનવાન માણસને આ રીતે પોતાની બડાઇ હાંકતા જોઇને સંતે કહ્યું, આટલો બધો ખર્ચ

કરવાનું સાધારણ માણસને કદી ન પરવડે. તમે જરા મારી સાથે આવો. હું પણ તમને કશુંક

બતાવું.એમ કહીને સંત તેને એક ઝુંપડીમાં લઇ ગયા. ત્યાં એક વિધવા બાઇ ઘંટી પર

અનાજ દળી રહી હતી. એ બતાવી સાધુ બોલ્યા,આ ઘંટી પથ્થરની છે અને આ ગરીબ

બાઇને પોતાના ભરણપોષણ જેટલું રળી આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે તમારી પાસે જે

કિંમતી પથ્થરાઓ છે એ તો કશા ઉપયોગમાં આવવાને બદલે નકામો ખર્ચ વધારે છે, તેથી

તમારા એ નકામા પથરાઓ કરતાં વિદ્ધાનો આ પથ્થરને ઘણો કિંમતી ગણે કારણકે તે

વિધવાને આધારરૂપ નીવડે છે.સંતના આ વચનો સાંભળીને પેલા ધનવાનનું ગુમાન

ઊતરી ગયું.જેનું અન્ન ભ્રષ્ટ તેનું મન ભ્રષ્ટ - જેનું મન ભ્રષ્ટ તેનું જીવન ભ્રષ્ટ. જેનુ જીવન

ભ્રષ્ટ તેનું મરણ ભ્રષ્ટ. જેનું મરણ ભ્રષ્ટ તેનો પરલોક ભ્રષ્ટ. સુખ-દુઃખ, તડકો - છાંયો

જીવનમાં આવે અને જાય. સુખમાં છકી ન જવું. દુઃખમાં સમતા-હિંમત-સહનશીલતા રાખવી.

સુખ દુઃખની વાત તો મનુષ્ય લલાટે લખાવીને જ આવ્યો છે. કર્મ પ્રમાણે ભોગવવાજ પડે.

શબ્દો તણો વૈભવ નથી, ભાવોનો વૈભવ આપજો.

શકિત તણો વૈભવ નથી, ભકિતનો વૈભવ આપજો.

બુદ્ધિ તણો વૈભવ નથી, શ્રદ્વાનો વૈભવ આપજો.

વિજ્ઞાન તણો વૈભવ નથી, વૈરાગ્ય વૈભવ આપજો.

પ્રભુ ને પૂજે તે પૂજનીય બને.

પ્રભુ ને સ્તવે તે સ્તવનીય બને.

પ્રભુ ને નમે તે નમનીય બને.

અનુક્રમણિકા

વાર્તા નં :- ૧૬ હેર હીટલર

જર્મનીનો હેર હીટલર ઠંડીમાં થરથર ધ્રૂજી રહ્યો હતો. તે અકિંચન ખૂબ જ ગરીબ હતો, તેની

પાસે એક પણ પૈસો ન હતો. રસ્તામાં કચરો વીણીને માંડ ખાવાનું પુરુ થતું. ઠંડી ખૂબ હતી.

શરીર ઠંડીથી ધ્રુજતું હતું. ભિખારી જેવી દશામાં તેણે સ્વેટરની દુકાન ધરાવતા એક યહૂદી

પાસે માંગ્યું - આ ઠંડી મારાથી સહન નથી થતી એક ઓવરકોટ મને આપો. આ ઠંડીથી મારું

મોત થશે તેવું લાગે છે. ડીફેકટીવ ઓવરકોટ પણ ચાલશે. મહેરબાની કરો- દયા કરો - એમ

આ બાળક વિનંતી કરી ખુબ કરગર્યો - મારી પાસે પૈસા થશે એટલે સામેથી હું તમોને આપી

દઇશ. પણ પેલો યહૂદી દુકાનદારે વોચમેન પાસે ડંડો મરાવીને અપમાનીત કરીને હાંકી

કાઢયો-આ બાળક મોટો થયો ને હેર હીટલર તરીકે દેશનો વડો બન્યો. હીટલરના મનમાં

વેરની ગાંઠ યહૂદી માટે વસી ગઇ - શું યહૂદી આટલા ક્રુર–નિષ્ઠુુર અને પથ્થર દીલ છે જે

મરતાં માણસને એક કોટ પણ ન આપી શકે. મારું ચાલશેતો એક પણ યહૂદીને જીવતો નહીં

રહેવા દઉં. તેઓતો જમીનનો ભાર વધારે છે. તેણે વેર વસુલ કરવા ગેસ ચેમ્બરની યોજના

કરી હજારો યહૂદીઆને ભેગા કરી ગુંગળાવીને મારી નાંખ્યા. એક સાધારણ ઘટનાનું કેટલું

મોટું પરિણામ.એટલે લખુંછું કે જીવનમાં દયા-પરોપકાર-દાન કોઇકવાર કોઇક સારું કાર્ય

કરવાની તક મળેતો છોડવી નહીં..દુઃખને દૂૂર કરવા માટે સર્વ પ્રાણીઓ રાતદિવસ પ્રયત્ન કરે

છે. પણ દુઃખની પાછળ રહેલા પાપને દૂર કરવાનો પ્રયત્ન કોઇ વિરલ આત્માજ કરે છે. સંત

પાસે એક યુવાન આવ્યો. યુવાનનો પ્રશ્ન હતો.તમે ભગવાનની વાત ઘણી કરો છો, પણ

મારે એ ભગવાનને મળવું છે. જો ભગવાન હોય તો મને બતાવો. સંતે કહ્યુંઃ મારી પાછળ

પાછળ ચાલ્યો આવ. વહેતી ગામની બહાર નદીમાં સંતે પગ મૂકયો. યુવાન પણ સંતને

અનુસર્યો. નદીના મધ્યભાગમાં આવતાં જ સંતે યુવાનને બોચીથી પકડી નદીમાં ડૂબાડી દીધો.

પાંચ મિનિટમાં બહાર કાઢયો, અને સંત પાછા કિનારે આવી ગયા. યુવાન ધુંવાપૂવા થઇ

ગયો હતો. સંતે પૂછયુંઃ મેં જયારે તને નદીમાં ડૂબાડી દીધો ત્યારે તને શું વિચાર આવ્યો?

યુવાને ગુસ્સાથી કહ્યુંઃ બીજા શું વિચાર આવે? એક માત્ર જીવ બચાવવા માટે હું તડપતો

હતો. સંતે કહ્યું : જે દિવસે ભગવાનને મળવા માટે આવી તલપ પેદા થશે તે જ દિવસે તને

પરમાત્માનું મિલન થઇ જશે. ભકતને પ્રભુમિલન માટેની તડપન હોવી જોઇએ. હૃદયમાં દયા

અને કરૂણા રાખનારો શાંતિ અને શાતા પામે છે. વ્યવહારમાંનીતિમત્તાને, પ્રામાણિકતા

રાખનારો,જીવન સંતોષને પામે છે. વિચારોમાં વિશુદ્ધિ અને આચારમાં શુદ્ધિ પવિત્રતાને પામે

છે. બંધ મુઠ્ઠી કરતાં ખુલ્લા હાથ ઘણાં મિત્રો બનાવી શકે છે.

બધાયને મિત્ર નથી બનાવી શકતા?

દુશ્મન એકને પણ ન બનાવશો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૭ રીક્ષાવાળા ભાઇની વાત

અમદાવાદનાએ સુશ્રાવક - નામ વિનોદભાઇ - ચલાવે છે એ રિક્ષા. રાત્રિભોજન એ કરતા

નથી અને પ્રભુની પૂજા કર્યા વિના એ રહેતા નથી. સાધુ-સાધ્વીજી પ્રત્યેએમનો બહુમાનભાવ

ભારે પ્રશંસનીય છે તો પ્રવચન શ્રવણનો રસ એમનો અનુમોદનીય છે. પૂજયપાદ આચાર્ય

ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમના એક પ્રવચનમાં કહ્યું

હતું કે કોઇ પણ મુમુક્ષુની પત્રિકા આવેતો એ પત્રિકા વાંચીને એમનેમ મૂકી ન દેતા પણ એ

મુમુક્ષુનાએ પરાક્રમની અનુમોદના કરવા કાઇંક ને કાંઇક સત્કાર્યતો કરીને જ રહેજો.

આ વિનોદભાઇએ એ દિવસથી નક્કી કર્યું કે કોઇ પણ દેરાસરે કે ઉપાશ્રયે લાગેલ દીક્ષાની

પત્રિકા મારા વાંચવામાં આવશે અને એ દીક્ષાર્થી ભાઇ કે બહેનજો અમદાવાદના જ હશે તો

એમના ઘરે રિક્ષા લઇને હું પહોંચી જઇશ અને એમને વિનંતિ કરીશ કે અમદાવાદના કોઇ

પણ પાંચ દેરાસરે દર્શન કરવા મારી રિક્ષામાં બેસવાનો લાભ મને આપે. સાહેબજી છેલ્લે

જયારે વિનોદભાઇને મળ્યાં ત્યારે પુછયું કે રિક્ષામાં મુમુક્ષોને બેસાડવાનો લાભ મળે છે?

આજ સુધીમાં કેટલાં મુમુક્ષુઓનો લાભ મળ્યો. જવાબમાં વિનોદભાઇએ કહ્યુંકે અડસઠ

મુમુક્ષુઓનો. અને ઉર્મેયુ કે મારી ભાવના છે કમ સે કમ ૧૦૮ મુમુક્ષુઓ મને લાભ આપે.

હું પણ ધન્ય થઇ જાઉં અને મારી રિક્ષા પણ ધન્ય થઇ જાય! આટલું બોલતાં બોલતાં એમની

આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તમારી પાસે ગાડી છે કદી આવો વિચાર આવ્યો?

જીવનમાં ધર્મપ્રવૃત્તિની તકને શોધતા ફરજો. .જે બીજાના દુઃખે સુખી થાય તે શયતાન છે.,જે

બીજાના સુખે દુઃખી થાય તે હેવાન છે, જે બીજાના સુખે સુખી થાય તે ઇન્સાન છે, જયારે

જે બીજાના દુઃખે દુઃખી થાય તે ભગવાન છે. મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી

કીલો હોય છે. અને અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું પણ વજન અઢી કીલો જ હોય છે.

જીંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું. એમા ખીસુ ન હોય અને જીંદગીનું છેલ્લું કપડું કફન

એમાય ખીસુ ન હોય. તો વચગાળાના ખીસા માટે આટલી બધી ઉપાધી શા માટે? આટલી

બધી દોડધામ શા માટે?

બીજાનેે જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત.

બીજાને ઘન આપીએ તો આપણું ધન સુરક્ષિત.

બીજાને સુખ આપીએ તો આપણુંં સુખ સુરક્ષિત

બીજાને જીવન આપીએ તો આપણુ જીવન સુરક્ષિત.

જનમ પછી મરણ નિવારી નથી શકાતું પણ સુધારી જરૂર શકાય છે માટે

ધર્મ સ્વીકારી જીવન સુધારી લે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૮ સ્ટીમરમાં ધક્કો

સાગર ની સફરે નીકળેલા ચિન્ટુ, પિન્ટુ,મિન્ટુ અને રિન્કુ ઉભા હતા સ્ટીમરના તૂતક પાસે અને

અચાનક શું થયું, સ્ટીમરમાં બેઠેલા અન્ય યાત્રીઓમાંના કોક એક યાત્રીનો સાગરમાં

પડવાનો અવાજ સંભળાયો. બધાય તૂતક પાસે એકઠાતો થઇ ગયા પણ કોઇ કાંઇ સમજે એ

પહેલાતો ચિન્ટુને એ યાત્રી પાછળ સાગરના પાણીમાં ઝંપલાવતો સહુએ જોયો અને સહુના

શ્વાસ અદ્વર થઇ ગયા. સહુના મોઢામાંથી ચિન્ટુ માટે ધન્યવાદના શબ્દો નીકળી ગયા. અને

માત્ર વીસેક મીનીટનો સમય પસાર થયો અને પેલા પડી ગયેલા યાત્રી સાથે ચિન્ટુ છેક સ્ટીમર

પાસે આવી ગયો. તૂતક પાસે ઉભેલા સહુંએ દોરડું નાંખીને એ બંનેને ઉપર લઇ લીધા.

સાંજના સમયે સ્ટીમરપરના યાત્રીઓએ ચિન્ટુએ કરેલ આ ભવ્ય પરાક્રમ બદલ એનો

બહુમાન સંભારભ યોજયો. એ બહુમાન સંભારભમાં દરેક યાત્રીએ પ્રશંસાના શબ્દોનો ધોધ

વહાવ્યો. છેલ્લે સભારંભના અધ્યક્ષે ચિન્ટુને બે શબ્દો બોલવાની વિનંતિ કરી. ચિન્ટુ બોલવા

ઉભો થયો. જેવું માઇક એણે હાથમાં લીધું એ જોરથી બરાડી ઉઠયો - પહેલા મને એ જવાબ

આપો કે સ્ટીમરના તૂતક પરથી ધક્કો મારીને સાગરના પાણી પર ધકેલ્યો કોણે? હા, અપાત્ર

પાસે આગ્રહ કરીને જયારે પરોપકાર કરાવવામાં આવે છે ત્યારે આ કરૂણતા સર્જાય છે.

જે સંપત્તિ ઘરમાં આવ્યા બાદ સંતતિ સાથે નાતો તોડાવતી હોય, જે દોલત કુટુંબના દિલ

તોડવાનું કારણ બનતું હોય, જે શ્રીમંતાઇ સંતો સાથેનો નાતો તોડાવતી હોય, જે ધન ધર્મ

સાથેના સંબંધ તોડાવતું હોય - એ સંપત્તિ, એ દોલત, એ શ્રીમંતાઇ,એ ધન શું કામની?

હૈયે વસેલા નાથ ! તારી અજબ સુંદર મૂર્તિ

જોયાં કરું અનિમેષ નયને તોય તૃપ્તિ ના થતી,

વસવા મળે ભવોભવ મને બસ આપના ચરણો મહીં,

એથી વધું ઓ નાથ ! હું માંગુ બીજું કશું એ નહીં..

અણમોલ માનવના ભવે પંચાત મેં બીજી કરી

પલ પલ તૂટે છે આયખૂં એ વાત દિલમાં નવિ ધરી

વીતરાગના વચનો વિષે બેકાળજી બની રહ્યો

નરભવ મળ્યો મુજ દોહિલો, હારી ગયો !

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૧૯ ડોશી અને શેઠની કથા

સાલ સંવત ભલે ભૂંસાઇ ગયા હોય પણ એ વાત હજી જીવતી-જાગતી આજે પણ ઇતિહાસના

પાને સંઘરાયેલી પડી છે.એક રમણીય શહેર! શહેર વચ્ચે જ એક સુંદર બંગલો! બંગલામાં

રહે એક કરોડપતિ શેઠ! બંગલાની સામેજ એક નાનકડી મઢૂલી! મઢૂલીમાં કોઇ ન રહે,

સિવાય એક ઘરડાં ડોશી. આ ડોશી શ્રાવિકા હતી. શેઠને ત્યાં ધનના ઢેર! ઘર આંગણે

આવેલો કોઇ પાછો ન જાય , જે આવે તેને ખોબો ભરી ભરીને શેઠ સૌનેયા આપે. સવારના

શેઠ ઊઠે ત્યારે બંગલાની આગળ માણસોની લાઇન લાગી હોય! રોજ સવારના ઊઠીને કલાક

સુધી દાન કરવાનો શેઠનો કાર્યક્રમ! કલાકમાં તો શેઠ હજારો નહીં તો લાખો સોનૈયા વેરી દે.

ડોશીમાંને ઉઠવાનો પણ એ જ ટાઇમ! ડોશીમાં ઉઠીને સીધા મંદિરે જાય. દર્શન કરે, ગુરુવંદન

કરે ને ઘરે આવી સામાયિક લઇને બેસી જાય.શેઠનો દરરોજનો કાર્યક્રમ દાન દેવાનો.

ડોશીનો દરરોજનો કાર્યક્રમ સામાયિક કરવાનો. બંને એક બીજાને જુવે! બંને એકબીજાનાં

સાક્ષી .એક દિવસની વાત છે. કોણ જાણે શું બન્યું? ન શેઠ આખા દિવસમાં દાન દઇ શકયા,

ન ડોશીમા આખા દિવસમાં સામાયિક કરી શકયા! બંનેને કંઇ અંતરાય નડયો. પોતાનો

નિયમ તૂટયો તેથી બંનેના રંજ નો પાર ન રહ્યો.સાંજ પડી. બંને ભેગા થયાં ને ખૂબ પસ્તાવો

કરવા માંડયા. શેઠ કહેઃ હું દાન ન દઇ શકયો! ડોશી કહેઃહુ સામાયિક ન કરી શકી ! શેઠ

ને થયુંઃડોશી જબરી છે.મારા લાખ સોનૈેયાનાં દાન સાથે એની એક સામાયિકને સરખાવતાં

એને શરમ નથી આવતી?શેઠનો અભિમાનનો પારો સાતમે આસમાને ચડી પોકારી ઉઠયો,

અરે ડોકરી! તું વળી શીદને આટલો પસ્તાવો કરે છે? એક મુહપત્તિનો કકડો આમથી તેમ

ન ફેેરવ્યો એમા તારું શું જતું રહ્યું? એમા વળી કયો મોટો ધર્મ થઇ જવાનો હતોને પુણ્ય

બંધાઇ જવાનું હતું! પૈસાનો ખર્ચ નહીં ને બે ઘડી આરામનો આરામ ! એમા જ બધો ધર્મ

થઇ જતો હોત તો લાખો સોનૈેયાનું દાન કોઇ કરત જ નહીઁ .પોતાની સામે નહીં પણ

સામાયિક જેવા મહાનધર્મ સામે આક્ષેપ આવતાં ડોશી ઝાલ્યાં ન રહ્યાં. ડોશી કહે, શેઠ!

તમે દાનેશ્વરી -તમને પગે લાગીએ, પણ તમે મનમાં ફાવે તેમ બોલો એ તો સારું ન

કહેવાય. તમે સામાયિકના ફળને જાણતાં નથી એટલે આવું બોલો છો પણ ભગવાનતોકહે

છે,હીરાના ઘુમ્મટવાળું,સોનાની દીવાલોવાળું,મોતીના પગથિયાવાળું, મારું મંદિર કરાવો

અને જે પુણ્ય થાય તે કરતાં એક સાચી સામાયિકમાં વધુ પુણ્ય બંધાય! શું ભગવાન આવું

કહી ગયા એ ખોટું હશે?શેઠના દાનાભિમાનના ઉભા કરેલા મહેલમાં એક જબરદસ્ત

ધરતીકંપનો આંચકો આવ્યો!શેઠ કંઇપણ જવાબ આપ્યા વિના ચાલતા થયા. ડોશીમાં પોતાને

કામે લાગ્યાં.વર્ષો સુધી બંનેનો આ કાર્યક્રમ ચાલુ જ રહ્યો! બંનેના માથાના વાળ હવે ધોળા

થયા. માથે મોતના દૂતો આંટા મારવા લાગ્યા. પહેલા કોણ સપડાશે. એ કુદરતના ખોળે

ખેલાતો પ્રશ્ન હતો.એમા એક ગોઝારી રાત્રે બંગલામાં કરૂણ ચીસો સંભળાણી, ડોશીમાં

સફાળા જાગી ઉઠયાં. પૂછયું તો ખબર પડી કે શહેરમાં અનેક સખાવતો કરનાર, છૂટે હાથે

લક્ષ્મીનું દાન કરનાર કરોડપતિ શેઠ એકાએક મૃત્યુની પથારીમાં પડયા છે, એમની આ કરુણ

ચીસો સંભળાયછે!ડોશીમાં લાકડીના ટેકે બંગલાનું કમ્પાઉન્ડ વટાવી ઝડપભેર શેઠને

સહાનુભૂતિ બતાવવા ઉપર ચઢવા માંડયા,પણ એ પૂરાં પગથીયાં ન ચઢી શકયાંને શેઠનો

પ્રાણદીપ બુજાઇ ગયો. શેઠનું ખોળિયું એમને એમ રહ્યું. ને આર્તધ્યાનના પનારે પડેલો શેઠનો

આત્મા તિર્યંચગતિમાં હાથી બનીને ફરવા લાગ્યો. દાનનું અભિમાન,માનનીલાલસા,ધર્મક્રિયા

પ્રત્યે તુચ્છતા,આ ત્રણ પાપના શાપે બિચારા શેઠને કયાંય ધકેલી દીધા.

થોડાં વરસ વીત્યાંને ડોશીમાનો નંબર લાગ્યો. ડોશીમાના જીવનદીપમાં તેલ ખૂટવા માંડયું.

એ પણ મરણશય્યા પર પડયાં, પણ એમનું મોં હસતું હતું. એમના મોં પર જીવવાનો લોભ કે

મરવાનો ભય જરીએ દેખાતો ન હતો. દરરોજ બે ઘડી જગતથી જુદા પડી આત્માના

સાંનિધ્યમાં બેસવાની પાડેલી શુભ ટેવનું જ આ પરિણામ હતું.એક સમી સાંજે, એ દીવો પણ

બુઝાઇ ગયો. એ દીવાની બુઝાઇ ગયેલી આત્મજયોત તે જ નગરના રાજવીના રાજમહેલમાં

રાજપુત્રીના રૂપમાં ઝળહળી ઊઠી.. બે ઘડીના સામાયિકે સમતાભાવે ડોશીમાને રાજકુમારી

બનાવી દીધાં.

એક દિવસની વાત છે. રાજપુરુષો કોઇ સુંદર હાથીની શોધમાં વન-વન ભમી રહ્યા છે, એમા

એક હાથી એમની જાળમાં સપડાઇ જાય છે. એ હાથી બીજો કોઇ નહીં - એ જ નગરનો

કરોડપતિ શેઠ! રાજા હાથીને જોઇ ખુશ થઇ જાય છે ને પટહસ્તીનું બિરુદ આપે છે. પટહસ્તી

પર બેસી રાજા આખા નગરમાં ફરવા નીકળે છે. રાજપુત્રી પણ સાથે છે. રાજા જે રસ્તે જઇ

રહ્યા છે, એ જ રસ્તે શેઠની હવેલી અને ડોશીમાનું ઘર છે.

હાથી ધીરે ધીરે આગળ વધી રહ્યોે, ત્યાં જ હાથીની નજર હવેલી પર પડે છે. હવેલી પર નજર

પડતાં જ હાથીને પૂર્વજન્મનું સ્મરણ થાય છે ને એ જ ક્ષણે મૂર્ચ્છા ખાઇને પોતે ધરતી પર ઢળી

પડે છે. ચારે બાજુ હાહાકાર મચી જાય છે. કોઇપણ હિસાબે હાથી ઊભો થતો નથી. હવે

કરવું શું?એ વિચારમાં બધા ઉભા છે. ત્યાં તો બીજી અહૃઢ અવનવી ઘટના બની જાય છે.

રાજપુત્રીની આંખ પોતાના ઘર ઉપર પડે છે ને એકાએક એને પણ પૂર્વજન્મનું સ્મરણ થઇ

જાય છે અને મૂર્ચ્છા ખાઇને નીચે પડી જાય છે. ભાનમાં આવીને રાજપુત્રી બધું જ સમજી જાય

છે. તરત જ હાથી પાસે જઇ એને ઊભા કરવા પ્રયત્ન કરે છે. પણ એ શાનો ઊભો થાય? એ

તો બેભાન છે! તરત જ રાજપુત્રી મોટેથી કાનમાં કહે છે. શેઠ! ઊઠો. ભ્રમણાને દૂર કરો.

તમે દાનના પ્રભાવે પટહસ્તી બન્યા છો ત્યારે હું સામાયિકના પ્રતાપે રાજકુમારી બની છું.

કારણ દાન કરતાં સામાયિક વધુ કિંમતી છે.રાજકુમારીના બોલ કાને પડતાં જ હાથી ઊભો

થઇને ચાલવા માંડયો. બધાં જોતા જ રહ્યાં. એક રાજપુત્રીએ શો ચમત્કાર સજર્યો!

રાજકુમારીએ હાથીને તથા તમામ રાજયપરિવારને પોતાનો અને હાથીનો પૂર્વભવ કહી

સંભળાવ્યો. પૂર્વભવ સાંભળતાં જ હાથીને પોતાની ભૂલનું ભાન થયું - પ્રતિબોધ પામ્યો ને

એ દિવસથી પોતે હાથી છતાં દરરોજ સવાર-સાંજ બે સામાયિક ભાવથી કરવા લાગ્યો.

દરરોજ સવાર-સાંજ સામાયિક કરતી વખતે જમીન પર નીચી દ્રષ્ટિ રાખી રાજપુત્રીની સામે

એ બે ઘડી ઊભો રહેતો. સામાયિક પૂર્ણ થતાં રાજપુત્રીને માથું નમાવી એ ચાલ્યો જતો.

જીવનના છેડા સુધી એણે એનો આ નિયમ પાળ્યો. અંતે એ જ બેઘડીના બે સામાયિકે એને

આયુષ્ય પૂર્ણ થતા આઠમા સહસ્ત્રાર દેવલોકના દેવનું સ્થાન અપાવી દીધું. શાસ્ત્રના શબ્દોમાં

વિચારવા જઇએ તો માત્ર બેઘડીના એક સામાયિકથી બાણું ક્રોડ ઓગણસાઠ લાખ, પચ્ચીસ

હજાર નવસો પચ્ચીસ જેટલું પલ્યોપમનું દેવભવનું (અસંખ્ય વર્ષોનું) આયુષ્ય બંધાય છે.

બીજુ કાંઇ ન કરી શકો તો છેવટે જીવનમાં દરરોજ એક સામાયિક કરી બે ઘડી જગતની

તમામ ઝંઝાળોમાંથી મુકત થઇ મૌન પણે સમભાવે આત્માના સાનીધ્યમાં બેસવાની પ્રતિજ્ઞા

કરો તોપણ તેનો ઉદ્વાર થઇ જાય.

મારા મૃત્યુને, સ્વામી સુધારશો. (રાગ - જરા સામને તો આ)

મારું આયખું ખૂટે જે ઘડીેએ, ત્યારે મારા હૃદયમાં પધારજો,

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો , મારું આયખું ખૂટે.

જીવનનો ના કોઇ ભરોસો, દોડાદોડીના આ યુગમાં,

અંતરિયાળે જઇને પડું જોે ઓચિંતા મૃત્યુના મુખમાં,

ત્યારે મારા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો.

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

દર્દો વધ્યા છે આ દુનિયામાં મારે રિબાવી રિબાવીને,

એવી બીમારી જો મુજને સતાવેછેલ્લી પળોમાં રડાવીને ત્યારે મારી મદદમાં પધારજો,

પીડા સહેવાની શકિત વધારજો.

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

જીવવું થોડું ને ઝંઝાળ ઝાઝી, એવી સ્થિતિ છે સંસારની,

છુટવા ના દે છેલ્લી પળોમાં.ચિંતા મને જો પરિવારની,

ત્યારે દીપક તમે પ્રગટાવજોમારા મોહ તિમિરને હટાવજો,

છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે.

ઊંથ્ણ્ત્ત્ડ્ઢ ત્ર્થ્દ્રડ દ્દઢટ્ટત્ત્ ણ્દ્મ ડદૃથ્ર્ડઠદ્દડઠ્ઠ દ્દથ્ ત્ર્ટ્ટણૂડ ટ્ટત્ત્થ્દ્દઢડદ્ર’દ્મ ત્ણ્ડ્ડડ ટ્ટ ત્ણ્દ્દદ્દત્ડ ત્ર્થ્દ્રડ ટ્ઠડટ્ટદ્રટ્ટટ્ઠત્ડ

દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્ધદ્દદ્દડદ્રણ્ત્ત્ડ્ઢ ટ્ટ દ્મણ્ત્ત્ડ્ઢત્ડ ઠથ્ત્ર્થ્ર્ત્ટ્ટણ્ત્ત્દ્દ ત્ર્ડટ્ટત્ત્દ્મ ઠથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્.

ચ્ર્થ્ ણૂણ્ત્ત્ થ્દ્ર ઢદ્ધદ્રદ્દ ટ્ટત્ત્ધ્ ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ર્થ્દ્ધત્ત્દ્દદ્મ દ્દથ્ ણૂણ્ત્ત્ણ્ત્ત્ડ્ઢ થ્દ્ર ઢદ્ધદ્રદ્દણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ડ દ્મડત્ડ્ડ.

ઊથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્ દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ ણ્દ્મ ઠથ્ત્ર્થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્ દ્દથ્ થ્ત્ત્ડ’દ્મ થ્દ્વત્ત્ દ્મડત્ડ્ડ.

‘ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.‘

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૦ અમર ફળ

રાજાને અમર ફળ ભેંટમા આવ્યું તેણે પીંગલારાણીને ભેંટ આપ્યું. પીંગલારાણીએ અમરફળ

મહાવતને આપ્યું. ત્યારે મહાવતતે અમરફળ વેશ્યાને આપે છે આ ફળ તું ખાઇ લે-અમર બની

જઇશ. કહે છે કે તારા વગર મને નહી ચાલે માટે જ આ ફળ તને આપું છું. આના વગર મને

નહી ચાલે તે રાગ,બધા વગર ચાલે,ફાવે તે વૈરાગ્ય. વેશ્યા-મનમાં વિચારે છે કે હું અમર

બની જીંદગીભર પાપો જ કરવાની. તેના કરતાં કોઇક ધર્માત્માને આ ફળ આપું. આખા

નગરનો રાજા જ સૌથી વધુ ધર્માત્મા છે.ફળ લઇને રાજાને ભેંટ ધરે છે અને કહેછે આ

અમરફળ આપ ખાઇ લો. માણસ વાણીથી મપાય. સોનું કસોટીથી પરખાય. ફળ જોઇને રાજા

વિચારે છે કે મારાથી શરૂ થયેલું પાછું મારી પાસે આવ્યું. વિષયની વાસના છૂટે તોજ આત્મઘર

તરફ પગલાં પડે. પ્રભુ!કેવા મુરખ બન્યાં અમે? દુઃખમાંથી સુખમાં જવાના પ્રયત્નોતો અમે

જીવનભર કર્યા પણ સુખમાંથી આનંદમાં જવાની વાત તો અમે ભુલી જ ગયા. આશિષ આપો

અમને કે અમે આત્માના આનંદરસને શોષી કે ખતમ કરી નાંખે એવા એક પણ પ્રકારના

પરિબળને હૃદયમાં સ્થાન ન આપીએ કે ન જીવનમાં અપનાવી બેસીએ.

વ્હાલા મારા હૈયા માં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે

માયાનો છે કાદવ એવો, પગ તો ખૂંચી જાય ;

હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાંય. વ્હાલા મારા.

મરકટ જેવું મન અમારું જયાં ત્યાં કૂદકા ખાય;

મોહ મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા મારા..

દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય;

છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય, વ્હાલા મારા.

પુનિતનું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય;

સોંપી મેં તો તારા શરણમાં, જે થવું તે થાય. વ્હાલા મારા.

મા તે મા, બીજાં વગડાના વા.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૧ ખેમચંદ શેઠ

ખેમચંદ શેઠ દુકાનેથી થાકયા પાકયા ઘરે આવ્યાં. હજુ ઘરમાં પગ મૂકયો ન મૂકયો ત્યાં પત્નિ

તાડુકી- તમારાં ઘરડાં મા-બાપથી હું કંટાળી ગઇ છું. આખો દિવસ ઘરમાં કચ કચ કર્યા કરે

છે, તમો આખો દિવસ દુકાને હોવ, અહીંયા મા-બાપની કચ કચ મારે સહન કરવાની એ તે

વળી કેવુંઘરમાં હું તો હેરાન થઇ ગઇ છું. વળી તમારા મા-બાપ વારંવાર મારુ અપમાન કરે

છે. એટલુંજ નહીં વારંવાર શિખામણ આપ્યા કરે છે.એક કહેવત છે કે શિખામણ આપવી

ગમે પણ લેવી ન ગમે. પત્નિ વધુમાં જણાવે છે કે હું જાણે નાનું છોકરું ના હોઉ એ રીતે

શિખામણ આપે છે. જાણે મને કોઇ સમજણ જ ન પડતી હોય,સવારે મારા હાથમાંથી કાચનું

વાસણ પડી ગયું અને ફુટી ગયું.અને તમારી મા એ બોલવાનું ચાલુ કરી દીધું.બેટા વસ્તુ

સાચવીનેલો તો આવું ન બને.હવે કાચ સાફ કરી લે જે નહી તો કોઇના પગમા આવી જશે કે

કોઇને વાગી જશે તો લોહીલુહાણ થઇ જશે.તમે જ કહો કે તૂટેલી વસ્તુના કાચ હું કાંઇ એમ

જ પડયા રહેવા દઉ એવી છું? જરૂર હોય કે ના હોય શિખામણ આપ્યા જ કરે છે.ખેમચંદશેઠે

કહ્યુંકે,અરે મારી બા જેવીતો બીજી કોઇની બા નથી. પેલી રમીલાને તો તું ઓળખે છે ને.તેની

સાસું તો બોલે તો છે પણ જે હાથમાં આવે તે વસ્તુનો ઘા પણ કરે છે. મારી બા તો તને વહું

નહીં પણ દીકરી સમજીને પ્રેમથી કહે છે. તારા પ્રત્યે એને લેશ માત્ર દુર્ભાવ નથી, કેટલીય

વાર તારી ગેરહાજરીમાં મારી પાસે તારા વખાણ કરે છે. પત્નિ બોલી મારે આવું બધું કશુ જ

સાંભળવું નથી, હવે હું એમનાથી ત્રાસી ગઇ છું હવે કાં તો એ ઘરમાં નહી રહે, કાં તો હુંનહીં

રહું.પસંદગી તમારે કરવાની રહેશે,અરેમારા કોઇ સગા વહાલા કે બહેનપણીઓઆવે આવે

ત્યારે એ બુઢાઓ ત્યાં બેસેલા હોય,તો ઘરનું અને મારું કેટલુ ખરાબ લાગે? હવે તમને

ફરીથી કહું છું કે આવતીકાલથી આ ઘરમાં કાં તમારા બુઢા મા બાપ, કાં તો હું.ખેમચંદ શેઠે

પત્નિને ઘણું સમજાવી અને કહ્યું કે હાલ હું જે સ્તરે પહોંચ્યો છું આજે હું જે કાંઇ પણ છું તે

તો મારા બા-બાપુજીના કારણે છું.પણ પત્નિ કાંઇપણ હકીકત સાંભળવા કે સમજવા તૈયાર

નથી. ખેમચંદશેઠ બા-બાપુજીનું કહેલું કરવાને બદલે બાયડીએ કહેલું તુરંતજ કરતાં તેથી

છેવટે કંટાળી પત્નિને ખુશ કરવા ખેમચંદ શેઠે કહ્યું, તારી ઇચ્છા એવી જ હોયતો આવતીકાલે

બા-બાપુજીને કોઇ ઘરડાંઘરમાં મૂકી આવીશું. તેમ પતિએ કહેતા પોતાની ઇચ્છા પૂર્ણ થઇ

રહી છે તે જાણી ખુશખુશાલ થઇ ગઇ. સવારે પત્નિ ખેમચંદ શેઠને જમાડી રહેલ છે તે સમયે

પંખો નાંખતા પત્નિને બા-બપુજીને આજે ઘરડાંઘરમાં મૂકવા માટે જવાનુ છે એ વાત યાદ

કરાવી.ખેમચંદશેઠે કહ્યું કે તું જાણે છે કે જે ઘરમાં મા-બાપ નથી એ ઘર ઘર નથી.,પણ

સ્મશાન છે.તું અત્યારે મા-બાપને સાચવવા તૈયાર નથી પણ તને તારો ભાવી સમય જ

બતાવશે કે તારો નિર્ણય ખોટો છે.હમણાં તારી ઇચ્છા છે તો મા બાપને ઘરડાંઘરમાં મૂકી

આવીશું.બાજુના ઓરડામાં રહેલા માતા-પિતાએ દીકરાની તેમજ તેની વહુની વાતચીત

સાંભળી. દીકરાની વાત સાંભળીને મા બાપ થોડા ઉદાસ થઇ ગયા. ખેમચંદ શેઠે સાંજના

સમયમાં ઘરડાં ઘરમાં મૂકવા જવાનું નક્કી કયુર્ં. માતા-પિતા બપોરનો સમય હોઇ રોજનીશી

પ્રમાણે સમય થતાં સૂઇ ગયા.સાંજનો સમય થતાં દીકરાએ માતા-પિતાને ઘરડાંઘરમાં

મૂકવાનુ એકાદ બે દિવસમાં વિચાર્યુ છે. પરન્તુ અમારે અહીં આવવાનું છે તેતો ચાલીસ વર્ષ

પૂર્વે નક્કી થઇ ગયું હતું. દીકરો અને દીકરાની વહુ એકી સાથે બોલી ગયા કેમ પિતાજી

ચાલીસ વર્ષ પૂર્વે?પિતાજી બોલ્યા બેટા આજથી લગભગ ચાલીસ વર્ષ પૂર્વે તારી માની

વારંવાર વિનંતીથી તેની વિનંતીને માન આપી મારા બા-બાપુજીને અહીં મૂકવા આવેલ-એ

વખતે તું આ તારા સાથે રહેલ પુત્ર જેવડો હતો.મેં તારી માને સમજાવેલ કે બા-બાપુજીતો

પૂજય કહેવાય,એમનું અપમાન ન કરાય. કે એમને આવી રીતે ધકેલી ન મૂકાય,પણ એ સમયે

તારી બા ને સમજાવવા છતાં માનેલી નહીં ત્યારે મેં એને કહેલ કે તને સમય બતાવશે. આજે

એ સમય આવી ગયો છે.તારા પત્નિ ના કહેવાથી આજે તારા બા-બાપુજીને અહીં મૂકવા

આવ્યો છે. એવીજ રીતે તારો દીકરોમોટો થશે-એના લગ્ન થશે, ત્યારે એ એની પત્નિના

કહેવાથી તને અહીં મૂકવા આવશે, એક વાત ધ્યાનમાં રાખજે.આજ મારો વારો છે તો કાલે

તારો વારો આવશે. આજે જે મારા પર વીતી રહી છે. તો આવતીકાલે તારા પર વિતશે. જેવું

કરો તેવું પામો-જેવું વાવો તેવું લણો.

વારા પછી વારો,મારા પછી તારો

મુજ વીતી, તુજ વિતશે.

અંતરમાં છે એક ઝંખના, તારા જેવા બનવાની,

રાગી મટીને તારા જેવા, વિતરાગી બનવાની

પણ વિષય કષાયના, બંધનમાં બંંધાયો,

કરૂણા સાગર કરૂણા કરી, બંધન મુકત બનાવો.

રાગ દ્વેષ પર વિજય વર્યા છો, અમને વિજયી કરજો,

ભવસાગરને તરી ગયા છો અમને ભવપાર કરજો.

કેવળજ્ઞાન લહયું છે આપે, અમને જ્ઞાની કરજો.

સર્વ કર્મથી મુકત બન્યા છો, અમ બંધન ને હરજો.

એેક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે.

એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે.

રડવાના સો કારણો હાજર છે, તો હસવાના હજારો કારણો શોધી લો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૨ પેરાલીસીસ જમણાં ભાગમાં

શરીરના જમણાં ભાગમાં પેરાલીસીસ છે. ઘરે મહારાજ સાહેબના પગલા થયા - પૂછે છે કે

કોઇ તકલીફ? કાંઇ નથી - દિકરો ખવરાવે છે - બધા ધ્યાન રાખે છે. મારા અશુભકર્મો

ઉદયમાં આવ્યા છે એટલે એને શાંતિથી ભોગવવાનો દઢ નિર્ધાર છે જેથી નવા અશુભ કર્મો

બંધાતા અટકી જાય. પણ આંખમાં ખૂબજ આંસુ આવી ગયા. કેમ ભાઇ રોવો છો? મારી

પરમાત્માની પૂજા બંધ થઇ ગઇ છે એ મારાથી સહન થતું નથી - એ જિનની પૂજા વિનારે,

જન્મ ગુમાવ્યો ફોક સલુણા- આ પંકિત મારા મસ્તક પર સતત હથોડાની જેમ ઝીંકાઇ રહી

છે- આપને શું કહું? રોજ એ તારકની પૂજા કરતાં રહીને આટલા વર્ષોમાં મેં જે પ્રસન્નતા

અનુભવી છે–જે પુણ્યોપાર્જન કર્યું છે, જે સદગુણોનો ઉઘાડ કર્યો છે અને અવગુણોનાં

દોષોનો જે કડાકો બોલાવ્યો છે એ તમામનોે પૂજા બંધ થતાની સાથે જ પૂર્ણવિરામ મુકાઇ

ગયું છે. પાપના ઉદયે આવેલ દુઃખની મને વેદના નથી - પણ આ દુઃખે મારા પુણ્યોપાર્જન

પર પૂર્ણવિરામ મુકી દીધું છે એની મને વેદના છે. એટલે એક ફેરફાર થઇ શકે - ભગવાનને

વિનંતી જમણાં હાથનેા લકવો ડાબા હાથમાં આપી દે - આ પ્રશ્નનો જવાબ શું? કાંઇ કરી

શકાય નહીંંં. જીવનમાં એક માત્ર ધર્મ જ કરવો જોઇએ. જીંદગીમાં જેટલો ધર્મ થશે, તેટલી

જિંદગી સાર્થક, જેટલો ધર્મ ન કર્યો તેટલી જિંદગી નિરર્થક. એવું જીવન જીવવું કે જીવનજ

ખુદ ધર્મ બની જાય. માણસ સરળતાથી અને સહજતાથી વહેતો રહેતો - પ્રેમના પુષ્પો ખીલે.

જયાં અહંકાર ન હોય, જયાં રાગ ન હોય, જયાં દ્વે્રેષ ન હોય, જયાં લોભ ન હોય, જયાં

સ્વાર્થ ન હોય, જયાં લાલસા ન હોય, જયાં મમત્વ ન હોય, જયાં આસકિત ન હોય, જયાં

અસંતોષ ન હોય, જયાં અતૃપ્તી ન હોય,જયાં ક્રુરતા નથી,જયાં ક્રોધ નથી, જયાં દૂૂરાચાર

નથી,જયાં અવગુણ નથી, જયાં પરનીંદા નથી થતી,જયાં હીંસા નથી, જયાં કટુવચન-કટુવાણી

નથી - આવી સ્થિતિમાંતો મન-શરીર પ્રસન્નતાથી જીવન જીવે છે. એવું જીવન જીવો કે જયારે

તમે આ દુનીયાથી કાયમ માટે વિદાયલો ત્યારે ખુદ ભગવાનને પણ તમને આ જગતમાંથી

ઉઠાવતી વખતેે દુઃખ લાગે. પ્રભુ! કેવા મુરખ બન્યાં અમે? દુઃખમાંથી સુખમાં જવાના

પ્રયત્નોતો અમે જીવનભર કર્યા પણ સુખમાંથી આનંદમાં જવાની વાત તો અમે ભુલી જ

ગયા. આશિષ આપો અમને કે અમે આત્માના આનંદરસને શોષી કે ખતમ કરી નાંખે એવા

એક પણ પ્રકારના પરિબળને હૃદયમાં સ્થાન ન આપીએ કે ન જીવનમાં અપનાવી બેસીએ.

ભૂલનો બચાવ કરતાં

ભૂલની કબૂલાત કરી લેવામાં

બહુ ઓછો સમય લાગે છે.

પ્રભુમાં વિશ્વાસ અને જીવનમાં સુવાસ આજ સફળતાની ચાવી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૩ ક્રોધ ન કરવાની બાધા

માનવીને જીભ તો જન્મથી મળી જાય છે. પછી તેનો ઉપયોગ કેમ કરવો એ કળા મેળવતા

કયારેક આખી જિંદગી વીતી જતી હોય છે.માનવીની જીભ કરવતનું કામ કરે છે અને ફાનસનું

કામ પણ કરે છે, એ મારી પણ શકે છે અને તારી પણ શકે છે. ધારે તો ડુબાડી શકે છે

અનેઉગારી પણ શકે છે. વાણી કાતર પણ છે અને સોય પણ છે.વાણી એ અર્થ પણ છે અને

અર્નથ પણ છે. તકરારનું સાધન પણ છે અને સમાધાન પણ છે. માણસની પ્રગતિ કે

અવનતિનો તમામ આધાર જીભ છે. કહ્યું છે કે :-

મિત્ર પણ શત્રુ બને, જીભની એક વાતથી.

શત્રુ પણ મિત્ર બને, જીભની તાકાત થી.

આપણે કદાચ વાણીનું મૂલ્ય સમજયા જ નથી. એક શબ્દ સામી વ્યકિતને ઉત્સાહના શીખરો

પર લઇ જાય અને બીજો શબ્દ એને હતાશાની ખીણમાં ધકેલી દે.આ ઊંડાણને સમજવું

જરૂરી છે. શબ્દોનો સાચો અને સમર્થ ઉપયોગ થવો જોઇએ.

અને છેલ્લે આપણા શબ્દો કોઇકના હૃદયમાં આનંદની સ્થાપના કરે , પણ ઉથાપના તો કદીય

ન કરે ..એનાથી ઉત્તમ કોઇ પ્રાર્થના નથી.

ક્રોધની આગથી ક્ષમાના આંસુ બળવાન છે. ક્ષમા એજ શાંતી અને પ્રેમનો સૂત્ર મંત્ર છે. સ્નેહ

અને મૈત્રીની આધાર શીલા છે. જીવનની લાંબી યાત્રામાં ક્ષમા એજ નંદનવન છે.ક્રોધ માટે

ખુબ ખુબ લખાયેલ છે છતાં આપણે ક્રોધને કંટો્રલ કરી શકતા નથી. ક્રોધ માટે જેટલું લખીએ

એટલું ઓછું છે કારણકે ક્રોધનો પરિવાર મોટો છે. ક્રોધની એક લાડકી બેન છે જીદ.

જે હંમેશા ક્રોધની સાથે રહે છે. ક્રોધની પત્ની છે હિંસા. તે ક્રોધની પાછળ રહી છૂપાઇને કાર્ય

કરે છે. પરંતુ કયારેક અવાજ ગરમી (મગજની) જોઇ બહાર આવી જાય છે. ક્રોધનો

મોટોભાઇ છે અહંકાર જે ક્રોધને હંમેશા પ્રોત્સાહન આપે છે. ક્રોધનો પિતા પણ છે-જેનાથી

બધા ડરે છે એનું નામ ભય છે. નિંદા અને ચાડી-ચુગલી ક્રોધની દિકરીઓ છે - એક મોઢા

પાસે તો બીજી કાન પાસે રહે છે. ક્રોધનો એક વેર નામે દિકરો છે જેની યાદ શકિત ખુબ છે.

વેરની પત્ની ઇર્ષા છે જે આ પુરાં ખાનદાનની બદમિજાજી વહુ છે. આ પરિવારોની એક ધૃણા

નામે પૌત્રી છે. ધૃણા હંમેશા નાક પાસે જ રહે છે. એનુ મુખ્ય કામ નાક અને ભ્રમર

ચઢાવવાનું કામ હોય છે. ક્રોધની મા ઉપેક્ષા છે જેનું પરિવારમાં કાંઇ જ ચાલતું નથી.

કેટલાક માણસો એમ કહેતા ફરતા હોય છે કે આપણે તો કોઇના બાપનીય સાડીબારી

રાખતા નથી, જેવું હોય તેવું સામાને મોઢેમોઢ જ કહી દેવું. પછી પરિણામ ભલે ને ગમે તે

આવે. પુલ બની શકતા પથ્થરનો ઉપયોગ દીવાલ બનાવી દેવામાં કરી દેવો એ જો બેવકૂફી

છે, પ્રતિમા બની શકતા પથ્થરનો ઉપયોગ કોકનું માથું ફોડી નાંખવામાં કરી દેવો એ જો

ક્રૂરતા છે તો સંખ્યાબંધ મિત્રો બનાવી સકતા શબ્દોનો ઉપયોગ મિત્રોની સંખ્યામાં કડાકો

બોલાવી દેવા અને દુશ્મનોની સંખ્યામાં તેજી લાવવા કરતાં રહેવું એ તો નરી અક્કલહીનતા

જ છે. બચવું છે આ અપાયથી? તો બે કામ ખાસ કરો. વાંસણી જેવા બની જાઓ. વાંસણી

વાચાળ નથી હોતી, કોક બોલાવે છે તોજ બોલે છે. વાંસણી કડવું નથી બોલતી,મધુર જ

બોલે છે. અપનાવી લેશું આપણે વાંસણીના આ બે ગુણો?

ક્રોધ ,જો કાબુમાં તો આપણે સદા આબુમાં.

ક્ષમા જેવું કોઇ ઉત્તમ દાન નથી.

પોતાનામાં કાણાં પડવા દે છે તોજ વાંસ વાંસળી બની શકે છે.

માનવજીવન પણ એક બંધ કળી જેવું છે. એ જો પૂરેપૂરું ખીલી જાયતો એમાથી અપાર સૌંદર્ય

અને સુવાસ પ્રગટ થશે.પણ જો એ ખીલ્યા વગરનું રહી જાયતો એ એક દુર્ભાગ્ય છે.

ૠથ્દ્ર ડદ્યડદ્રધ્ દ્દડત્ત્ ત્ર્ણ્ત્ત્દ્ધદ્દડદ્મ ધ્થ્દ્ધ ટ્ટદ્રડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્, ધ્થ્દ્ધ ત્થ્થ્દ્મડ ૬૦૦ દ્મડઠથ્ત્ત્ઠ્ઠદ્મ થ્ડ્ડ ઢટ્ટથ્ર્થ્ર્ણ્ત્ત્ડદ્મદ્મ.

ઉ દ્મત્ર્ણ્ત્ડ ણ્દ્મ ટ્ટત્ત્ ણ્ત્ત્ડદૃથ્ર્ડત્ત્દ્મણ્દ્યડ દ્વટ્ટધ્ દ્દથ્ ણ્ત્ર્થ્ર્દ્રથ્દ્યડ ધ્થ્દ્ધદ્ર ત્થ્થ્ણૂદ્મ.

ક્રોધ જેવી બીજી કોઇ આગ નથી.. ક્રોધ એ નિર્બળતાની નિશાની છે, ક્ષમા વીરનું ભૂષણ છે.

ગુસ્સો કરવો હોય તો પોતાના ઉપર પહેલા કરો. ક્રોધ એક એવું તોફાન છે જે વિવેકને નષ્ટ

કરી નાંખે છે. સંબંધો પ્રેમથી બંધાય છે અને ગુસ્સાથી તૂટે છે. અંહકાર એ ક્રોધનો પિતા અને

ઇર્ષા એ ક્રોધની માતા છે. ક્રોધ પેટ્રોલ જેવો છે,કરનાર ખુદ બળે છે અને બીજાને પણ બાળે

છે.કામ અપેક્ષા કયારેય રાખશો નહીં. આવેશમાં આવશો નહીં. અધીરા કયારેય બનશો નહીં..

ત્રણેય દુઃખ આપનારા છે. કામ,ક્રોધ ભાન ભૂલાયે, માયા મમતા નાચ નચાવે.

ક્રોધ કો અગર પ્રેમમેેંં બહાદો, તો કૃષ્ણ બન જાઓગે!

ક્રોધ કો અગર ધ્યાનમેં બહાદો, તો બુદ્ધ બન જાઓગે!

ક્રોધ કો અગર કરૂણામેં બહાદો, તો મહાવીર બન જાઓગે!

ક્રોધ કો અગર ભકિતમેં બહાદો, તો ભગવાન બન જાઓગે!

ક્રોધ કરવો ખરાબ નથી ,જો તમો કર્મો પર, કષાયોં પર, વાસના પર ક્રોધ કરો અને પોતાના

ક્રોધ ઉપર પણ ક્રોધ કરો તો ક્ષમાના ફુલ ખીલશે. ક્રોધમાં પણ કેવળજ્ઞાન મળેલ છે.ઉજજયિની

નગરીમાં એકદા સાધુ સમુદાય સાથે પૂં.આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી પધાર્યા છે.કર્મયોગે

આચાર્યશ્રી શિષ્યોની સ્ખલના સહન કરી શકતા ન હતા આથી તેમને ઘણો સંતાપ થતો

અને ક્રોધી થઇ જતા. આ ક્રોધ એ પોતાનો મહાન દોષ છે તે એ બરાબર સમજતા અને

અન્યોનું હિત કરવા જતાં પોતે પોતાનું ચૂકી જવાય છે તેપણ સમજતા. આવા દોષના પ્રસંગો

વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂરના એકાંતભાગમાં પોતાના જપ-તપ તથા ધ્યાન

આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં બેઠા હતાં.

તે દિવસે ગામના પાંચ - સાત તોફાની યુવાનો મજાક-ઠેકડી કરતા ત્યાં આવી પહોંચ્યા. એક

બીજાની મશ્કરી કરતાં કરતાં એક યુવકે બીજા એક યુવક ભદ્રસેેનને દીક્ષા લેવાની વાત કરી.

બીજા યુવાનો હા હા મઝાની વાત-ભદ્રસેનતો આમે ભદ્રિક છે. વ્રત-તપ કરે છે. સાધુ સંતોની

ભકિત કરે છે. માટે તે સાધુ થઇ જાયતો સરસ. એમ એકબીજાની મશ્કરી કરતાં આ સાધુ

સમુદાય પાસે આવી ગયા અને કહ્યું સાહેબ, આ ભદ્રસેન દીક્ષાનો ભાવિક છે તેનું માથું મુંડી

નાંખો. આ સાંભળી બીજા યુવકો હા હા ખી ખી કરવા લાગ્યા. એટલે સાધુઓ સમજી ગયા

કે આ યુવાનો ફકત ટીખળ - મશ્કરીઓ કરવા આવ્યા છે. આમ વિચારી સાધુ સમુદાયે

આંગળી ચીંધી કહ્યું, ભાઇઓ! પણે અમારા ગુરુદેવ આચાર્યશ્રી બેઠા છે ત્યાં જાઓ અને

તેમને તમારી વાત જણાવો.

એટલે એ ટોળકી આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી પાસે આવી અને કહ્યું - મહારાજ આ અમારો

દોસ્ત ભદ્રસેનઃ એણે હમણાંજ લગ્ન કર્યા છે પણ સંસાર ઉપર મોહ નથી અને ભદ્રિક છે. તેને

આપ દીક્ષા આપો. બીજા મિત્રોએ હા હા કરતાં તાળીઓ પાડી સૂર પુરાવ્યો. આચાર્યશ્રી

સમજી ગયા કે, આ યુવકોની યુવાનીની આ મસ્તી - મજાક છે.

તેમણે ભદ્રસેેનને પૂછયું, બોલ ભાઇ, તારી શી ઇચ્છા છે? ભદ્રસેનેે મજાકમાં કહ્યું, હા

મહારાજ! વાત સાચી છે સંસારમાં કાંઇ સાર નથી . મને દીક્ષા આપી દો તો મારું કલ્યાણ

થશેને સુખપૂર્વક રહેવાશે.આચાર્યશ્રી આ લોકોની ટીખળ સમજી ગયા. પણ હવે આ યુવકોને

પાઠ શીખવવો જ જોઇએ એમ જાણી ભદ્રસેનને કહ્યું - અલ્યા ભાઇ, તારે દીક્ષા લેવી જ છે?

બરાબર સમજીને કહેછે ને? ફરી તો નહીં જાય ને? ભદ્રસેન હજુ પણ મજાકમાં કહે છે - ના

મહારાજ! ફરે એ બીજા! દીક્ષા લેવી છે. ચાલો આપો. હું તૈયાર છું. શ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી

એક બીજા યુવાનને બાજુમાં થોડેક દૂર પડેલ રાખ ભરેલી માટીની કુંડી પડી છેે તેને લાવવા

કહે છે. તે યુવાન લાવી આપે છે અને આચાર્ય ભદ્રસેેનના માથે ચોળી વાળનો લોચ કરી

નાંખે છે. આ આચાર્યશ્રી નો રોષ,તેમની મુખમુદ્રા જોઇ યુવાનોસ્તબ્ધ થઇ ગયા અરે આ તો

હસવામાંથી ખસવું થઇ ગયું એમ જાણી ભાગવા તૈયારી કરી અને ભદ્રસેેનને કહ્યું -ચાલ, હવે

ઘણું થયું.સાધુઓને સતાવવામાં સાર નહીં. ચાલ અમારી સાથે, દોડ અને ભાગી છૂટીએ.

પણ ભદ્રસેેન હવે ઘેર જવા ના પાડે છે. તેના હૃદયમાં નિર્મળ વિચારણા જાગેછે અને મનોમન

કહે છે - હવે હું ઘેર કેમ જાઉં? મેં મારી જાતેે પોતે જ માંગીને વ્રત સ્વીકાર્યુ છે. હવે નાશું તો

મારી ખાનદાની લાજે. મારું કુળ કલંકિત થાય. હવે તો વિધિપૂર્વક ગુરુ મહારાજ પાસે વ્રત લઇ

મારા આત્માનું કલ્યાણ સાધું! વગર પ્રયત્ને અનાયાસે આવો ઉત્તમ માર્ગ મને મળી ગયો.

મારું તો શ્રેય થઇ ગયું. આવી વિમળ વિચારના કરી તે આચાર્યશ્રીને વિનંતી કરે છેે કે

ભગવન આપે કૃપા કરી મને સંસારસાગરમાંથી તાર્યો. આપ વિધિપૂર્વક વ્રત આપી મને

કૃતાર્થ કરો. આપનો અનંત ઉપકાર મારા ઉપર છે.

ત્યારબાદ આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરીશ્વરજી તેને વિધિપૂર્વક વ્રત ઉચરાવે છે અને ભદ્રસેન હવે

ભદ્રસેનમુનિ બને છે.નૂતન દીક્ષિત હવે વિચારે છે કે,મારા મા-બાપ,સાસુ-સસરા,પત્ની વગેરે

ઉજજયિનીમાં છે તે બધાં અત્રે આવી મને દીક્ષામાંથી ખસેડી ઘરે લઇ જશે. પણ હવે કોઇ રીતે

મારે આ માર્ગ છોડવો નથી. એટલે ગુરુમહારાજને હાથ જોડી વિનંતી કરે છે - ભગવંત મારું

કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે

અને બળજબરીથી પણ અહીંથી લઇ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા

સાથે તાત્કાલિક તો વિહાર થઇ શકે નહીં પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું

જોઇએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલ્દી

કરો.આચાર્ય મહારાજ નૂતન દીક્ષિત મુનિને કહે છે, તારી વાત બરાબર છે. તું એકવાર જઇને

રસ્તો જોઇ આવ. અત્યારે સાંજ પડવા આવી છે. અંધારુ થઇ જશે તો રસ્તામાં તકલીફ ઉભી

થશે.માટે ભદ્રસેનમુનિ થોડે સુધી જઇ રસ્તો જોઇ આવે છે અને આચાર્યશ્રીને લઇને તે

સ્થાનકથી નીકળી જાય છે. ગુરુ મહારાજ વૃદ્ધ છે અને આંખે ઓછું દેખાય છે એટલે ભદ્રસેન

મુનિ તેમને ખભે બેસાડી ઉતાવળે ઉતાવળે વિહાર કરે છે પણ રસ્તો ખાડા ટેકરાવાળો હોઇ

ખભે બેઠેલા મહારાજને આંચકા આવે છે અને નૂતન દીક્ષિતને બરાબર ચાલવા તાકીદ કરે

છે.પણ અંધારુ વધતાં રસ્તાના ખાડા-ટેકરામાં પગ પડી જતાં ભદ્રસેન મુનિ કોઇક વાર

સમતોલપણું ગુમાવે છે આથી આચાર્ય મુનિ ક્રોધ કરી જોરથી પોતાનો દંડો નૂતન મુનિના

માથામાં મારે છે અને કહે છે તું દેખતો નથી - મારી આ વૃદ્વાવસ્થાએ તું મને આ રીતે દુઃખ

આપે છે. દંડાના પ્રહારથી અને લોચ તે દિવસે કર્યા હોવાથી નૂતન મુનિના ટાલિયા માથા

ઉપર લોહી આવવા માંડે છે. પણ એ અવસ્થામાં પણ નૂતન દીક્ષિત ભદ્રસેન મુનિ સમતા

રાખી વિચારે છે - ધિક્કાર છે મારા આત્માને, મે પૂજયશ્રીને પહેલાંજ દિવસે, ગુરુદેવને

અશાતા આપી. મારે ધીરે ધીરે સાવધ રહીને ચાલવું જોઇતું હતું. આવા ગુણરત્નના સાગર

જેવા ગુરુદેવને મેં રોષનું નિમિત્ત આપ્યું. તેઓનો કોઇ દોષ નથી.. ખરેખર હું દોષીત છું. આ

રીતે હૃદયની સરળતાથી ભદ્રિક એવા તે નૂતન મુનિ પોતાના દોષોને જોતાં શુભ ધ્યાને ચઢયા

અને ક્ષપક શ્રેણી પર પહોંચતા કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાની એવા ભદ્રસેેનમુનિ જ્ઞાનના

યોગે બધું જાણી શકે છે. હવે તે ગુરુ મહારાજ,જે ખભા ઉપર બેઠેલ છે તેમને જરાકે આંચકા

ન પહોંચે તે રીતે સીધા રસ્તે લઇ જઇ શકે છે. હવે આચાર્ય મહારાજ કહે છે કે હવે તું બરાબર

ઠેકાણે આવ્યો. સંસારમાં એવો નિયમ છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. દંડો પડયો

એટલે હવે કેવો સીધો થઇ ગયો!કેમ બરાબર છે ને? હવે સીધો ચાલવા માંડયો ને.નૂતન

દીક્ષિત કહે છે ભગવાન એ આપની કૃપાનુ ફળ છે. રસ્તો બરાબર જાણી શકાય છે, એ

આપશ્રીની અમી દ્રષ્ટિના યોગે જ્ઞાનથી જાણી શકાય છે. આ સાંભળી આચાર્યશ્રી આશ્ચર્ય

પામે છે અને વિચારે છે કે નૂતન દીક્ષિત કહે છે કે જ્ઞાનથી જાણી શકાય છે. તો તેને કયું જ્ઞાન

હશે? હવે થોડું થોડું અજવાળું થતાં ગુરુ મહારાજને શિષ્યના માથા પર લોહી નીકળેલ છે તે

દેખાય છે તેથી પૂછે છે-તને આ મારા દંડાના પ્રહારથી લોહી નથી નીકળયું ને?પણ ભદ્રસેેન

મૌન રહે છે.વળી આચાર્યશ્રી પૂછે છે કે તને સીધો રસ્તો જણાયો તે કયા જ્ઞાનના યોગે?

રસ્તામાં તને કોઇ સ્ખલનાતો નથી આવીને?વત્સ,શું હકીકત છે તે તું યર્થાથ જણાવ ભદ્રસેન

કહે છે, ભગવન! આપની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે.તેના યોગે હું માર્ગ જાણી શકયો છું.

આચાર્યશ્રી વધુ ચોખવટ કરવા શિષ્યને પૂછે છે, વત્સ! તે જ્ઞાન પ્રતિપાતિ કે અપ્રતિપાતિ?

ભદ્રસેનને કહે છે ભગવન - અપ્રતિપાતિ. આ સાંભળતાંજ આચાર્યશ્રી ખભા ઉપરથી ઉતરી

કેવળજ્ઞાની શિષ્યને ખમાવે છે. પોતાનાથી થઇ ગયેલા ક્રોધને કારણે જે અપરાધ થયો તે માટે

તેઓને તીવ્ર પાયશ્ચિત થાય છે. વિચારે છે, હા હું કેવો પાપી! આટઆટલા વર્ષોથી સંયમ,

તપ,સ્વાધ્યાય આદિની આરાધના કરવાં છતાં વાતવાતમાં ક્રોધને આધીન થઇ મને ઉગ્ર થઇ

જતાં વાર લાગતી નથી. આચાર્યના પદ પર આરૂઢ હોવા છતાં હું એટલી પણ ક્ષમા નથી રાખી

શકયો. મારો સંયમ,મારી આરાધના ખરેખર નિષ્ફળ ગયા. ખરેખર આ નૂતન દીક્ષિતને ધન્ય

છે, ગઇકાલે એણે સંયમ અંગીકાર કર્યો, તેનામાં કેવી અદભૂત ક્ષમા! કેવી અપ્રિતમ

સરળતા!અને કેવું એનું સમર્પણ ! હું હીનભાગ્ય છું, આ પુણ્યાત્માં તરી ગયા. હું પામ્યો,

છતાં ડુબી રહ્યો છું. આમ વિચારતાં અને કેવળજ્ઞાની નૂતન મૂનિને ખમાવતાં પોતાની જાતે

પોતાની લઘુતા અને સરળતાપૂર્વક નિંદા કરતાં- શુભ ધ્યાને ચઢતા આચાર્ય મહારાજ પણ

ક્ષપકશ્રેણી પર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામ્યા. આમ ગુરુ તથા શિષ્ય બંને તરી ગયા. ધન્ય

સરળતા! ધન્ય ક્ષમાપના! ક્રોધના પરિણામે કેવળજ્ઞાન પામવાનો આ એક જ દાખલો જૈન

ધર્મમાં છે.ક્રોધ ની એક કાકા કાકી ની પણ વાર્તા અહીં લખવી જરૂરી લાગે છેઃ

કાકા ઉમ્ર૭૪ કાકી ઉમ્ર ૭૧- લગભગ ત્રણસો વર્ષ પહેલાની વાત છે. પાલીતાણા થી ૩૦

માઇલ દૂર એક ગામમાં રહેતા હતાં. કાકા-કાકી ને ૯૯ કરવાનું મન થયું અને પ્રભુકૃપાથી

આ ઉમરે પણ ૯૯ જાત્રા કરી પણ કરી. તે વખતેે આર્ચા્ય મહારાજ તથા ત્યાંના સંઘે આ

કાકા-કાકી નું બહુમાન કર્યુ અને ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે તમારે એક વસ્તુ અહીં મુકીને

તમારા ગામે જવાનું છે - બોલો છે મંજુર? કાકા-કાકી વિચારમાં પડી ગયા કે શું મુકવાનું

છે? મહારાજ સાહેબે કહ્યું કે તમારો ક્રોધ અહીં મુકવાનો છે - હવે આ જ પછી - આ બાધા

લીધા બાદ ગમેતે થાય ક્રોધ કરવાનો નથી - બંને એ બાધા લઇ લીધી. પછી પોતાના ગામે

પાછા આવી ગયા. ત્યાં તેમના ભત્રીજાને ખબર પડી કે કાકા-કાકીએ બાધા ક્રોધ નહીં કરવો

તેમ લીધી છે એટલે તેને પરીક્ષા કરવાનું મન થયું. તે વખતે ગામમાં વીસેક ઘર જૈનોના હતા.

સ્વામી વાત્સલ્ય રખાયતો આજની જેમ દેરાસરના બોર્ડ પર લખવાની પ્રથા ન હતી. બધાના

ઘરે જઇ રૂબરુ વિનંતી કરાતી અને સાથે ચાંદીની વસ્તુ શકિત પ્રમાણે ભેંટ ધરાતી. ભત્રીજો

આખા ગામમાં જઇ રવિવારે મારા કાકા-કાકી એ ૯૯ જાત્રા કરી તેની ખુશાલીમાં સ્વામી

વાત્સલ્ય છે તો બધાને સહકુટુંબ પધારવા આમંત્રણ છે. પણ કાકા-કાકી ને કાંઇ કહ્યું નહીંં.

કાકી ને તો ગુસ્સો આવી ગયો કે જુવો આપણો ભત્રીજો. આપણે જાત્રા કરીતે નિમિત્તે

જમણવાર યોજે છે અને આપણને જ નિમંત્રણ નથી? કાકા કાકીને સમજાવે છે કે આપણે

તો ઘરનાં છીએ - અને આપણા લગ્નમાં આપણે કાંઇ કંકોત્રીની રાહ થોડી જોવાય -આપણે

તો જવાનું જ છે.રવિવારના દિવસે જમવાનાં સમયે કાકા-કાકી પણ પહોંચી ગયા. તે સમયે

આવેલા મેહમાન બધાના પગ યજમાન ધોવે અને આજની જેમ બુફે પ્રથા ન હતી .ત્યારેતો

જમીન પર બેસાડી પ્રેમથી જમાડવાનું થતું. ભત્રીજાએ કાકા-કાકીને જોયા પણ પગ

ધોવાનું કર્યુ નહીં. કાકાએ કાકીને કહ્યું કે ચાલો આપણે જમવા બેસી જઇએ. બંને જમવા

બેસી ગયા. હવે ભત્રીજો ચુરમાના લાડુ પીરસતો હતો - બધાની થાળીમાં લાડુ મુકે છે પણ

કાકા-કાકીની થાળીમાં પીરસતો નથી. ત્રણ ચાર ફેરા થયાં પણ કાકા-કાકીની થાળીમાં લાડુ

પીરસાણા નહીં. આખરે કાકાએ ભત્રીજાને બોલાવી લાડુ પીરસવાનું કહ્યું.ભત્રીજાએ લાડુ

પીરસ્યા પણ હાથમાં લીધાં તો પથ્થરના લાડું હતા.કાકીને ગુસ્સોઆવી ગયો અને કહે કાકાને

આનો જ ઘા કરી ભત્રીજાને મારવો જોઇએ. પણ કાકા સમજાવે છે કે ગુસ્સો ન કરવાની

બાધા લીધી છે તે ભુલવાનું નથી અને આ તો આપણી જ ભુલ છે કે આપણે બધાને જમાડી

પછી જ જમવા બેસવું પડે - બધાને પીરસવું જોઇએ - એટલે જ આપણી ભુલ બતાવવાં મારાં

ભત્રીજાએ પથ્થરનો લાડુ પીરસેલ છે. ભત્રીજો બધું સાંભળતો હતો - તરત જ કાકા-કાકીની

માફી માંગે છે અને કહે છે આપે ક્રોધ ન કરવાની બાધા લીધી તેની પરીક્ષા કરવા માટે મેં

આમ કરેલ છે. ટુંક માં ક્રોધ ન કરો તો ખુબ જ લાભ છે અને નવા કર્મો બંધાતા નથી . વાણી

પર સંયમ રાખો.જે બોલો તોલી તોલી ને બોલો - કોઇને દુખ થાય તેવું કદી ન બોલો.પ્રભુ

પ્રત્યે પ્રેમ અને સમર્પણ એજ સાચી પ્રાર્થના છે. રાગ- દ્વ્રેષ-અભિમાન એ મુખ્ય કર્મની ગ્રંથ

થાય. નિવૃતિ જેહથી તેજ મોક્ષ નો પંથ. વિનય જીવન વિકાસનું પ્રથમ સોપાન છે. વિનયશીલ

વ્યકિત જ ઉંચી બની શકે છે, ઉન્નત્તિ નિશ્ર્ચિત કરી શકે છે. કોઇ પણ આડંબર રહિત સાદી

દીક્ષા લેનાર હતાં -ચંપક મૂની.તેમના ગુરુજીનું નામ હતું વિનયચંદ્રજી મહારાજ.‘ગુરુદેવ,મારે

તો સાદી દીક્ષાજ જોઇએ છે?કોઇપણ જાતની ધાંધલ કે ધમાલ વિના,આડંબર રહિત,ચૂપચાપ

દીક્ષા મારે લેવી છે. વરઘોડા કે એવા ખર્ચાળ આડંબરો નથી કરવા ઇચ્છતો. નિરાંડબરી

દીક્ષાને ભગવતી દીક્ષા કહેવાય અને આવી જ દીક્ષા કલ્યાણ અને મંગલતાની દાતા બની શકે.

હું તો આત્માના મેલને ધોવા નીકળું છું. દીક્ષા મહોત્સવને નામે નવા રૂપે મલીનતા વધારવી

નથી .’ આજે આપણે કોઇ કાર્ય કરવું છે તો આવો વિચાર આપણને કેમ નથી આવતો?

જીવનમાં સાદગી હશે તો જ ઉચ્ચ વિચારોનો મનમાં પ્રવેશ થવો શકય છે. બાકી તો દંભ-

દેખાદેખી - થી તમો કદાચ લોકોને પ્રભાવિત કદાચ કરી શકશો - પણ તમારો મોક્ષ માર્ગ

તરફ જે પ્રયાણ નો પ્રયાસ તમે કર્યો તે તો ચુકી જ ગયા. તમારી ગાડી આડંબર ને લીધે પાટા

પરથી ઉતરી ગઇ છે. એટલે ધર્મમાં સાવચેતી ખૂબ જ રાખવાની છે. વાહ વાહ કરાવવા કે

નામ કમાવા ધર્મ નથી કરવાનો. સાચો ધર્મ તો તે જ કરી શકે જેને ઇચ્છા નથી નામનાની.

જેના મનમંદિરમાં જયણા - અહિંસા પ્રથમ સ્થાને છે.આપણે ધર્મ પુણ્ય કમાવવા માટે

કરવાનો છે. પુણ્યની બદલે પાપ - હિંસા ના માર્ગે કે વાહ વાહ -નામ કમાવાના માર્ગે ન

જઇએ - આડંબર -ખોટો ખર્ચો- ધર્મના નામે કર્મ ન બંધાય તે માં સાવચેતી રાખશું તો જ

પ્રભુની પાસે જઇ શકશું. ભગવાન તો વિતરાગ હતા - તો પછી આપણે રાગી બની ને કેવી

રીતે એની પાસે પહોંચી શકીએ કે એના જેવા કેવી રીતે બની શકીએ. સંસાર છોડો છો -ત્યાગ

ભાવના ઊંચી છે - તો પછી અહંકાર, - આડંબરથી હંમેશ દૂર રહેવાની ભાવના સતત

રાખશો તો જ પુણ્ય મળશે. ધર્મ માં પ્રથમ નમ્રતા - વિનય-વિવેક -સાદગી - જરૂરી છે. મારી

વિનંતી છે કે ધર્મમાં રાજનીતિ નું કે સ્વાર્થનું કોઇ સ્થાન નથી. ધર્મમાં દયાભાવ-કરૂણા ભાવ

જરૂરી છે. કોશીશ કરીએ ભગવાન ના જે ગુણો છે તે આપણામાં આવે. એક અંગ્રેજ લેખક

કહે છે કે તમે હસો છો ત્યારે માત્ર તમારા બે સ્નાયુઓ જ ખેંચાય છે, પણ ગુસ્સે થાઓ છો

ત્યારે પાંચ સ્નાયુ તંગ થાય છે.બાલાશંકર કંથારિયાએ એમની વિખ્યાત ગઝલ બોધ માં

ક્રોધને દુશ્મન ગણાવી આપણને એક સોનેરી સલાહ આપી છેઃ વસે છે ક્રોધ વેરી ચિત્તમાં,

તેને ત્યજી દેજે, ઘડી જાયે ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે. ક્રોધ એ ટૂંકા ગાળાનું ગાંડપણ

છે. ગાંડપણ જેમ માણસને ભાન ભુલાવી દે છે, વિવેકહીન અને અમાનુષી બનાવી દે છે,એમ

ક્રોધ પણ માણસને થોડા સમય માટે ગાંડપણની સ્થિતિમાં મુકી દે છે. ક્રોધ પર કાબૂ મેળવવા

માટે પહેલી શરત છે સહનશીલતા. જેનામાં સહી લેવાની શકિત છે, ગમ ખાવાની તાકાત છે

એ સહેલાઇથી ક્રોધપર કાબૂ મેળવી શકે છે. બીજી શરત છે ક્ષમાવૃત્તિ, જે ઉદાર હૈયે ક્ષમા

કરી શકે છે; કટ્ટર દુશ્મનને પણ માફ કરી શકે છે એ ક્રોધ પર સહેલાઇથી કાબૂ મેળવી શકે

છે. ઇસુને વધસ્થંભ પર ચડાવવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું હતુંઃ એ બીચારા શું કરી રહ્યા

છે, એનું એમને ભાન નથી, પ્રભુ એમને માફ કરજે. સદભાવથી કરવામાં આવેલી ઉપેક્ષા

પણ ક્રોધ પર કાબૂ મેળવવાનો ઉત્તમ માર્ગ છે. ગૌતમ બુદ્ધ નો શિષ્ય પૂર્ણ જયારે દક્ષિણમાં

ઉપદેશ આપવા જવા તૈયાર થયો ત્યારે બુદ્ધ ે એની કસોટી કરવા માટે એને પૂછયુંઃ ધારો કે

તારો ઉપદેશ સાંભળી લોકો તને ગાળો દેશે તો તું શું કરીશ? તો હું એમ માનીશ કે લોકો

એટલા સારા છે કે મને પથ્થરો મારતા નથી. પૂર્ણે કહ્યું.અને તને પથ્થર મારશે તો? એમ

માનીશ કે એ લોકો મને હથિયારથી મારતા નથી એટલા સારા છે. અને તને હથિયારથી

મારશે તો? તો હું માનીશ કે મને જાનથી મારી નાંખતા નથી એટલા એ લોકો સારા છે. અને

જાનથી મારી નાંખશે તો? તો ઉપદેશ આપતાં મળેલાં નિર્વાણને હું મારું ધનભાગ્ય

સમજીશ. ને બુદ્ધે પૂર્ણને જવાની રજા આપી. આ આદર્શ નજર સામે રાખીને જીવીએ તો

ગુસ્સા પર કાબૂ મેળવી શકાય. ઘણીવાર ગુસ્સે થવું આવશ્યક થઇ પડે છે. પણ એવા

ગુસ્સામાં વ્યકિતગત વેરવૃતિ કે ક્રોધ હોવોના જોઇએ. મહાપુરુષો આવો ગુસ્સો કરે છે ત્યારે

આપણે એને યોગ્ય રીતે જ પુણ્યપ્રકોપ કહીએ છીએ. પણ મહાપુરુષોના આવા પુણ્યપ્રકોપ

પાછળ સહૃદયતા અને કરુણા જ રહેલા હોય છે. એક વાર સાબરમતી આશ્રમમાં ગાંધીજીને

મળવા માટે મદ્રાસથી એક ભાઇ આવી ચડયા. એમનો પ્રશ્ન એટલો નાનો હતો કે ગાંધીજીને

એમ લાગ્યું કે આવા નાના કામ માટે એ ભાઇએે મદ્રાસથી ભાડું ખર્ચીને આવવું જોઇતું ન

હતું. પણ બળતામાં ઘી તો ત્યારે હોમાયું જયારે એણે પાછા ફરવા માટે ગાડીભાડાનાં પૈસા

ગાંધીજી પાસે માંગ્યા! ગાંધીજીએ કહ્યું કે આશ્રમના પૈસા એ જાહેર મિલ્કત છે. એનો હું

દુરૂપયોગ ના કરી શકું. તમારી પાસે ભાડુંના હોય તો તમે ચાલતા મદ્રાસ પાછા જાઓ.

અને એમ કહી મહાદેવભાઇને કહ્યું કે, તમે આ માણસને મદ્રાસ જવાનો રસ્તો બતાવી

આવો! મહાદેવભાઇ પાછા આવ્યા એટલે ગાંધીજીએ પૂછયુંઃ શું કર્યુ? એમને મદ્રાસની

ટિકિટ કઢાવી આપી અને થોડાં વાટ ખર્ચીના રોકડા રૂપિયા આપ્યા - એમ મહાદેવભાઇએ

કહ્યું. હું જાણતો હતો કે તમે એમ જ કરશો. એટલે તો મેં, તમને મૂકવા મોકલ્યા હતા.

ગાંધીજી બોલ્યા. પણ બધા માણસો કંઇ આવો પુણ્યપ્રકોપ કરી શકતા નથી. પ્રખ્યાત ગ્રીક

તત્વચિંતક એરિસ્ટોટલે લખ્યું છેઃ ઉત્ત્ધ્ટ્ઠથ્ઠ્ઠધ્ ઠટ્ટત્ત્ ટ્ઠડઠથ્ત્ર્ડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ડટ્ટદ્મધ્; ટ્ઠદ્ધદ્દ દ્દથ્ ટ્ઠડ

ઉત્ત્ધ્ટ્ઠથ્ઠ્ઠધ્ ઠટ્ટત્ત્ ટ્ઠડઠથ્ત્ર્ડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ડટ્ટદ્મધ્; ટ્ઠદ્ધદ્દ દ્દથ્ ટ્ઠડ ટ્ટત્ત્ડ્ઢદ્રધ્ દ્વણ્દ્દઢ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્, ટ્ટત્ત્ઠ્ઠ દ્દથ્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ ઠ્ઠડડ્ઢદ્રડડ, ટ્ટત્ત્ઠ્ઠ ટ્ટદ્દ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્દણ્ત્ર્ડ, ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ થ્ર્દ્ધદ્રથ્ર્થ્દ્મડ ટ્ટત્ત્ઠ્ઠ ણ્ત્ત્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્વટ્ટધ્ દ્દઢટ્ટદ્દ ણ્દ્મ ત્ત્થ્દ્દ દ્વણ્દ્દઢણ્ત્ત્ ડદ્યડદ્રધ્ટ્ઠથ્ઠ્ઠધ્ દ્મ થ્ર્થ્દ્વડદ્ર ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્મ ત્ત્થ્દ્દ ડટ્ટદ્મધ્

તેવો ઓડકાર જેવું અન્ન તેવું મન - વી..આર, વોટ વી ઇટ. જેવું જીવન તેવું મરણ- જેવું

મરણ તેવો પરલોક.સાવધાન! લમણે હાથ દઇને રોવાનો સમય આવે તે પહેલા મા-બાપની

કદર કરતાં શીખીએ, એમની આમન્યા પાળીએ, એમની ઇચ્છાને માન આપીએ, આપણા

જીવ ને કે આપણી ગર્લફેંડને રાજી રાખવાને બદલે એમના જીવને રાજી રાખીએ. એમની

આંતરડી ઠારીએ અને એમના અંતરના આશિષ ખોબે ખોબે ભરીને લઇએ. પછી આપણે

પણ ઇંદુલાલ ગાંધીની જેમ ગાઇએમાની આંખોમાં કેવી મમતા છે ને હૃદયમાં અનોખી

સમતા છે. માની છાયામાં એક તરણામાં વૃક્ષ થવાની ઉગી ક્ષમતા છે.

અર્હન્તો ભગવંત ઇન્દ્ર મહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતાઃ

આચાર્યો જિનશાસનોન્નતિકરાઃ પૂજયા ઉપાધ્યાયકાઃ

શ્રી સિદ્ધાન્ત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાઃ

પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં,

કુર્વન્તુ વો મંગલમ !

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૪ ર્સ્વગનો સ્ટોર

(ડો.આઇ. કે. વીજળીવાળા લીખીત પુસ્તક મોતીચારોમાં થી સાભાર)

વર્ષો પહેલાં જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો,

એ વખતે એક અદભૂત એવો મને અનુભવ થયેલો !

રોડના કાંઠે દુકાન પર લખ્યું’તું, સ્વર્ગનો સ્ટોર,

કુતહલપૂર્વક ત્યાં જઇને મેં ખખડાવ્યું’તું ડોર!

દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઇને આવ્યો!

સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો!

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો - સાંભળ ભાઇ!

જે કંઇ જોઇએ ભેગું કરીને લઇ આવજે તું આહીં!

કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો તું કરજે!

નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે!

પ્રથમ ઘોડામાંથી બેે ચાર પેકેટ ધીરજ લીધી.

પ્રેમ ને ડહાપણની સાથે મેં સમજણ પણ લઇ લીધી!

બેગ ભરી મેં શ્રદ્વા લીધી, માનવતા શેં વીસરું?

થયું કે થોડીક હિંમત લઇ લઉં, પછી જ બહાર નીસરું!

સંગીત,શાંતિ અને આનંદ સૌ ડિસ્કાઉન્ટ રેટે મળતાં,

પુરુષાર્થની ખરીદી પર મફત મળતી’તી સફળતા!

મુકિત મળતી હતી મફત, પ્રાર્થના પેકેટ સાથે.

લેવાય એટલી લઇ લીધી મેં વહેંચવા છુટ્ટે હાથે!

દયા કરુણા લઇ લીધી, મળતી’તી પડતર ભાવે

થયું કદીક જો પડયાં હશે તો કામ કોઇકને આવે!

ટોપલી મારી ભરાઇ ગઇ’તી જગ્યા રહી’તી થોડી,

રહેમ પ્રભુની મળતી’તી શી રીતે જાવું છોડી?

કાઉન્ટર પર પહોંચીને પૂછયું કેટલા પૈસા થયા?

ફિરસ્તાની આંખે પ્રેમનાં અશ્રુ આવી ગયા!

બોલ્યોઃ વહેંચજે સૌને આ, કરતો ના સહેજે ઢીલ,

ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ!

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૫ ડોકટર દિકરો - અને મા

ક્ગ્ર્ઊં ઊઉગ્ગ્ગ્ર્ચ્ર્ ઉંઋ ઋજ્ઋઙજીજકઋઙઋ ચ્ર્કઋઙઋૠગ્ર્ઙઋ કઋ ખ્ર્ઉઊંઋ ખ્ર્ગ્ર્ચ્ર્કઋઙચ્

માનવે ઇશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી, ઇશ્વરે માને મોકલી આપી.

ગોળ વિનાનો મોળો કંસાર-મા વિનાનો સૂનો સંસાર .ઇશ્વર સદેહે બધે પહોંચી શકે નહીં

માટે એણે માતાનું સર્જન કર્યું. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે,ઘોડે ચડતો બાપ

મરજો,પણ દળણાં દળતી મા ના મરશો. એમા પણ માતાપ્રત્યેની ભકિત જ પ્રતિબિંબિત થઇ

છે. આપણાં કવિ બોટાદકરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એપંકિતથી શરૂ થતા

ભાવવાહી ગીતમાં માતા પ્રત્યેનો પ્રેમ ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છેઃ

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,

તેથી મીઠી તો મારી માત રે,

જનની જોડ જગે નહીં જડે રે લોલ!

મા એટલે કોણ ? ભૂખ બાળકને લાગે અને તેનો એહસાસ જેને થાય તે માતા -ઠેસ બાળકને

લાગે અને જેને પીડા થાય તેનું નામ મા - બાળક છોડીને જાય અને છતાં તે કહે સુખી રહેજે

તેનું નામ મા . પ્રેમ ને સાકાર થવાનું મન થયુંને માનું સર્જન થયું. જેને કોઇ ઉપમા આપી ન

શકાય એનું નામ છે મા– જેના પ્રેમને કયારેય પાનખર ન નડે એનું નામ છે મા - આવી ત્રણ

મા છે - પરમાત્મા, મહાત્મા અને મા. આજે તું જે કાંઇ પણ છે તે તારી માના પ્રતાપે છે.

કેમકે તેણે તને જન્મ દીધો.મા એ તો દેવી છે. બચપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો

દેનારા ના બનતા - ૧ાા કીલો ની બ્રિફકેસ ૧ાા કલાક પકડીને ઉભા રહેતા તારો હાથ દુઃખી

જાય છે, તો તને નવ નવ મહીના માએ પેટમાં કેવી રીતે ઉંચકયો હશે - આટલુંતો વિચારજો.

નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો, મોટો થયોેને માની આંખડી ભીની રાખે છે-

અરે પુત્ર, શું તને મા ને ભીનાશ મા રાખવાની ટેવ પડી છે. મા પહેલા આંસુ આવતાને તું

યાદ આવતી - આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે. ઘર મોટા હોવાથી ભેગું નથી

રહેવાતું - મન મોટા હોયતો જ ભેગું રહેવાય છે. મા-બાપે આપેલો સાચો વારસો પૈસો નહીં

પણ પ્રમાણિકતા,પવિત્રતા,વાત્સલ્ય,સંસ્કાર,ચારિત્ર,વિવેક-નમ્રતા,દયા,કરુણા,પરોપકારની

ભાવના અને પ્રેમ છે. ભાગ માટે ભાંગજડ કરનારા દિકરાઓ મા-બાપને ત્યજવામાં ઉદાર બને

છે.ધર્મનો પહેલો પાયો છે માતાપિતાના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા.મા ને મૂકેતે માનવનો ભવ

ચૂકે. ગુરૂમા ને મૂકે તે મોક્ષ માર્ગ ચૂકે.મા-બાપ સાથે પાડે જે વાંધા, સદગતિ ના કરી ન શકે

તે સાંધા.શેતાનનો સંગ,જીવન સળગાવે છે.સંતોનો સંગ જીવન શણગારે છે.સંસાર છે

શેરડીનો સાંઠો એમા દુઃખ કેરી ગાંઠો.વીતી ગયેલી ગઇકાલ તમો પાછી નહી લાવી

શકો,આવતીકાલમાં પહોંચવું હજી તમારા હાથમાં છે.સાચી ચમક દેહની સુંદરતામાં નહીંં,

પણ દેહથી થતા સત્કાર્યોમાં છે.દાળ બગડતા દિવસ, અથાણું બગડતા વર્ષ, બાયડી બગડતા

ભવ અને કુગુરુ મળતાં અનંતા ભવો બગડે છે.મા એ તમારા માટે શું કર્યું એ જોવું હોય તો

તમને એક ભલામણ ખાસ કરું છું કે દેરાસરોમાં ભલે રોજ જજો પણ કયારેય મહિનામાં

એકાદ દિવસ કોઇક અનાથાશ્રમમાં પણ જરૂર જજો.ત્યાં તમારા જેવા બે હાથ-પગવાળા

બાળકોને જોજો. એમની મા કોણ છે એમની એમને ખબર નથી,એમનો બાપ કોણ છે એની

પણ એને ખબર નથી. તમેતો પુણ્યશાળી છો કે તમો તમારા માતાપિતા સાથે છો જે તમારું

બધું ધ્યાન રાખે છે. જેણે મા-બાપની સેવા કરી તેને માટે સ્વર્ગનુંં તોરણદ્વાર ખુલી ગયું.

બચપણમાં જે દિકરાને મા - બાપે બોલતા શીખવાડયું હતું એજ દિકરા, ઘડપણમાં મા-બાપ

ને ચૂપ રહેતાં શીખવાડે છે.પિતા માટેતો દિકરી મારી વહાલનો દરિયો અને દિકરો મારું

વટવૃક્ષ હોય છે. જે માએ તારા માડે ખાટું-ખારું ખાવાનું છોડયું હતું. કડવા ઓસડીયા પીધા

હતાં. એ માનું મન ખાટું ન કરતો. એનું જીવન ખારું ન કરતો ને એને કદી કડવા વચન ના

કહેતો, કમસે કમ આટલું તો કરજે જ કરજે. જે દિવસે મા બાપ તમારાં કારણે રડે છે, ત્યારે

તમારો કરેલ ધર્મ એ આંસુમાં વહી જાય છે. મા-બાપ ને સોને ન મઢાય તો ચાલે, હીરે ન

ઝડાય તો ચાલે, પણ એની આંતરડીતો ના જ કકળાવાય. જે દિકરાના જન્મ વખતે મા-બાપે

પેંડા વહેંચ્યા એ જ દિકરાઓએ મોટા થઇ ને મા-બાપને વહેંચ્યા આ તે કેવી કરુણતા. મા અને

ક્ષમા બન્ને એક છે કેમકે માફી આપવામા બન્ને નેક છે. ૪ વર્ષનો તારો બાબલો જો તારા

પ્રેમ ને ઇચ્છે છે તો ૬૦ વર્ષના તારા મા-બાપ તારો પ્રેમ કેમ ન ઝંખે? ઘરની મા ને રડાવે ને

મંદીરની મા ને ચુંદડી ઓઢાડે.યાદ રાખજે .મંદીરની મા તારા પર ખુશ નહીં થાય, કદાચ

થશે તો ખફા જરુર થશે. પેટમાં પાંચ દિકરા જેને ભારે નોતા પડયા,એ મા પાંચ ફલેટમાં પણ

ભારે પડે છે.કબુતરને જુવાર નાંખનારો જુવાન જો ઘરડા મા-બાપને જાળવે નહીં તો,એની

જુવારમાં ભલીવાર નથી .. બચપણમાં જેણે તમને પાળ્યા, એનાં ઘડપણમાં હૈયા બાળ્યા?

યાદ રાખજો તમારા ભાગ્ય પરવાર્યા. ઘરમાં ઘરડા મા-બાપને સાચવે નહીં,ને ઘરડાંઘરમાં દાન

(ડોનેશન) તથા જીવદયામાં રુપીયા લખાવે તેને જીવદયા પ્રેમી કહેવો કે જીવદયાનું અપમાન

કહેવું. તેે જયારે ધરતી પર પહેલોશ્વાસ લીધો, ત્યારે તારા માતપિતા તારી પાસે હતા,માત-

પિતા છેલ્લો શ્વાસ લે ત્યારેતું એમની પાસે રહીશને? જરૂર રહેજે. પત્ની પસંદગીથી બનતો

સંબંધ છે - મા-બાપ પુણ્યથી પ્રાપ્ત થાય છે. પસંદગીથી બનતા સબંધોે માટે પુણ્યથી પ્રાપ્ત

થતો નાતો તોડાય નહીં..જે પરિવારમાં વહુને દીકરી જેટલોજ પ્રેમ અને સન્માન મળે છે તે વહુ

પરિવારને મજબૂત બનાવીને એકસૂત્રે તાંતણે બાંધે છે. હયાત માતા-પિતાની છત્રછાયામાં

વ્હાલપના બે વેણ બોલીને નીરખી લેજો.હોઠ અર્ધ બીડાય ગયા પછી - ગંગાજળ મુકી ને શું

કરશો? અંતરના આર્શીવાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેંટી લેજો. હયાતિ ન હોય

ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો.કાળની થપાટ વાગશે. અલવિદા એ થઇ

જશે. પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે... લાખ કરશો ઉપાય તો એ વાત્સલ્ય

લહાવો નહીં મળે. પછી દિવાનખંડમાં તસ્વીર મુકી ને શું કરશો.માતા-પિતાનો ખજાનો

ભાગ્યશાળી સંતાનને મળે. અડસઠ તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થના ફરશો.સ્નેહની ભરતી

આવીને ચાલી જશે પળમાં, પછી કીનારે છીપલાં વીણી ને શું કરશો. હયાત હોય ત્યારે હૈયું

તેનું ઠારજો, પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.પંચભુતમાં ભળી ગયા પછી આ

દેહના અસ્થિને ગંગામા પધરાવીને શું કરશો. શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને કયારેક તીર્થ સાથે ફરજો. મા બાપ બે વખત રડે - દિકરી ઘર છોડે ત્યારે

અને દિકરાઓ તરછોડે ત્યારે - પરંતુ મા એ તો જીંદગી ભર રડવાનું જ હોય– છોકરા નાના

હોય ત્યારે-અને છોકરાઓ જમે નહીં એટલે મા રડે - અને એજ છોકરાઓ મોટા થઇ માને

જમાડે નહીં એટલે મા રડે. માતૃદેવોભવ, પિતૃદેવોભવ સનાતન સત્ય છે, પછી રામનામ સત્ય

છે બોલીને શું કરશો.એક વાત યાદ આવે છે. એક કુટુંબ હતું. સુખી હતું. ઘરમાં મા-દિકરો

બેજ હતા. દિકરો મોટો થયો એના લગ્ન નક્કી થયા. વહુ આવી ગઇ. વખત જતા તેને પણ

એક દિકરો જન્મયો. પણ હવે વહુને સાસુ ગમતી નથી. તેને ઘરના છેવટના રુમમાં મોકલી

આપે છે અને ઘરનાં બધા જમી લે પછી વધેલું એક માટીના વાસણમાં ખાવાનું આપે.

સાસુમાં સમજી ગયા હવે દીકરો પણ તેને ભૂલી ગયો છે. આ વાતને સાત-આઠ વર્ષ થઇ

ગયા. પૌત્ર મોટો થઇ ગયો. હવે સાસુમાં જમી ને જે માટીના વાસણમાં ખાતા હતા - તે આ

નાનો બાળક ધોઇને પોતાના રુમ માં સાચવીને મુકવા લાગ્યો. એક દિવસ તેની માં એ આ

જોયું એટલે પૂછયું તું શા માટે આ માટીના વાસણ ભેગા કરે છે? દિકરાએ જવાબ આપ્યો -

મા હું મોટો થઇશ- મારા પણ લગ્ન થાશે - ત્યારે આજે દાદીમા જયાં રહે છે તને હું ત્યાં જ

રાખીશ અને આ વાસણોમાં તને જમવા મારી પત્ની આપશે એટલે કામ લાગશે. મા શું

બોલે? મનમાં પરિવર્તન આવી ગયું. તરતજ પોતાની સાસુને સારા એવા ઓરડામાં ફેરવી

નાંખ્યા અને હવેથી રોજ સાથે જમાડવાનું ચાલુ કર્યુ અને દિલથી સેવા કરવા માંડી. મનમાં થયું

કે બાળક તો જે ભાળે તેનું અનુકરણ કરે છે. એટલે સાચા મનથી સાસુમાં ની સેવા કરવા

માંડી. જેવું કરો તેવું પામો. બાળકો યાદ રાખજો તમો જેમ તમારા મા બાપ માટે કરશો

તેમ જ તમારા બાળકો તમારા માટે કરશે. મા બાપના અગણિત ઉપકાર છે તેને કદી ભુલશો

નહીં. અને મા બાપ કદી પોતાના બાળકોનું અશુભ કે અહીત સ્વપનામાં પણ ઇચ્છે નહીં.

શ્રવણ જેવા ના બનો તો ચાલશે પણ તેમને દુઃખ લાગે તેવું કદી કરશો નહી. મા બાપને સુખ

આપશો તો તમને પણ જીવનમાં સુખ જ મળશે. કર્મ એવા કરો કે મા બાપ તમોને ખોબે

ખોબે ભરીને અંતરથી દુઆ તથા આર્શીવાદ આપે તોજ જીવનમાં તમારી સુવાસ ફેલાશે. પૈૈસા

ખર્ચતાં સઘળું મળશે, પણ મા-બાપ નહીં મળે,ગયો સમય પાછો નહીં આવેે,લાખો કમાઇને

શું કરશેા..પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે,પછી ઉછીનો પ્રેમ લઇને,આંસુ સારીને

શું કરશો જમાનો આવ્યો પાપનો, દીકરો નહીં બાપનો.શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેમ સમુદ્ર

કયારેય મર્યાદા મૂકતો નથી - જેમ પવર્તો કયારેય ચલાયમાન થતા નથી-તેમ ઉત્તમ પુરૂષો

કયારેય ઉચિત્ત વ્યવહારનું ઉલ્લંઘન કરતા નથી એથી જ આખું જગત જેમને નમે છે એવા શ્રી

દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા પણ માતા-પિતા પ્રત્યેનું ઓૈચિત્ય પાળે છે.

એક પતિ-પત્ની હતા. એક બાળક થયો અને બાળક થયા બાદ બાપને ઓફીસમાં સેક્રે્રટરી

સાથે લફડું થયું અને પહેલી પત્નીને છૂટાછેડા આપી નવા લગ્ન કર્યા. હવે ઘરમાં મા-દીકરો

બંને જ રહે છે અને થોડી ઘણી જે આવક હતી તેમાંથી ઘર ચાલે છે. પણ પહેલી પત્ની રોજ

પોતાના પતિના ફોટાને પગે લાગે અને વાત કરે આજે તમારો દિકરો પહેલે નંબરે પાસ થયો

વિગેરે.દીકરો જેમ મોટો થતો ગયો, જેમ સમજણ પડવા લાગી- એટલે માને કહે છે કે મારા

પિતાએ તને નાનપણમાં છોડી દીધી તે છતાં તું તેમને આટલું બધું માન શું કામ આપે છે?

મા એ જવાબમાં કહ્યું બેટા,તે હતા એટલે જ તારા જેવો સુંદર -આજ્ઞાકારી-હોંશિયાર દિકરો

મને થયો. એટલે જ તેમનો ઉપકાર આજ પણ યાદ રાખું છું. આને કહેવાય પોઝીટીવ થીંકીંગ.

દરેક વાતમાં પોઝીટીવ - હકારાત્મ વિચારશો તો જ સુખી થાશો. અપનાવજોે આવી સાત્વિક

વિચારણા!નેગેટીવ વાત હોય પણ તેમાથી પોઝીટીવ વાત ગોતવી એ બહુ જ મુશકેલ છે.

આપણે પણ નેગેટીવમાંથી પોઝીટીવ જોવાનું છે. તો જ સુખી થાશો.

એક પતિ-પત્ની હતા.નાણાંકીય સ્થિતિ નબળી હતી. તેમને એક દિકરો હતો. દિકરાને ડોકટર

બનાવવાની પિતાની ખૂબ જ ઇચ્છા હતી. પણ દિકરો ત્રણ વર્ષનો થયો ત્યાં એક અકસ્માતમાં

પિતાનું મૃત્યુ થઇ જાય છે. મા ના ઉપર ઘર ચલાવવાની જવાબદારી આવી ગઇ. બહુ ભણેલ

ન હતી-એટલે બીજાના ઘરકામ કરી ગમે તેમ ચલાવાતું. માની ઇચ્છા હતી કે પોતાના પતિનું

સ્વપ્ન દિકરાને ડોકટર બનાવવાનું છે ગમે તેમ પુરું કરવું. ખુબ જ કામકાજ કરી - કરકસર

કરી રહી ગમેતેમ દિકરાને ડોકટરનું ભણાવે છે.દિકરો પણ હોંશીયાર હતો-સ્કોલરશીપવિગેરે

કાયમ મળતું કારણ તેદર વખતે પ્રથમ નંબરે પાસ થતો.ભણીનેે ગામમાં એક કલીનીકખોલ્યું.

સારી પ્રેકટીસ હતી. હવે દિકરો માને કહે છે કે હું ઓપરેશન સર્જરી ભણેલછુંત મોટાશહેરમાં

જઇએ તો જ ઉપયોગમાં આવશે. મા કહે-બેટાતું કહે તેમ કરીશું. પુના બંને જાય છે દિકરો

મોટી હોસ્પીટલમાં જોડાય જાયછે અને હવેતો કમાણી પણ સારી એવી કરે છે.માનેહવેતકલીફ

નથી.બંગલો-કાર-નોકર-ચાકર બધું છે.મા-દિકરાને કહે છે બેટાહવેઆપણીપાસેભગવાનની

કૃપાથી બધું છે પણ મારે હવે તારા દિકરા-દિકરી જોવાનું ખુબજ મન થાય છે એટલે હવેતારા

લગ્ન કરવાની મારી ઇચ્છા છે. દિકરો કહે ભલે મા.લગ્નની વાત ચાલુ કરી.ઘણાંમાંગા આવ્યા

એક કન્યા ખુબજ રુપાળી-દેખાવડી મોટા ઘરની વાત હતી એટલે નક્કી કરી લીધું અને એક

શુભ દિવસે લગ્ન પણ ખૂબજ ધામધૂમથી થઇ ગયા.હવે ઘરમાં નવી વહુ આવી- સાસુ તો તેને

ખુબ જ સારી રીતે રાખતાં હતાં પણ વહુ નવા જમાનાની હતી - સાસુની કાંઇ પણ રોકટોકન

હતી - તો પણ તેને સાસુમાં ગમતા ન હતા કારણ તે તો સાદાઇથી રહેતા – કોઇ શોખ નહીં

બસ દિકરાનું નાસ્તો-જમવાનુું-કપડાનું બધું ધ્યાન રાખતા હતા.હવે વહુને તો રોજ કીટીપાર્ટી

વિગેરેનો શોખ હતો– એમા પણ સાસુમાંએ કદી તેને અટકાવેલ પણ નહીં - મનમાં એમ કે

નાની વય છે- છોકરા-છોકરી થશે બધું બરોબર થઇ જશે.પણવહુનાસ્ત્રીમિત્રો ઘરે આવેત્યારે

ત્યારે સાસુમાં જુના સાડલામાં કે સાધારણ કપડામાં હોય તો તેને નાનપ લાગતી. રોજ

ડોકટર પતિના કાન ભરવાનું ચાલું કરી દીધું કે તારી મા ને સમજાવ વિગેરે પણ દિકરો મા

વિરુદ્ધ સાંભળવા જ તૈયાર ન હોતો. તે છતાં કહેવત છે ને કે એક જૂઠને તમો સો વાર કહો

તો સાચું થઇ જાય તેમ દિકરાના મનમાં થયું કે કદાચ મા વહુ સાથે બરાબર ન રહેતી હોય.

આ તો ખુબજ મોટા ઘરમાંથી આવે છે કદાચ તેની વાત સાચી હશે. એટલે બીજે દિવસે

નાસ્તો કરતી વખતે મા ને કહે છે - મા તારું મોઢુ જોઇને સવારે જાવ છું તો મને અપશુકન

થાય છે - મા ની આંખમાં આંસુ આવે છે પણ દબાવી રાખેછે અને કહે છે બેટા કાલથી તું

નાસ્તો કરી ને જઇશ પછી હું બહાર આવીશ.વહુને આનાથી સંતોષતો ન થયો. થોડા દિવસ

પછી એક દિવસ તેના પતિને સમજાવે છે કે ઘરમાં એકલીમા કંટાળી જાય છે. ૧૦ કીલોમીટર

દૂર એક વૃદ્વાશ્રમ છે ત્યાં મા ને મુકી આવીએ. દિકરો તો હવે પૂરો પત્નીમય બની ગયો છે. મા

ને કહે છે કે તારો સામાન બાંધી લે થોડે દૂર એક વૃદ્વાશ્રમ છે ત્યાં તને ગમશે. તને કંપનીપણ

રહેશે.અહીં તો અમારા આગળ સમય નથી તું એકલી કંટાળી જતી હોઇશ.મા કે ભલે. પતિ

પત્ની ગાડીમાં માને લઇ જઇ વૃદ્વાશ્રમમાં દાખલ કરવા જાય છે. દિકરો મા ને કહે છે તું ફીકર

નહીં કરતી દર મહીને ૫૦૦ રૂપીયાનું મનીઓર્ડર તને નિયમિત મળે તેવી ગોઠવણ કરી છે.

મા કે ભલે. આશ્રમમાં પહોંચે છે દાખલ કરવાની વિધિ પતાવે છે-ત્યારે મા કહે છે બેટા અહીં

પંખો નથી-તુંએક પંખો નંખાવી આપ તો સારું.તરતજ વહુ બોલે છે ઘરમાંએ.સી કે પંખો કદી

તારી મા એ વાપર્યો જ નથી -હવે આ માંગણી કરે છે. દિકરો ઓફિસમાં પંખાના ખર્ચા પેટે

હજાર રૂપીયા આપે છે અને મા ને કહે છે તું જયાં કહીશ ત્યાંપંખો ફીટ કરશે અને તરતજ

ત્યાંથી નીકળી જાય છે.મા તો આશ્રમમાં ખુબ જ લોકપ્રીય બની જાય છે-કારણ કાયમ બધાનું

કામ કરે તો જ તેને ગમતું.કોઇ બીમાર હોય કે બીજું કાંઇ પણ હોય કાયમ બધાને મદદકરવા

તત્પર.. પહેલાતો એક દિકરાની મા હતી અહીંતો બધા તેને માનથી મોટીમા કહીનેબોલાવતાં.

દિકરો પૈસા મોકલાવતો હતો પણ મળવા કદી કોઇ આવતું નહીં. માને રોજ અંદરથી આશા

થાય કે આજ તો મારી યાદ આવશે,વહુ ન આવે તો ભલે- દિકરો જેને પેટે પાટા બાંધી મોટો

કર્યો તેને જરુર હું યાદ આવીશ.પણ હવે ડોકટર તો મોટા માણસ બની ગયેલો-રૂપીયા ખુબજ

કમાણી હતી-સમય હતો જ નહીં-અને સમય મળેતો પાર્ટીમાંથી ફુરસદ ન હતી.આમ ૩૦

મહિના નીકળી ગયાં.મા તો રોજ દિકરાને જોવા તલસે પણ દિકરો કયાં હવે વહુને છોડી

આવે તેમ હતો.બધું બદલાઇ ગયું.હવે દિકરાનો વિયોગ મા થી સહન નથી થતો અને તે

ખુબજ બીમાર થઇ જાય છે- આશ્રમના બધા ટ્રસ્ટીઓ પણ મળવા આવે ત્યારે એક વખત-

છેલ્લી ઘડી મા દિકરાનું મોઢુ જોવાની ઇચ્છા છે તેમ કહે છે- ટ્રસ્ટીઓ ફોન કરે છે પણ ડોકટર

વાત જ નથી કરતો-મેસેજ આપે છે તમારા મા ખુબ જ બીમાર છે-છેલ્લી વખત મળવા આવો

તો સારું- તો પણ આવતા નથી.પછી બધા ટ્રસ્ટી નક્કી કરે છે સવારના વહેલા આઠેક વાગે

ઘરમાં મળી જશે આપણે રુબરુ મળીને વાત કરી લઇએ-જરુર આવશે. પણ ડોકટરતો ઘરમાં

આ લોકોને કાઢી મૂકે છે કે મારા અપોઇન્ટમેંટ વગર હું કોઇને મળતો નથી. આ લોકો કહે છે

કે આપના માતુશ્રીનેછેલ્લી વખત મળવા માટે ખાસ કહેવા અમો આવેલ છીએ. તમો મળીલો

તો સારુ તેનો જીવ સુખ થી જશે. પણ ડોકટર સાંભળવા જ તૈયાર નથી. કહે છે મા માટે પણ

મારી પાસે સમય નથી અને અપમાનીત કરીને પાછા મોકલેે છે.મા ખુબ જ બીમાર છે. જીવ

દિકરામાં છે. દિકરો જોઇ લઉ પછી પ્રાણ ભલે જાય. એટલે હવે ઉપાય શું કરવો.એકાએક

એક ટ્રસ્ટીને ઉપાય યાદ આવે છે કહે છે કે મારો એક મિત્ર દેખાવમાંતો ડોકટર જેવો લગભગ

લાગે છે-આવા જ કપડાં પહેરાવીને મા પાસે આવે પણ બોલે નહીતો કામ થઇ જાય. ડુપ્લીકેટ

ડોકટર તૈયાર કરવામાં આવે છે અને મા ને કહેવામાં આવે છે સાંજના આઠ વાગે ફકતએકજ

મીનીટ માટે તમારો દિકરો આવશે પણ તરત જ રવાના થઇ જશે એને મીટીંગ છે.મા કહે

વાંધો નથી. બસ છેલ્લી વાર જોઇ લઉ. નક્કી કરેલ સમયે ડુપ્લીકેટ ડોકટર જેવા જ કપડા વિ.

માં આવે છે દૂર થી જ મા ને હાથ હલાવીને જોઇને બાયબાય કરે છે - મા કહે છે બેટાબરાબર

જમજે,તબિયતનું ધ્યાન રાખજે ત્યાંતો રવાના થઇ જાય છે.મા ને ખબર નથી- તેને ઉમ્રના

હિસાબે ઓછું દેખાય એટલે દિકરો મળી ગયો તેનો જીવને સંતોષ છે. તેજ રાત આખરી

જીવનની રાત હતી. સવારના ખબર પડી કે મોટીમાતો હવે નથી. આખો આશ્રમ રોવે છે.

નિયમ મુજબ દિકરાને માના મૃત્યના સમાચાર આપવામાં આવે છે. તરતજ દિકરો-વહૂ આવે

છે કહે છે કે મને બોડી આપી દો-ચીફ મીનીસ્ટરનેે કહીને એક દિવસનો શોક આખા રાજયમાં

રખાવીશ-બધા મોટા મોટા માણસો મારી મા ને છેલ્લા વંદન કરવા આવશે. નિશાળ-

કોલેજમાં રજા જાહેર કરાવીશ-તમો મને બોડી આપી દો. ટ્રસ્ટીઓ મનમાં નારાજ જ હતાં

કીધું તમારી માની ઇચ્છા અહીં અમારું નાનું એવુ સ્મશાન છે ત્યાં જ તેમની છેલ્લી ક્રિયા

પતાવવા અમોને કહેલ છે એટલે આ કામ શકય નથી. પણ હજી એક કામ બાકી છે એમનો

સામાન આપને સોંપવાનો છે તમો સહી કરી લઇ જાવ.બધો સામાન-મંગાવેછે-પણ સામાન

માં તો માત્ર એક નાની પેટી હતી–કીધું કે તમો ખોલીને જોઇલો બધું બરાબર છે કે નહીં.

ડોકટરનોે લોક કીર્તી મેળવવાનો પ્લાન નાકામયાબ થયો- પછી પેટી ખોલે છે અંદર થી એક

પોટલી લાલ કપડાની મળે છે જેના ઉપર જ એક કાગળ લખેલો હતો. કાગળમાં-મા લખે છે

બેટા હવે હું નથી.તને કોઇ વાતની તકલીફ નહીં પડે.આ સાથે ૩૦મહીનામાં તારીમોકલાવેલ

રકમ પાછી તનેજ કરું છું- તું તો મારો સારો દિકરો હતો - મને દર મહીને વાત મુજબ ૫૦૦

રૂપીયા મોકલાવતો હતો-પણ બનવાજોગ છે તારો દિકરો ભવિષ્યમાં તને અહીં જ મુકી જાય

અને તારી જેમ રૂપીયાન મોકલે તો તને તે રકમ કામમાં આવે એટલે જ મેં તારામાટેબચાવીને

રાખી છે.આ રકમ આવા દિવસો માટે સાચવીને રાખજે.બીજું ંપંખો પણ તારામાટેજનંખાવવા

કહેલ-મને તો બધું ગરમી ઠંડી ચાલે પણ તને તો પંખા વગર ચાલશે નહી તે માટે જ પંખો

નંખાવેલ છે કે ભવિષ્યમાં મારા દિકરાને અહીં ગરમી ન પડે. બાકી મેં તો આજ દિવસ સુધી

તેનો ઉપયોગ કરેલ નથી. દિકરાની આંખમાં આંસુ આવી ગયા- આવી સારી મા અને હું

ઘરમાંથી આશ્રમમાં મુકી આવ્યોતો પણ મને વઢતી પણ નથી ઉલટાનું ભવિષ્યમાં મને કોઇ

તકલીફ ન પડે તે જ વિચાર છે. મા ની માફી માંગે છે પણ હવે તો બોડી પણ મળવાનું નથી.

ચુપચાપ ઘરે ભારે હૈયે જાય છે.પછી સાંભળવા મળેલ છે જે ડોકટરનો એેકે કેસ ખોટો ન

થતો - હવે જે પણ કેસ લે ખોટો થવા મંડયો. લક્ષ્મીદેવીની કૃપા જીરો થઇ ગઇ.ઘર બાર

હોસ્પીટલ બધું વેંચાય ગયું અને પત્ની પણ રૂપીયા વગરના પતિને છોડી બીજા સાથે ચાલી

ગઇ - અને ડોકટર ગાંડો બની છેલ્લે તે જ આશ્રમમાં રહેવા આવે છે.ત્યાં જોવેછે તેની મા નો

મોટો લાઇફસાઇઝ ફોટો હતો.અને બધા જ રોજ તેમને પગે લાગતાં-આર્શીવાદ લેતા-હવે

સમજે છે કે મારી મા ને દુઃખ આપ્યું તેનું પરિણામ ભોગવવાનું મારે છે. તેણે તો મારા માટે

તેનું જીવન આપ્યું પણ હું નાદાન પત્નીનીવાતમાં આવી દેવી જેવી મા સાથે અન્યાય કરીબેઠો

ભગવાન માફ કરજે. મારું પુણ્યજ મારી મા હતી તેના જીવતા મને હંમેશ જશ જ મળેલ અને

તેની ગેરહાજરીથી મારી આ દશા થઇ ગઇ. હું જ કમનસીબ કે માને કહ્યું કે વિધવાનું મોઢું

જોઉં છું અને મારો દિવસ બગડે છે.મા તું જયાંપણ હોય મને માફ કરજે.

જરા હસતા રમતા જીવો જગત બદલાઇ જશે.

શિરે ભાર લઇને જશો તો જીવન કરમાઇ જશે.

શબ્દકોષના તમામ શબ્દોમાં જે મીઠાશ નથી,તે મીઠાશ એક ‘મા’ શબ્દમાં છે.

દુઃખ સુખ આવે તે સહેજો, મા નાં ચરણકમળમાં રહેજો.

પંછી પાની પીને સે, ઘટે ન સરિતા નીર,

ધર્મ કરે ધન ન ઘટે, કહ ગયે સંત કબીર.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૬ વાસી ખાઇ છે બધા

એક ગામમાં ખુબ જ સુખી કુટુંબ રહેતું હતુ. ઘરમાં રસોઇયા-નોકર–ચાકર-ગાડીઓ-

ડા્રઇવરો-ભૌતિક રીતે બધું સુખ હતું. ઘરમાં શેઠ-શેઠાણી- એક દિકરો ત્રણ જ જણાં રહેતા

તાં.દિકરાની લગ્નની ઉમ્ર થઇ એટલે સારા ઘરની સુંદર કન્યાના માંગા આવવા લાગ્યા. એક

કન્યા -કુટુંબ બધું સારુ હતુ– ત્યાં નક્કી થઇ ગયું. લગ્ન થઇ ગયા - વહુ દીકરી ઘરે આવી ગઇ

હવે સવારના બધા હોલમાં બેઠા હતાં ત્યાંજ નવા વેવાઇનો ફોન આવ્યો. શેઠ સાથે વાત

પહેલા કરી - પછી દિકરી સાથે વાત કરે છે- બેટા તું મજામાં છો ને? કાંઇ તકલીફ નથી ને?

ના ના પપ્પા હું તો ખુબ જ મજામાં છું. પણ અહીં બધા વાસી ખાય છે. સસરાજી એ સાંભળ્યું

કહે કે વહુદિકરી-આપણા ઘરમાં રોજ તાજું શાક-ફળ બધુ નિયમીત આવે છે, તમે કેમ વાસી

કીધું-મારી સમજમાં આવતું નથી. વહુ બહુજ જ્ઞાની હતી તેણે કીધું કે આપણા ઘરમાં રૂપીયા-

પૈસાની કોઇ તકલીફ નથી. ખાવાની કે કપડાંની કે બીજી કોઇ તકલીફ નથી. પણ આપણા ઘર

પાસે કોઇ દેરાસર-ઉપાશ્રય કાંઇ જ નથી - જે છે ખુબજ દૂર છે. ત્યાં આપણે કોઇ જતાં નથી.

સમાજમાં આપણું કાંઇ નામ નથી - આપણે જે ખર્ચાઓ કરીએ છીએ તે આપણી પાછળ જ

કરીએ છીએ. આ તો આપનું ગયા ભવનું જમા પુણ્ય છે તેટલો સમય ભોગવશો - પણ નવું

પુણ્ય ઉર્પાજનનું કોઇ કામ કરતાં નથી એટલે આપણે વાસી ખાઇએ છીએ તેમ કહેવાય.

સસરાજીની આંખ ખુલી ગઇ. થોડા સમયમાંજ ઘર પાસે જ નાનું પણ શીખરબંધી દેરાસર

બનાવરાવ્યું.સાથે ઉપાશ્રય,આયંબીલશાળા,ભોજનશાળા,પાઠશાળા-આમ લક્ષ્મીનો સદુપયોગ

ચાલુ થઈ ગયો. ઘરમાંથી પણ બધા દેરાસર પૂજા વિગેરે ધર્મની બધી પ્રવૃત્તિમાં નિત્ય રસ

લેતા થઇ ગયા અને તે કુટુંબનું નામ સમાજમાં ગાજતું થઈ ગયું. એક જ સારું પાત્ર ઘરમાં

આવે જે ના મનમાં શૂભ ભાવના હોય-સવી જીવ કરું શાસન રસીતો આખું કુટુંબ તરી જાય

છે. ધર્મ આવવાથી ઘરમાં લક્ષ્મીદેવીની પણ કૃપા વધતી જ ગઇ.

શત કોટિ કોટિ વાર વંદન, નાથ! મારા હે તને,

તે તરણ તારણ નાથ તું સ્વીકાર મારા નમનને,

હે નાથ ! શું જાદું ભયુર્ં અરિહંત અક્ષર ચારમાં

આફત બધી આશિષ બની તુજ નામ લેતા વારમાં.

ધન્વંતરી છો વૈદ છો, મારા જીવનના હૈ પ્રભુ !

ભવરોગના વળગાડને મુજ દૂૂર કરજો હે વિભુ!

ઉપકાર કરી વિતરાગ! મુજને જ્ઞાનદર્શન આપજો

ચારિત્રમાં નિશદિન રહું એવી સુબુદ્ધિ આપજો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૭ ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી

ભગવાનના ઘરે દેર છે પણ અંઘેર નથી. કર્મની લાઠી કોઇને છોડતી નથી.. નીચે એક સત્ય

ઘટના જણાવું છુ. કર્મમાં જેવું કરશો તેવું પામશો. વાવો તેવું લણશો. ખાડો ખોદશે તે પડશે.

જેવી કરણી તેવી ભરણી. કુદરત પાપની સજા કરે છે પણ ધીરે ધીરે. જે કોઇ પણ પાપ કરે છે

આખરે તેને ભગવાનની લાઠી વાગે છે અને જે પણ પાપ કર્યુ હોય તેની ચક્રવર્તી વ્યાજ સાથે

વસૂલાત આપવી પડે છે. મુંબઇ નગરીની સત્ય ઘટના છે. લગભગ આજથી સો વર્ષ પહેલાની

વાત છે. વડગાદીમાં ચાલી સીસ્ટમમાં લોકો રહેતા બહેનો માસીક પાળતા, બાજુના ઘરેથી

રસોઇ આવી જતી - આજની જેમ મોંઘવારી ન હતી.ખુબજ સોંઘવારી હતી.નાની વયે લગ્નનો

જમાનો હતો.દીકરી ૧૨વર્ષની થાય ત્યારે લગ્ન થઇ જતા અને દીકરો ૧૪ વર્ષનો થાય ત્યારે

તેના પણ લગ્ન થઇ જતા. ભણવાનું લખતા વાંચતા આવડે એટલે પુરું થઇ જતું. એક પતિ-

પત્ની વડગાદીની ચાલમાં રહેતા હતાં. લગ્ન બાદ પહેલા જ વર્ષૅમા દીકરાનો જન્મ થયો. ત્યાર

બાદ ચૌદ વર્ષ બાદ પત્નીને સારા દિવસો રહ્યા - પણ બીજા દીકરાનો જન્મ આપી મા તરતજ

મૃત્યુ પામી. હવે ઘરમાં ૩૧વર્ષનો બાપ-૧૩વર્ષનો મોટો દીકરો અને તાજુ જન્મેલું બાળક.

બાપે દીકરાને પરણાવવાનો નિર્ણય કર્યો અને ઘરમાં બાર વર્ષની કન્યા આવી ગઇ. પુણ્ય

હતુ. કન્યા ખુબજ સારા ઘરની સંસ્કારી હતી . ઘર આખું સંભાળી લીધુ અને નાનો દેરતો તેનુ

રમકડું બની ગયું આખો દિ તેને રમાડવો-વ્હાલ કરવું-દુધ પાવું- ખવરાવવું-કપડાં નવા નવા

પહેરાવી તેની સાથે રમવું. સાથે ઘર પણ સંભાળવું તેજ તેનું જીવન બની ગયું. સસરા ખુબજ

ખુશ હતા - પતિ પણ ખુશ હતા અને નાનો દેરતો તેને મા મા કહીને ખુબજ રમતો.

સારો સમય કાયમ રહેતો નથી. એક રાતના સસરાને ખુબજ ઉઘરસ આવવા મંડી - આખી

રાત જાગરણ થયું. સવારના ડોકટરને બતાવ્યું ખબર પડી કે ટી બી છે ત્યારે ટીબીની કોઇ દવા

ન હતી. ડોકટર કહે છે કે માંડ મહીનો દોઢ મહીનાનું આયુષ્ય બાકી છે. સસરાએ મોટા

દીકરાને પાસે બોલાવ્યો અને એક વચન માંગ્યુ. દીકરો કહે બાપુજી તમો જેમ કહેશો તેમ

કરીશ. તમો કોઇવાતની ચીંતા નહીં કરો. બાપાએ કીઘુંકે આપણી ફેકટરી-ઘર તથા બઘું

મળીને ૪૦,૦૦૦/- ચાલીસહજારની મુડી થાય છે-તારે નાનાને ભણાવવાનો -પરણાવાનો

તથા તે સમયે તારી પાસે જે કાંઇપણ મુડી હોય તેમા તેનો અર્ધો ભાગ રાખવાનો - સાથે

રહેતો મુડી ભેગી રહેશે, નહીંતર તેને ટોટલ મુડીનો અર્ધો ભાગ આપવાનો રહેશે-છે મંજુર .

દીકરોે કહે બાપુજી તમો જેમ કહો છો તેમજ કરીશ- આખરેતો તે મારો નાનો ભાઇજ છે ને.

રાતનાજ મૃત્યુ થયું. બાર દિવસતો બઘી વિઘીમાં ચાલ્યા ગયા. પછી મને તેનુ પોત પ્રકાશવાનું

ચાલું કરી દીઘું - મન વીચારે છે કે આજેતો ચાલીસ હજાર રુપીયા છે કાલે ૧૦-૨૦-૪૦

લાખ મારી મહેનતથી કમાઉ અને નાનાને મારે અર્ઘા આપવાના- જો નાનો હોત જ નહી તો

આ બઘુ મારુ જ રહેત. હવે નાનાને દૂૂર કરવો પડશે પણ પોતાની જ પત્નીતો એક મીનીટ

પણ નાનાને દૂૂર કરતી નથી આખો દિવસ-રાત તેનુ જ ઘ્યાન રાખેછે. હવે આ કાંટો કેમ દૂૂર

કરવો મનમાં ખુબજ અશાંતી છે.

રવિવારના સવારનો સમય છે–છાપાવાળો મુંબઇ સમાચાર છાપું ઘરમાં ફેંકે છે. પહેલા પાને

રશિયન સર્કસ ની જાહેરાત છે અને પત્ની ઘરમાં એક ખુણામાં ગરમ ઘાબળો પાથરી બેઠી છે.

આ મોકો સારો છે - પત્નીને કહેકે સર્કસમાં નાનાને મજા આવશે તું પણ સાથે આવ - હાથી

ઘોડા વિગેરે જોઇને નાનો ખુબજ ખુશ થશે.પત્ની કહે છે મારાથી તો આવી શકાય એમ નથી

પણ તમો નાનાને સર્કસ જરુર લઇ જાવ-ચોકલેટ મીઠાઇ વિગેરે ખવરાવજો-નવા કપડાં

પહેરાવીને લઇ જાજો. સાચવીને જશોજી. ભાવતું હતુ તે મળી ગયું-તરત નાનાને નવા કપડાં

પહેરાવી -ચોકલેટ-મીઠાઇ અપાવી અને ઘર બહાર નીકળી ગયા બંને.નાનોતો ખુશ હતો

મુંબઇમાં ત્યારે થોડી ઘણી લોકલ રેલ્વે ચાલુ હતી - બે કલાક એક ટ્રેનમાં ફરાવી ંએક સ્ટેશને

બંને ઉતરી ગયા. નાનાને કહે છે કે તું અહીંયાજ બેસજે. હું સર્કસની ટીકીટ લઇને આવુ છું.

કાંઇ જતો નહીં - પછી છેલ્લીવાર તેને રમાડી પુલ પરથી બાહર નીકળી એક બસમાં બેસી

ગયો. ત્રણ ચાર કલાક રખડીને ઘરે રોતો રોતો આવ્યો. પત્નીને કહેકે સર્કસમાં ખુબજ ગર્દી

હતી નાનો અલગ થઇ ગયો. પોલીસમાં પણ જણાવેલ છે-હવે નાનો મળે નહીં ત્યા સુઘી હું

અનશન કરીશ-પાણી પણ નહીં વાપરું. ૨૪ કલાક આમજ કાઢયા-રોઇરોઇને-ભલે મનમાતો

પાપ હતું - અંદરથી ખુબજ ખુશ હતો - હવે જે રુપીયા બનશે બઘુ મારુંજ રહેશે કોઇનો ભાગ

હવેતો નથી. પત્ની ખુબજ સમજાવે છે કે ભગવાનની ઇચ્છા આગળ આપણું કાંઇ પણ

ચાલતું નથી.તમો જમી લો,હું પણ તોજ જમીશ.આખરે સમય જતાં નાનો ભુલાઇ ગયો. પાપ

છાનું કરો કે ચોકમાં,અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં! અતિકષ્ટથી ઉછેરીને,ડાહ્યા

બનાવ્યા દીકરા,મા બાપને માને નહીં પેટે અડધા ઝખ મારવા દરરોજ જૂવે છે છતાં,જન

સેંકડો સ્મશાનમાં, હું અમર છું એમ માને, માનવી ઉંડાણમાં! ધનભોગ કાજે પાપ કરતાં નર

જન્મ એળે ખોવતાં, પરલોક સાથે કઇ ગતિ, ચેતે નહીં નિજ ચિત્તમાં! વર્ષગાંઠ તણે દિને,

ખાએ પીએ છે માલ, પણ સમજે નહીં એટલું, કે દિવસ ગાંઠ નો જાય.

હવે પત્નીને બે જોડીયા ખુબજ દેખાવડા દીકરાઓનો જન્મ થાય છે. બે ભાઇની ઉમ્રમાં ફકત

પાંચ મીનીટ નો ફરક છે. મા હવે આ બંને દીકરાને મોટા કરવા પોતાનો પુરેપુરો સમય આપે

છે અને બાપ રૂપીયા પાછળ અમદાવાદ - સુરત- મુંબઇ દોડાદોડીમાં વ્યસ્ત છે. કુટુંબ માટે

સમય જ હવે નથી.ઘીમે ઘીમે બંને બાળકો મોટા થાય છે.ખૂબજ દેખાવડા-ભણવામાં પણ

હોંશિયાર -વિનયીવિવેકી - ઘર્મનું પણ જ્ઞાન સારુ.બંને ભાઇઓમાં પણ ખુબજ બનતું. આ

બઘું જોઇને બાપ મનમાને મનમાં ખુશ થાતો. ભગવાન જેવુું કાંઇ નથી. મને તો પાપ કર્યા

બાદ આટલું સુખ મળેલ છે એકદમ આજ્ઞાકારી પત્ની મળેલ છે આટલા સુંદર બે દીકરાઓ -

ખુબજ આજ્ઞાકારી-ભણવામાં હોંશીયાર-રમતગમતમાં હોંશીયાર-ઘર્મીષ્ટ વિગેરે ગુણોથી

ભરપુર - મા બાપને બીજુ શું જોઇએ. સમય સમયનું કામ કરે છે. બંને દીકરા મેટી્રકમાં

પહેલે-બીજે નંબરમાં પાસ થયા.બાપુજીને કહે છે આપણી ૪૦ મીલો ચાલે છે- અમે બંને

ટેકસટાઇલ એંજીનીયરીંગનું ભણવા અમેરિકા જવા વિચારીએે છીએ. બાપે તો હા પાડી પણ

મા એકે દીકરાને મોકલવા રાજી નથી. હવે શું કરવું? આખરે એવું નક્કી થયું મોટો દીકરો

જાય અને નાનો મા પાસે રહે. બાપ તો રૂપીયા પાછળ જ ભાગતો હતોઘડીકમાં અમદાવાદ

તો પછી સુરત - આમ રૂપીયા પાછળ ભાગતો જ રહેતો.

હવે મોટો દીકરો અમેરીકા ભણવા પહોંચી જાય છે. નિયમીત પત્રો લખે છે. મા તો ભણેલ

નથી પણ નાના દીકરા પાસે પત્ર વંચાવે-જવાબ લખાવે. બાપનેતો પત્ર વાંચવાનો પણ સમય

નથી . તે ભલો ને તેની રૂપીયા પાછળ ભાગ મ ભાગ. મોટા દીકરાનો પત્ર આવે છે કે મારુ ં

ભણવાનું પતિ ગયુ છે.નાતાલની રજા છે મેં અમેરીકા જોયું નથી તમો નાનાને એક

અઠવાડીયું મોકલો અમો સાથે બધું ફરી લેશું અને પછી સાથે જ મુંબઇ આવીશું. નાનો માને

સમજાવે છે કે મને જવા દો અમે બંને સાથે આવીશું. મા ને સમજાવી નાનો પણ અમેરીકા

જાય છેે. બપોરનો સમય છે મા એકલી હોલમાં હીંડોળા પર બેઠા બેઠા બંને દીકરાઓના ફોટા

વિગેરે જોવે છે. ત્યાં જ ઘરનો બેલ વાગે છે મા પોતેજ દરવાજો ખોલે છે. સામે એક પોસ્ટમેન

ઉભો છે કહેછે તમારો પરદેશથી તાર છે. અહીં સહી કરો એટલે હું જાઉ. મા ને તો લખતાં

વાંચતા આવડતું નથી એટલે પોસ્ટમેનને કહે છે ભાઇ તું જ આ તાર વાંચીને જણાવ કે શું

વાત છે. પોસ્ટમેન તાર વાંચે છે ને કહે છે અમેરીકામાં તમારા બંને દીકરા બોટીંગ કરવા લેક

સુપીરીયરમાં ભમરી -વમણમાં ફસાઇ ગયા અને બંને દીકરાઓ અકાળે અવસાન પામેલ છે.

મા નું તો આ સાંભળીને ત્યાંં ને ત્યાં હાર્ટફેઇલ થઇ ગયું. કેવી કુદરતની કમાલ - એક સાથે

ઘરના ચાર મેમ્બરમાંથી ત્રણ નથી. હવે રહ્યો એકલો બાપ અને કરોડો રૂપીયાની સંપત્તિ. શું

કામના આ રૂપીયા જે બઘે અશાંતી ફેલાવે. ભગવાનના રાજમાં કર્મ ની સજા ભોગવવી જ

પડે છે. કોઇકવાર કર્મની સજા મોડી થાય છે કારણ આપણી સાથે કુટુંબ હોય તેનુ પુણ્ય

જોરદાર હોય, એટલે તેઓ જયારે આપણાથી દૂૂર થાય ત્યારે તે સજા ભોગવી પડે છે.

ચેનથી જીવવા માટે ચાર રોટી - બે લંગોટી પણ પુરતી છે

બેચેની થી જીવવા માટે ચાર મોટર - બે બંગલા પણ પુરતા નથી.

શેઠ સવારના ઉઠેછે બધી વિઘી પતાવે છે. પણ હવેકોના માટે જીવવું. મન- તન ખુબજ દુઃખી

છે. હવે શેઠના નસીબ પણ બદલાઇ જાય છે. અત્યાર સુઘી જયાં હાથ નાંખે ત્યાં લક્ષ્મીદેવીની

ખુબજ કૃપા હતી,પણ હવે પત્ની-બંને દીકરાનું ભાગ્ય સાથે નથી . હવેતો શેઠે કરેલ કર્મની

સજા ભોગવવી જ રહી.. સવારથી માઠાં સમાચાર આવવાનું ચાલુ જ રહે છે. અમદાવાદથી

સમાચાર-ફેકટરીમાં આગ લાગી છે ખુબજ મોટું નુકસાન થયેલ છે. ત્યાં સુરતથી સમાચાર

કસ્ટમ તથા એકસાઇસની રેડ પડી છે ફેકટરીને સરકારના સીલ લાગી ગયા છે. ટેન્સનનું

પરિણામ આવ્યું કે શેઠ માંદા પડી ગયા-બીપી-હાર્ટ અટેક-સફેદ પેચસ-પેટમાં બળતરા

વિગેરે પ્રોબલમ થવા માંડયા- હવે નાનો ભાઇ યાદ આવ્યો ખુબ તપાસ કરી પણ મળે

કયાંથી . સ્ટેશને-આજુ બાજુ અનાથાશ્રમમાં બઘે તપાસ કરી- આખરે શેઠ આવી જીંદગીથી

કંટાળી ગયા. મુંબઇ સમાચારના એેડીટર પાસે ગયા પોતાની પુરી આપવીતી કહી અને

વીનંતી કરી મારી સંપૂર્ણ મુડી કામા ચેરીટીબલ ટ્રસ્ટને આપુ છું જેનોે સ્વીકાર કરી મને આ

પાપના રૂપીયાથી છુટકારો આપો. મને ફકત બાજુના અનાથાશ્રમમાં ચપરાસીની નોકરી

આપો - હું દર કલાકે ઘંટ વગાડીશ અને ત્યાં જ વઘેલું ઘટેલું ખાઇ લઇશ. પણ આપને વીનંતી

છે કે મારી આપવીતી મુંબઇ સમાચારમાં જરુર છાપશોજી. નામ બદલી લેજો, જેથી હવે બીજો

કોઇ આવું કામ કરેજ નહીં. હું સમજતો હતો કે ભગવાન નથી. પણ આજે ખબર પડી કે

ઉપરવાળાની લાઠીમાં દેર છે પણ અંઘેર નથી.આપણાં કમ્પ્યૂટરમાં ગોલમાલ કરો પણ

ઉપરવાળાના કમ્પ્યૂટરમાં તમો કાંઇ પણ ગોલમાલ કરી સકતા નથી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે;

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે મૈત્રી

દીન, ક્રુર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે.

માર્ગ ભૂલેલા જીવન પથીકને, માર્ગ ચીંધવા ઉભો રહું

કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચીત ધરૂં...મૈત્રી

ચીત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,

વેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે મૈત્રી.

માતા તો થાકયાનો વિસામો છે,હારેલાની હામ છે,શાંતિનું પરમધામ છે.

મા એટલે ગુરૂ, મા એટલે કલ્પવૃક્ષ,મા એટલે સુખનો સાગર,મા એટલે પ્રેમનું

પીયર,મા એટલે સર્વ મંગલનો સાર અને મા એટલે અમૃતની ધાર.

જનની ની ગોદમાં અને ગુરૂની છાયામાં જે જ્ઞાન અને પ્રેમ મળે છે તે વેદોમાં ગોથા

મારવાં છતાં મળતું નથી. હું જે કંઇ કરી શકું છું અને જે કંઇ થઇ શકું છું તે મારી દિવ્ય

માતાની પ્રસાદી છે. માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સીટી.

સત્યની પ્રાપ્તિ શ્રદ્વાથી થાય છે. અન્ય સાથે કપટ એ પાપ અને વિશ્વાસઘાત એ મહાપાપ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૮ વડીલ છત્ર છે

જાપાન ની એક વાત છે. ૨૦૦ વર્ષ પહેલાની વાત છે જયારે રાજાશાહી ચાલતી હતી.

એકગામના રાજાનું મરણ થાય છે.૧૮વર્ષનો દીકરો રાજગાદી પર બેસે છે અને તેનો

રાજયાભીષેક થાય છે. રાજદરબારમાં બધા વૃદ્વો વધારે હતાં. નવા રાજાએ પહેલો હુકમ

કર્યોકે ૬૦વર્ષની ઉપરના બધાને ગામની બહાર એક જંગલમાં મુકી આવવાના ભલે જંગલી

જનાવર તેમને મારી નાંખે.જે કોઇ આ કાયદાનો ભંગ કરશે તેના આખા કુટુંબને મારી

નાંખવામાં આવશે– ઘર વિગેરે બઘું જપ્ત કરવામા આવશે.

ઘીમે ઘીમે ગામમા વડીલો ખાલી થઇ ગયા. ગામમા એક બાપ દીકરો રહેતા હતા .બાપની

ઉમ્ર ૬૦ વર્ષ થઇ એટલે દીકરાને કહે કે મને હવે તું જંગલમાં મુકી દે નહીંતર રાજા તને,

તારી વહુને તથા દીકરાને મારી નાંખશે એટલે હવે મને જલ્દીથી જંગલમાં લઇ જા. દીકરો

માનતો નથી કહે કે તમને આમ જંગલમાં મુકવાનું મન નથી માનતું. બાપ ખુબજ સમજાવે છે

ત્યારે દીકરો માને છે. જંગલમાં જતી વખતેે બાપ એક ભગવા રંગનો તાકો ઘરમાથી લે છે

અને એના નાના નાના ટુકડા કરી ને એક થેલામાં સાથે લે છે. દીકરો રોતા રોતા બાપને

ખંભા પર બેસાડી જંગલ તરફ રવાના થાય છે. રસ્તામાં આવતાં ઝાડ ઉપર બાપ એક એક

ટુકડો લટકાવતો જાય છે. દીકરો જોવે છે પણ કાંઇ બોલતો નથી. આખરે જંગલમાં બાપને

મુકવાની જગા આવી જાય છે બાપા દીકરાને કહે છે હવે તું પાછો જા અને તને સહેલાઇથી

રસ્તો મળે એટલે આ ભગવા રંગના ટુકડા જોતો જોતો સીઘો ઘરે પહોંચી જઇશ. દીકરાની

આંખમાં આંસુ આવે છે. તે મનમાં વિચારે છે કે મૌત તેમનું સામે છે પણ હું કેમ સહી

સલામત ઘરે પાછો પહોંચું તેનો જ બાપા એ કેટલો ખ્યાલ કર્યો છે.

તે મનોમન બાપને ઘરે પાછા લઇ જવાનુ નક્કી કરે છે અને બાપને સમજાવે છે કે આપણને

જતાં બઘાએ જોયા છે હવે રાતના અંઘારામાં આપણે પાછા ઘરે કોઇને ખબર ન પડે તેમ

પહોંચી જાશુ. આપણા ઘરમાં એક ભંડકીયુ છે ત્યાં તમો રહેજો. હું દિવસના ત્રણ ચાર વાર

ત્યાં આવતો રહીશ તમારો નાસ્તો જમવાનું બઘુ ત્યાંજ. કોઇને ખબર નહીં પડે. બાપ

દીકરાની વાત માની જાઇ છે અને ભંડકીયામા રહેવા લાગે છે. દીકરો બાપ ને ત્રણ ચાર વાર

મળવા રોજ જાય છે. હવે રાજાના દરબારમાં બાજુના રાજયમાથી એક દુત આવે છે એક

કોયડો લઇને. તેના રાજાને રાખની દોરી જોઇએ છે. રાજાના દરબારમાં કોઇ જવાબ આપી

શકતું નથી એટલે રાજા ઢંઢેરો પીટાવે છે કે જે કોઇ રાખની દોરી બનાવી આપશે તેને એક

લાખ સોનામહોર ઇનામ મળશે.

દીકરો બાપને મળવા ભંડકીયામાં જાય છે ત્યારે તે વાત કરે છે - બાપ કહે કે આતો બહુ

સહેલું છે. એક મોટી થાળી લઇ આવ-એક ઘાસની દોરી લઇ આવ અને એક માચીસ. દીકરો

બધુ લઇ આવેછે-બાપ થાળીમાં ઘાસની દોરી મુકી બાળે છે- રાખની દોરી થઇ ગઇ. દીકરો

મહેલમાં જાઇ છે અને રાજા ને કહે છે કે હું રાખની દોરી બનાવી શકુ પણ મારી એક શર્ત છે

મારા આખા કુટુંબને અભયદાન આપો તો જ હું કરુ.. રાજા કહે છે તું કહે તે મંજુર. આતો

આપણા રાજયની ઇજજતનો સવાલ છે. દીકરો અને રાજા મિત્રો બની જાયછે.દીકરો રાજા ને

સાચું સાચું કહી દે છે કે આ કોયડાનો ઉકેલ તો મારા ૬૦ વર્ષ ઉપરના બાપા છે ઘરના

ભંડકીયામાં જ રહે છે. તમારી આજ્ઞા વિરુદ્ધ મેં આમ કરેેલ છે એટલે જ પહેલેથીજ અભયદાન

માંગી લીઘુ હતું-રાજા સચ્ચાઇ સાંભળીને ખુબ જ ખુશ થાય છે કહે છે કે તે આપણા રાજયની

લાજ રાખી - માંગ માંગ તને એક લાખ સોનામહોરો થી પણ બીજુ કાંઇ જોઇએ તે. દીકરો

કહે છે મને કાંઇ જોતુ નથી . ફકત ૬૦ વર્ષ ઉપરના ને જંગલમાં મુકવાનો કાયદો રદ કરો.

વડીલો હશે તો જ તેમનો અનુભવ આપણને જીંદગીમાં લાભદાયક રહેશે.તેઓ તો દરેક

ઘરના છત્ર છે - છત્ર વગર ઘરમાં અંઘારુ રહેશે. એટલે આજથી આ કાયદો રદ કરવા હુકમ

આપી દેવા મારી નમ્ર વિનંતી છે. રાજાને ગળે વાત ઉતરી ગઇ અને આ કાયદો રદ કરવામાં

આવ્યો. વડીલોનું ઘર અને સમાજમાં માન હોવુ જરુરી છે -પોતાની આખી જીંદગી પરીવાર -

સમાજ માટે સમર્પિત કરે અને છેલ્લી જીંદગીમાં સુખ આપવું તે દરેક સંતાનોની ફરજ છે.

એક મા બાપને ત્રણ દીકરા પોષાય પણ ત્રણ દીકરાઓને એક મા બાપ ન પોસાય.મા

વિનાનું ઘર અને ઘર વગરની મા આ એક ખુબજ દુઃખ લાગે તેવું છે. બાળકો યાદ રાખજો

તમો જેમ તમારા મા બાપ માટે કરશો તેમ જ તમારા બાળકો તમારા માટે કરશે. મા બાપના

અગણિત ઉપકાર છે તેને કદી ભુલશો નહીં. અને મા બાપ કદી પોતાના બાળકોનુ અશુભ કે

અહીત સ્વપનામાં પણ ઇચ્છે નહીં. કોઇકવાર કોઇ વિધ્નસંતોષી હોય -તમને મા-બાપ વિરુદ્વ

ઉશકરે તો તેની વાત કૃપા કરીને માનશો નહી.ં શ્રવણ જેવા ના બનો તો ચાલશે પણ તેમને

દુઃખ લાગે તેવું કદી કરશો નહીં. કરો તેવું પામો - વાવો તેવું લણો. જે પ્રભુની પાસે રહે છે,

પ્રભુ તેની સાથે રહે છે. પ્રત્યેક કલાકાર પોતાની કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે પરંતુ

જનેતા પોતાના બાળકને એના પિતાનું નામ આપી દે છે.નીચોવી પ્રાણને માતા વરસાવે જ

સ્નેહને, ભોગના ત્યાગમાં ભોગ જે માણે ધન્ય તેહને.માતા–પિતાનું ઋણ માથે રાખ્યા વિના

કશું કાર્ય થાય નહીં. માતા-પિતાની પ્રસન્નતા વિના ધરમ-કરમ કાંઇ થાય નહીં.ધર્મ એવી

શકિત છે જે ઉપાધીઓને રોકે છે.પ્રતિકુળ સંયોગોમાં પણ માણસને સ્થિર રાખેે છે, સમાધી

આપે છે.ધર્મથી પુણ્ય વધે છે. પાપ ઘટે છે. પરભવનું ભાથું બંધાય છે.હકારાત્મક વલણ

સમસ્યાને અડધી કરી નાંખે છે. નકારાત્મક સંજોગોમાં પણ હકારાત્મ જોતા શીખવાનું છે.

મારા કારણે કો’કની આંખમાં આંસુ,મારું જીવન નિષ્ફળ છે.

મારા માટે કો’કની આંખમાં આંસુ,મારું જીવન સફળ છે.

મનને નિરંતર સ્વસ્થ રાખવાનો ઉપાય જ એ છે કે તેને સારા વિચારોમાં રોકાયેલું રાખવું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૨૯ બે ઠગ - બળદ- મોચીની વાત

એક નાના એવા ગામની વાત કરુ છું. આજથી ૨૦૦વર્ષ પહેલાની વાત છે. આજના જેમ

મોેંઘવારી ન હતી. ૧૦ થી ૨૦ રુપીયામાંતો ઘામઘુમથી લગ્ન થઇ જતાં જીવન સરળ હતું.

લોકાની ઇચ્છા આજની જેમ નહોતી - લોકો ખુબજ સંતોષી હતા.

ગામમાં લક્ષ્મીદાસ શેઠ રહેતા હતા.દીવાળીનો દિવસ હતો. શેઠે આખા ઘરને ખુબજસજાવેલ

આખી રાત બઘા દીપક વિગેરે ચાલુ હતુ અને લક્ષ્મીદેવીની ખુબ જ ભાવ પુર્વક પૂજા કરેલ.

હવે લક્ષ્મીદેવીનું વિમાન આ શેઠના ઘર ઉપરથી પસાર થયું ને તેમને તરતજ શેઠનો હીસાબ

સમજાય ગયો-મનમા થયું આ શેઠને સુઘારવાજ પડશે.લક્ષ્મીદેવી સાક્ષાત સવારના પાંચ વાગે

શેઠ સમક્ષ પ્રગટ થઇ ગયા. શેઠેતો તરતજ સાષ્ટાંગ વંદન કર્યા - શેઠ કાંઇ બોલે પહેલાજ દેવી

એ કહ્યું કે હું તને એક વરદાન આપું છું-આ વરદાન તારાને મારા વચ્ચે રહેશે,જો કોઇને

ખબર પડશે તો વરદાન કેન્સલ.શેઠે તરતજ હા પાડી દીઘી. લક્ષ્મીદેવીએ કહ્યું કે હવેથી તારા

ઘરમાં જે કોઇ આવે તેને માનથી -પુરા વિવેકથી બેસાડવાનો-પહેલા પાણી આપવાનું પછી

શિરામણનો સમય હોય તો શિરામણ કરાવવાનું ખુબજ માન સન્માન સહીત. જમવાનો

સમય હોય તો પ્રેમથી જમાડવાના.તેમનું નામ પુછવાનું નહીં-કેટલી રકમ જરુરત છે આપી

દેવાન–વ્યાજ પુછવાનું જ નહીંં-શુું કામ જોઇએ છે તે પણ પુછવાનું નહી.ં.કયારે પાછાઆપશે

તે પણ પુછવાનું નહીં . શેઠ કહે મારુંતો દિવાળુ નીકળી જશે આમ કરવાથી - લક્ષ્મીદેવી કહે

છે- પહેલા મારી પુરી વાત સાંભળી લે પછી તને મંજુર હશે તો જ આ વરદાન આપીશ. તારી

તીજોરીમાં થી એક રુપીયો કાઢીશ તો તે જગાએ દસ રુપીયા આવી જશે-અને એક રુપીયો

પાછો આવશે તો તીજોરીમાં ૧૦ રપીયા હતા તે એક રૂપીયો થઇ જશે-એટલે હવે જેટલું

આપીશ તારો ફાયદો થશે. હજુ એક વાત કોઇ પાસે કાગળ દસ્તાવેજ સોનુ કાંઇ પણ તારે

માંગવાનુ નહી. બઘા ઉપર ભરોસો કરવાનો અને આમ જ તને એક ના દસ મળશે તેનાથી

સંતોષ રાખવાનો-બોલ મંજુર છે. શેઠે તરતજ હા પાડી દીઘી. લક્ષ્મીદેવીતો ત્યાંથી અદ્રશ્ય થઇ

ગયા.શેઠે જોયુું એક ખેડુત ઘરની બહાર શેઠ ઉઠે તેની રાહ જોઇને ઉભો હતો - શેઠે તેને

અંદર બોલાવ્યો - પહેલા પાણી પાયું - પછી કહે કામની વાત પછી પહેલા તું શિરામણ ખાઇ

લે પછી તારું જે કામ છે તે કરી આપીશ. ખેડૂતતો નવાઇ પામી ગયો આ શેઠ કદી બેસવાનું ન

કહે આજે તો પ્રેમથી બેસાડયો-નાસ્તો પેટ ભરીને કરાવે છે.કાગળીયા માંગતા નથી -ખેર જે

છે તે સામે આવશે. નાસ્તા બાદ શેઠ પુછે છે બોલ તારી જરુરત શું છે. ખેડુત કાગળીયા

મુકીને શેઠને કહે છે કે મારી એકની એક દીકરીના લગ્ન માથે છે મારે ખુબજ ઘુમઘામથી

લગ્ન કરવા છે આપે સહકુટંબ જમવામા આવવાનું છે મને ૨૦ રૂપીયાની જરુરત છે - શેઠ

તરતજ તિજોરીમાંથી ૨૦ રૂપીયા આપે છે.શેઠ આપનો ખુબ ખુભ આભાર. શેઠ કહે તારી

દીકરી તે મારી પણ દીકરી- તું આનંદ થી લગ્ન કરજે. બાકી રકમ બાબત ફીકર કરતો નહીં .

હું તમને ગમે ત્યારે તકલીફ હોય તો મદદ કરવા હંમેશ તૈયાર જ છું.ઘીમે ઘીમે ગામમાં શેઠનું

નામ પ્રખ્યાત થઇ ગયું - બઘા શેઠ પાસે રકમ કઢાવવા ચાલુ થઇ ગયા. શેઠને તો હવે ફીકર

ન હતી -૨૦ આપ્યાતો તીજોરીમાં બસો તો લક્ષ્મીદેવીની ક્રૃપાથી થઇ ગયા. હવે તો શેઠ જે

આવે તેને જે રકમ જોઇએ આપે છે. સારી અગ્તાસ્વાગતા કરે છે અને બઘા સાથે હળી મળીને

રહે છે. ઘીમે ઘીમે ગામમાં વાત ફેલાઇ ગઇ કે શેઠનું મગજ ચસકી ગયું છે વહેલું કે મોડું આ

શેઠ દિવાળુ કાઢશે.ગામમા બે ઠગ રહેતા હતા- તેમણે નક્કી કર્યું કે આપણે સવારના બની

ઠની ને જઇએ અને મોટી રકમ કઢાવી લઇએ, જેથી આખી જીંદગી આપણે કાંઇ કામ કરવાનું

ન રહે-સવારના પહોરમાં બન્ને પહોંચી ગયા-શેઠે પાણી– શિરામણ વિગેરે કરાવ્યું. પછી

કીઘું હુકમ કરો તમોને જે રકમ જોઇએ તે બોલો.પહેલા ઠગે ૧૦૦૦૦ રુપીયા માંગ્યા, તે

વખતના દસ હજાર રુપીયા આજના દસ કરોડ થાય. તો પણ લક્ષ્મીદેવીનુંં વરદાન હતું શેઠે

ખુશી ખુશી થી દસ હજાર રુપીયા આપ્યા. તીજોરી ચેક કરી જયાંથી દસ હજાર રૂપીયા આપ્યા

ત્યાં દસ ઘણા વઘી ને એક લાખ થઇ ગયા. શેઠતો ખુશ ખુશ થઇ ગયા - રોજ દસ રૂપીયા-

વીસ રૂપીયા વાળા આવેતો આખી જીંદગી પુરી થાય આટલા રૂપીયાના બને. મારો તો દિવસ

સુઘરી ગયો. હવે બીજો ઠગ હતો તેને મનમાં થયું કે હું તો કોરો જ રહી ગયો. તેણે પણ

શેઠને કહ્યુંકે તમારી પાસે છુટ હોય તો મને પણ દસ હજાર રુપીયા જોઇએ છે. શેઠતો ખુશ

થઇ દોડીને હજી એક દસ હજાર રૂપીયા લઇ આવ્યા અને તેને આપ્યા. તીજોરીમાં પાછા દસ

ઘણા વઘી ગયા. શેઠ તો આજે ખુબ જ ખુશ ખુશ થઇ ગયા.

હવે બંને ઠગ બાહર આવ્યા-બંનેને એમ કે આ તો સ્વપ્ન લાગે છે હાથમાં ચીંટીયા ભર્યા અને

પછી માન્યુ કે આ તો સાચુ જ છે. આટલા રૂપીયામાં તો આખું ગામ ખરીદી શકાય . પણ કાલે

શેઠ રકમ પાછી માંગવા આવે તો ગામમાં રહેશું તો બઘા શેઠની જ વાત સાચી માનશે એના

કરતા હવે આ ગામ છોડી નવા ગામે જતા રહીએ - અને ત્યાં રાજાની જેમ રહીએ.

બંને ઠગો ગામ છોડી નવા ગામે જાય છે. રસ્તામા વીચાર કરે છે કે પહેલાંતો સારી મોઝડી

બનાવી લઇએ. તે વખતેે અંદર ઘર - બાહર દુકાન તેવી સીસ્ટમ હતી. આજ ની જેમ બાટા

જેેવી દુકાનોની સીસ્ટમ ન હતી. એક મોચીની દુકાને જાય છે બંને.કહે છે તારી મોંઘામા

ંમોંઘી મોઝડી અમારે જોઇએ છે-મોચી કહે ૧૦૦ રૂપીયા એક જોડીના થાશે -પાંચ રુપીયા

એડવાંસમાં આપવા પડશે.બંનેએ પાંચ પાંચ રૂપીયા મોચીને આપ્યા અને મોચીએ માપ

પગનું લઇ મોઝડી બનાવવાનુ ચાલુ કર્યુ. બંને ઠગ ત્યાં એક બાંકડો હતો ત્યાં બેઠા અને

મોચી ઘરેથી ચા-નાસ્તો લઇ આવ્યો તે ખાતા હતા. હવે મોચીની બાજુમાં એક તેલની ઘાણી

હતી. ઘાંચી તો છ ફુટ નો હતો. મોટી મોટી મુછો હતી અને બળદને જોર જોરથી લાકડી

ફટકારતો હતો. બંને ઠગને બળદ પર ખુબજ દયા આવે પણ તેઓ સાડાચાર ફુટના હતા.

કાંઇ કહેવા જાય અને ઘાંચી તેમને જ ઉંચકી ને ફેંકી શકે. એટલે ચુપચાપ જોયા કરવા સીવાય

બીજો કોઇ ઉપાય જ ન હતો. એટલામાં ઘાંચીની પત્નીએ અંદર ઘરમાંથી બુમ પાડી તેને કોઇ

કામ અંગે અંદર બોલાવી લીધો. હવે બંને ઠગને મન થયું કે બળદ પાસે જઇએ તેને લાકડીના

મારથી લીલામાં થઇ ગયા છે જરાપંપાળશુ તો તેને આરામ મળશે. બંને ઠગ બળદ પાસે જાય

છે અને હાથ થી પંપાળે છે. ત્યાં એક ચમત્કાર થાય છે. બળદનુ મોઢું માણસ જેવું થઇ જાય છે

અને બળદ કહે છે કે હું તમારી દયાને લાયક નથી . મારા કરેલા કર્મોની આ મને સજા મળેલ

છે. મારી આપવીતી સાંભળો.ગયા ભવમાં હું અને આ ઘાંચી નાનપણ થી જ મિત્રો હતાં.

સાથે રમતાં - સાથે જમતા - સાથે ભણતાં. કુદરતનું કરવુ અમારા લગ્ન પણ બે સગી બેનો

સાથે થયા. મિત્રૌ હતા- હવે સાઢુ ભાઇ પણ બની ગયા. ભગવાનની કૃપાથી અમને બંનેને

ઘરે પારણુ બંધાયુ- બંને ઘરે એક એક પુત્રીનો જન્મ થયો.સમય જતાં મારી દીકરીનું સગપણ

નક્કી થયું- તે વખતેે મારી પાસે રૂપીયા ન હતા એટલે આજે જે ઘાંચી છે જે મારો મિત્ર હતો

ગયા ભવમાં તેની પાસે ઉધાર સો રૂપીયા લીધા. એણે તો મેં માંગ્યા એટલે તરતજ સો

રૂપીયા આપી દીધા. મારી દીકરીના લગ્ન ખુબજ ધામધુમથી થયા. સારા મા સારો કરીયાવર

કર્યો અને આખા ગામને જમણ પણ કરાવેલ. હવે છ મહીના બાદ તેની દીકરીનું વેવીશાળ

થયું અને લગ્ન તારીખ નક્કી થઇ ગઇ. મારા મિત્રે મારી પાસે લગ્નમાં જરુરત હોવાથી ૧૦૦

રૂપિયા પાછા માંગ્યા. પણ મારા મનમાં પાપ અને લાલચ આવી ગઇ. મે કહ્યું કે કયા સો

રૂપીયા ની વાત કરે છે મેં તો તારી પાસે કોઇ દી કાંઇ લીધુ નથી. મિત્રેતો વાત સાંભળી પણ

મનમા વિશ્વાસ જ ન થાય કે આ મારો જીગરજાન મિત્ર છે- આપણને બહારનું કોઇ છેતરેતો

આટલુ દુઃખ ન થાય પણ પોતાનો જેને ગણ્યો હોય તે જો આમ કરે તો હૃદયમાં ખુબ જ

આઘાત લાગે.અને આ ભાઇબંધનું ત્યાંજ હાર્ટફેઇલ થઇ ગયુ. મિત્રનું મોત જોઇને મારી

અક્કલ ઠેકાણે આવી. મને થયું કે ખુબજ મોટી ભુલ થઇ ગઇ-અને પસ્તાવો કરતાં મારા પણ

પ્રાણ ત્યાંજ ઉડી ગયા. ગામના લોકો તો વાત કરતા થઇ ગયા કે મૈત્રી હોય તો આવી. બંને

એક સાથે જ આ લોક છોડી પરલોકમાં પહોંચી ગયા. અંદરની વિશ્વાસઘાતની વાતની તો

કોઇને ખબર જ ન હતી.. હવે ઉપર યમરાજાના દરબારમાં બંનેનો ચોપડો ખોલવામા આવ્યો

અને સજા થઇ કે આણે તેના મિત્ર સાથે દગોે કર્યો છે એટલે તેને ૧૭ વર્ષ બળદ બનવાનું

અને તેનો મિત્ર ૧૭ વર્ષ ઘાંચી બનીને એને રોજ લાકડીથી મારશે. આટલે આમાંં વાંક મારા

કરેલા કર્મોનો જ છે. આઠ વર્ષ તો થઇ ગયા. હવે નવ વર્ષ બાકી છે પછી મારો છૂટકારો થશે.

ત્યાંતો ઘાંચી આવી ગયો અને બળદનું મોઢું બળદ જેવુું થઇ ગયુ - બંને ઠગ તો ઘાંચીનેજોઇ

જોઇને પાછા મોચી પાસે આવી ગયા.

બંને સાવ શાંત થઇ ગયા અને મનોમન વીચારમાં પડી ગયા કે શેઠેતો આપણું નામ પણ

પુછેલ નથી અને માંગેલી રકમ આપી દીધી છે. આપણે પણ શેઠ સાથે વિશ્વાસઘાત જ કર્યો

કહેવાય અને મરણ બાદ આવતા ભવમાં આપણને જે સજા થાય તે ભોગવવાનું ભારી થઇ

જશે તેના કરતા ઇમાનદારીથી રોટલો ખાયને જીવન કાઢી નાંખશુ. બંને મોચીને કહે કે ભાઇ

અમારે આ મોઝડી નથી જોઇતી તું રૂપીયા પાછા આપી દે. મોચી ને તો ખુબજ ગુસ્સો આવી

ગયો કહે કે મારોતો દિવસ બગાડયો- પાંચ રૂપીયા પાછા ન મળે. જોઇએ તો બાકી ની રકમ

આપી મોઝડી લઇ જાવ. ન જોઇએ તો રવાના થઇ જાવ.

બંને ઠગ પાછા શેઠના ઘરે આવ્યા. શેઠતો જોઇને જ ખુશ ખુશ થઇ ગયા. આવો આવો બેસો.

મારા લાયક કાંઇ કામકાજ હોય તો કહો. બંને ઠગે ગજવામાંથી ૯૯૯૫ રૂપીયા શેઠને પરત

આપ્યા અને બંને કહે છે શેઠજી તમારા પાંચ પાંચ રૂપીયા આપવાના બાકી છે આપ કહો તે

આપનું ઘરનું કે બહારનું કામ કરી તે રકમ પણ વાળી દેશું.શેઠનું મોઢુ તો સાવ નાનું થઇ

ગયું. કારણ આ રૂપીયા તીજોરીમાં મુકવા પડશે અને તીજોરીમાં દસ ઘણા ઓછા થઇ જશે.

પણ લક્ષ્મીદેવીનું વરદાન મુજબ પાછી આવેલ રકમ સ્વીકારવી જ રહી.ઠગે શેઠનું ઘરકામ કરી

રકમ વાળી દીધી-પછી જ તેમને મનોમન શાંતી થઇ.આમા સમજવાનું છે કે વિશ્વાસઘાત

કરવો નહીં. બીજાને આમ કરી આપણે દુઃખ જ આપીએ છીએ-જો સુખ જોઇએ તો દુઃખ

અપાય નહીં..આટલી મોટી રકમ પણ ઠગ સમજી ગયા અને પાછી આપી દીધી. આપણે પણ

આમાથી બોધ લેવો જોઇએ.

ગણ અને ગુણના પતિ એવા ગણપતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે પોતાની

માતા પાર્વતીની અને પિતા શીવજીની પ્રદક્ષિણા કરવાનું ઉચિત્ત માન્યું હતું.

કલેશ થાય તેવું બોલવું નહીં

રોગ થાય તેવું ખાવું નહીં

પાપ થાય તેવું કમાવું નહીં

દેવું થાય તેવું ખર્ચવું નહીં.

મન બગડે તેવું વીચારવું નહીં

જીવન બગડે તેવું આચરવું નહીં .

સંસાર ઘસાય તેનું નામ ધર્મ

પૈસાની મૂર્ચ્છા ઘસાય તે દાન

વાસના મનથી ઘસાય તે શીલ

ખાવાપીવાની ઇચ્છા ઘસાય તે તપ અને

મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૦ પાંચ રત્નો

ચંપાનગરીમાં એક શેઠ રહેતા હતા.નામ હતું ભગવાનદાસ. તેને પાંચ દીકરા હતા.બધા

દીકરાઆજ્ઞાકારી, દેખાવડા અને હોંશીયાર હતા. શેઠની દુકાન કાયમ ઘરાકોથી ભરેલી

રહેતી. ગામમાં પુણ્યશાળી શેઠ તરીકે તથા મોટા ધર્માત્મા ગણાતા. શેઠની સામે જ મકાનમાં

રાજ પુરોહીત શંકેલાલ રહેતા હતા. તેમને એક દીકરો નારાયણ નામે હતો. તે દીકરાને

રમવાનો તથા રખડવાનો ખુબજ શોખ.શંકર દીકરાને ખુબજ સમજાવતો કે બ્રાહ્મણનો

દીકરો જો ભણશે નહીેંતો પછી જીવવા માટે ભીખ માંગવી પડશે.પણ મા કહેછેકે આ ઉમ્રમાં

તો તેને ખાવા ફરવા રમવાના દિવસો છે તો અત્યારથી ચોપડીઓનું વજન આટલા નાના

બાળક ઉપર કેમ નંખાય. માના પ્રેમે નારાયણને ભણવા ન દીધો. તેનું બાળપણ રમત

ગમતમાં પસાર થઇ ગયું. એક વાર તેના મા-બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને નારાયણ

ખૂબજ દુઃખી થઇ ગયો. હવે તો હું એકલો છું શુ કરીશ? હું તો ભણેલો નથી એટલે મારા

બાપાની રાજદરબારની જગા માટે લાયક નથી. એણે દીવાલ પર લખેલ વાંચ્યું કે જે મા

બાપ છોકરાવને ભણાવતા નથી તે જ તેમના મોટા દુશમન છે. હવે મનમાં કહે છે કે જો

મને ભણાવ્યો હોત તો આજે હું કામ વગરનો છું તેમ ન હોત. થોડા દિવસો શોકમાં પસાર

થઇ ગયા. પછી વિચાર કર્યોે કે હજી મારા બાપાના કમાયેલા ખુબજ રૂપીયા છે. મુસાફરી

અલગ અલગ જગાની કરી ને હજી હું આંનદમાં રહી શકીશ. ફરવા જતા પહેલાં ઘરમાંથી

એક ડબ્બો મળે છે. ખોલીને જોવે છે તો તે ડબ્બામાં પાંચ કીંમતી રત્નો હતા. રાજાએ મારા

પિતાજી ઉપર ખુશ થઇને તેમને આપ્યા હશે. તેણે બોક્ષમાં કપડાના તાકાથી વીંંટી લીધા ને

એક સોનાચાંદીના વેપારી પાસે ગયો અને તેની કીંમત પુછી દિકરા આ તો ખુબજ મોંઘા

હીરા છે. મારા ખ્યાલથી એક એક હીરાના તને એક કરોડ સોનામહોર મળશે. મારે વેંચવા

નથી ફકત ભાવ જાણવા માટે હુ તો આવ્યો હતો. હવે તો તે ઘરે આવ્યો અને દિવસના પણ

સ્વપના જોવા લાગ્યો. હવે મારે કમાવાની કોઇ જરુરત નથી.. બહાર ફરીને આવીશ.

પછી એકજ હીરો વેંચીશ તો પણ મારું નવું ઘર, લગ્ન બધુ પતિ જશે અને હું ત્યારબાદ

સુખેથી જીવીશ કાયમ માટે. ભવિષ્યના સપના જોઇને ખુબજ ખુશ થતો હતો. પછી વિચાર

આવ્યો કે હું બહારગામ જાઉં અને કોઇ આ ચોરી કરી લેશે તો - એટલે આને કોઇ સેફ

જગામાં મુકવા પડશે. મારા બાપા શેઠના ખુબજ વખાણ કરતા અને તે તો આપણી સામે જ

રહે છે - પાછો જૈન શ્રાવક છે એટલે આ હીરાનુ બોક્ષ તેમને સાચવવા આપીને બહાર

ફરવા જાઉં. બીજા દિવસે તે કપડામા વીંટી બોક્ષ લઇ શેઠને ઘરે જાય છે. શેઠજી મને તો

ઓળખો છો ને? અરે તું તો શંકર રાજ પુરોહીતનો દીકરો છે.શેઠ જી હું બહારગામ જાવ છું

એટલે આપના ઘરે સાચવવા આ બોક્ષ થોડા દિવસ માટે મુકવું છે.શેઠ કહે બીજાનું કાંઇ પણ

હોય તે આગ સમાન છે હું તો તેને અડવામાં પણ પાપ સમજુ છુ. શેઠજી તમારે કયાં

અડવાનું છે. ફકત સાચવવાનું છે. હું પાછો આવીશ ત્યારે લઇ જઇશ. એટલી મેહરબાની

કરો. શેેઠે એક મેડો બતાવ્યો કે ત્યાં મુકી દે. હું તો હાથ પણ નહીં અડાડું. તેણે મેડામાં બોક્ષ

મુકી દીધો. અને શેઠજીને કહ્યું તમારો ખુબ ખુભ આભાર. હું થોડા સમયમાં જ પાછો

આવીને લઇ જઇશ. હવે ચિંતા થી મુકત થઇ ને તે બધે ફરવા લાગ્યો.દીપાવલીના દિવસો

અગાઉ શેઠના ઘરમાં સાફસૂફીનું કાર્ય ચાલુ થયું.તેવામાં ઉપરથી આ બોક્ષ નીચે પડે છે. શેઠ

ત્યાંજ હતા તેમણે બોક્ષ ખોલ્યું. અંદરના હીરા જોઇને શેઠનું મન લલચાઇ ગયું. હું આમાથી

બે હીરા વેંચુંતો અઢળક સંપત્તિ મળશે. નારાયણ શું કરશે-મારી વાત જ બધા સાચી માનશે.

બે હીરા વેંચી ૨૦૦ લાખ સોનામહોર મળી . તેણે પાંચ માળનું મકાન બનાવ્યું તથા

પોતાના માટે ચાંદીનો રથ ખરીદી લીધો. હવે નારાયણ પાછો આવે છે. સીધો શેઠ પાસે

જાય છે. શેઠતો તેને જોઇને ગુસ્સે થઇ જાય છે. કોણ છે તું? આમ રજા વગર મારા

બંગલામાં આવવાની હીંમત કરે છે. નારાયણ કહે છે શેઠજી તમો મને ભુલી ગયા લાગો

છો. હું રાજ પુરોહીત શંકરનો દીકરો નારાયણ છું તમોને મે એક બોક્ષ સાચવવા આપેલ

હતું તે મને પાછું આપવા વિનંતી છે. શેઠ ગુસ્સે થઇ ને કહે છે કે મને તે કાંઇ આપ્યું જ નથી

તો હું શું પાછું આપુ? શેઠ પોતાના નોકરોને બોલાવે છે અને કહે છે આ ગાંડા માણસને

ઘરમાથી ફેંકી દો. નોકરોએ તો તેને ઉપાડીને બહાર ફેંકી દીધો. નારાયણ બોલ્યા કરે છે શેઠ

મારો દાગીનાનો બોક્ષ તમે પચાવી લીધો છે. હું તમને નહીં છોડુ. પણ નારાયણની વાત

પર કોણ વિશ્વાસ કરે?નારાયણ હવે દુઃખથી ગાંડો થઇ ગયો.રસ્તામાં બુમાબુમ કરે કે શેઠ

ચોર છે મારો દાગીનાનો ડબ્બો ખાઇ ગયા. પણ લોકો કહે આ ગાંડો થઇ ગયો છે આટલા

ધર્મીષ્ટ શેઠ ઉપર ખોટું આળ ચઢાવે છે. શેઠ તો હવે આ જોઇને ખુબજ ખુશ થઇ ગયા કે લપ

ગઇ. આ બાજુ નારાયણ દુઃખ-ભુખથી તબિયતથી લથડી જાય છે અને પહાડ પર જઇને

આપઘાત કરે છે. શેઠને સમાચાર આપઘાતના મળી ગયા એટલે તે તો ખુશ થઇ જાય છે.

હવે કાંટો નીકળી ગયો. હવે પાંચે હીરા મારા છે.અમુક સમય પછી સૌથી મોટા દીકરાના

લગ્ન નક્કી થયા. લગ્ન બાદ વરઘોડીયા ઘરે આવ્યા. ઘરના છ પગથીયા ચઢી ગયા પણ જેવો

સાતમો અને છેલ્લું પગથીયું ચઢવાની કોશીશ કરે છે ત્યાંતો તેની બુમાબુમ ચાલુ થઇ ગઇ કે

મને સાપ કરડયો છે. વેદો બધા આવે છે બચાવવાની ખુબ કોશીશ કરે છે પણ બધી નિષ્ફળ.

આખરે તેના શરીરને અગ્નીદાહ દેવાણો. લોકો વાત કરે છે કે શેેઠે કાંઇક પાપ કર્યુ હશે

તેની સજા જ ભગવાને આપી લાગે છે.હવે બીજા, ત્રીજા અને ચોથા દીકરાના વારાફરતાં

લગ્ન લેવાણા અને દરેક વખતેે પહેલા દીકરાની જેમ કોઇ નાગ દેવતા આવે અને સાતમે

પગથીએ તેને કરડી લેતા હતા. આમ ચારે દીકરા ભગવાનના ઘરે પહોંચી ગયા. ઘરમાં

ચાર વીધવા હતી. પહેલા સીસ્ટમ હતી કે લગ્ન પછી વહુ સાસરે જ રહે અને ત્યારે બીજા

લગ્નનીતો રીત જ ન હતી. શેઠ ખુબજ દુઃખી દુઃખી રહેવા લાગ્યા. ભગવાને મારા ચાર ચાર

દીકરાઓને લગ્નના જ દિવસે લઇ લીધા. આખું ઘર શોકમય હતુ. શેઠ વિચારમાં પડી

ગયા કે મારા કેવા કર્મો હશે જેની સજા પામુ છું. કમાલ છે કે વિશ્વાસઘાતનું મોટું કર્મ કરેલ

છે, બીજાના રત્નો પચાવી પાડયા છે,અત્યારે તો યાદ પણ નથી. દુષ્કર્મ કરોતો તેની સજા

વહેલી કે મોડી પણ ભોગવવી જ પડે છે. સ્વયં ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પૂર્વ

જન્મમાં કરેલ કર્મ - સેનાપતિના કાનમાં ઉકળતું શીશુ નાંખેલ તેની સજા રુપે ગોવાળે

તેમના કાનમાં ખીલ્લા ઠોકેલ. તો પછી આપણે પણ આપણા કુકર્મ ની સજા ભોગવવી તો

પડે જ .ત્રણ ત્રણ વર્ષ થઇ ગયા. દુઃખ નુ ઓસડ દહાડા. એક દિવસ એક વેપારી આવે છે.

શેઠજી આપના નાના દીકરાની લગ્ન કરવાની ઉમ્ર થઇ ગઇ છે. હવે તેના લગ્ન નક્કી કરવા

જોઇએ. શેઠ કહે મારો દીકરો કુંવારો જ સારો છે. મારે તેનુ મોત જોવું નથી. વેપારી

સમજાવે છે કે આ દુનીયામાં જે જન્મ લે છે તેનુ મરણ નક્કી. શેઠ ખીજાઇ જાય છે અને કહે

છે કે તમારી દીકરીને નાની ઉમ્રમાંજ તમારે વિધવા બીજી ચાર વહુઓની જેમ શું કામ કરવી

છે? વેપારી કહે છે કે ભગવાન પર ભરોસો રાખો બધુ સારુ જ થશે. મારી દીકરી ચોક્કસ

તમારા કુટુંબને બચાવી શકશે.મને પુરો ભરોસો છે.આખરે શેઠ લગ્ન માટે તૈયાર થઇ

ગયા.લગ્ન બાદ વરવધુ ઘરના આંગણામાં આવે છે. હવે સાત દાદરા ચઢવાના બાકી છે.

નવી વધુ એ કહ્યું કે શેઠજીને બોલાવો મારે તેમની સાથે દાદરા ચઢતા પહેલાં કાંઇ વાત

કરવી છે એકાંતમા. શેઠજી તરત જ આવે છે. વધુ તો પહેલાં તેમને પગે પડે છે. પછી

તેમને કહે છે કૃૃપા કરી પાંચ રત્નો જે નારાયણ તમારી પાસે મુકી ગયો છે તે લઇ આવો.

શેઠ કહે છે કયા રત્નો-વહુકહે છે, પિતાજી વીચારવાનો સમય નથી. અત્યારેતો આપના

દીકરાનો જીવ બચાવવાનો સમય છે. શેઠ કહે છે કે બેટા તને આ વાતની ખબર કેવી રીતે

પડી? વહુ કહે છે અત્યારે સમય નથી આપ જલદીથી હીરાનો બોક્ષ લઇ આવો સાથે એક

પાત્રમાં ગાયનું દુધ લઇ આવો. શેઠ વહુ કહે તેમ કરે છે. વરવધુ છ દાદરા ચઢી ને અટકી

જાય છે. બધાના જીવ ઉંચા છે કે હમણાં નાગ આવશે અને જીવ જશે. વહુએ સાતમા દાદરા

પર દુધ મુકી દીધું અને દાગીનાનો ડબ્બો ખુલો કર્યો ને મુકયો. પછી પ્રાર્થના કરી કે હે

નાગદેવતા મારા સસરાજીને માફ કરો તેમણે તમારો વિશ્વાસઘાત કરેલ છે. મેહરબાની કરી

આ ત્રણ હીરા છે તે સ્વીકારી લો. ક્રોધની આગથી ક્ષમાના આંસુ બળવાન છે. ક્ષમા એજ

શાંતિ અને પ્રેમનો મંત્ર છે.સ્નેહ અને મૈત્રી ની આધાર શિલા છે. જીવનની લાંબી યાત્રામાં

ક્ષમા એજ નંદનવન છે.અને ત્યારે જ એક મોટો નાગ ત્યાં બધાને દેખાય છે. વહુ તરતજ

હાથ જોડીને તેને વંદન કરે છે અને કહે છે કે હે નાગદેવતા આપની પાસે મારા સોભાગ્યની

ભીખ માંગુ છુ. આપ ક્રૃપા કરી મારા પતિદેવને જીવતદાન આપો.નાગદેવતા પાત્રમાંથી દુધ

પીવે છે અને એક જ હીરો લઇને ચાલ્યા જાય છે. લોકો બધા ખુશ થઇને ફુલોથી વહુને

વધાવી લે છે. શેઠ વધુને પુછે છે કે તને કેમ ખબર પડી આ વાત તો કોઇ પણ જાણતું નથી

. વધુ કહે છે કે પિતાજી તમોને સાચવવા આપેલ પાંચ હીરા તમે પચાવી લીધા અને

નારાયણ મરીને નાગદેવતા બને છે અને આપથી બદલો વાળવા તેણે આપના ચારે

દીકરાનો લગ્ન બાદ જીવ હણી લીધો.પણ આજે મેં તેની માફી માંગી અને તેના હીરા પાછા

આપવા તમોને સમજાવ્યા. પણ શેઠ કહે છે કે તેણે એક જ હીરો કેમ લીધો. વહુ કહે છે કે

ચાર હીરાની બદલે તેણે આપના ચાર દીકરાના જીવ લીધા - એટલે એક જ હીરો લઇને

ચાલી ગયો. હીસાબ બરાબર થઇ ગયો. શેઠ પુછે છે કે તને આ ખબર કેવી રીતે પડી? વહુ

કહેછે કે એક સાધુ મહારાજ આવેલ અને મને બધું કહીને આપના નાના દીકરા સાથે લગ્ન

કરવાનું કહી ગયા હતા.કોઇનો વિશ્વાસઘાત કરો તો તેની સજા ભોગવવી જ પડે છે. માટે

કદી કોઇનો વિશ્વાસ તોડશો નહીં.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૧ કટાક્ષ ભર્યુ હાસ્યનું વીપરીત પરિણામ

બોલતા વખતેે ખાસ ધ્યાન રાખવું જીભને તોલીને એવું જ બોલવું કે જેથી સામા માણસને

સાંભળીને આનંદ થાય એવુ મીઠું જ બોલવું. વારાણસીના ચોકમાં એક ઘોડાગાડી

લક્ષ્મીનીવાસ સામે આવીનેે ઉભી રહી . તેમાથી એક શ્રીમંત વેપારી ઉતર્યા અને પુછે છે કે

લક્ષ્મીચંદભાઇ ઘરમાં છે? આવો સાહેબ - આપ કયાંથી પધારો છો? હું શેઠ લક્ષ્મીચંદને

મળવા આવ્યો છું. મુનીમજી મહેમાનને લઇ શેઠ પાસે લઇ જાય છે. શેઠ કહે છે આવો

ફુલચંદજી . આપનો સંદેશો ગઇકાલે જ મને મળેલ છે. બધું સારુ છે હવે આપની રજા હશે

તો અમને ખુબ જ આનંદ થશે. લક્ષ્મીચંદનો દીકરો શ્રીપતિ કોલેજ થી આવ્યો અને હોલમાં

તેની ઓળખાણ ફુલચંદશેઠ સાથે કરાવાય છે. લક્ષ્મીચંદ શેઠ કહે છે કે આ મારો દીકરો છે

અને આ વર્ષે કોમર્સ કોલેજમાંથી ગ્રેજયુએટ થયેલ છે. શેઠ મારી દીકરી મોહીનીને ભગવાને

આપનાં દીકરા માટે જ બનાવેલ છે. તેઓ તેમની દીકરીનો ફોટો આપે છે. લક્ષ્મીચંદને કન્યા

પસંદ પડે છે એટલે કહે છે મારી પત્નીને ફોટો બતાવી આપને જવાબ આપીશ. ત્યાં સુધી ચા-

નાસ્તો કરીએ. ફુલચંદશેઠ પછી આપના જવાબની રાહમાં છું કહીને નીકળી ગયા.

થોડા જ દિવસોમાં લક્ષ્મીચંદે હા મા જવાબ મોકલાવી આપ્યો. અનેએક શુભ દિવસે શ્રીપતિના

લગ્ન મોહીની સાથે ધામધુમથી થઇ ગયા. નવા પરણેલા દંપતિ હનીમુન માટે એક હીલ

સ્ટેશન ફરવા ગયા. પાછા આવ્યા. ત્રણ મહીના બાદ શેઠે પોતાના પુત્રને કહ્યું કે હવે ઓફીસે

આવવાનું ચાલુ કરો અને તારી પત્નીને પણ હવે ઘરકામમાં તારી મા ની મદદ કરવાનું ચાલું

કરવુ જોઇએ. લક્ષ્મીચંદના પત્ની કમલા શેઠને કહે છે કે તમારેતો મારા જવાન દીકરાને

ઓફીસમાં બેસાડી નફો જ કરવો છે. હજીતો તેના હરવા ફરવાના દિવસો છે. ધંધા માટેતો

આખી જીંદગી પડી છે. શેઠ કહેછે હું નફા માટે નથી કહેતો પણ મારા જીવતા ઓફીસમાં

આવશે તો તેને સારો અનુભવ મળશે. ભવિષ્યમાં મને કાંઇ થાય તો તેને બધુ કામ સહેલું

પડશે. શ્રીપતિ કહે છે પિતાજી હું કોમર્સમાં ભણેલો છું એેટલે તમો કોઇ ચીંતા કરશો નહીં .

જે દિવસથી હું ઓફીસમાં આવીશ ત્યારથી જ બધુ કામ હું સંભાળી લઇશ. તમો નાહકની

ચીંતા કરો છો. દીકરા ધંધો ફકત ડીગ્રીથી નથી ચાલતો એના માટે અનુભવ જરુરી છે. તે

છતાં તારી મરજી.

હવે શ્રીપતિ તથા મોહીની પટણા જાય છે. તેમની ખુબજ સરસ આગતા સ્વાગત કરાય છે.

મોહીનીની મા તારા પુછે છે કે દીકરી સાસરામાં કેમ છે બધુ. દીકરી કહે છે કે મારા સાસુ

ખુબ જ સારા છે. તે મને ખુબજ પ્રેમ કરે છે અને ઘરનું મારે કાંઇ કામ કરવાનું નથી . મારે

તો જીવનનો આનંદ લેવાનો આ સમય છે. પણ મારા સસરાજ ખુબ જ લોભી છે. તે તો

મારા પતિને અત્યારથી જ ઓફીસમાં બેસવાનું કહે છે. ત્યાંજ શ્રીપતિ આવે છે અને વાતચીત

બંધ થઇ જાય છે. શ્રીપતિ કહે છે કે આપણે તરતજ વારાણસી જવું પડશે. પિતાજીની તબીયત

બરોબર નથી એમ સંદેશો આવેલ છે. મોહીની માની નહીં અને આખરે શ્રીપતિ એકલો જ

પાછો આવી જાય છે. ઘરે આવે છે તો ખબર પડે છે કે પિતાજી ને તો હોસ્પીટલમાં દાખલ

કરેલ છે. પાંચ દિવસમાં શેઠ ગુજરી જાય છે અને તેની પત્ની કમલા પણ બીજે જ દિવસે

ગુજરી જાય છે. શ્રીપતિના સાસુ-સસરા-મોહીની હવે આવે છે અને શ્રીપતિને હીંમત રાખવા

જણાવે છે.બાર દિવસબાદ સાસુ-સસરા પાછા પટણા ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી

શ્રીપતિએ ઓફીસ જવાનું ચાલુ કર્યુ. તેને આ દેશી ઢબની ઓફીસ ન ગમી. તેણે પોતાના માટે

એક આધુનીક ઓફીસ બનાવી.

એક દિવસ તેના ચીફ મુનીમજી શ્રીપતિની ઓફીસમાં આવે છે અને કહે છે, શેઠજી મારી

દીકરીના લગ્ન નક્કી થયા છે મારે એક મહીનાની રજા જોઇએ છે. અને મારે લગ્ન માટે

એડવાંસ રૂપીયા જોઇએ છે. શ્રીપતિ કડક થઇને કહે છે અત્યારે બીઝનેસ સીઝન છે એટલે

રજા આપવાનો કોઇ ઇરાદો જ નથી. એક સ્ટાફ માટે હું નિયમ બદલાવી ન શકું. નીરાશ

થઇને મુનીમ દયાનંદ શેઠની કેબીન માં થી બાહર નીકળી જાય છે. દયાનંદે પોતાની પત્નીના

દાગીના વેંચી લગ્ન પતાવ્યા.પંદર દિવસમાં ઓફીસમાં પાછા કામે આવી ગયા. શેઠ તેને

કેબીનમાં બોલાવે છે અને કહે છે કે મેં રજા ન આપેલ તો પણ તમારી મેળે જ રજા લઇ લીધી.

હવે તમારી આ ઓફીસમાં જરુરત નથી તમો કામ છોડીને કાયમની રજા લઇલો. આંખમાં

આંસુ સાથે દયાનંદ બાહર નીકળી જાય છે. આ વાતની ઓફીસમાં બધાને ખબર પડે છે

એટલે જુના બધા માણસોએે નક્કી કર્યુ કે આપણે હવે અહીંયાથી એક સાથે કામ છોડી દઇએ.

બીજે દિવસે બધા શેઠ પાસે આવે છે અને કહે છે કે શેઠજી અમો હવે બુઢઢા અને શારિરીક

રીતે નબળા થઇ ગયા છે અમોને પણ રજા આપવા વિનંતી છે. શ્રીપતી ગરમ થઇને કહે છે કે

તમો બધા અત્યારથી જ કાયમ માટે રજા લઇ શકો છો. બજારમાં વાત થવા મંડી કે શેઠ

લક્ષ્મીચંદના દીકરા એ બધા જુના માણસોને કાઢી મુકયા છે ને નવા બીન અનુભવી માણસો

જેને ધંધાનો ક ખ ગ પણ આવડતો નથી તેવા માણસોથી હવે ધંધો કેમ ચાલશે. થોડાક

દિવસમાં શ્રીપતીનું બજારમાં માન ખતમ થઇ જાય છે અને લેણદારો ઉઘરાણી કરવા લાગ્યા.

શ્રીપતીએ નવા મુનીમને કહ્યું કે મને લેણદારોની યાદી તથા આપણી ઉઘરાણીની યાદી

બનાવીને આપો.નવા મુનીમે કહ્યું કે હજી મને નામાની બધી ખબર નથી એટલે સમય લાગશે.

હવે લેણદારો શ્રીપતીના ઘરે આવવા લાગ્યા અને એની જ લખેલ પો્રમીસરી નોટ બતાવી

ઉઘરાણી કરવા લાગ્યા.બધાનું લીસ્ટ જોઇ શ્રીપતી કહે છે કે મારી ઉઘરાણી આવે એટલે

આપના રુપીયા આપી દઇશ. બધા લેણદારો કહે છે કે અમોને અમારી રકમ પાછી જોઇએ છે.

તમોગમે તેમ કરો પણ અમોને અમારા રૂપીયા ચુકવી દો.શ્રીપતી એક અઠવાડીયાનો સમય

માંગે છે. ઘરે તે ગુમસુમ થઇ ને પડયો છે એટલે તેની પત્ની મોહીની કહે છે શું વાત છે.

શ્રીપતી કહે છે લેણદારો માથે બેઠા છે અને અઠવાડીયામાં રકમ ચુકવવાની છે. તારા

દાગીના વેંચીને ચુકવણીનો એક જ ઉપાય છે બીજો કોઇ રસ્તો નથી. મોહીની ગુસ્સામાં બધા

દાગીના આપે છે કે ઠીક છે તમો આને વેંચી દો. બધા દાગીના વેંચવાથી થોડું દેવુ ઓછું થયું

પણ હવે તો ઘર અને ઓફીસ પણ વેંચવા પડયા. શ્રીપતી એ ભાડાનું નાનુ એવુ ઘર લઇ

લીધુ. મનમા ખુબજ વીચારે છે કે મેં તો સટ્ટો કે જુગાર કાંઇ નથી

કર્યુ તો આમ કેમ થયું. તે પોતાના ખ્યાલોમાં ખોવાઇ ગયો. તેને પોતાની જુની વાત યાદ

આવી બધા અનુભવી માણસોને કાઢી નાંખ્યા અને નવા બીન અનુભવી માણસોને રાખ્યા

એટલે ઉઘરાણી બધી ડુબી ગઇ અને લેણદારોએ મને રસ્તા પર કરી દીધો. હવે તેને ખુબજ

પસ્તાવો થયો. ત્યાંજ તેની પત્ની ઝાડુ લઇને આવે છે મારા થી આ ઘરમાં રહેવાતું નથી અને

મને આવું ઘરકામ કરવું ફાવતુ નથી મને પીયર પટણા મોકલી આપો. શ્રીપતી કહે છે અત્યારે

હું ખુબજ મુશકેલીમાં છુ તારે પણ જવું છે ખેર હું તને મોકલવાની અરેંજમેંટ કરુ છું. છ

મહીના પછી તે પોતાના સસરાને કાગળ લખે છે કે હવે કામકાજ સારું છે હું ત્યાં આવી શકું

તેમ નથી નમો મોહીનીને મોકલી આપોતો મારો જમવાનો પ્રોબલમ મટી જાય. જીદદી

મોહીની એ જવાની ના પાડી દીધી કે એવા ઘરમાં મને રહેવુ ફાવતું જ નથી . બે મહીના થઇ

ગયા મોહીની ન આવી એટલે શ્રીપતી જ તેને તેેડવા પટણા પહોંચી ગયો. મોહીનીના મા

બાપે તેને સમજાવી કે હવેતો દીકરી તારે જવુ જ પડે. ગુસ્સામાં જ મોહીની જવા તેૈયાર થઇ

પણ ટે્રનમાં શ્રીપતી જોડે કાંઇ વાત જ કરતી નથી. શ્રીપતી કંટાણીને ડબ્બાના દરવાજા પાસે

ઉભો રહી ગયો કમ સે કમ થોડી તાજી હવા ખાવાતો મળશે. મોહીનીના મનમાં પાપ ભરાયું

આનાથી છુટવાનો ઉપાય એને ધકકો મારી દઉ તો જ હું છુટીશ.

ત્યાંં જ ટે્રન એક નદી ઉપર પુલથી પસાર થાઇ છે. મોહીનીએ ચુપચાપ શ્રીપતીની પાછળ

ઉભી રહી અને એકદમ જોરદાર ધકકો મારી તેને ગાડી ની બહાર ફેંકી દીદો. શ્રીપતી નદીમાં

પડી ગયો - મોહીની તે જોઇને પાછી તેની જગા પર આવી ગઇ. શ્રીપતીએ મનને કાબુમાં

રાખી પાણીમાં તરવાનું ચાલુ કર્યુ. સવારનો સમય હતો. એક વેપારી સવારના રોજ ફરવા

આવતો. તેણે જોયું કે પાણીમાં કોઇ છે. તેણે તરતજ બુમાબુમ કરી કે પાણીમા કોઇ છે તેને

બચાવો. બે જણા તરતજ કુદી પડયા ને શ્રીપતિ ને બચાવી લીધો. શ્રીપતિનેે બધા પુછે છે

તમે કેમ નદીમાં પડી ગયા. શ્રીપતિ મનમાં કહે છે કે મારી પત્નીએ ધક્કો માર્યો તેમ કહવું

ઠીક નથી . તેણે કહ્યું કે ટ્રેનમાં ખુલ્લા દરવાજાથી જોતો હતો ત્યાં મારું બેલેંસ ચુકી ગયો અને

નદીમાં પડી ગયો. કાંઇ વાધો નથી મારી ઘોડાગાડી અહીંયા જ છે તમો મારા ઘરે આવો.

આરામ કરો પછી તમારી મંજીલ તરફ પ્રયાણ કરજો.

ધર્મચંદ શેઠ પુછે છે કે તમો કયાંથી આવો છો અને તમારા ઘરમાં કોણ કોણ રહે છે.

શ્રીપતિએ પોતાનું નામ જણાવ્યું અને કીધું કે હું તો એકલો જ છું અને નોકરી ની શોધ કરું

છું. અને વારાણસીમા રહેતો હતો. શેઠે કીધું કે ફીકર કરશો નહીં . મારો કાપડનો ધંધો છે.

શેઠે તરતજ પોતાના નોકરને બોલાવી ને કીધું કે આ ભાઇ આપણા મહેમાન છે. તેને

આપણા ગેસ્ટહાઉસમાં રહેવાની સગવડ કરો અને રસોડામાંથી જમવાનું મોકલો. શ્રીપતિએ

મનોમન ભગવાનનો આભાર માન્યો અને મનોમન વિચાર્યું કે એક તરફ પત્ની ધક્કો મારીને

ફેંકી દે છે તો બીજી તરફ એક સાવ અજાણ્યા શેઠ તેને રહેવાનું- જમવાનું– નોકરી બધું આપે

છે. તેણે શેઠજી ની દુકાનમાં ખુબ મહેનત થી કામ કરવાનું ચાલુ કર્યું. શેઠ પણ એનાથી ખુશ

હતા. બીજા વિશ્વયુધ્ધ વીશે છાપામાં વાંચ્યુ અને શેઠજીને કીધું કે દુકાનમાં માલ ભરી રાખશો

તો આપણને ખુબ જ લાભ થશે. શેઠે તેના કહેવા મુજબ સારો એવો માલ ભરીને રાખ્યો.

લડાઇ ચાલુ થઇ અને બધા ભાવ ખુબ જ વધી ગયા. જેનો ખુબ જ લાભ શેઠને થયો.

શ્રીપતિએે શેઠને કીધું કે હવે મેં સારી એવી કમાણી કરી છે અને મને બનારસ બહુજ યાદ

આવે છે આપ રજા આપો તો ત્યાં જઇ હું વેપાર કરીશ. શેઠ તેનાથી ખુશ હતાં અને સારા

એવા રૂપીયા આપે છે અને કહે છે મારું ઘર તારા માટે કાયમ ખુલું જ છે જયારે મન થાય

ત્યારે પાછો આવી શકે છે. તે છતાં ત્રણ વાત કરું છું જે મુજબ જીવનમાં કરીશ તો ખુબ જ

આગળ આવી જઇશઃ૧.કયારે જીવનમા ખોટું બોલવું નહીં-હંમેશા સત્ય જ બોલવું.૨.બીજું -

કદી કોઇનું અપમાન ન કરવું.૩.ત્રીજું -કદી કોઇની ખાનગી વાત કોઇને કહેવી નહીં.

શ્રીપતિએ ત્રણેે વાત મનમા રાખી લીધી અને નક્કી કયુર્ંં કે શેઠે કીધા મુજબ જ કાયમ કરવું

પછી શેઠની રજા લઇને બનારસ જવા નીકળી ગયો.બનારસ પહોંચી પહેલાતો પોતાનું ગીરવી

મકાન રકમ ચુકવી છોડાવી લીધુ. પછી પોતાની જુની ઓફીસ પણ ખરીદી લીધી. પછી

પોતાના જુના મુનીમજી દયાનંદ પાસે જઇ માફી માંગી અને ઓફીસમાં પાછા આવવા વીનંતી

કરી. બીજે જ દિવસે મુનીમજી ઓફીસમાં આવી જોડાઇ ગયા અને ધીમે ધીમે જુનો સ્ટાફ પણ

પાછો આવી ગયો. હવે એનું કામકાજ સારું ચાલવા લાગ્યું. મનમાં વીચાર કર્યો કે કદાચ

મારી ગરીબીને કારણે જ મોહીનીએ મને નદીમા ફેંકી દીધો હશે મારે બધું ભુલી ને તેને પાછી

બોલાવવા પટણા જવું પડશે. ચાર નોકરને લઇ અને ખુબ જ ભેંટ લઇને પટણા જવા શ્રીપતિ

રવાના થાય છે. મોહીનીના મા બાપ જમાઇને જોઇને ખૂબજ ખુશ થયા અને મોહીનીએ

જાણ્યું કે હવે મારા વર પાછા શ્રીમંત છે એટલે સાથે પાછા જવા તૈયાર થઇ ગઇ. પીયરમાં

જાજુ રહેવાથી માન પણ ઓછું થઇ ગયુ હતું અને એકલવાયી જીંદગીથી કંટાળી પણ હતી.

ચાર પટારા ભરીને શ્રીપતિ મોહીની માટે ભેંટ લાવેલ-એકમાં ભારી સાડીઓ-બીજામાં ઘરેણાં

જાતજાતનાંત્રીજામાં મેકપનો સામાન અને ચોથામાં રોકડા રૂપીયા. મોહીનીને મનમાં ડર

હતો કે કોઇને કહેશે કે મેં એમને નદીમાં ફેંંકી દીધા તો હું કોઇને મોઢું બતાવી શકીશ નહીે

પણ શ્રીપતિતો ખુબ જ પ્રેમથી તેની સાથે વાત કરે છે અનેકહે છે કે ભગવાનની મેહરબાનીથી

આપણે પાછા શ્રીમંત બની ગયા છે અને હવે તને ઘરમાં જરાય દુઃખ નહીં પડે અને આપણે

આનંદથી રહેશું. શ્રીપતિ બધું ભુલી ગયોે લાગે છે અને મને ખુબ જ પ્રેમ કરે છે એટલે હવે

બધું ભુલીને સંપીને રહેવામાં જ સાર છે.સમય જતાં મોહીનીને એક દીકરાનો જન્મ થાય છે

અને શ્રીપતિ એ ખુબ જ ધુમધામથી તેનો જન્મ ઉજવ્યો. દીકરાનું નામ શ્રીધર રાખ્યું. શ્રીધર

પણ મોટો થતો જાય છે અને તે પણ ગ્રેજયુએટ થઇ ગયો અને તેના માટે સારા સારા ઘરથી

માંગા લગ્ન માટે આવવા લાગ્યા. એક દિવસ પટણાથી શેઠ રુપચંદ પોતાની દીકરી પદમાનું

માંગુ લઇને આવે છે શ્રીપતિના ઘરે અને કહે છે કે મારી એક જ દીકરી છે અને મારી બધી

મુડીની તે જ વારસદાર છે અને તે પણ શ્રીધર જેટલું ભણી છે. મોહીની આ વાત સાંભળી

તરત તૈયાર થઇ જાય છે અને શ્રીપતિને કહે છે આટલી સારી વાત સ્વીકારી લેવી જોઇએ.

શ્રીપતિને પદમાના જીદદી સ્વભાવની ખબર હતી પણ મનમાં થયું કે બધાનું મન છે તો પછી

મારે પણ હા પાડવી જ બરોબર છે. એક સારા મુર્હતેે લગ્ન થઇ જાય છે અને ઘરમાં પદમા

વહુ આવી જાય છે. પદમાને ઘરકામ ગમતું નથી . તેણેતો મોજશોખ-હરવા-ફરવા-ખરીદી

સીવાય કદી કોઇ કામ કર્યુ નથી. એક દિવસ મોહીની પદમાને કહે છે કે હવે તમે ઘર

સંભાળી લો - મારે મારું બાકીની જીવન ઘાર્મીક રીતે પસાર કરવું છે. પદમા તરતજ કહે છે કે

હું કાંઇ નોકરાણી નથી. મારીતો હજી ફરવાની ઉમ્ર છે. હું કામ કરું અને તમારે આરામ

કરવો છે. આ સાંભળી મોહીની ચુપ થઇ ગઇ.તેને પોતે પોતાની સાસુ સાથે આવું જ વર્તન

કરેલ તે યાદ આવે છે. જેવી કરણી તેવી ભરણી-જેવું વાવો તેવું લણો. રક્ષાબંધનનાં રોજ

પદમાના ભાઇ મોહનને જમવાનું તથા રાખી બાંધવાનું આમંત્રણ આપેલ. શ્રીપતિ - શ્રીધર

તથા મોહન જમવા બેઠા હતાં. સૂરજનાં કિરણો રસોડાની એક બારીમાંથી સીધા શ્રીપતિના

મોઢા ઉપર પડતાં હતા. તે જોઇને મોહીનીએ વિચાર્યુ કે બારી બંધ કરવાથી અંધારુ થઇ જશે

એટલે પોતાની સાડીનો પાલવ આડો ધરી રાખ્યો જેથી શ્રીપતિ આરામથી જમી શકે. શેઠને

જુની વાત નદીમા ફેંકી દીધો તે યાદ આવે છે અને આજે તેજ તેના આરામ માટે તત્પર છે.

સમય કેવો બદલાય છે. અને તેને હસવું આવી ગયું. પદમા પણ ત્યાં જ હતી એને મનમાં

થયું કે મારી સામે જોઇ સસરાજી હસી રહ્યા છે. શ્રીપતિને હસતાં જોઇ મોહીની પણ હસી .

પદમા ચોરીછીપીથી બધુ જોઇ રહી હતી તેના મનમાં થયું કે અત્યાર સુધી સાસુ મને

સતાવતા હતાં, હવે સસરાજી પણ તેની સાથે જોડાઇ ગયા. તે જમવાનું ફેંકીને તેના રુમમાં

જતી રહી ગુસ્સામાં. આ જોઇ શ્રીધર અને મોહન ઉભા થઇને તેના રુમમાં શું વાત છે પુછવા

ગયા? પદમાને પુછે છે શું થયું પણ તે કાંઇ બોલતી નથી - બે દિવસ પલંગમાંજ સુતી રહી.

શ્રીધરના વારંવાર પુછવાથી તેને કહે છે કે અત્યાર સુધી સાસુજી પરેશાન કરતા હતા, હવે

સસરાજી પણ જોડાઇ ગયા. શ્રીધર કહે મારા પિતા માટે આવી ફાલતું વાત બરોબર નથી..

ાદમા કહેછે કે રક્ષાબંધનને દિવસે તમો ત્રણે જમતાં હતા ત્યારે સાસુજીએ સાડીનો પાલવ

ધરી છાંયો આપ્યો. પછી બંને મારી સામે જોઇ હસવા લાગ્યા. મને કહો કે શું કામ સસરાજી

હસ્યાં મારી સામે જોઇને? જયાં સુધી હસવાનું કારણ મળશે નહીંં ત્યાં સુધી હું જમીશ નહીં..

શ્રીધરે ખુબજ સમજાવવાની કોશીશ કરી પણ પદમા તેની જીદ પકડીને જ રહી.. આખરે

શ્રીધર કહે છે કે હું પાપા ને પુછી તને જણાવીશ હસવાનું શું કારણ હતું. બીજે દિવસે

ઓફીસમાં પાપાને પુછે છે કે રક્ષાબંધનને દિવસે તમો જમતી વખતેે હસ્યા તેનું કારણ

જણાવશોજી. મારા સમ છે ન જણાઓ તો. શ્રીપતિએ દીકરાની જીદ સામે મા એ નદીમા ફેંકી

દીધો તથા ધર્મદાસશેઠે કેટલી મદદ કરી બધું જ કહી દીધું અને દીકરાને કહ્યું કે આ વાત

કોઇને કરવી નહીં. શ્રીપતિને ધર્મદાસશેઠની વાત યાદ આવી કે કદી કોઇની ખાનગી વાત

જાહેર કરવી નહીં પણ દીકરાએ સમ આપ્યા એટલે કહેવું પડયું કરીને મન મનાવ્યુ. હવે

પદમાએ ગમે તેમ પટાવીને શ્રીપતિ પાસે વાત કઢાવી લીધી . શેઠજી પદમા પર નહોતા

હસ્યા, પણ મોહીની ઉપર હસેલ, કારણકે નદીમાં ફેકનાર પણ તે અને જમતી વખતેે સાડીનો

પાલવ શેઠની આંખમા તડકો ન પડે તે પણ તેજ. શ્રીધર ઓફીસ જાય છે. પણ પદમા હવે

ખુબજ ખુશ હતી તેની સાસુની ખાનગી બધી વાત તેને ખબર પડી ગઇ. હવે મારા સાસુ મારી

સામે જરા પણ અવાજ કરી નહીં શકે જયાં સુધી તે જીવશે મારાથી ડરશે. અમુક દિવસ પછી

પદમાને ઝગડો કરવા કારણ મળી ગયું તેણે રસોડામા જઇ વાસણો ફેંકવા માંડયા. ખુબ જ

અવાજ થયો એટલે સાસુ જોવા આવે છે. પદમા જોરજોરથી સામું બોલવા લાગી. તેની સાસુ

એ કહ્યું કે તારું માથું ફરી ગયુ લાગે છે. પદમા કહે છે કે મારું મોઢું ખોલાવો નહીં , નહીંતો

ન થવાનુ થશે. ઘરના બધા નોકરો પણ દોડીને આવી ગયા ત્યાં. પદમા તેની સાસુને કહે છે

કે હું મોઢું ખોલીશતો તમે તમારું મોઢું બતાવી નહીં શકો. હવે મોહીની ગુસ્સામાં કહે છે

તારું મોઢું ખોલ . મારે કાંઇ ડરવાનું નથી. પદમા કહે છે કટાક્ષમાં કે તમે જ તમારા પતિ

જયારે ગરીબ થઇ ગયા ત્યારે ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી નદીમા ફેંકી દીધા હતા. પછી ભલે

તે જીવે કે મરે. મોહીનીની આંખે અંધારા આવી ગયા. હવે તો બધાને ખબર પડી ગઇ છે.

તરતજ પોતા રુમ પર જાય છે. અત્યાર સુધી કોઇને ખબર ન હતી હવે તો ઘરમાં નોકરોને

પણ ખબર પડી ગઇ અને હવે ધીમે ધીમે આખા ગામમાં આ વાત ફેલાઇ જશે. બધા મને

ધુત્કારશે અને મને ખુની કહેશે. મોત જ હવે જીવન કરતાં સારુ છે. તેણે સાડીનો એક છેડો

ઉપર એક હુક હતું તેમા બાંધ્યો-એક ખુરશી લીધી-ગળે ફાંસો બનાવી નાંખી દીધો. હવે

ખુરશીને લાત મારી દૂૂર કરે છે અને આ રીતે પોતાના જીવન નો અંત લાવે છે.હવે બપોરના

શ્રીપતિ ઘરે જમવા આવે છે. ઘરમાં વાતાવરણ ખુબજ શાંત હતું એટલે પોતાની રુમમાં જાય

છે -અને મોહીનીની દોરી બધી કાપી નાંખે છે અને નાડી તપાસે છે. મન વિચારમાં પડયું

એવું તો શું થયું હશે કે આણે આપઘાત કરવો પડયો. પછી મનમાં ખ્યાલ આવ્યો કે શ્રીઘરને

મેં કહ્યું અને તેણે પદમાને કીધું હશે અને પદમા ઝગડો કરતાં બધુ બોલી ગઇ હશે જે ઘરના

નોકરોને પણ ખબર છે. મારો જ વાંક છે - હવે હું પણ મરી જાઉં. તે પણ આપઘાત કરે છે

આવીજ રીતે.ત્રણ વાગે દીકરો જમવા આવ્યો પણ કોઇ જમ્યું નથી એટલે તે પણ મા બાપને

બોલાવવા ઉપર ગયો. બંનેને આપઘાત કરીને મરેલા જોયા. તેને લાગ્યું કે મારો જ વાંક

છે. હવે મારે પણ જીવીને શું કામ ? તેણે પણ આપઘાત કર્યો - હવે નીચે પદમા બધાની

રાહ જોતી બેઠી હતી આખરે થોેડા સમય પછી તે પણ ઉપર રુમ મા ગઇ અને ત્રણે ને મરેલા

જોયા. તેને થયું કે હું જ પાપી છું મારા કટાક્ષ ભર્યા શબ્દોથી ત્રણ જીવ ગયા છે હવે મારે પણ

એકલા રહીને શું જીવવાનું. તેણે પણ ત્યાં જ આપઘાત કરી લીધો. પાંચ વાગી ગયા નોકરો

ચીંતામાં પડી ગયા અને બધા સાથે જાય છે તો ચાર ચાર લાશ પડી છે. પોલીસને બોલાવ્યા

ને પદમાનો તેની સાસુ સાથે ઝઘડો થયો તેના કટાક્ષ ન સહન થતાં આ બધા મરણો થયેલ

છે. બધા એ વારાફરતાં આપઘાત કરેલ છે કારણ કટાક્ષમય વચનથી આખું કુટુંબ ખતમ થઇ

ગયું. આ વાર્તા આપે વાંચી જેમાં સમજણ ભેર જીવી ન શકે તો છેલ્લો આપઘાત કરવો જ

રહ્યો . એટલે એક નિયમ લેવો કે કદી કોઇની ગમે તેવી ખાનગી વાત હોય કદી બોલવી જ

નહીં. જીભ ભગવાને આપી છે તો ખુબજ તોલી તોલી ને બોલવાનું રાખવું. નહીંતર આખું

કુટુંબ આપઘાત કરે છે એવો વારો કદી કોઇનો આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. મૃત્યુ

સમયેખુલ્લા આકાશ તળે, તમારી વિરાટતાનું, તમારા સત્યનું, તમારા પ્રકાશનું, તમારા

પ્રેમનું ધ્યાન ધરતાં મારી આંખો આનંદથી મીંચાય, એવું કરજો હે પરમાત્મા. દૂધ ભલેને

વીસ લિટર જેટલું છે, લીંબુનાં માત્ર બે-ચાર ટીપાં એનામાં પડે છે અને બધું જ દૂધ ફાટી જાય

છે. રૂમમાં અંધકાર ભલે ને ગાઢ છે, સૂર્યનું એક જ કિરણ અંદર પ્રવેશે છે અને ગાઢ અંધકાર

પણ રવાના થઇ જાય છે. તપશ્ચર્યાની મૂડી ભલે ને તમારી પાસે જબરદસ્ત છે, માત્ર બે-ચાર

વખતનું જ અત્યંત આસકિતપૂર્વકનું તમારું ભોજન, તમારી તપશ્ચર્યાની એ મૂડીને રફેદફે

કરી શકે છે. કુસંસ્કારો અને કર્મોનું જોર આત્મા પર ભલેને ભારે છે, માત્ર અંતર્મુહર્તનું

તમારું શુકલધ્યાન તમારા આત્માને કુસંસ્કારો-કર્મોથી મુકત કરી શકે છે. પ્રભુ! આપ એવી

કૃપા વરસાવો અમારા પર કે અમે ધર્મને પાપથી કયારેય બાધિત થવા ન દઇએ અને પાપને

સતત ધર્મ દ્વારા બાધિત કરતા જ રહીએ.નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનોપંથ. અશુભ વિચારોથી

અશુભ કર્મ - અશુભ કર્મથી પાપ - પાપથી દુઃખ. આપણા દુઃખનુંસર્જન આપણાં જ હાથે

થઇ રહ્યું છે. દુઃખ ન જોવેતો શુભ વિચારોજ કરો.ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરું

કરો એટલે પાપો પોતાના બિસ્ત્રા પોટલા લઇને ભાગશે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે

તેમ. પ્રભુના નામ થી જ પાપ ભાગે. અશુભ સ્પર્શ અશુભ અસર કરે. શુભ સ્પર્શ શુભ

અસર કરે. તાંબા ને સુવર્ણ રસ નો સ્પર્શ થાય તો તે સોનુ થઇ જાય છે એમ કહેવાય છે. આ

પ્રભાવ સ્પર્શનો છે. પ્રભુનો સ્પર્શ ન મળે ત્યાં સુધી આપણે તાંબુ છીએ. ભગવાનનો સ્પર્શ

થતાં જ આપણો પામર આત્મા પરમ બની જાય. અપ્રકાશિત દીવો પ્રકાશિત દિવાના સ્પર્શ

વિના પ્રકાશિત ન બની શકે તેમ પ્રભુના સ્પર્શ વિના આપણો આત્મા પરમ આત્મા ન બની

શકે.પ્રભુ - માણસ - પશુ વચ્ચે આપણે વચમાં છીએ. માણસે વિચારવાનું છે કે તેને ઉપર

જવું છે કે પશુ-ઢોરની જેમ જીવવું છે.કેવું જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે. સળગતાં

ઘરમાં થી વાણિયો રત્નની પોટલી લઇને તરતજ નીકળી જાય તેમ મૃત્યનાં સમયે સળગતાં

શરીરમાંથી નવકારરુપી રત્નની પોટલી લઇને આપણે નીકળી જવાનું છે. આજના મોેર્ડન

મા-બાપ પોતાના સંતાનને ઘોડીયા ઘરમાં મોકલે છે અને એ જ સંતાન કાલે તમને

ઘરડાઘરમાં ન મોકલે તો મને કહેજો. અહંકારની પાઘડી ઉતારીશું તો જીવતરનો મર્મ સમજતા

લાગશે માત્ર પા - ઘડી. ધર્મ સંસાર તરવા માટે - પાપ ખપાવવા માટે કરવાનો છે. ધર્મનો

પ્રારંભ શ્રદ્વાથી એટલે દર્શનથી , વિકાસ સમ્યગજ્ઞાનથી, પરિણામ ચારિત્રથી અને ઊત્તમ ફળ

તપથી મળે છે. જયારે જે પરિસ્થિતિ આવે તેમાં આનંદ માણવો ને હંમેશા હકારાત્મક વલણ

રાખવું. હતાશ ન થવુ. જે થાય છે પ્રભુની ઇચ્છાથી જ થાય છે. જે થાય છે તમાં ખુશ રહેવું.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૨ નિયમ નો ફાયદો

પાળ વગરનું તળાવ, કિનારા વગરની નદી અને તાર વગરની સિતાર ખલાસ થાય છે. બંધન

(નિયમ વિરતિ) વગરનું જીવન ખતમ થઇ જાય છે. નિયમમાં રહેશો તો જ આપણા મન

ઉપર કાબુ - સંયમ રહેશે.

એક શેઠ શેઠાણી. તેમને એક દિકરો ૧૨-૧૩ વર્ષનો પણ ધર્મમાં જરાય રસ નહીં.શેઠશેઠાણી

ખુબજ ધર્મીષ્ટ એટલે કોઇ પણ મહારાજ સાહેબ આવે ત્યારે દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ

જાય કે કયારેક તો તેના જીવનમાં ધર્મ ભાવના જાગૃત થશે.

હવે એકવાર એક મોટા આચાર્ય મહારાજ આવ્યા .દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ ગયા.

છેલ્લે ગુરુ મહારાજ ને વંદન કર્યા . ગુરુજીએ પુછયુંકે શું સમજયો ભાઇ? તો દિકરો કહેછે કે

આપ પ્રવચન કરતાં હતાં ત્યારે આપના ગળાના કાકડા ૧૦૦૮ વાર ઉંચા નીચા થયા તે મેં

ગણ્યું. ગુરુ મહારાજતો મનમાં સમજી ગયા કે આને શીખડાવવાનો કોઇ અર્થ નથી .બીજે વર્ષે

ચાર્તુમાસમાં હજી એક મહારાજ સાહેબ આવ્યા. શેઠ દિકરાને વ્યાખ્યાન સાંભળવા લઇ ગયા.

કીધું ભાઇ ધ્યાનથી સાહેબની વાત સાંભળજે તો તારું જીવન સુધરશે.આવખતે પણ વ્યાખ્યાન

પુરું થયું. પછી સાહેબને વંદન કરવા ગયા. ગુરુ મહારાજે પુછયું કે કાંઇ સમજયો કે નહીં? હા

હા-હું બેઠો હતો ત્યાં એક કીડીનું દર હતું. હું વિચાર જ કરું છું કે આટલા નાના દરમાંઆટલી

બધી કીડીઓ કેવી રીતે રહેતી હશે?મહારાજ થોડા પાકા હતા એટલે કે બાધાતો તમારે લેવી

પડશે. નહીંતર હું અનશન કરીશ. દિકરો હોંશીયાર હતો તેણે કીધું કે મને બાધા આપો.આખા

નાળીયેર ખાવાના નહીં તોડીને જ ખાવાના. મહારાજ સાહેબ કહે કોઇપણ આખાનારીયેલ

ખાઇ જ ન શકે? આવી ફાલતું બાધા ન ચાલે. બીજું કાંઇક બોલ. દિકરો કહે છે કે મારાઘરની

સામે એક કુંભાર છે- જમતાં પહેલા તેની ટાલ જયાં સુધી તે ઘરની સામે રહે છે અને જીવેત્યાં

સુધી જમતાં પહેલા એની ટાલ જોયા બાદ જ જમીશ-આ બાધા આપો.સાહેબજીએબાધાઆપી

દીધી. હવે જમતાં પહેલા રોજ કુંભારની ટાલ જોઇ આવે અને પછી જ જમીલે. એક દિવસ

દિકરો જમવાં બેઠો. મા એ પુછયું કુંભારની ટાલ જોઇ? તો યાદ આવ્યું કે આજે ભુલી ગયો

છું એટલે તરતજ તેના ઘરે જાય છે-પણ તેની પત્ની કહે છે કે તે તો ગામ બહાર સીમમાંમાટી

લેવા ગયેલ છે. કલાક-બે કલાકમાં આવી જશે. પછી મળજો. દિકરોતો ભુખ લાગેલ એટલે

ગામ બહાર પહોંચી ગયો. દૂૂરથી કુંભારને જોયો-એટલે જોરથી બોલ્યો કે જોઇ જોઇ. હવે

કુંભારનેતો સોનાનો ચરુ તથા સોનામહોરો મળેલ. તેને એમ કે આ ચરુ જોઇ ગયો લાગે છે

એટલે તરતજ દોડીને તેને ઉભો રાખે છે અને કહે છે કે આપણે સરખે ભાગે વહેંચી લઇએ .

દિકરોતો ખુશ થઇ ગયો કે આ બાધામાં આટલો લાભ તો તો સાહેબની બધી બાધા લેવી

જોઇએ ખુબજ લાભ થશે. ઘરે મા-બાપને સોનામહોર-ચરુ બધું આપે છે-અને પોતે મહારાજ

સાહેબ પાસે દીલથી-મનથી જાય છે-અને જીવનમાં ધર્મ ઉપર વિશ્વાસ વધતો જાય છે અને

આખરે દીક્ષા લે છે. અને ખુબજ સુંદર ધર્મ આરાધના કરે છે. પ્રભુનો પ્રેમ એટલે તમો પ્રભુનો

સંપૂર્ણ સ્વીકાર કરો. જે પ્રભુના બની જાય તેને પોતાનું કઇં રહેતું નથી. જે કંઇ થાય છે તે

પ્રભુની કૃપાથી - પ્રભુના પ્રભાવથી જ થાય છે.

આકાશમાં ઊંડાણ ને જેમ માપવું જેમ મુશ્કેલ હોય છે તેમ પરમાત્માની પરમ કૃપાને પામેલા

સંતોને પણ સંપૂર્ણપણે સમજવા કપરું કાર્ય છે. પરમાત્માના સંપૂર્ણ સમર્પિત થયેલએ

મહાપુરુષોના નામસ્મરણથી સર્વ કષ્ટો ટળી જાય છે. તપ ના થાયતો ચાલશે- પણ કોઇની

ઉપર કયારે તપતાં નહીંં . ટુંકમાં નિયમમાં આવવાથી આપણામાં સંયમ આવે છે નેજીવનમાં

તમારી સુવાસ ચોતરફ ફેલાય છે. નિયમમાં રહેશો તો જ આપણું મન-જીભ બધું કાબુમાં

રહે છે.ફાયદો જ ફાયદો છે જો નિયમ લેશો તો. આજે બાળકને જરૂર છે સંસ્કારઅનેશિક્ષણના

વારસાની. એવો વારસો કે જે જીવનના દરેક મોડ પર તેનો સાથ આપશે. ગુજરાતી ભાષા

આપણી માતૃભાષા ઉત્તમ છે. અને અંગ્રેજી ભાષા સર્વોત્તમ છે. કારણકે સમગ્ર વિશ્વમાં તે

સર્વમાન્ય છે. હીંદી આપણી રાષ્ટ્રભાષા છે. એટલે ત્રણે ભાષા બાળકોને શીખડાવવી જરૂરી

છે.મનુષ્યનો આંતરવૈભવ તેની ગુણ સંપત્તિ છે.

પરદેશ ગયેલા રોકફેલરને પૂછવામાં આવ્યું,આપને જીવનમાં શાની ઉણપછે.અબજોડોલરોનો

માલિક રોકફેલર કહે છે સાચા મિત્રોની ઊણપ છે.પત્રકારો આદિ વિચાર કરે જેેનીઆજુબાજુ

ગોળની ઉપર માખી, ફૂલની પાછળ ભમરા ગુંજે તેમ મિત્રો વીંટળાયેલા છે અને તે કહે છે કે

સાચા મિત્રોની ઉણપ છે. મનની મૂંઝવણ રોકફેલર પાસે રજુ કરતાં રોકફેલરે કહ્યું -આ

રોકફેલરના મિત્રો નથી . આ બધાતો ડોલરના મિત્રો છે. રોકફેલરની પાર્ટી ઉઠે તો બધા

રૂઠે. એક કવિ એ સરસ વાત કરી છે

શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક

યામેં સુખદુઃખ વામીએ, સો લાખણ મે એક.

માનવતાનાં મૂલ્ય ઘટયાને ધનવંતા રહી જામી,

પાપને પુણ્યની વાતો જાણે થઇ ગઇ સાવ નકામી,

દુનિયાની આ પરિસ્થિતિને કોઇ શકે ન પામી,

સાચો રાહબતાડો સ્વામી, હે પ્રભુ! મહાવીર સ્વામી.

જેની પાસે ઘણું બધું છે તે સુખી નથી પણ જે ઘણાં બધા વગર ચલાવી શકે તે સુખી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૩ સંતોષી નરનું પહેરણ

એક ગામમાં એક રાજા હતાાં બધું સુખ હતું. પણ રાજાને મનમાં કાયમ અસંતોષ જ રહે.

રાજા મનથી દુઃખી હતાં-એક દિવસ દરબારમાં ઢંઢેરો પીટવામાંં આવ્યો કે રાજાનું દુઃખ દૂૂર

કરશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. કોઇ કાંઇ કરી શકયું નહીં - પણ એક ફકીર

આવ્યો તેણે કીધું કે કોઇ સુખી માણસનું પહેરણ પહેરવાથી રાજાની બધી ચીંતા દૂૂર થઇ જશે.

હવે પહેરણની તપાસ ચાલું થઇ પણ દરેકને કાંઇક ને કાંઇક દુઃખતો હોયજ. એકે સુખી

માણસનો મેળ ખાધો નહીં. એમ કરતાં ખબર પડીકે બાજુના પહાડ ઉપર એક સાધુ રહેછે

તે એકદમ સુખી છે કોઇ વાતની ચીન્તા નથી. તરતજ સીપાઇઓ ઘોડા પર સવાર થઇને તે

સાધુ પાસે ગયા. સાધુને વંદન કરી પુછે છે કે આપને કોઇ ફીકર ચીંતા છે? સાધુ કહે કે

અમને તો શું ચીંતા હોય - અમે તો જે મળે તેમાં ખુશ અને કાંઇ ન મળે તો પણ ખુશ.

ભગવાન પર પુરો ભરોસો રાખીને તેમની ભકિતમાં જીવન પસાર કરીએ. સીપાઇમાંથી એકે

કહ્યું કે આપનું એક પહેરણ અમારા રાજા માટે જોઇએ છે બદલામાં તમો ને જે જોઇએ તે

આપશું. પણ સાધુ કહે છે કે મારી પાસેતો ફકત એક લંગોટી જ છે. બીજું કોઇ કાપડ જ

નથી. અમારે તો એક જ લંગોટી બસ થઇ રહે. પહેરણની તો વાત જ કયાં? સીપાઇઓ પાછા

રાજા પાસે આવે છે બધી વાત કરે છ.ે રાજા સમજી જાય છે કે ખુશ રહેવા માટે એક લંગોટી

જ બસ છે મારી પાસે તો આખું રાજય છે-મારે શું ફીકર કરવાની?ભગવાન પર શ્રદ્વા

રાખવાની બસ.જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની આશા,આકાંક્ષા,તૃષ્ણા,

સ્પૃહા,ઇચ્છા વગેેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઇ નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત

તણખલા જેવું લાગે. નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો

અનુભવમાંથી જ સમજાય એવું છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર માં કહ્યું છેઃ ભૂમિ

ઉપર શયન હોય,ભિક્ષાથી ભોજન હોય,પહેરવાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય

તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવેછે.

શ્રીમંત બનવું છે? આવક વધારવી પડશે.

શ્રીમંત રહેવું છે?ખર્ચ ઘટાડવો પડશે.

અહંકારી કોઇની પાસે જવા તૈયાર નથી.

સારું કામ ખરાબ મૂર્હતે નથી જ કરવું?

ખરાબ કામ સારા મૂર્હતે પણ ન જ કરો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૪ વિશ્વની સાત અજાયબીઓ

સાતમાં ધોરણનો ભૂગોળનો કલાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની

નોંધ કરવાની વિધાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિધાર્થીએ નીચે મુજબ સાત

અજાયબીઓ લખીઃ-

૧. ઇજિપ્ત ના પિરામીડ

૨. તાજમહાલ

૩. પિઝાનો ઢળતો મિનારો

૪. પનામા નહેર

૫. એમ્પાયર સ્ટેટસ બિલ્ડિંગ

૬. બેબીલોન ના બગીચા

૭. ચીનની ની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી.

કંઇક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો

નહોતો. કેમ બેટા! કંઇ તકલીફ છે? યાદ નથી આવતું? શિક્ષકે પૂછયું. નહીં સર! એવું

નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય. એવું મને લાગે છે.

શિક્ષકને નવાઇ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા,

ત્યાં આ છોકરીતો ઘણીબધી અજાયબીઓની વાત કરે છે!ચાલ,બોલ જોઉં,તે કંઇ સાત

અજાયબીઓ લખી છે? શિક્ષકે કહ્યું.

પેલી બાળકી થોડીક ખચકાઇ, પછી પોતાના કાગળ સામે જોઇ બોલીમારા માનવા

મુજબ વિશ્વની સાત અજાયબીઓ છેઃ-

૧. સ્પર્શવું

૨. સ્વાદ પારખવો

૩. જોઇ શકવુ ં

૪. સાંભળી શકવું

૫. દોડી શકવું કુદી શકવું

૬. હસવું અને

૭. ચાહવું-પ્રેમ કરવો.

શિક્ષક સ્તબ્ધ બની ગયા. કલાસમાં પણ શાંતિ છવાઇ ગઇ. એમને થયું કે ભલે ભૂગોળની

દ્રષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી.આપણે કેટલા બધા આસાનીથી

માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઇએ છીએ અને ભગવાનની

બનાવેલ અદ્દભૂત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ.

ગુરુ ગુણાનુવાદઃ વિતરાગ પ્રભુનો આ તે કેવો શ્રમણ! હા! વિશ્વની પહેલી અજાયબી

જેને ગામમાં ઘરબાર ન હોય .

જેને બજારમાં દુકાન કે પેઢી ન હોય .

જેને સીમમા ખેડવાં ખેતર ન હોય .

જેને દુનિયાની કોઇ બેંકમાં ખાતું ન હોય .

જેને કોઇના ઘરે એની થાપણ ન હોય .

જેને પોતાની પાસે ફૂટી કોડી પણ ન હોય .

અને આ બધું ન હોવા છતાં પ્રસન્નતાનો મહાસાગર જેનામાં હિલોળા લેતો હોય તે જ વ્હાલા

વીર પ્રભુનો સાચો શ્રમણ હોય. પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શકિત

આપે.પ્રભુ! આપે મનને જે વિચારવાની ના પાડી છે, જીભને જે બોલવાની ના પાડી છે અને

કાયાને જે આચરવાની ના પાડી છે એ હું જયારે વિચારું છું, બોલું છું અને આચરું છું ત્યારે

આપો આપ હું આપની આજ્ઞાની બહાર થઇ જાઉ છું. આ હકીકત જયારથી મારા ખ્યાલમાં

આવી છે ત્યારથી હું સાવધ બની ગયો છું. પ્રભુ! એક વાત કહું? જંગલમાં યથેચ્છ વિહરતા

હાથીને જેમ થાંભલે બંધાવું ગમતું નથી તેમ અનંત અનંત કાળથી યથેચ્છ વિહરી રહેલાં મારાં

મન-વચન-કાયાને પણ આપની આજ્ઞાના ખીલે બંધાવું ગમતું નથી. આપ એવો કંઇક જાદુ

કરી દો ને કે મારાં મન-વચન-કાયાને આપની આજ્ઞાના સ્વીકાર સિવાય ચેન જ ન પડે!

આજનો માણસ શિરામણ નથી કરતો. બ્રેકફાસ્ટ લ્યે છે. તે જમતો નથી. લંચ લેતો હોય છે.

તે વાળું નથી કરતો, ડીનર લેતો હોય છે. લંચનો સમય ખસતો ખસતો છેક બપોરના ત્રણ

વાગ્યા પર પહુંચી ગયો છે. અને ડીનરનો સમય અગિયાર વાગ્યા પર. સૂવાનો સમય ખબર

ન પડે તેમ રાતના ૧/૨/૩ વાગ્યા પર. આવી ગયેલ છે. આ ક્રમ ચાલુ રહે તો ભવિષ્યમાં,

કદાચ મળસ્કે પાંચ વાગે પથારીમાં સુવાનું ચાલુ થશે. જેટલું જીવન નિયમિત હશે અને ધર્મ

માર્ગે ચાલશો તો જ સુખી થશો. આપણે આપણા સંસ્કાર સાચવશું તો જ સુખી થશું.

જયાંં માતા છે ત્યાં બદ્રીકેદાર છે, કાશી છે, કાબા છે, જેરૂસલેમ છે, માતા તીર્થોત્તમ છે.

ભોજન શરીરને ટકાવવા માટે અનાશકત ભાવે કરવાનું હોય છે.

ક્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ત્ર્થ્દ્રડ દ્દઢટ્ટત્ત્ ધ્થ્દ્ધ ઢટ્ટદ્યડ ટ્ટત્ત્ઠ્ઠ ડદૃથ્ર્ડઠદ્દણ્ત્ત્ડ્ઢ ત્ત્થ્દ્દઢણ્ત્ત્ડ્ઢ ટ્ઠદ્ધદ્દ ડ્ઢદ્રટ્ટદ્દણ્દ્દદ્ધઠ્ઠડ ણ્ત્ત્ દ્રડદ્દદ્ધદ્રત્ત્ ત્ર્ડટ્ટત્ત્દ્મ દ્મડત્ડ્ડત્ડદ્મદ્મત્ત્ડદ્મદ્મ. કથ્ત્ઠ્ઠણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટઠ્ઠ ઢણ્ડ્ઢઢ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ ધ્થ્દ્ધ ણૂત્ત્થ્દ્વ ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ ટ્ઠડ દ્વઢડત્ત્ ત્ણ્ડ્ડડ દ્મડડત્ર્દ્મ દ્દથ્ ડ્ડટ્ટત્ત્ ટ્ટથ્ર્ટ્ટદ્રદ્દ ટ્ટદ્દ ધ્થ્દ્ધદ્ર ડ્ડડડદ્દ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડટ્ટઠણ્ત્ત્ડ્ઢ ડટ્ટઠઢ ઠ્ઠણ્ડ્ડડ્ડણ્ઠદ્ધત્દ્દધ્ દ્વણ્દ્દઢ દ્દઢડ ઠથ્ત્ત્ડ્ડણ્ઠ્ઠડત્ત્ઠડ દ્દઢટ્ટદ્દ દ્દણ્ત્ર્ડ દ્વણ્ત્ત્ ટ્ઠદ્રણ્ત્ત્ડ્ઢ ધ્થ્દ્ધ ટ્ઠડદ્દદ્દડદ્ર દ્દથ્ત્ર્થ્દ્રદ્રથ્દ્વદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ત્ત્ડદ્યડદ્ર ડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ દ્ધથ્ર્ ત્ર્ડટ્ટત્ત્દ્મ ટ્ઠડત્ણ્ડદ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૫ કારપેંટર ની સમતા

આ વાર્તા મારા પુત્ર નિલેશે કહેલ છે જે તેણે આલમા મેટર કોર્સમાંં સાંભળેલ હતી. બે

સુથાર મિત્રો હતા. નાનપણ થી જ દોસ્તી. હવે એક સુથારને બાજુના જ ગામમાં મોટું કામ

મળ્યું. એટલે તેણે ત્યાં જ ભાડે ઘર લઇ ફેમીલી સાથે રહેવાનું નક્કી કયુર્ં. બીજો મિત્ર આ જ

ગામમાં એક આર્કીટેકટ નીચે કામ કરતો હતો. પણ બંને મિત્રોએ મહીનામાં એક વાર મળવું

જ તેવું નક્કી કરેલ. એક મહીનામાં જેના ગામે મળે તેના ઘરે જ જમી લેવાનું.

હવે આર્કીટેકટને એક શેઠના બંગલાનું કામ મળ્યું. આ કામ આ સુથાર તથા તેની નીચે બીજા

આઠ સુથારની ટીમ કરવા લાગી. કામ ચાલુ હતું અને પહેલા સુથારનો બાજુના ગામમાંથી

મિત્ર આવ્યો. મિત્ર નવરો બેઠા વાત કરે જાતો હતો પણ આ સુથાર તો સારો હતો. કામ ચાલુ

રાખીને જ વાત કરે. ત્યાં અચાનક શેઠજી આવ્યા. કામ ચાલુ હતું. ફકત બહારગામનો સુથાર

કાંઇ કામ કરતો ન હતો. શેઠને ખુબજ ગુસ્સો આવી ગયો અને તેના મિત્ર સુથારને ખખડાવી

નાંખ્યો કે આર્કીટેકટ કયાં છે? તેણે કહ્યું કે શેઠજી એતો દિવસમાં ગમે ત્યારે આવે અને જાય.

અમોને કામ સોંપેલ હોયતે મુજબ અમો કામ કરીએ. અમો એક મીનીટ પણ બગાડતાં નથી.

શેઠતો ગુસ્સામાંજ દાદરો ઉતરી ગયા. નીચેે પહોંચ્યા ત્યાંજ સામો ર્આકીટેક મળ્યો. શેઠે એને

પણ ખુબજ વઢી નાંખ્યો. ઉપર આવી આર્કીટેકટ બધા સુથારોને વઢવા લાગ્યો. આ સુથારના

મિત્રને તો બહુજ ગુસ્સો આવતો હતો શેઠ ઉપર અને આર્કીટેકટ ઉપર.. પણ તેના મિત્રે તેનો

હાથ પકડી ચુપ રહેવા વિનંતી કરી.હવે સાંજના કામ પુરુ થયું - બંને મિત્રો સાથે જ જાય છે -

બાજુના ગામનો સુથાર તેની સાયકલમાં આવેલ, તેના ઉપર સુથારી સામાનની પેટી મુકી

બંને ચુપચાપ ચાલીને જાય છે.ઘર નજદીક હતું. આવી ગયું. સામાનની પેટી લઇ ઘરમાં એક

વડનું ઝાડ છે તેને આ સુથાર ભેંટે છે પછી ઝાડમાં બખોલ છે ત્યાં સામાન મુકીને ઘરમાં જાય

છે. ઘરે તેની પત્ની, માતા-પિતા તથા એક દિકરો અને દિકરી છે. બાળકોતો દોડીને પપ્પા

આવ્યા કરીને ભેંટી પડયા. તેની પત્ની-માતા-પિતા બધા સાથે ખુબજ હસીને વાતો કરે છે.

આ બીજા સુથાર ને મનમાં થયું કે મારી સાથે જો આમ થાયતો તો મારી પત્ની-બાળકો-મા-

બાપ બધાનું આવી બને.મારો ગુસ્સો તો કાંઇક તો નીકળવો જોઇએને. પણ આતો જો!

જાણે કાંઇ બન્યું નથી તેમ બધાની સાથે આનંદથી વાત કરે છે. બધા સાથે જમવા બેઠા, ઘરનું

વાતાવરણ ખુબ જ આનંદીત છે. પછી બંને એકલા પડયા એટલે તેના મિત્રને પૂછે છે કે શું

તું માણસ છે કે કાંઇ બીજું. તનેતો શેઠ આટલું વઢીને ગયા - પછી આર્કીટેકટ પણ ખુબજ

વઢીને ગયો- તું તો હું આવ્યો તો પણ કામ એક મીનીટ પણ બગાડયા વગર કરતો હતો. તો

પણ તને જરા પણ ગુસ્સો જ નથી. મને સમજાતું નથી.હવે તેનો મિત્ર તેને સમજાવે છે -

બાહરથી આવી પહેલા વડલા ને વંદન કર્યા - પછી મારી સુથારી પેટી ત્યાં મુકી દીધી. એટલે

બહારની ચીંતા બહાર. હું દુઃખી હતો. પણ મારા મા-બાપ-પત્ની-બાળકોનો શું વાંક?મારે

તેઓને શું કામ દુઃખી કરવા? હું હસતો હોઉં તો તેઓ પણ હસે-કદી આપણા બહારના

કામની ચીંતા ઓફીસની ચીંતાકે બીજું કાંઇ હોય ઘરમાં નાહકના બધાને ચીંતામા મુકવાથી શું

મળે? હવે કાલે સવારે કામ પર જઇશ ત્યારે મારી ચીંતા મારી સાથે લઇ જઇશ. પણ

ઘરમાંતો આપણે બધાને હસાવવાના-ખુશ રાખવાના. બીજો સુથાર મિત્ર સમજી ગયોકે હવે

હું પણ તારી જેમ મારા ઘરમાં બહારનું કાંઇ પણ ટેનશન હોય તો પણ બધા ને ખુશ જ

રાખીશ. જીવનમાં ખુશી બાંટો. પણ ગમ નહીં બાંટો. સૂર્ય એક છે પણ એના કિરણો અનેક

છે. પુષ્પ એક છે પણ એની પાંખડીઓ અનેક છે. મકાન એક છે પણ એમા બારીઓ અનેક

છે. તેમ પુરુષ એક છે પણ એની પાસે ચિત્ત અનેક છે. સવારે ચા ઝંખતું ચિત્ત, બપોરે બરફી

ઝંખવા લાગે છે. આજે વ્યકિત સાથે મૈત્રી જમાવતું ચિત્ત આવતીકાલે દુશ્મનાવટ જમાવી બેસે

છે. સાંજના વાતાવરણમાં અકળામણ અનુભવતું ચિત્ત, બપોરના ધૂમ તાપમાં પ્રસન્નતા

અનુભવવા લાગે છે. પ્રભુ! આવા અનેક વિષયો તરફ આકર્ષિત-વિકર્ષિત થતા ચિત્તને મારે

આપનામાં સ્થિર શી રીતે કરવું, એ હું સમજી શકતો નથી. જો મારે કયાંક પહોંચવું છે તો એ

દિશા તરફ જ મારે કદમ માંડવા પડે છે, તો જો મારે આપના જેવા બનવું છે તો મારા ચિત્તને

મારે આપનામાં જ કેન્દ્રિત કરવાનું છે. ઇચ્છું છું કે આપનો ગુણવૈભવ મારા ચિત્તના

આકર્ષણનું એકમાત્ર કેન્દ્ર બની જાય. પછી હું પણ તુંહિ તુંહિ તુંહિ તુંહિ યુંહિ ધરતા ધ્યાન

રેલલકાર્યા વિના નહીં રહું.ભગવાન ને ભગવાન બનાવનાર જ કરુણા છે. એ કરુણા જ

તેમને સર્વ જીવો પ્રત્યે વિનય કરવા પ્રેરે છે. ભગવાન પણ વિનય ન છોડે તો આપણાથી કેમ

છોડાય? અજૈન સંત સૂરદાસ કહે છે - સદા અમારી આંખોમાં વર્ષાઋતુુ રહો. પ્રભુને જોતાં

જ આંખોમાંથી હર્ષાર્શ્રુનાં તોરણો બંધાવા જોઇએ..

દર્શનં દેવ દેવસ્યમ, દર્શનં પાપ-નાશનંમ

દર્શનં સ્વર્ગ સોપાનં,દર્શનં મોક્ષ સાધનંમ.

મુની ને કોઇએ પુછયું કે સંસારની બધી વસ્તુઓમાં મોટી વસ્તુ કઇ? મુનીએ કહ્યું કે આકાશ

કારણ જે કાંઇ છે તે આકાશના ઘેરાવામાં સમાયેલું છે. પરંતુ સ્વયં આકાશ કશામાં નથી.

બીજો સવાલ પુછયો કે સહુ થી શ્રેષ્ટતમ શું? મુની એ કહ્યું કે માણસનું ચારિત્ર. ચારિત્ર માટે

બધુ ન્યાછોવર કરવું પડે છે. ત્રીજો સવાલ પુછયો કે સોૈથી ગતિમાન કોણ? મુની એ કહ્યું

‘ચ્ર્ઢટ્ટદ્દ દ્વઢણ્ઠઢ દ્મદ્ધટ્ઠઠ્ઠદ્ધડદ્મ થ્ર્ટ્ટદ્મદ્મણ્થ્ત્ત્દ્મ, ત્ડટ્ટઠ્ઠદ્મ દ્દથ્ ટ્ઠત્ણ્દ્મદ્મ,ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્મદ્દડદ્રદ્મ ડ્ડદ્રણ્ડત્ત્ઠ્ઠત્ણ્ત્ત્ડદ્મદ્મ ણ્દ્મ

ઠટ્ટત્ત્ડઠ્ઠ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ.‘

ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૬ કઢી વાલે બાબા

એક ખુબજ મોટા ઝવેરી હતાં. તેમની ૧૬ તો સોના-ચાંદીની દુકાનો હતી. મોટો બંગલો

હતો. પતિ-પત્ની અને એક ૧૬ વર્ષનો દિકરો- આમ ત્રણ જણાં ઘરમાં રહેતા હતાં. ૧૬

તો મોટર કાર હતી.૧૬ તો મુનીમ હતાં. રોજ બપોરે ચાર વાગે બધા હીસાબ -રૂપીયા-

દાગીના જે કંઇ હોય તે લઇને શેઠને હિસાબ આપી દેતા. આ ૧૬ મુનીમમાં એક અમીચંદ

મુનીમ હતો. તે રોજ વર્ષોથી આ બાળક માટે ચોકલેટ-ભાગ વિગેરે લાવતા હતા. પણ

અમીચંદ શેઠ હમણાં થી બે-ત્રણ દિવસ થયાં આવ્યા નહીં, છોકરો હવે બીજા મુનીમને પછે

છે કે કેમ અમીચંદ મુનીમજી નથી આવતાં? તો કહે છે કે તે ગુજરી ગયા.છોકરો પુછે છે

ગુજરી ગયા એટલે શું? તો કહે તેના શરીરમાંથી આત્મા-જીવ ચાલ્યો ગયો અને એનું શરીર

સ્મશાને લઇ જઇ બાળી નાંખવામાં આવેલ છે. એટલે હવે તે કદી પાછા નહીંં આવે.

નાનો બાળક ૧૬વર્ષનો એને મનમાં થયું કે મારે પણ એક દિવસ આ બધું છોડી ને જવું

પડશે. એના કરતાં ચારિત્ર લઇ ને સંસારનો ત્યાગ કરું તો સારું રહેશે. મા-બાપની રજા માંગે

છે - મા-બાપ સમજાવે છે આટલી બધી જમીનો-બંગલા-ખેતરો-૧૬ તો કાર ૧૬ સોના

ચાંદી ની દુકાન-આ બધું તારું જ છે–દિક્ષા લેવી સહેલી નથી- ઉઘાડા પગે વિહાર કરવાનો-

ઘર ઘર ફરી ને ગોચરી લેવાની -ખાવા-પીવા-સુવાની બધી મર્યાદા. તું આજ સુધી રાજા ની

જેમ રહેલ છો તારા થી આ બધું સહન ન થાય. તારે અમારો વંશ લગ્ન કરીને આગળ

વધારવાનો છે. અમારે તો અમારા પૌત્ર-પૌત્રી ને રમાડવા હોય - આ માટે આ વાત તું

ભૂલી જા. પણ આને માથે દિક્ષા લેવી છે સિવાય બીજી વાત નથી. મા- બાપ પણ જેૈન

દેરાવાસી મૂર્તિપૂજક અને ધર્મીષ્ટ છે. ત્યાં મોટા શેઠનો મિત્ર અહીં કામ માટે આવ્યો હશે.

શેઠ દુઃખી થઇ ને તેને વાત કરે છે.તેના મિત્રે શેઠ-શેઠાણી ને સમજાવ્યું કે તમારા ઘરમાં

આટલી સાહ્યબી થી રહ્યો છે એનું મન છે દિક્ષા લેવા દો. ૧૦-૧૫ દિવસમાં થાકી ને પાછો

ઘરે આવી જશે. આપણી દિક્ષા ખુબજ કઠીન છે. એકવાર અંદર જશે પછી સામેથી જ પાછો

આવી જશે. તેનું મન છે તેમ કરો. આખરે ધામધુમથી દિક્ષા લેવાય ગઇ અને નુતન દિક્ષિત

મોટા મહારાજ સાથે વિહાર કરી ને ગયા .

હવે દિક્ષાર્થીની ઉમ્ર ૨૧ વર્ષની થઇ હતી. તેઓ એક ગામમાં આવ્યાં.આજે ગોચરીનો વારો

આનો હતો. ગામમા જઇ ગોચરી લઇ આવે છે અને ગુરુ મહારાજ સમક્ષ બધું મુકી દે છે.

આજે ગોચરીમાં કઢી હતી - આ ને કઢી બહુ ભાવી એટલે હવે તે જયાં ગોચરીમાં જવાના

હોય સામેથી કઢી બનાવવાનું કહી દે. એમ કરતાં કરતાં એમનું નામ કઢીવાલે બાબા પડી

ગયું. હાથી નો હાથી નીકળી ગયો પણ પૂંછડામાં જીવ અટકાયો. ગુરુ મહારાજ જ્ઞાની હતાં.

કાંઇ કહેતા નહીં, મનમાં હતું ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવી જશે.

એકવાર બધા ભકતો મળ્યા - વિચાર કર્યો કે સાહેબજી એ દિક્ષા લીધી છે પણ કઢીનો મોહ

છૂટતો નથી- આપણે બધા નક્કી કરીએ . કઢી સિવાય તમો જે કહો તે યોગ છે - એમ કરતાં

તેમની કઢી ની પ્રીતી ઘટી જશે. બાકી એમનાંમાં બીજી કોઇ ખામી જ નથી. સવારના

વ્યાખ્યાન પછી કઢીવાલે બાબાએ કહ્યું કે જેના ઘરે કઢીનો યોગ હોય ત્યાં હું ગોચરી માટે

આવીશ. એક પછી એક બધા જવાબ આપે છે - સાહેબ આપ કહો બદામ-પીસ્તા-કોઇ પણ

ફળ વિગેરે નો યોગ છે પણ કઢીનો યોગ નથી. કઢીવાળા બાબા ચૂપ થઇ ગયા- કહે જેવી

દાદાની મરજી- આજે તો મારે ઉપવાસ કરવો છે.બીજે દિવસે પણ તેમ જ થયું- બધાએ કઢી

સિવાય કાંઇ પણ કહો સાહેબજી અમો તૈયાર છીએ - સાહેબે આજે પણ ઉપવાસ કર્યો. આમ

કરતાં કરતાં અગીયાર દિવસ થયાં- સાહેબ તેની જીદમાં- ભકતો તેમની જીદમાં. પણ

૧૧માં દિવસે ભકતો બધા ઢીલા થઇ ગયા- બધા મળ્યા અને વિચાર્યુ કે કઢી ખાઇ છે ને

૧૧- દિવસના ઉપવાસ છે હવે આપણે નમતું છોડી દઇએ..તરત જ બધા કહે છે સાહેબ મારા

ઘરે આવજો કઢી નો યોગ છે. સાહેબ હસ્યાં -મનમા કહ્યું કે હું જીત્યો અને આ લોકો હાર્યા.

ખુશ ખશ થઇ ગયા કે હવે કાલથી કઢી ચાલું થશે - હવે મને કોઇના નહીં પાડે. રાતના સુતી

વખતે ઘડિયાળમાં બેવાગ્યાનો ડંકોરો પડયો અને કઢીવાલે બાબાનો આત્મા જાગી ગયો.

આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. મનને કહે છે કે તું હાર્યો - આ ભકતો જીતી ગયા.

તેઓતો બીચારા તમારી કઢી નું આકર્ષણ દૂૂર કરવા પ્રયત્ન કરતાં હતાં. મેં સંસાર છોડયો -

આજે બાપ ને ઘરે હોત તો ૧ નહીં એકવીસ નોકરો હાજર હોત અને હું બોલું તે સો ટકા

બની જાત. મેં સંસાર છોડયો - આખો હાથી નીકળી ગયો અને પૂંછડામાં અટકી ગયો. ધન્ય

છે આ ભકતો જેમણે મારી આંખ ઉઘાડી. સવારના બધી વિધિ પતાવી ગુરુ મહારાજને વંદન

કરી આજ્ઞા લે છે કે હું જયાં ગોચરી માટે જાઉં છું ત્યાં જ ગોચરી વાપરવાની રજા આપશોજી.

ગુરુ મહારાજ જ્ઞાની હતા-હા પાડે છે. હવે કઢીવાલે બાબા પહેલા ભકતને ત્યાં જાય છે અને

કહે છે આપ કહો તો અહીં જ ગોચરી વાપરું. ભકત તો ખુશ થઇ ગયો. સાહેબ જમવા બેસી

ગયા - કહે છે કે કઢી સિવાય કાંઇ લાવશો નહી. એક બકેટ કઢી મુકી દો અને એક વાટકો

આપો. પછી એક પછી એક વાટકા ભરીને કઢી મોઢામાં મુકતા જાય છે અને પોતાની જીભને

કહે છે કઢી જોઇએ છે - લે - લે.બહુજ કઢી પીવી છે ને લે. આ જીભે જ મને કઢી માટે

સંયમના માર્ગમાં બધું છોડયું પણ એક જીભના સ્વાદ પાછળ મારું આખું સંયમ જીવન

નિષ્ફળ થઇ ગયું. સાત આઠ વાટકા પીધા પછી ઉલ્ટી થવા મંડી. તેમણે ઉલ્ટી માટે હજી

એક વાસણ મંગાવ્યું અને જીભને ઉલ્ટી પીવરાવવા માંડયા. લે - લે - લે હજી કઢી જોઇએ છે

ને. આજે તારા ઉપર હું વિજય મેળવીશ.ભકતે સાહેબ નો હાથ પકડી લીધો - સાહેબ ઉલ્ટી ન

પિવાય. સાહેબ પછી ઉભા થઇ જાય છે અને તે વખતે કઢી આજીવન નહીં ખાઉં તેમ બાધા

લઇ લે છે. નામ કઢીવાલે બાબા જ રહ્યું - પણ હવે કઢીની આજીવન બાધા લઇ લીધી. અને

ત્યાર બાદ જીવનમાં તેમણે ઘણી તપસ્યા કરી અને ચારિત્ર ધર્મ ખુબ જ સુંદર રીતે પસાર કરી

૭૨માં વર્ષે દેવલોક થયા.આપણને જીવનમાં દુઃખો કર્મના ઉદયે આવે છે. કર્મો

પાપાચરણના કારણે બંધાય છે. ધર્માચરણનાં માર્ગે વળો તો દુઃખો નાશ પામી જાય, સુખો

અવશ્ય હાજર થઇ જાય છે. પણ દુઃખની વાત એ છે કે દુઃખી જીવો ધર્મનો રાહ પકડતાં

નથી. ધર્મનો રાહ પકડાય જાયતો સહાય લેવાવાળો વર્ગ સહાય દેવાવાળો બની ગયા વિના

રહે નહીં. કોઇની સહાય પર નિર્ભર રહેવાની બદલે જો પુણ્યનું પ્રોડકશન ચાલુ કરી દેવામાં

આવે તો પગભેર થઇ જતાં વાર નહીં લાગે. ગુજરાતના એક કવિએ સરસ ગાયું છે કેઃ-અંતર

કે આયને કી જબ સફાઇ હો જાયેગી, બાદશાહી તો કયાં ખુદ ખુદાઇ મિલ જાયેગી. લોહી લેતા

ગ્રુપ ચેક કરાય છે. પૈસો લેતા જરાક પૈસો ચેક કરજો એ કયા ગ્રુપનો છે? કે હરામનો છે?

ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી આજે ઘરઘરમાં અશાંતિ, કલેશ, કંકાસ છે. હરામનો

પૈસો રાખશોતો જીમખાનાને,દવાખાના,કલબો અને બારમાં પૂરો થઇ જશે.ને તનેય પૂરો

કરી જશે. બેંક બેલેંસ વધે પણ જો ફેમીલી બેલેંસ ઓછું થાય તો સમજવું કે તે પૈસા આપણને

સૂટ નથી થતા ભઇલા ઢાળ નદીને પહેલાં સાગર તરફ વાળે છે અને અંતે સાગર બનાવી દે

છે તેમ પ્રેમ આત્માને પહેલાં પરમાત્મા તરફ વાળે અને અંતે પરમાત્મા બનાવી દે છે.

સમતાથી દર્દ સહું

સમતાથી દર્દ સહું, પ્રભુ! એવું બળ દેજો.મારી વિનંતી માનીને,મને આટલું ફળ દેજો..

કોઇ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે.કાયાના દર્દ રૂપે મને પીડવા લાગ્યા છે.

આ જ્ઞાન રહે તાજું એવું સિંચન જળ દેજો. ..

દર્દોની આ પીડા, રોવાથી મટશે નહીંં. કલ્પાંત કરૂં તો પણ પીડા ઘટશે નહિ.

દુર્ધ્યાન નથી કરવું,એવું નિશ્ચય બળ દેજો.

આ કાયા અટકી છે નથી થાતાં દર્શન, ના જઇ શકુ સુણવાને, ગુરુની વાણી પાવન,

જિન મંદિરે જાવાનું ફરીને અંજળ દેજો. ઉપાશ્રયે જાવાનું ફરીને અંજળ દેજો

. નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ ઘણો મનમાં,દિલડું તો દોડેે છે, પણ શકિત નથી તનમાં,

મારી હોંશ પૂરી થાયે, એવો શુભ અવસર દેજો.

છોને આ દર્દ વધે, હું મોત નહિ માંગુ,વળી છેલ્લા શ્વાસ સુધી, હું ધર્મ નહિં ત્યાગુ.

રહે ભાવ સમાધીનો એવી અંતિમપળ દેજો. .

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૭ બાવાજીની કફની

પેલા બાવાજીની કફની ને યાદ કરો. ઠંઠી ના દિવસો હતા. બાવાજી માત્ર લંગોટી બાંધીને

ઠંડીમાં પણ મજેથી દિવસ વિતાવતા હતા. એક દિવસ કોઇ ભકતે પોતાની સારી નવી કફની

બાવાજીને ભેંટ આપી. બાવાજી આમતો લંગોટી થી વધારે કોઇ ચીજને ઇચ્છતા ન હતા પણ

ઠંડીના દિવસો હતા ને ભકતનો આગ્રહ હતો ને એટલે કફની રાખી લીધી. એક દિવસ

બાવાજીએ કફનીમાં મોટું કાણું પડેલું જોયું. ચેલાને બોલાવીને પુછયું કે ગિરજાશંકર! યે

કફની કો કીસને કાટા? સ્વામીજી! લગતાં હૈ કિ ચૂહેને કાટા હોગા. કયોંકી આજકલ

આશ્રમમેં ચૂહે જયાદા નજર આતે હેં. અરે! બેટા ઐસે ચૂહે કફનીકો કાટતે રહેંગેતો

પહનેંગે કયા? ઇલાજ તુંહી દીખા! ગુરુદેવ! મેરે કો લગતા હેૈ કી આશ્રમમેં એક બીલ્લીકો

પાલના ચાહિયે. બીલ્લી રહેગી તો ચૂહા એકભી ન આયેગા. ઇસસે બહેેતર ઇલાજ કોઇ નહીં

હૈ.ઠીક હૈ બેટા ઐક બીલ્લી કો લે આઓ!લેકિન ગુરુજી!બીલ્લી ઐસીતો થોડી રહેગી ?ઇસકો

તો હરદમ દુધ પીલાના પડેગા. ઠીક હૈ દૂધકે લીયે એક ભકત કે ઘરસે ગૈયા માંગ કે લે

આઓ. ગુરુજી ગૈયાતો લે આઉંગા લેકીન ઉસકો ચરાનેકે લીયે, દોહનેકે લીયે એક ગ્વાલાભી

લાના પડેગા, અરે ચેલા ફીર તું કયા કામ કરેગા? ગુરુજી! સુનો! મૈ ગૈયાકી સેવામેં લગ

જાઉંગા તો આપકી સેવા કૌન કરેગા? આટા માંગને કૌન જાયેગા. ઠીક હે તો એક ગ્વાલે

કો ભી લે આઓ. અરે ગુરુ! ગ્વાલા ઐસે મુફતમેં થોડા રહેગા. ઉસકો ભી તનખા દેના

પડેગા. ખાનેકો દેના પડેગા. ઉસકા ઇંતજામ કહાસેં કરેંગે? ગુરુના ટેન્શનનો પાર ન રહ્યો

ગુરુએ કહ્યું કે યહ સબ મામલા કફની સે શુરૂ હુઆ હૈ જો કફની નહીં હોતી તો કોઇ પ્રોબ્લમ

નહીં થા. પૂરી જીંદગી લંગોટી પર રહે લેકીન યે કફનીને આકર હમારાં પૂરા સંન્યાસ હિલા

દિયા. ચેલા ખડા હો ઔર કફનીકો ઇધર લા. ચેલાએ કફની ગુરુના હાથમાં આપી. ગુરુ

ઉભા થયા અને સળગતા ચૂલામાં કફનીને સળગાવીને રાખ કરી નાખી. ચેલા, સુન, અબ

ઝંઝટ સમાપ્ત હો ગઇ. અબ ન ચૂહા આયેગા, ન બીલ્લી લાની પડેગી, ન ગૈયા લાની હૈ, ન

ગ્વાલા લાના હૈ, ન તનખા લાના હૈ, બસ આટા લાઓ, રોટી પકાઓ ઔર હરિ હરિ કરો.

શીતળતા આપે એ ધર્મ.

સાર્થકતા નામમાં નહિ પણ કામમાં છે.

સાધકની સાધના ને જોવા માટે સમ્યગ દ્રષ્ટિ જોઇએ અને એમાથી પ્રેરણા પામવા માટે સુવર્ણ

પાત્રતા જોઇએ.

મરણનું સ્મરણ રાખી જીવન વ્યવહાર કરે તે શુદ્વિના માર્ગે અગ્રેસર બન્યા વિના ન રહે.

ઉ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દણ્થ્ત્ત્ ટ્ઠથ્દૃ ણ્ત્ત્ દ્દઢડ દ્દડત્ર્થ્ર્ત્ડ થ્ર્દ્રથ્ત્ર્થ્દ્દડદ્મ ટ્ટત્ત્થ્ત્ત્ધ્ત્ર્થ્દ્ધદ્મ ડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૮ વગર વિચારે કયારેય કંઇ કામ કરવું નહીંં

વર્ધમાન ભાઇ નામના એક યુવાન સંસ્કારી શેઠ હતાં . લગ્ન લેવાયા બાદ ટૂંક સમયમાં જ

ભર જોબનવયમાં વેપાર માટે વિદેશના પ્રવાસે નીકળી પડયા. વિરાટ રસાલા સાથે તેઓ

દરિયાઇ પ્રવાસ કરતાં જતા હતા. માલની લે વેંચ કરતા જતા હતા. રાજા મહારાજાને મળતા

જતા હતા. આમ કરતાં કરતાં શેઠને સત્તર અઢાર વર્ષના વહાણાં વાઇ ગયાં. ન માલૂમ કે

શેઠને એકાએક વતનની મીઠી યાદ આવી ગઇ અને શેઠે રસાલાને પાછા ફરવાનો હુકમ કરી

દીધો. જોત-જોતામાં તો માર્ગ કપાઇ ગયો. વતનની મીટ્ટીની સુગંધ આવવા માંડી.

ઓળખીતા,પાળખીતા, જાણીતા મળવા લાગ્યા. રાત પડતાં શેઠ પોતાની હવેલીએ પહોંચ્યા.

એકાએક શેઠાણીના શયનખંડમાં પ્રવેશ કર્યોતો શેઠનો આત્મા કંપી ઉઠયો. તેમનાથી રહેવાયું

નહીંં. શેઠાણી જોડે એક જુવાન માણસ ગહેરી નીંદમાં સુતોે હતો. શેઠે તો કટાર ખેંચી કાઢી.

એક ઘા ને બે કટકા બંનેના કરી નાંખુ. કટાર ઉગામી જયાં હાથ વીંઝવા જતાં હતા ત્યાં

સામેની દિવાલ પર પોતાનો લખેલ શ્લોકઃ -- ’વગર વિચારે કયારેય કાંઇ કામ કરવું નહીંં

નજરે પડયો. શેઠે વિચાર કર્યો અત્યારે જ હવેલી ના કોટને તાળું મરાવી દઉં છું અને પહેરો

ગોઠવી દઉ છું સવાર પડે વાત. શેઠતો જુદા ખંડમાં જઇ સુઇ ગયા. વહાણું વાયું અને

શેઠાણીને શેઠના રાત્રિવેળાનાં શુભઆગમનના સમાચાર મળ્યા. શેઠાણી ઉભા થઇને પેલા

સુતેલા જણને ભેગો લઇને શેઠની સામે હાજર થયાં, પગે પડયાં અને પેલા ઉભેલા જુવાનને

કહ્યું કે આ તારા પરમ પૂજય પિતાશ્રી છે - પગે પડ. શેઠાણીએ કહ્યું કે લગ્ન બાદ તમો

પરદેશ જવા રવાના થયા ત્યારે મારા પેટે આ પંખીએ માળો બાંધી દીધો હતો. તમારી વિદાય

પછી સાત સાડા સાત મહીને આ પુત્રરત્નનો જન્મ થયો. આજે તમને પાછા વળતાં અઢાર

વર્ષનાં વહાણાં વાયાં એટલામાં તો પુત્ર જુવાનીમાં આવી ગયો. શેઠે નજર કરીતો ડીટ્ટો

શેઠની ઝેરોક્ષ કોપી જોઇલો. બાપ દિકરો ભેંટી પડયા. શેઠે મનોમન ગાંઠ વાળી લીધી કે કદી

વગર વિચાર્યે કોઇ કાર્ય કરવું નહીંં.

જેવું જીવ્યા એવું જીવાવાનું નથી.

જેટલું જીવ્યા એટલું જીવવાનું નથી.

માટે હે જીવ

રાગ દ્વેષ છોડી દે

ધર્મમાં મન જોડી દે.

પુષ્પને લીલું છમ રાખવા મૂળની માવજત કરો

સંબંધને લીલોછમ રાખવા સ્નેહની માવજત કરો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૩૯ સમ્રાટ સંપ્રતિ

સમ્રાટ સંપ્રતિ પૂર્વ જન્મમાં ભીખારીનો આત્મા હતો, કશુંજ ખાવા મળતું ન હતું. તેણે

ભિક્ષાચર્યાએ ભ્રમણ કરતાં જૈન મુનિઓ પાસે ભોજન યાચના કરી હતી. મુનિઓ તેને

ઉપાશ્રયે લઇ આવ્યા હતા. આચાર્ય સુહસ્તિસૂરી પાસે તેણે ભોજનની ભીખ માંગી ત્યારે

આચાર્યશ્રીએ તેને સમજાવ્યું કે, અમને જે ગૃહસ્થો ગોચરી આપે છે, તે અમને સંયમી,

સદાચારી, સુવ્રતી સાધુ સમજીને આપે છે, એટલે જે અમારા જેવા હોય તેને જ અમારે આ

ભિક્ષા દેવાય. બીજાને ન આપી શકાય. નહીંતર દાતારનો આધાર નષ્ટ થાય. ભૂખનો માર્યો

ભીખારી સાધુ બની ગયો. પેટ ભરીને તેને ખાવાનું મળ્યું. તેણે મન મૂકીને, મનગમતાં

ભોજન આરોગ્યાં. રાત પડતાં તેની તબિયત લથડી ગઇ. વ્યાધિએ ઉપાડો લીધો. આખો

ઉપાશ્રય ભકતોથી ઉભરાય ગયો. મોટ મોટા શેઠ આ નૂતન દીક્ષિત મુનીરાજની ચરણસેવા

કરવા લાગી ગયા. આ પ્રસંગે આ મુનિશ્રીના મનમાં થયું કે, સાલ્લુ! મેં તો ખાવા માટે દીક્ષા

લીધી હતી અને તેમ છતાં જુઓ તો ખરા કે આ વેશનો કેવો મહિમા છે! ગઇકાલે હું જેના

આંગણે ઉભો રહીને કટકો રોટલો આલજો ભા - ની બૂમો પાડતો હતો છતાં કોઇ સામે

જોતું ન હતું. તે બધાજ આજે મારી ચરણસેવા કરી રહ્યા છે. આ બધો પ્રભાવ સાધુ વેશનો

છે. આવો વેશમેં પેટ ભરવા લીધો? અર.રર. મારા જેવો બીજો કપાતર કોણ હશે?

આવો વેશ લઇને તો મારે આરાધના-સાધના કરી ને સ્વ પરનું કલ્યાણ સાધવું જોઇએ.

આવી ભાવના ભાવતા ભાવતા આ ભીખારી મુનિવરનો હંસલો ઉડી ગયો અને પીંજર પડી

રહ્યું. દેહાંત પામીને આ આત્મા સમ્રાટ સંપ્રતિ તરીકે પેદા થયો.પૂર્વભવમાં કરેલા શુભ

સંકલ્પોના બળે અખૂટ લક્ષ્મી આ આત્માના ચરણો ચાટવા લાગી. આ પૂણ્યશાળીએ

ભારતભરની ભવ્ય ભૂમિને જિનાલયો-દેવાલયોથી મંડિત કરી. સવા લાખ જિનમંદિરોના

નિર્માણ કરાવ્યા. સવા ક્રોડ જિનમૂર્તિઓ નિર્માણ કરાવી. અન્નશાળાઓ, દાનશાળાઓ

કરાવીને દીન-દુઃખીયાઓના દુઃખ દૂૂર કર્યા.

લઇ અવતાર માનવનો,ભલું તેં શું કર્યું પરંતુ?

કર્યા એ સુકૃતો સાચા, પ્રભુ તે પૂછશે તને.

ચ્ર્ઢડદ્રડ ણ્દ્મ ત્ત્થ્ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ દ્રણ્ડ્ઢઢદ્દ ડ્ડટ્ટણ્દ્દઢ,

ગ્થ્ ઠથ્ત્ત્ઠ્ઠદ્ધઠદ્દ ણ્દ્મ થ્ર્થ્દ્મદ્મણ્ટ્ઠત્ડ દ્વણ્દ્દઢથ્દ્ધદ્દ ણૂત્ત્થ્દ્વત્ડઠ્ઠડ્ઢડ,

જણ્દ્દઢથ્દ્ધદ્દ ઠથ્ત્ત્ઠ્ઠદ્ધઠદ્દ, દ્દઢડદ્રડ ણ્દ્મ ત્ત્થ્ ત્ણ્ટ્ઠડદ્રટ્ટદ્દણ્થ્ત્ત્, :

જણ્દ્દઢથ્દ્ધદ્દ ત્ણ્ટ્ઠડદ્રટ્ટદ્દણ્થ્ત્ત્, ત્ત્થ્ ઠ્ઠડત્ણ્દ્યડદ્રટ્ટત્ત્ઠડ.

ચ્ર્ણ્દ્રદ્દઢટ્ટત્ત્ણૂટ્ટદ્ર ઉંઢટ્ટડ્ઢદ્વટ્ટત્ત્ ચ્દ્રણ્ ખ્ર્ટ્ટઢટ્ટદ્યણ્દ્ર ચ્દ્વટ્ટત્ર્ણ્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૦ મહારાજા શ્રેણિક

ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજય કરતા હતા. શરૂશરૂમાં જ્ઞાન

ન હોવાને કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા

આવતી.એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણી ને જોઇ.

તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે હરણી

પણ દોડી રહી છે.બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડયું.તીર હરણીના પેટમાં ખૂંપી ગયું.

તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઇ.શ્રેણિક ઘોડા

ઉપરથી ઉતરીને મરેલી હરણી પાસે આવ્યો. દ્રશ્ય જોઇને એ ખૂબ જ ખુશ થયા.ગર્વ થી બોલ્યા

મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયા! હરણી અને તેનું બચ્ચુ પણ! શિકાર આને

કહેવાય. શ્રેણિકનો આનંદ સમાતો નથી. હર્ષથી તે ઝૂમી ઉઠયા અને શ્રેણિક રાજાએ પહેલી

નારકી તરફ ગતિનું કર્મ બાંધી લીધું.

ત્યાર પછી શ્રેણિક રાજાને કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ

ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ભગવાન મહાવીરના પરિચયમાં

આવ્યા ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યુંઃ શ્રેણિક મરીને તું પહેલી નારકી જઇશ.શ્રેણિક ગભરાયા.

તે બોલ્યા : પ્રભુ! હું આપનો પરમ ભકત અને હું નરકે જઇશ? ભગવાને કહ્યું - શ્રેણિક! તે

શિકાર કરીને ખૂબ જ હર્ષ કર્યો હતો. આથી તારું પહેલી નરક ગતિનું આયુષ્ય બંધાઇ ગયું છે.

તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે.અમે પણ તે અન્યથે કરવા સમર્થ

નથી હે રાજન! આ તરફની વેદના તારે ભોગવવાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં

કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનામ નામે પહેલો તીર્થંકર થઇશ.શ્રેણિક બોલ્યો કે હે નાથ!

એવો કોઇ ઉપાય છે કે જેથી અંધકૂપમાંથી આંધનાની જેમ મારી નરકમાંથી મારી રક્ષા થાય.

પ્રભુ બોલ્યા જો કપિલા દાસી પાસે જો હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે

કસાઇનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી. આ ઉપદેશ

સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયા.

પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માંગણી કરી કે - હે ભદ્રેે!

તું સાધુઓને ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઇશ. કપિલા બોલી કે

મને સુવર્ણમય કરો અથવા મને મારી નાંખો તો પણ હું એ કૃત્યુ નહીં કરું. પછી રાજાએ

કાળસૌરિકને બોલાવીને પૂછયુ કે જો તું આ કસાઇપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું.

કેમકે તું પણ ધનના લોભથી કસાઇ થયો છે. કાળસૌરિક બોલ્યો કે આ કસાઇના કામમાં

સો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોના પેટ ભરાય છે એવા કસાઇના ધંધાને હું કદી છોડીશ

નહીં આ સાંભળી રાજા એ તેને એક રાત્રિ - દિવસ કૂવામાં પુરી રાખ્યો અને કહ્યું કે - હવે

તું કસાઇનો વ્યાપાર શી રીતે કરીશ?

પછી રાજા શ્રેણીકે ભગવંતની આગળ જઇ કહ્યું કે - હે સ્વામી! મેં કાળસૌરિકને એક રાત્રી

દિવસ સુધી કસાઇનું કામ છોડાવ્યું છે. પ્રભુ બોલ્યા કે- હે રાજન! તેણે અંધકૂપમાં પણ

કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડા માર્યા છે. તત્કાળ શ્રેણિકે જઇને જોયું તો તે પ્રમાણે જ

હતું. એેટલે તેને ઘણું દુઃખ થયું કે - મારા પૂર્વકર્મને ધિક્કાર છે તેવા દુષ્કર્મના કારણે

ભગવાનની વાણી અન્યથા થશે નહીં..

કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો

મળ્યોે છે એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૂણિકે પાતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા

કરી કહ્યુંઃપિતાવૃદ્ધ થયાતો પણ હજુ રાજય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને

ધન્ય છે કે જેણે યુવાન હોવા છતાં રાજલક્ષ્મી ને છોડી દીધી. પરંતુ આપણા વિષયાંધ પિતા

તો હજુ રાજય ભોગવતાં કાંઇ પણ જોતા જ નથી.માટે આજે એ પિતાને એકદમ દોરડાથી

બાંધી લઇને આપણેસમગ્ર રાજય ગ્રહણ કરીએ. આમ વિચારી તેણે પિતાને એકદમ દોરડાથી

બાંધી પીંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી

કૂણિક પ્રતિદિન સવારે અને સાંજે સો સો ચાબુકના પ્રહારો મારતો. કૂણિક શ્રેણિકની પાસે

કોઇને જવા દેતો નહીં. ફકત માતા ચેલ્લણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના

વાળ સારી રીતે ધોઇ તેમાં પુષ્પનાં ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઇ જતી અને

શ્રેણિક તે દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણ રક્ષા કરતો.

કેટલાક વખતે માતા ચેલ્લણાના કેટલાક ખુલાસાથી કૂણિક ને સદબુદ્ધિ આવી અને ઓહ!

આવું અવિચારીત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે! હવે જેમ થાપણ રાખેલી સોંપે તેમ

મારા પિતાને રાજય પાછું આપી દઉં. આ પ્રમાણે અધુર્ં ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પુરું

ભોજન કરવાં ન રોકાતાં તરતજ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લોહદંડ

ઉપાડી ને તે શ્રેણિકની પાસે જવા દોડયો.કૂણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરેગીરો પૂર્વના

પરિચયથી શ્રેણિક પાસે દોડતાં આવ્યા અને કૂણિકને લોહદંડ સાથે આવતો જોઇને બોલ્યા,

અરે રાજન! સાક્ષાત યમરાજાની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે.

તે શું કરશે? તે કાંઇ અમે જાણતાં નથી.તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે આજે તો જરૂર મારા

પ્રાણ જ લેશે. કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઇને આવતો હતો અને આજે તે

લોહદંડ લઇને આવે છે. વળી હું જાણતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાંખશે!

માટે તે અહીં આવી પહોંચે તે પહેલા જ મારે જ મરણનું શરણ કરવું યોગ્ય છે. આવું વિચારી

તેને તત્કાળ તાળપુટ વિષ જીભ ઉપર મુકયું જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.કૂણિક

નજદીક આવ્યો ત્યાંતો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તેણે તત્કાળ છાતી ફૂટીને

પોકાર કર્યો કે, હે પિતા! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદિદતિય પાપી થયો છું. વળી હું

જઇને પિતાને ખમાવું આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં. તેથી હમણાંતો હું અતી

પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનું વચનતો દૂર રહ્યું પણ મેં તમારું તિરસ્કાર ભરેલ વચન

પણ સાંભળ્યું નહીં. મને મોટું દુૃર્દ્વવ વચમાં આવી નડયું. હવે ગમે તેમ કરીને મારે મરવું તે જ

યોગ્ય છે. આ પ્રમાણે અતિ શોકમાં ગ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો.શ્રેણિકનો

આત્મા પહેલી નરકે ગયો. કાળ કરીને આવતી ચોવીસીમાં પહેલાં તીર્થંકર પદ્મનાભ થશે.

નવકારમંત્ર રોજ ગણો છો. પ્રથમ પદમાં પ્રથમ શબ્દ નમો આવે છે. અરિહંતાણં બોલતા પૂર્વે

નમો બોલવું પડે છે. પહેલા નમો એટલે નમસ્કાર કરો. નમસ્કાર કરવો એટલે અહંકારને કાઢી

મૂકવો. અહંકારને ઉભો રાખીને કરાતો નમસ્કાર એ માત્ર અભિનય છે, બહારનો દેખાવ છે.

અંદરમાં પ્રભુ પ્રત્યે બહુમાન પ્રગટે એટલે તરત અંતર ભીનું થઇ જશે. નમવાની ઇચ્છા જાગૃત

થશે.એવી ઇચ્છા જાગ્યા પછી થતો નમસ્કાર અહંકારને તોડી મૂકે છે. અહંકાર જાય અને

નમસ્કાર આવે. અંદરના અહં ને કોઇ પણ રીતે ભગાવો અને પ્રભુની શરણાગતિ સાચી

બનાવો. એ નિતાંત આવશ્યક છે.

ભગવાનનું મંદિેર એટલે સદબુદ્ધિના બીજ ને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ

ઉગવાનું જ. જિનાલય ધ્યાનની સંપત્તિનું નિધાન છે.ભગવાનનો પ્રેમ એટલે આત્માનો

પ્રેમ.ભગવાનનો પ્રેમ એટલે ભગવાન સાથે એકમએક બની જવું. ભગવાનની જાણકારી એટલે

આત્માની જાણકારી.ઇશ્વર પ્રેમના માર્ગે જ મળે છે. પ્રેમ ક્ષમાના માર્ગે જ ટકી રહે છે અને

ક્ષમા,સામી વ્યકિતના ગલત વર્તાવને ભૂલી જવાના માર્ગે જ આપી શકાય છે.પ્રભૂ મને

ભૂલકણો બનાવી દો.

હકારાત્મક વલણ સમસ્યાને અડધી કરી નાખે છે.

પૈસા સાથે જીવન બરાબર છે, પૈસા માટે જીવન, પાગલતા છે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

ચ્ર્ઢણ્દ્મ ણ્દ્મ દ્દઢડ દ્મદ્ધત્ર્ થ્ડ્ડ ઠ્ઠદ્ધદ્દધ્ઃ ઊંથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ દ્દથ્ થ્દ્દઢડદ્રદ્મ દ્વઢટ્ટદ્દ દ્વથ્દ્ધત્ઠ્ઠ ઠટ્ટદ્ધદ્મડ થ્ર્ટ્ટણ્ત્ત્ ણ્ડ્ડ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ. -

કણ્ત્ત્ઠ્ઠદ્ધણ્દ્મત્ર્.

જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઇ રહેતું નથી.

જે કંઇ થાય છે પ્રભુ કૃપાથી -પ્રભાવથી થાય છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૧ સત્ય પાલન

ખંભાતમાં ભીમ નામનો શ્રાવક હતો. તે પૌષધવ્રતમાં બેઠેલો હતો. એજ રાત્રે એના ઘરે ઘાડ

પડી. યુવાન ચાર પુત્રોને લુંટી લીધા પછી ચોરોએ પુછયું કે બોલો! આથી વધારે કઇ મુડી

તમારી પાસે છે? પુત્રોએ કહ્યું કે બસ આટલીજ અમારી પાસે છે. લૂંટારા કહે કે જો તપાસ

કરતાં પાછળથી વધારે મળશે તો તમને જાનથી મારી નાંખશું. પુત્રોએ પોતાની વાત ન બદલી

પણ લૂંટારાઓ એ જયારે તેના બાપને પકડયો અને પૂછયું , સાચું બોલ! તારા દીકરાઓએ

જે આંકડો આપેલ છે, તે બરાબર છે? ત્યારે સત્યવ્રતને પાળનારા ભીમે કહ્યુંઃ ના! એમા

પુત્રોની ભૂલ છે,તેઓ કહેછે તેના કરતાં રકમ વધારે છે.બાપના સત્યવ્રત પર આફ્રીન થઇને

લૂંટારાઓએ થેલા નીચે મુકી દીધા અને બોલ્યા કે આવા નીતિમાનના ધનનું અપહરણ ન

કરાય. પુત્રના માથે મોત ભમતું હોવા છતાંય ભીમ શ્રાવકે સત્યવ્રતને ન ભાંગ્યું. તે ન જ

ભાંગ્યું.સાચું બોલો તમે દુકાનમાં ચીજનો ભાવ કરવામાં સત્યવ્રતને પાળો ખરા? એક

ચીજનો ભાવ કેટલી વાર બદલો છો? મામુલી લાભ ખાતર સત્યવ્રતપાલનનો કેટલો મોટો

લાભ જતો કરો છો?

ઉપદેશસાર ગ્રંથમાં એક વાત આવે છે. રાજાને એકવાર ગંધ આવી ગઇ કે ફલાણા શેઠ ને ત્યાં

૬૦ લાખ રૂપિયા છે.રાજાએ શેઠને બોલાવીને પૂછયું કે તારી પાસે સાઠ લાખ રૂપિયા છે તે

વાત સાચી છે! ત્યારે શેઠે કહ્યું કે આજે કોઇ જવાબ નહીં આપી શકું, પણ કાલે આપને

ગણીને ચોક્કસ જણાવીશ. બીજે દિવસે રાજદરબારમાં આવીને શેઠે કહ્યું કે રાજન! આપની

દયાથી મારી પાસે ચોરાસી લાખ રૂપિયા છે. શેઠની આ નીતિમત્તા પર ખુશ થઇને રાજાએ

સેવકોને કહ્યું : બીજા સોળ લાખ રૂપિયા લાઓ અને આ શેઠને ભેંટણું ધરો અને લખપતિના

બદલે તેમને કરોડપતિ જાહેર કરો. પૂૂર્વ આવા રાજાઓ અને આવી પ્રજા હતી. આજતો

ઇન્કમટેક્ષવાળાને ખબર પડે તો રેડ પાડે. રાજા અને પ્રજા બેય બદલાઇ ગયાં છે.

ખ્ટ્ટધ્ ત્ત્થ્દ્દ થ્ત્ત્ ટ્ટત્ત્ધ્ દ્મથ્દ્ધત્ ટ્ટ ત્થ્ટ્ટઠ્ઠ દ્દઢટ્ટદ્દ ધ્થ્દ્ધ દ્વથ્દ્ધત્ઠ્ઠ ત્ત્થ્દ્દ દ્વણ્દ્મઢ દ્દથ્ ટ્ઠડ ત્ટ્ટણ્ઠ્ઠ દ્ધથ્ર્થ્ત્ત્ ધ્થ્દ્ધ ટ્ટત્ત્ઠ્ઠ ઠ્ઠડદ્મણ્દ્રડ ત્ત્થ્દ્દ ડ્ડથ્દ્ર ટ્ટત્ત્ધ્થ્ત્ત્ડ દ્દઢડ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્મ ધ્થ્દ્ધ દ્વથ્દ્ધત્ઠ્ઠ ત્ત્થ્દ્દ ઠ્ઠડદ્મણ્દ્રડ ડ્ડથ્દ્ર ધ્થ્દ્ધદ્રદ્મડત્ડ્ડ. ઉંટ્ટઢટ્ટ ણ્ - (ઘ્દ્રથ્થ્ર્ઢડદ્દ-ઉંટ્ટઢટ્ટદ્ધત્ત્ટ્ટઢ) ૠથ્દ્રડ્ઢણ્દ્યડત્ત્ડદ્મદ્મ ણ્દ્મ ટ્ટ દ્વથ્ત્ત્ઠ્ઠડદ્રડ્ડદ્ધત્ દ્દઢણ્ત્ત્ડ્ઢ દ્દથ્ ઙઋઊઋક્કજ્ઋ ટ્ટત્ત્ઠ્ઠ દ્દથ્ ક્ક્કજ્ઋ. ક્કદ્મ દ્દઢડદ્રડ દ્મથ્ત્ર્ડથ્ત્ત્ડ ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ત્ણ્ડ્ડડ દ્દઢટ્ટદ્દ ધ્થ્દ્ધ’દ્યડ ત્ત્ડદ્યડદ્ર ડ્ઢથ્દ્દદ્દડત્ત્ ટ્ટદ્રથ્દ્ધત્ત્ઠ્ઠ દ્દથ્ ડ્ડથ્દ્રડ્ઢણ્દ્યણ્ત્ત્ડ્ઢ, ડણ્દ્દઢડદ્ર ણ્ત્ત્ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્ થ્દ્ર ણ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટદ્રદ્દ? ઊંથ્ દ્દઢડ દ્રણ્ડ્ઢઢદ્દ દ્દઢણ્ત્ત્ડ્ઢદ્દઢડ દ્વડણ્ડ્ઢઢદ્દ થ્ડ્ડડ્ડ ધ્થ્દ્ધદ્ર દ્મઢથ્દ્ધત્ઠ્ઠડદ્રદ્મ ણ્દ્મ ણ્ત્ર્ત્ર્ડટ્ટદ્મદ્ધદ્રટ્ટટ્ઠત્ડ.

મારી આંખની બારીઓને અને મારા આત્માને જો કોઇએ ઉઘાડયા હોય,

તો તે મારી માતાએ.

માતાની મમતાથી મોટું કોઇ મયુરાસન માનવ જાત પાસે નથી.

અનુક્રમણિકા

વાાર્તા નં : ૪૨ મુનીશ્રી ઢંઢણકુમાર

ભગવાન નેમનાથસ્વામીના સમવસરણમાં શ્રીકૃષ્ણના પુત્ર, ઢંઢણારાણીના લાડકવાયા

ઢંઢંણકુમારે પ્રવજયા ગ્રહણ કરી. તેજ દિવસે તેઓએ પ્રતિજ્ઞા કરી કે,જયાં સુધી મને મારા

ભાગ્યોદયથી ભિક્ષા નહીં મળે ત્યાં સુધી કોઇના ભાગ્યથી મળેલી ભિક્ષા ગ્રહણ નહીં કરું.

આવી ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને તેઓશ્રી તપશ્ચર્યાના પારણે ગોચરીએ જવા નીકળ્યાંં પણ

પોતાનું લાભાન્તરાય કર્મ તેજ દિવસથી ઉદિત થયું હોવાથી ઘર ઘર ફરવા છતાં ભિક્ષા ન મળી

તેઓ રોજ રોજ ભિક્ષાર્થે ભ્રમણ કરતા પણ શુદ્ધ ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. કર્મનો પાવર

એટલો જોરદાર હતો કે, તેમને તો ભિક્ષા નહોતી મળતી પણ તેમની સાથે અન્ય કોઇ મુનિ

ભિક્ષાર્થે ગયા હોય તો તેમને પણ ભિક્ષા ન મળે. છ છ માસ સુધી ઉપવાસની આરાધના

ચાલી પણ પાવરફુલ કર્મ ટસ નું મસ ન થયું . સ્વભાગ્યોદયે ભિક્ષા ન મળી તે ન મળી

એકવાર મહારાજા શ્રીકૃષ્ણ રથારુઢ થઇને રાજમાર્ગેથી જઇ રહ્યા હતા. રસ્તામાં આ મુનીને

ભાવભરી વંદના કરી. પછી મુનીશ્રી રસ્તાની સામે વાળા કોઇ ઘરમાં પ્રવેશ્યા અને પેલા

સદગ્રહસ્થે મુનિરાજને સુગંધીદાર મોદક ભિક્ષામાં આપ્યા. મુનિશ્રીએ જાણ્યું કે આજે મારો

ભાગ્યોદય થયો લાગે છે,નહીંતર મને આ મોદક ન મળે. તેઓશ્રીએ પરમાત્મા

નેમીનાથસ્વામીજી પાસે જઇને પુછયું કે, હે ભગવંત! આજે મારું કર્મ ક્ષીણ થયું? આજે મારો

ભાગ્યોદય શરૂ થયો? આજે મને જે ભીક્ષા મળી તે મારા પુણ્યથી મળી કે અન્યના? બધા

સવાલોનો સામટો જવાબ આપતાં ભગવાન નેમનાથસ્વામી એ કહ્યું કે, ઢંઢંણ આજે જે લાભ

થયો છે, તે તારા ભાગ્યોદયથી નહીં પણ મહારાજા શ્રીકૃષ્ણના પુણ્યથી તને લાભ થયો છે.

ત્રિખંડાધીપતિએ તને વંદના કરી તેથી પેલા શ્રીમંતને મનમાં થયું કે ઓ. હો

હોધ્વારકાધીશ જેને વાંદે છે ,એ મુની કેવા મહાન હશે! એમ માનીને તને જે મળ્યું છે

એમા કારણ શ્રીકૃષ્ણ મહારાજ છે. તારું અંતરાય કર્મ હજી ક્ષીણ થયું નથી. મુનીશ્રીએ

જંગલની વાટ પકડી. મોદકને પેટમાં નાંખવાને બદલે તેમળે ધૂળમાં ચોળવા શરૂ કર્યા.

મોદકને તેઓ ધૂળમાં ચોળી રહ્યા હતા ત્યારે મનમાં વિચારી રહ્યા ં હતા કે,મેં પૂર્વમાં કેવું

ચીકણું કર્મ બાંધ્યું છે કે જે આજે પણ ક્ષીણ થયું નથી. અ રે રે .

મેં પૂર્વ ભવોમાં કેટલાના માર્ગમાં હું વિધ્નરૂપ થયો હોઇશ! હે સર્વ જીવો મને માફ કરજો!

હે પ્રભુ! આ પાપી જીવને આપના શરણમાં લેજો. અને વિશ્વમાં સર્વનું ભલું કરનારા

ભવ્યાત્માઓની સુકૃતોની ભલી ભલી અનુમોદના હોજો! આવી ભાવના ભાવતા ભાવતા,

લાડુ ચોળતા ચોળતા મુનિશ્રીએ લાભાન્તરાય સમેત આઠે આઠ કર્મો ને તત્કાળ ચોળી નાંખ્યા.

સર્વકર્મને ભસ્મસાત કરી,છેલ્લો શ્વાસ મૂકી આંખડી ઢાળી દીધી. નિશ્ચેેતન દેહડી જમીન પર

ઢળી પડી.મુનીરાજનો હંસલો કેવલ્યજ્ઞાન પામી અંતકૃતકેવલી બની મોક્ષને સંપ્રાપ્ત કરી ગયો.

પૂર્વભવમાં ઊપાર્જેેલ લાભાન્તરાય નામનું કર્મ અમને જો ભિક્ષા પણ ન મળવા દે તો તમને

લક્ષ્મી ન મળવા દે તેમાં શું આશ્ચર્ય છે? દાન આપતી વ્યકિતને જોઇ અંતરથી થાય કે આ

બહુ સારું કરે છે.આવો પરિણામ થાય તો લાભાંતરાયકર્મ તૂટે પણ તેવો પરિણામ ન થાય

અને ઇર્ષાનો પરિણામ થાય તો લાભાંતરાયકર્મ બંધાય.

જગતપૂજય,જગન્નાથ,જગત્પિતા,ભગવાન ઋષભદેવને પણ તેર તેર માસ સુધી અને પ્રભુ

વીરને છ છ માસ સુધી નકોરડા નિર્જલા ઉપવાસ કરવા પડયા હતા. તેમા પણ આ કર્મ જ

કારણ હતું.

આપણે પણ પૂર્વ ભવમાં આવું કર્મ - બીજાને લાભમાં પથ્થરો નાંખવાથી આ કર્મ બંંધાય છે.

કોઇ ને કાંઇક સુખ સંપ્રાપ્તિ મળવાના ચાંસ હતા પણ તમે વચ્ચે એવી કાંઇક આડખીલી

ઉભી કરી કે પેલો માણસ તે લાભથી વંચિત રહી ગયો. આવી રીતે કોઇના લાભમાં તમે

અંતરાયો નાંખવાનું જે કાર્ય કર્યુ હોય તેના દ્વારા તમારા આત્મામાં એવા એક કર્મનું

નવસર્જન થાય છે કે, તે કર્મ તમને થનારા લાભમાં આડું આવ્યા વિના રહે નહીં.

ઢંઢણમુનીનો આત્મા પૂર્વભવે બળદોને માલિકના ખેતરમાંથી સમયસર ભોજને છોડવાને

ભદલે થોડાં લેઇટ છોડતાં અને થોડી ઓવરડયુટી પોતાના ખેતરમાં પણ કરાવી લેતા. આવો

એક આહારમાં અંતરાય કરેલો તેના પરિણામે તેઓશ્રીને છ માસ સુધી ભિક્ષાનો લાભ ન

થયો. બહુ સાવધાની રાખી જીવન જીવવા જેવું છે. આજે ઓફીસોમાં સ્ટાફ પાસે તમે

ઓવરડયુટી કરાવો છો,પણ પછી વળતર તો આપતાજ નથી. તો કોઇકના લાભમાં અંતરાય

કર્મ પાડી રહ્યા છો . જેના દ્વારા તમને લાભાંન્તરાય નામનું કર્મ બંધાય છે.

ઘણાં લોકો પોતાના દુશ્મનને હેરાન કરવા વ્યાપારીયોેને ફોન કરી કહેતા હોય છે કે, આ

ચીટર છે. આની સાથે વ્યવહાર કરવા જેવો નથી . આને નોકરીએ રાખવા જેવો નથી .આતો

બદમાશ માણસ છે. આમ કરવાથી પહેલા માણસની રોજી રોટી રખડી પડતી હોય છે. આવા

કામ કરવાથી તમને લાભાંન્તરાયકર્મ નામનું કર્મ બંધાય છે.

આવીજ રીતે કોઇના ફલેટ કેંન્સલ કરાવી દેવા,કન્યાઓના વેવીશાળ તોડાવી નાંખવા,

જમીનોની ખરીદીમાં અંતરાયો નાંખવા, સોદાઓ કેંન્સલ કરાવી દેવા વગેરે દ્વારા સામે વાળી

પાર્ટીને થનારા લાભોમાં કંઇ અંતરાયો ઉભા કરવાના પ્રયત્નોથી જ આવું ખતરનાક કર્મ

બંધાય છે.જે તમને આ જન્મમાં, વ્યાપાર-ધંધામાં,વ્યવહારમાં ફાવવા ન દે,કંઇને કંઇ

મુશકેલીઓ ઉભી કર્યા જ કરે.

તમેજો આવી કંઇક મુશકેલીઓ અનુભવી હોયતો નિશ્ચયથી સમજશો કે,તમે પૂર્વે કોઇના

માર્ગમાં કાંટા વેર્યા છે અને કોઇના લાભમાં અંતરાયો ઉભા કર્યા છે. પથ્થરો નાંખ્યા છે, જેથી

તમને પગલે પગલે મુશકેલી નડયા કરે છે. આ કર્મનો વિનાશ કરવો હોયતો ન્યાયના મારગે

ચાલો-તો જ તમારા આ કર્મ છૂટે છે. તમારે કડો સંકલ્પ કરવો પડશે કે હવે ધંધામાં ખોટું

કરવું નથી. ખુબજ ન્યાય થી કાર્ય નવાં કર્મો બાંધ્યા વગર કરશો તો જ તમારો જુના

લાભાંન્તરાય કર્મ થી છૂટકો મળશે.સાધુ ન બની શકો તો સીધા તો બનો. અત્યાર સુધી

આપણે વાંકાજ ચાલ્યા છીએ. આત્માનો સ્વભાવ સીધા ચાલવાનો છે. પણ મોહ હોય ત્યાં

સુધી સીધા ચાલતા નથી. માટેજ કલ્યાણ થતું નથી. મનનો ભાવ આવો જોઇએ. સીધ્ધાચલ

કહે છે સીધા ચલ. એ યુવા ફાધર તેના દશ અને બાર વર્ષના બે સુપુત્રોને લઇને ઉપાશ્રયમાં

આવ્યા હતા.તેમને પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને મળવું

હતું.ગુરુદેવ આરામમાં હતા એટલે તેઓપંન્યાસ હેમરત્નવિજયજી મહારાજ સાહેબ પાસે

બેઠા. તેમણે પૂછયું કે શું કામ હતું? તેમણે કહ્યુંઃ આ બંને બાળકોને એક વર્ષ માટે રોજ

ઉકાળેલું પાણી,જિનપૂજા અને રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા પૂ.ગુરુદેવશ્રીના શ્રીમુખલેવાનીે

છે. મેં કહ્યું એક વર્ષની શા માટે જીવનભરની જ અપાવોને?યુવાન પિતાશ્રીએ કહ્યું કે જન્મ

થયા પછી આજ સુધીમાં તો કયારેય રાત્રિભોજન કર્યુ નથી અને કરવાના પણ નથી. પરંતુ

પ્રતિજ્ઞા દર વર્ષૈ લેવડાવીએ છીએ. જન્મના ૪૦ દિવસ બાદ કરતાં આજસુધીમાં પૂજા વગરનો

એક પણ દિવસ ગયો નથી..નાના હતાં ત્યારે નવડાવી પૂજાના કપડાં પહેરાવી દેરાસરે લઇ

જતા. પ્રભુજીના જમણા અંગુઠે ફકત પૂજા કરાવી અને માથે એક તિલક કરાવીને તરતજ ઘરે

પાછા મોકલી દેતા એટલે કપડાં બગડવાના કે આશાતના થવાનો પ્રસંગ ન આવે. જન્મ પછી

કયારેય કાચું પાણી પીધું નથી. ગાજે છે, ગાજે છે, મહાવીરનું શાસન ગાજે છે. આજના કાળે

પણ આવા ઊજળા દૂધ જેવા રાજહંસ સમાં બાળકો જૈન સંઘમાં મોજુદ છે. આપણો સંઘઆવાં

રાજહંસોથી અને એને જન્મ દેનારાં માનસરોવર સમા માાતરથી ઊજળો છે.

કુટુંબના વડીલનું મૃત્યુ થાય-તમો નાણાંકીય રીતે સુખી છો-તમને ખબર છે તેમની ઇચ્છા એક

ચેરીટેબલ ટ્રસ્ટ કરવાની હતી. પણ સંજોગવશાત તે કામ થયું નથી. એટલે જો મૃતકની ઇચ્છા

ને પૂરી કરવાની તમારી ભાવના હોય તો તેમની જીવન વીમાની રકમ જે પણ વારસદારનેમળે

તે રકમ ના એકાવન ટકા રૂપીયાનું ચેરીટેબલ ટ્રસ્ટ કરશો તે મૃતકના આત્મા માટે અને તમારા

સર્વને પણ સારા કાર્યમાં રકમ વાપરવા આ ટ્રસ્ટ કાયમને માટે ઉપયોગી બનશે. સ્મરણાંજલી

સમજો કે જે કાંઇ પણ વિચારો - આ વિચાર અનુકુળતા હોય તો અમલમાં મુકશોજી. તમારા

જીવનમાં શુભ વિચારો આવશે -અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળશે -જીવનમાં રાજયોગ

ટકશે અને ધર્મ માર્ગે - માનવ સેવા - જીવદયા જયાં પણ તમો મળેલ લક્ષ્મીનો સદુપયોગ

કરશો તો લાભ જ છે સરવાળે. સતકાર્ય - પુણ્યની બેંકમાં તમારું રોકાણ છ–વાવેતર છે.

પરભવનું ભાથું છે.

મળ્યો છે દેહ માનવીનો, જગતમાં ધૂપસળી થાજો,

સુગંધ અન્ય ને દેવા તમે જાતે બળી જાજો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૩ કુહાડી - ઝાડ કાપતાં તળાવમાં પડી જાય છે

આ વાર્તા પણ મારા દીકરા નીલેશે મને કહેલ છે. એક કઠિયારો હતો. રોજ જંગલમાં એક

તળાવ ને કિનારે ઝાડની ડાળી કાપી ગુજરાન ચલાવતો હતો. ઘરે એક પત્ની હતી. આમ

સુખે થી દિવસ પસાર થતાં હતાં. એક દિવસ કઠિયારાની કુહાડી તળાવમાં પડી ગઇ -

બીચારો મુંઝાઇ ગયો હવે લાકડાં કાપવાનં કેમ કામ થશે? ઘર કેમ ચાલશે? બીચારો

જોરજોરથી રોવા લાગ્યો - હે ભગવાન હવે મારું શુ થશે? કુદરતનું કરવું કે તે તળાવના દેવ

હતા તે પ્રગટ થયા. તેમણે કીધું કે શું કામ ભાઇ રોવો છે ?તમારી કુહાડી હું પાણીમાં જઇ ને

લઇ આવું છું. દેવ અંદર ગયા પાણીમાં અને એક સોનાની કુહાડી લાવ્યા. કઠિયારો ઇમાનદાર

હતો. તેણે કહ્યું આ મારી નથી.. દેવ પાછા અંદર ગયા હીરા-માણેક-મોતીની કુહાડી લાવ્યા.

આ પણ મારી નથી . દેવ હવે અંદર ગયા અને લોઢાની જે કઠિયારાની હતી તે કુહાડી લઇ

આવ્યા. તરતજ કઠિયારાએ કહ્યું કે આ મારી છે. દેવતા તો મનમાં ખુશ થઇ ગયા- આ તો

એકદમ ઇમાનદાર માણસ છે. એટલે રાજી થઇને ત્રણે કુહાડી કઠિયારાને આપી કહ્યું કે હવે

તું રાજા ની જેમ જીવજે.કઠિયારો ઘરે આવ્યો - મોટું મકાન બનાવ્યું નોકર- ચાકર વિગેરે

રાખી પોતાની પત્ની સાથે આનંદથી રહેવા લાગ્યો. પણ એક દિવસ એની પત્ની પુછે છે કે

આ બધું આવ્યું કેવી રીતે. કઠિયારાએ તો સાચી વાત કરી દીધી . હવે પત્ની જીદ પર આવી

ગઇ કે મને તે તળાવ બતાઓ. મારે જોવું જ છે. આખરે કઠિયારો તેની પત્ની ને લઇ તળાવ

પાસે આવે છે અને બધું બતાવે છે. ત્યાં કાંઇક પગ લપસ્યો ને કઠિયારાની પત્ની તળાવમાં

અંદર પડી ગઇ. ફરી પાછો કઠિયારો રોવે છે અને દેવ આવે છે - શુંં થયું? મારી પત્ની

તળાવમાં પડી ગઇ છે એને બચાવોે તો સારુંં. દેવ પાણીમાં જાય છે અને એક ખુબસુરત

દેખાવડી કન્યા લઇને બહાર આવે છે. કઠિયારો આ વખતે તરત જ હા પાડી ને તે બાઇને

સાથે લઇ જવા માંડે છે. દેવતાને મનમાં થયું કે આટલો ઇમાનદાર માણસ કેમ બદલાય

ગયો. એટલે એને ઉભો રાખેે છે અને કહે છે ભાઇ આ તો તારી પત્ની નથી તો પણ હા પાડી

ને કેમ લઇ જા છો? કઠિયારો જવાબ આપે છે સાહેબ આપની વાત સાચી-પણ આ વખતે

પણ તમો ત્રણ સ્ત્રીઓ લઇ આવો તો છેલ્લે તો બધી મને જ આપીદોને. અહીં એકને માંડ

માંડ સંભાળાય છે ત્યાં ત્રણ કેવી રીતે સાચવીશ? એટલે તમોએ પહેલા જે પત્ની આપી તે

લઇ ને હું જવા તૈયાર થઇ ગયો. બીજું કશું નથી. દેવતા સમજી ગયા કહે કે બસ હવે

શાંતિથી ધર્મધ્યાનના માર્ગે ચાલજે. આ પત્ની તને પુરો સહકાર આપશે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૪ નંદીષેણ મુનિ

રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીર સ્વામીની દેશણા

સાંભળી વૈરાગ્યની ભાવના થઇ દીક્ષા લેવા પ્રભુને વિનંતી કરી . ભગવાન મહાવીરે તેમને

થોભી જવા કહ્યું . હજુ તારે સંંસારના ભોગ ભોગવવાના બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ

લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી.

શાસન દેવતાએ પણ દિવ્યધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવા બાકી છે, કર્મ

કોઇને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી

વિધાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી . છઠને પારણે

આયંબિલ અને પાછો છઠ એમ તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડયું. પણ

માંકડા જેવુંં મન વિકારી વિચારો છોડી ન શકયું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે

આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી પર ચડી ભૂસ્કો મારી

આપઘાતની તૈયારી કરી. પણ ભૂસ્કો મારતાં પહેલાં આત્માનો ધક્કો લાગ્યો. આવું

આપઘાતનું પાપ કર્મ કેમ થાય? પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય.

મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યાં.

તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઇ ચડયા. ધર્મલાભ

બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી . કર્મ સંજોગે એ આવાસ કોઇ ગૃહસ્થીનો ન હતો. એ તો

વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભ સામે જવાબ આપ્યો. અહીં ધર્મલાભનું કોઇ કામ

નથી. અહીં તો અર્થલાભ જોઇએ.નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઇએ

છે ને - એમ કહી એક તરણુ ં હાથથી હલાવી સાડા બાર ક્રોડીની વર્ષા ઘરમાં કરી દીધી.

આવી વિધાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા

દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગ્રહસ્થ બની ગયા- મનને મનાવ્યું ભાવિ

ભાવ સંસારના ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા

રહ્યા . શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા .

દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જયાં સુધી ૧૦ જણા પ્રતિબોધી ન શકાય

ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ.એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ ૧૦મો જણ

કોઇ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી

પણ તે ન બૂજયો. આથી વેશ્યા વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવતો થયા. દશમાં તમે, અને

નંદીષેણનો આત્મા પ્રજવલિત થઇ ગયો. હા દસમો હું. બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી

દીક્ષા ગ્રહણ કરી. ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ ક્રિયા બધું સાધી, ઘણાં જીવ

પ્રતિબોધી દેવલોક ગયા.

અનુક્રમણિકા

વાર્તાઃ નંઃ૪૫ પ્રવૃત્તિ ઘણી બદલી હવે વૃત્તિને બદલીએ

પ્રવૃત્તિ ઘણી બદલી પણ વૃત્તિ તો એની એ જ રહી.. આ વાત બધાને લાગુ નથી પડતી.

એટલે ખાસ વિનંતી છે કે કોઇએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હે સ્વામિન! આપનો

તપ સુખરુપ ચાલે છે ને? આપના શરીરમાં કોઇ પીડા નથી ને? આપની સંયમયાત્રા આપ

સુખરુપ વહન કરી રહ્યા છો? કેટલી મધુર અને લાગણીસભર આ પ્રશ્નોત્તરી છે. સુખતપ,

શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો જી?શ્રાવકનું કાર્યતો સાધુની સંયમયાત્રા

સુખપૂર્વક નિરાધાબાદ વહેતી રહે તે માટે જરૂરી કાળજી કરવાની છે. સાધુની સંયમયાત્રાજ

ભ્રષ્ટ થાય એવું કાર્ય સાધુ પાસે શ્રાવક હરગીજ ન જ કરાવે - ન જ ઇચ્છે.

જીવનમાં સંયમનો સ્વીકાર કરવા દીક્ષા ગ્રહણ કરી . ઘરબાર, ધંધો-ધાપો મિત્રો સ્વજનો

છોડયા. પ્રવૃત્તિ તદન બદલાઇ ગઇ. પુત્ર-પુત્રી-પરિવાર હતાં, તેને સ્થાને શિષ્યો-

શિષ્યાઓનો પરિવાર. માનીતા ભકતોએ સ્વજનોનું સ્થાન લઇ લીધું. સંસારમાં હતાં ત્યારે

બંગલા-ફેકટરીનો નિર્માણ અને વિસ્તારની વાત હતી, હવે મંદિરો,સ્થાનકોના નિર્માણ અને

વિસ્તારની શૃંખલા શરૂ થઇ. પસંદગીના ધર્મસ્થાનકો ગમવા લાગ્યાં. ત્યાં વધુ રહેવાનું

આકર્ષણ થયું. ખાસ ભકતજનોનો સંગ વધ્યો. પ્રવૃત્તિ બદલાઇ પણ વૃતિ ના બદલાઇ.

વેપાર-ધંધોતો આપણા કુટુંબ-પરિવાર ના લાભ માટે કરતાં હોઇએ છીએ. જયારે સેવામાં

અન્યના કલ્યાણ અને માંગલ્યની ભાવના ભળેલી છે તેથી તેમા સ્વાર્થને બદલે પારમાર્થિક

ભાવના કેંદ્ર સ્થાને છે તેથી તે પ્રવૃત્તિમાં સત્વશીલતા છે.

જયારે સેવા, સંસ્થાના પદ પર મમત્વ જાગે ત્યારે એ મમકારં અહં ને પણ ખેંચી લાવશે અને

જેવી એ સંસ્થા અને તેના પદમા આસકિત જાગશે તેવી સત્વશીલતા ખતમ થઇ જશે. પ્રવૃત્તિ

સાત્વિકતાનો લોપ થશે. પહેલા મારાં કુટુંબ પર મારું શાસન ચાલતું હતું. કુટુંબના વડીલ

હોવાની સત્તાનો કેફ ગર્વ હતો. હવે સંસ્થામાં પદ અને સત્તા મળી છે. મારું ચાલે છે તેનો

મને ગર્વ છે. પહેલાં મારા પરિવારના સ્વજનો અને બંગલા પર મોહ આસકિત હતાં. હવે

સંસ્થાના મકાન, સહકાર્યકરો અને પદ પર આસકિત છે. સંસ્થામાં દાન કર્યું છે તો

ટ્રસ્ટીશીપતો મળવી જ જોઇએ ને. અહીં દાનતો થયું પણ ત્યાગ ન થયો. પ્રવૃત્તિ બદલાઇ પણ

વૃત્તિના બદલાઇ. દાનથી લક્ષ્મી-પરિગ્રહનું વિર્સજન તો થયું પણ ત્યાગ વિના દાનનું સાફલ્ય

અધુરું છે સારા-નિષ્ઠાવાન દાતાને સંસ્થા સામે ચાલીને ટ્રસ્ટીશીપ માટે આમંત્રણ આપે તે

સંસ્થાના હિતમાં છે. સંસ્થા સેવક કે દાતાનું સન્માન કરે કે તકતી લગાડે તે દાન કે સેવાનું

સન્માન છે.પરંતુ મેં સેવા કે દાન કર્યા પછી મારા હૈયામાં સન્માન,પદ કે શીલાલેખની

ભાવના શિલાલેખની જેમ કોતરાઇ જાયતો દાન દ્વારા પરિગ્રહ વિર્સજનની ભાવના

અધુરી છે.ત્યાગ વિનાનું સાફલ્ય નથી, માત્ર પ્રવૃત્તિ બદલવાથી કલ્યાણ નથી, વૃત્તિ પણ

બદલવી જોઇએ. જીવનની અંતિમ ક્ષણે ભગવાન મહાવીરે પોતાના પ્રિય શિષ્ય ગૌતમને દૂર

મોકલી અળગો કર્યો,અનાસકતભાવ ઉજાગર કરવાની ભાવનાથી પ્રભુએ આમ કર્યુંને તેના

પરિણામેજ ગણધર ગૌતમ કેવલ્યના અધિકારી બન્યા. એક મુનીની પ્રેરણાથી શિક્ષણ સંકુલની

સ્થાપના થઇ.મુનિના દસ વર્ષના પ્રચંડ પુરૂષાર્થ પ્રવૃત્તિ બાદ સંસ્થા એક આદર્શ સંસ્કારધામ

બની. કેટલીક સેૈધ્ધાંતિક વૃત્તિ બાબતોમાં સંચાલકો અને ટ્રસ્ટીઓ સાથે એ જૈન મુનિને

મનભેદ થયો. મુનિનુંઆર્ત્તધ્યાન જોઇ તેમના ગુરુએ કહ્યું કે આ સંસ્થામાં તું આસકત થયો

છે, તારું આર્ત્તધ્યાન, રોદ્રધ્યાન તરફ ઝડપથી જઇ રહ્યું છે. આ સંજોગોમાં તું મૃત્યુ પામેતો

આ શિક્ષણ સંકુલમાં સાપ તરીકે જ જન્મે. મુનિને ઝટકો લાગ્યો, પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિ

પર નિરિક્ષણ કર્યુ. આલોચના કરી. આખી રાતના મનોમંથન બાદ ચિત્તમાંથી પહેલા સંસ્થાને

અને તેના સંચાલકોને દૂર કર્યા.

વહેલી સવારે સંસ્થાના સ્થાનકમાંથી વિહાર કયૌ. મુનિની જાગૃત ચેતનાના સમ્યક

પરાક્રમે,અહીં પ્રવૃત્તિ સાથેવૃત્તિ બદલાઇ ગઇ. મુનિનું મહાભિનીષ્ક્રમણ નિજી સંયમ જીવનનો

મર્યાદા મહોત્સવ હતો. રાજા મહેલમાંથીતોે બહાર નીકળી ગયાં પરંતુ રાજામાંથી મહેલ

નહોતો ગયો. રાજામાંથી રાજર્ષિ થવું હોયતો પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલવી પડે.

પહેલા ધંધો કરતાં હતા. માત્ર ધંધો,વ્યવસાય. હવે એ પ્રવૃત્તિ બંધ કરી, સેવાની પ્રવૃત્તિ શરૂ

કરી. વૃત્તિ ધંધાની હતી એટલે સેવામાં ધંધો ભળી ગયો. ખબર ન પડે તેમ ધીરે ધીરે સેવાનું

વ્યાવસાયિકરણ થઇ ગયું અને ધીરે ધીરે સેવાનો ધંધો શરૂ થઇ ગયો.આશકિતના સંદર્ભે

આચાર્યર્ મહાપજ્ઞજીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. નગરમાં એક સંન્યાસી આવ્યા,

સંન્યાસીની જીવનચર્યા જોઇ રાજાએ સંન્યાસી બનવાનું નક્કી કર્યું. રાજ પાટ -વૈભવ છોડી

રાજા સંન્યાસી પાસે આવ્યા અનેે કહ્યું કે મને સન્યસ્ત દીક્ષા આપો.સંન્યાસીએ રાજાને દીક્ષા

આપી. રાજાતો જંગલમાં કુટિર બનાવી રહેવા લાગ્યા. રાજાને દીક્ષા આપનાર ગુરુ અન્યત્ર

ચાલી ગયા. સંન્યાસી બનેલા રાજા માત્ર કુટિરને વિશાળ બનાવે છે. વિવિધ વૃક્ષોના રંગીન

લાકડાઓની કલાકૃતિ બનાવી તેને શણગારે છે. વિવિધ રંગીન ફૂલો અને પર્ણોથી કુટિરના

વિશાળ આંગણામાં કેટલાક પશુપંખીને પાળે છે.એક વર્ષ પછી રાજાને દીક્ષા આપનાર

સન્યાસી ગુરુ તે જંગલના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતાં.રાજાએ ગુરુ સન્યાસીને પોતાની

કુટિરમાં પધારવા આમંત્રણ આપ્યું.રાજાએ કુટિર,આંગણું,પશુ-પંખી અને સુશોભનો બતાવી

પૂછયું - ગુરુજી મારી કુટિર કેવી લાગી? ગુરુજીએ કહ્યુંઃ કુટિરતો મહેલ જેવી સોહાય છે.

ગુરુ દ્વારા કુટિરના વખાણ સાંભળી સન્યસ્ત થયેલા રાજાના મુખ પર અહં અને ખુશીના ભાવ

જોઇ ગુરુ વિચારે છે. રાજા મહેલમાંથીતો બહાર નીકળી ગયા પણ રાજામાંથી મહેલ નથી

ગયો. ચિત્તમાં મહેલ મોજુદ છે. ગુરુ કહે છે - પહેલાં મહેલ અને રાજયના વિસ્તાર શણગાર

કરતાં હતાં હવે કુટિરનો. પહેલાં મહેલ, રાણી, કુંવરો, સેવકો પ્રત્યે મોહ હતો. હવે કુટિર,

ફુલ, ઝાડ-પાન, પશુ-પંખી પ્રત્યે મોહ આમાં પરિગ્રહ પ્રત્યેની આસકિત કેમ છૂટશે? પ્રવૃત્તિ

જરૂર બદલાઇ વૃત્તિ નથી બદલાઇ. રાજામાંથી રાજર્ષિ થવું હોય તો પ્રવૃત્તિ સાથેે વૃત્તિને

બદલવી પડશે. સંન્યાસી બનેલ રાજા પ્રમાદ અને મોહની નિદ્વાથી જાગૃત થયા તે પશુ-પંખી

ફૂલ-ઝાડ ને કુટિરનો ત્યાગ કરી અન્ય સ્થળે ચાલી ગયા.

પૂર્વ સંન્યાસી થવા સમગ્ર સામ્રાજયનો ત્યાગ કર્યો હતો તે ત્યાગ કરતાં જંગલની આ કુટિરનો

ત્યાગ મહાન હતો. કારણ આ ત્યાગમાં ચિત્તવૃતિમાંથી આસકિતનો ત્યાગ અભિપ્રેત હતો.

અહીં પ્રવૃત્તિની સાથે વૃત્તિ બદલાઇ હતી.કુટિરમાંથી અન્યત્ર જંગલ તરફ જતી સંન્યાસીની

યાત્રા અનાસકિતના માર્ગે ભકિતની યાત્રા હતી. એક કરોડ રૂપિયાનું દાન હજી કદાચ શકય

છે, માસખમણની તપશ્ચર્યા હજી કદાચ સરળ છે, જિંદગીભરના બ્રહ્મચર્યનો પડકાર ઝીલી

લેવામાં ય હજી કદાચ સફળતા મળી શકે છે પરંતુ બીજાના નાનકડા પણ ગુણ પાછળ પાગલ

બની જવા માટે મન તૈયાર થતું નથી. અન્યના નાનકડા પણ ગુણની પ્રશંસા કરવા માટે જીભ

તત્પર બની જવા તૈયાર થતી નથી.સંપત્તિ છૂટથી વાપરવા તૈયાર થઇ જતું મન અન્યના ગુણોના

દર્શને છૂટથી પ્રશંસાના શબ્દો વાપરવા તૈયાર થઇ જતું નથી. પ્રભુ! અહંકાર અમારો આટલો

બધો ભયંકર? સત્કાર્યો કરવા એ તૈયાર થઇ જાય પણ અન્યના સત્કાર્યો જોઇને એ રાજી થવા

તૈયાર ન થાય? આનો અર્થ તો એ જ થયો ને કે અમને અમે ગમીએ છીએ પણ સત્કાર્યો

નથી ગમતાં! એક વિનંતી છે પ્રભુ! અમને સ્વપ્રશંસા માટે જીભ તો લાંબી મળી જ છે,

પરગુણ પ્રશંસા માટે અમને તમો પહોળું હૃદય આપશોજી.

મારા જીવનમાં પ્રભુ પધારો

(રાગ- તુમકો દેખા તો એ ખયાલ)

મારા જીવનમાં નાથ આપ આવો, હેતની હૈલી પ્રભુ વરસાવો મારા

મારા મસ્તક પર આપ હાથ મુકો, શાંત થઇ જાયે મન ના તોફાનો હેત

આંગળી મારી પ્રભુજી પકડો, આપના માર્ગે મુજને લઇ જાઓહેત

કર્મના ઉદયો મુજને ઘેેરે છે, સાચી સમજણ બની તમે આવો

ભકિતના પુર પ્રભુ લઇ આવોમારા.

ચ્ર્ઢડ ક્રટ્ટણ્ત્ત્ ચ્ટ્ટઠ્ઠઢદ્ધદ્મ ત્ડટ્ટઠ્ઠ ટ્ટ ત્ણ્ડ્ડડ ડ્ડદ્ધત્ત્ થ્ડ્ડ થ્ર્દ્ધદ્રણ્દ્દધ્ દ્વઢણ્ઠઢ ણ્દ્મ થ્ર્દ્રટ્ટણ્દ્મડઠ્ઠ ટ્ઠધ્ ટ્ટત્ત્. કડ થ્ર્દ્રટ્ટઠદ્દણ્ઠડદ્મ દ્દઢડ જ્દ્રટ્ટદ્દટ્ટદ્મ ટ્ટત્ત્ઠ્ઠ દ્રણ્દ્દડદ્મ દ્મદ્દદ્રણ્ઠદ્દત્ધ્ ટ્ટત્ત્ઠ્ઠ દ્મઢથ્દ્વદ્મ દ્દથ્ દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્દઢડ દ્વટ્ટધ્ થ્ત્ત્ડ ઢટ્ટદ્મ દ્દથ્ ડ્ઢથ્ ણ્ત્ત્ થ્દ્રઠ્ઠડદ્ર દ્દથ્ દ્રડટ્ટત્ણ્દ્મડ દ્દઢડ દ્મથ્દ્ધત્ થ્દ્ર ટ્ટદ્દત્ર્ટ્ટ. ઋદ્યડત્ત્ દ્દઢડ ત્ણ્ડ્ડડ થ્ડ્ડ ટ્ટ ક્રટ્ટણ્ત્ત્ ઢથ્દ્ધદ્મડ ઢથ્ત્ઠ્ઠડદ્ર ણ્દ્મ દ્મથ્ દ્મણ્ત્ર્થ્ર્ત્ડ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડટ્ટદ્ધત્દ્દત્ડદ્મદ્મ દ્દઢટ્ટદ્દ ક્કત્ત્ઠ્ઠણ્ટ્ટ દ્મઢથ્દ્ધત્ઠ્ઠ ટ્ઠડ થ્ર્દ્રથ્દ્ધઠ્ઠ થ્ડ્ડ દ્દઢડત્ર્.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૬ શ્રી મેઘરથ રાજા

પૂર્વ મહાવિદેહમાં પુંડરીકણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની સખી

હતી.તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજય સોંપ્યું.

મેઘરથ રુડી રીતે જૈન ધર્મ પાળતા હતા. એક દિવસ મેઘરથરાજા પૌષધશાળામાં પૌષધ

અંગીકાર કરી ભગવંત ભાષિત ધર્મનું સ્વાધ્યાય કરતા હતાં. તે વખતે ભયથી કંપતું અને

મરણોન્મુખ હોય તેમ દીનદ્દષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડયું અને તેણે

મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી.. એટલે કરૂણાના સાગર જેવા રાજાએ - ભય

પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું.થોડી વારે હે રાજન,એ મારું ભક્ષ્ય છે માટે સત્વર મને

સોંપી દો એ પ્રમાણે કહેતું એક બાજપક્ષી ત્યાંઆવ્યું. એટલે રાજાએ કહ્યું કે તને આ પારેવડું

હું આપીશ નહીં - તેે મારે શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવોએ ક્ષત્રીયધર્મ છે

અનેઆવા પ્રાણીનેમારીખાવું એ તારાજેવાબુદ્ધિમાનને શોભતું નથી. તારા શરીર ઉપરથી એક

પીછું ઉખેડીએ તો તને કેવી પીડા થાય,તેવી પીડા બીજાનપણ થાય.પણ કોઇનેમારીનાંખવાથી

તેને કેટલી પીડા થાય એ તું કેમ વિચારતો નથી? વળી આવી જીવની હિંસા કરી તારું પેટ ભરે

તેથી નરકે જવાનું તું પાપ કરે છે એ તો વિચાર. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડાંનું

રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતાં નથી. હું પણ ભૂખથી પીડાઉં છું. આથી મારા પ્રાણ

ચાલ્યા જશે. માંસ એજ મારો ખોરાક છે. મને તાજુ માંસ તમો આપશો! રાજા પોતાના દેહનું

માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલુંં માંસઆપવાત્રાજવુંમંગાવીએક

તરફ પારેવડાંને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપી ને મૂકવા લાગ્યા. માંસશરીર

કાપતા જ જાય પણ પારેવડાંના તોલ કરતાં ઓછું જ તોલમાં થાય.છેવટે પોતાનું આખુંશરીર

ત્રાજવાના બીજા પલ્લામાં મૂકી પારેવડા બરાબર વજન કર્યુ તે જોઇ સર્વ પરિવારે હાહાકાર

કરી. સામંત, અમાત્ય બીજા મિત્રોએ રાજાને કહ્યું કે અરે પ્રભુ, અમારા અભાગ્યે તમે શું કરો

છો? આ શરીર વડે તો તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવાનું છે માટે શરીરનો ત્યાગ કેમ કરો

છો? આ તો કોઇ માયાવીપંખી લાગે છે કારણકેપંખીનો આટલો બધો ભાર સંભવે નહીં..

આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યારે મુગટ,કુંડળ તથા માળા ધારેલ કોઇ

દેવતા જાણે તેજનો કોઇ રાશિ હોય તેમ પ્રગટ થયા ને બોલ્યા, હે નૃપતિ! તમો ખરેખર

મેરુપર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચળિત થયા નહીં. ઇશાનેંદ્ર તમારી પરીક્ષા કરવા

આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમા કરો.એ પ્રમાણે કહી રાજાને સાજામાજા કર્યા. ત્યાર

બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વિશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકરગોત્ર બાંધી

એક લાખ પૂર્વ પૂર્વનું આયુષ્ય ભોગવી તેમના બારમા ભવે અિઅચરાજીની કુખે અવતરી શ્રી

શાંતીનાથ નામે સેળમાં તીર્થંકર થયા.

અનુક્રમણિકા

વાર્તા નં :૪૭ કુબેરદત્તા

મથુરાનગરીમાં એક પ્રસિદ્વ વૈશ્યા રહે.રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મ

યોગે એક વાર એનેેગર્ભ રહ્યો.વેશ્યાગૃહની માલીકણ બાઇએ ગર્ભ પડાવી નાંખવા કહ્યું.

કુબેરસેના સંમત ન થઇ. બાળકનો જન્મ થતાં શું કરવું એ જોઇશું એમ જણાવી ગર્ભ ન

પડાવ્યો.નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જનમ્યું. એક પુત્ર અને એક પુત્રી.

માલીકણ બાઇ તો પાછળ પડી હતી. તેને આ કુટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોષાય

એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, વીટી તેમના નામની પહેરાવી પેટીમાં પૂરી,

પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી . પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીના કાંઠે આવી

કોક બે જણે પેટી જોઇ નદીમાંથી બહાર કાઢી.પેટી ઉઘાડી અને બે બાળકો એમા જોયાં. બન્ને

રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઇએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી.. બાળકની

આંગળીએ વીંટી હતી તેનું નામ કુબેરદત્ત લખેલ.બાળકીની આંગળીએ વીંટીમાં નામ

કુબેરદત્તા લખેલ. તે પ્રમાણે એનું નામ રાખ્યું. બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં

નથી. મા બાપે લગ્ન લીધાં અને કર્મ સંજોગે ભાઇ-બહેન પતિ-પત્ની બન્યાં. એકવાર બન્ને

સોગઠાંબાજી રમતાં હતાં. ત્યાં કુબેરદત્તની વીંટી ઉછળીને કુબેરદત્તાના ખોળામાં પડી.

કુબેરદત્તા વીંટી જોઇ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી

લાગે છે. બન્ને એક સાથેજ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઇતો અમારાં

બન્નેના રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઇ-બહેનતો નહીં હોઇએ!

બન્નેએ પોતાનાં મા-બાપ ને પૂછયું ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું કે તમે બન્ને એક

પેટીમાંથી નીકળ્યા હતાં.કુબેરદત્તા સમજી ગઇ કે આ મારો સગો ભાઇ છે. ભાઇ સાથે લગ્ન

કર્યા એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાતાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામેે પાપો ધોવા માટે

કુબેરદત્તા દીક્ષા લઇ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મસાધના કરવા લાગી.

કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યા છે. હવે આ નગરીમાં શું મોઢું

બતાવવું! તેથી મા-બાપની આજ્ઞા લઇ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે

મથુરાનગરીમાં જ આવી ચઢયો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગીમા

હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગીમા સાથે ભોગ ભોગવ્યા. વિલાસમાં

કેટલોક કાળ પસાર થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા

કુબેરદત્ત જ હતો.

બીજી બાજુ કુબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી. તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે

ભાઇ કયાં છે! જોતાંજ ભયંકર દુઃખ થયું.અરેરે!મારો ભાઇ તેની સગીમા સાથે ભોગવિલાસ

કરે છે. કર્મની ગતી ન્યારી છે. મારો આત્મા સાદ પાડે છે સમજાવ માતાને - ભાઇને.

કુબેરદત્તા સાધ્વી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઇને અને માતાને પ્રતિ

બોધ કરવા માટે બાળકને પારણે ઝુલાવતાં ૧૮ પ્રકારની સગાઇ ગાઇ સંભળાવી. વત્સ ! તું

રડે છે શું કામ? તું તો મારો ભાઇ થાય છે કારણ કે આપણા બંનેની માતા એક જ છે. તું

મારો પુત્ર પણ થાય છે કારણ કે તું મારા પતિનો પણ પુત્ર છે. તું મારો દિયર પણ થાય છે

કારણકે તું મારા પતિનો નાનો ભાઇ પણ છે. તું મારો ભત્રીજો પણ થાય છે કારણ કે તું

મારા ભાઇનો પુત્ર પણ છે. તું મારો કાકો પણ થાય છે કારણ કે તું મારી માતાના પતિનો

ભાઇ પણ છે અને તું મારા પુત્રનો પુત્ર પણ છે કારણ કે મારી સપત્ની કુબેરસેનાના પુત્ર

કુબેરદત્તનો તું પુત્ર છે.

વળી તારા પિતા સાથે મારે છ સંબંધ છે. તારો પિતા એ મારો ભાઇ છે કારણ કે અમારા

બંનેની માતા એક જ છે. તારો પિતા એ મારો પણ પિતા છે કારણ કે તે મારી માતાનો

પતિ છે. તારો પિતા તે મારો પિતામહ છે કારણકે મારી માતા કુબેરસેનાના પતિ

કુબેરદત્તનો તું અનુજબંધુ છે તેથી કાકો અને તેના પિતા કુબેરદત્ત તેથી વૃદ્ધ પિતા થાય છે.

તારો પિતા તે મારો સ્વામી છે કારણ કે તેની સાથે મારા વિવાહ થયા છે. તું મારો પુત્ર

પણ છે કારણકે તુ મારી શોકયનો પુત્ર છે. વળી, તારા પિતા તે મારા સસરા પણ થાય છે

કારણકે તે મારા દિયરના પિતા છે.

વળી તારી માતા સાથે પણ મારે છ સંબંધ છે. તારી માતા તે મારી પણ માતા છે કારણ કે

મારો જન્મ એની કુખે થયો છે. તારી માતા તે મારી પિતામહી થાય છે કારણ કે તે મારા

કાકાની માતા છે. તારી માતા તે મારી ભોજાઇ થાય છે કારણ કે તે મારા ભાઇની સ્ત્રી છે.

તારી માતા તે મારી પુત્રવધૂ પણ છે કારણ કે મારી શોકયના પુત્ર કુબેરદત્તની તે સ્ત્રી થાય

છે. તારી માતા મારી સાસુ પણ છે કારણ કે તે મારા પતિની માતા છે. તારી માતા તે મારી

શોકય પણ છે કારણ કે તે મારા પતિની બીજી સ્ત્રી છે. કુબેરદત્તને-સંસારીપણાના ભાઇને

તથા કુબેરસેના-સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ

ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાતાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી.

જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યા અને ત્રણે જણે પોતાના આત્માનો ઉધ્ધાર

કર્યો. આનું નામ સંસાર છે -કોઇ પણ સંબંધ સ્થિર નહીં. .

સંપત્તિ એ વિલાસની અને આળસની માતા છે.

તો ગરીબાઇ એ ક્ષુદ્રતા અને દુર્ગુણની માતા છે.

બંનેમાંથી અસંતોષ જન્મે છે.

આંખ માનવીના અંતરની આરસી છે

જીભ માનવીના વ્યવહારની આરસી છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૮ ધન્ય તને પુણિયા

રાજગૃહીમાં એક શ્રાવક વસે,નામે પુણિયો. શ્રમણશ્રેષ્ટ વર્ધમાનસ્વામી પણ તેમના

ધર્મપ્રવચનમાં પુણિયાની પ્રશંસા કરે. પુણીયાની શ્રીમંતાઇનો પાર નહીં. વૈભવ એના ગૃહ

આંગણે આળોટે. એકદા મહાવીર સ્વામી રાજગૃહીમાં અચાનક આવ્યા.પુણિયો વંદન કરવા

ગયો ને સવિવેક કહ્યુંઃ પ્રભુ! આપે આ નગરી અણધારી પાવન કરીઃ અમે ધન્ય થયા!

ભગવાન મહાવીરે નેહનીતરતાં તેની સામે જોયું - પુણિયા આજે તો ચિંતા થઇ ગઇ. શાની,

પ્રભો! તારી! મારી ? પુણિયાના શબ્દોમાં આશ્ચર્ય અવતર્યું.હા, તારી પાસે અપાર લક્ષ્મી છે.

એમા તું આસકત થઇને ડૂબી જઇશ તો દુર્ગતિ દૂર નહીં હોયઃ ઓહ! એવું કેમ બનવા

દેવાય?ન જ બનવા દેવાય! પુણિયાએ તત્ક્ષણ હાથ જોડયાઃપ્રભો! જે કાંઇ મારી સંપત્તિ છે,

તેમાં રહેવા માટે ઘર, સૂવા સંથારો, જરૂરી સામગ્રી સિવાયની તમામ સંપત્તિનો આજથી

ત્યાગ! પ્રભુ, આસકિત મારામાં પ્રવેશે તે પૂર્વે જ તેનો ત્યાગ કરવો વધુ સારો નહીં ? હું

આજથી પ્રતિજ્ઞાબધ્દ્ય થાઉં છું સમગ્ર રાજગૃહીએ આ જાણ્યું ત્યારે સૌએ પ્રશંસાના ફૂલ

વરસાવ્યા. એ પળથી પુણિયાનું જીવન જ પલટાઇ ગયું. જયાં સંપત્તિ રમતી હતી, ત્યાં સાદગી

આવીઃ જયાં વૈભવ રમતો હતો, ત્યાં વિરાગ આવ્યો : જયાં ઐશ્વર્ય રમતું હતું, ત્યાં સભ્યતા

આવી! જાણે સંસ્કારે ત્યાં નિવાસ કર્યો! રાજગૃહીનાં આંગણે એક સંસ્કારવંતા જીવનનાં

દર્શન લાધ્યાં. પુણિયો હવે રોજના સાડા બાર દોકડા કમાતો! સાદાઇથી રહે,એક દિન ખુદ

ઉપવાસી રહેનેઅતિથિસત્કાર કરે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરે અને અતિથિને આવકારે.

અતિથિવિહોણો દિવસ ન જાય. એ કહે. તિથિ જોયા વિના આવે તે અતિથિ, તેને સત્કારી

શકુ તો જીવન સફળ લાગે. સમય વિતે છે. વ્રતભર્યા જીવનનાં તેજ પુણિયાના મુખ પર ચમકે

છે. એક દિવસની વાત છે. પુણિયા શ્રાવકને ત્યાં અતિથિ આવ્યા છે. અનોખો એ અતિથિ છે,

અનોખી છે એમની વાતો. વિધાસિદ્ધ પુરુષ છે એ.ચર્તુદશીનો દિવસ છે. પુણિયાનો ઉપવાસ

છે. આંગણે આવેલા અતિથિનો અદ્દભૂત સત્કાર કર્યો છે, ભાવથી સાધર્મિક ભકિત કરી છે.

આંગતુક મહેમાને ચોપાસ નજર ઘુમાવી, ઘરમાં માટીનું લીંપણ છે, સ્વચ્છતા છે, જરૂરી થાળી

-વાટકા છે, બીજું કંઇ જ નથી! પુણિયાના અને તેની પત્નીના મુખ પર સંતોષનાં તેજ છે!

સિદ્વ પુરુષનું મન ધન્યતા વરસાવી રહ્યુુંઃ વાહ, પુણિયા! તેં કમાલ કરી! દુનિયા ધનથી જીતે

છે તું વ્રતથી જીત્યો. બહારથી તારી પાસે કંઇ દેખાતું નથી પણ હૃદયથી તું કેટલો ભરપૂર છે!

આવી સ્થિતિમાંય જમાડીને જમે છે, ઉપવાસ કરીને સ્વાગત કરે છે! વાહ! સિદ્વપુરુષનું મન

અહોભાવથી છલકતું હતુંઃ એમણે નિશ્ચય કર્યોઃ મારી પાસે સાધન છે, સિદ્વિની શકિત છે,તો

પુણિયાને પુનઃ ધનવાન બનાવવો! સંધ્યા ઢળી. પુર્ણિમાની રાત પ્રારંભાઇ. પુણિયાને પ્રગાઢ

નિદ્વા આવી ગઇ. ધર્મના શરણે ગયા પછી સંસારની કલુષિતતાનો જાણે સ્પર્શ જનહોતારહ્યો!

સિદ્વ પુરુષે મધ્યરાતે રસોડામાં જઇને એક તુચ્છ તપેલી હાથમાં લીધી, પોતાની ઝોળીમાંથી

મણિ કાઢયો ને તપેલીને સ્પર્શ કરાવ્યોઃ તપેલી સોનાની બની ગઇ!પ્રાતઃકાળ થયો,કૂકડો

બોલ્યો ત્યારે અતિથિ આગળ ચાલ્યા ગયા, પુનઃ કદીક આવવાનું વચન આપીને!પુણિયાએ

સવારમાં જોયુંતો તપેલી, જે પોતાની હતી,તે જ ન મળે! તેની જગ્યાએ સાવ સોનાનીતપેલી

ગવાક્ષમાંથી વહી આવતાં સુર્ય કિરણો તેને વધુ ચમકાવતાં હતાં. પુણિયાનેક્ષણેકવાર આ શું

છે તે ન સમજાયું,પણ પછી અતિથિનું આ કાર્ય છે ત્યારે તેણે નિશ્વાસનાંખ્યોઃઅતિથિએ આ

તો અનર્થ સર્જયોઃ આ તપેલી તેમણે સોનાની બનાવી આપી,પણ મારે નવી આણવીકયાંથી?

અને,સુવર્ણનું મને શું કામ છે? જે હતું તેય પ્રભુના વચને ત્યાગયું. આ અણહકનું મને ન

જોઇએ! પ્રભુ કહેતા હતા કે અણહકના ધનની કિંમત ધૂળ જેટલીય નથી! પુણિયાના હાથમાં

રહેલી સોનાની તપેલી ચમકતી હતી, આંખમાં રહેલું ઝાકળના બિંદુ જેવું આંસુપણ!પળવાર

માંં તેણે નિશ્ચય કર્યોઃ એક જીર્ણ વસ્ત્રમાં તપેલી વીંટી, ને દોડયો રાજગૃહી ની બહારઃ એને

જલ્દી અતિથિને આંબી જવું હતું,આ ધન તેમને સોંપી દેવું હતું! વનની કેડીએ ચાલતાઅતિથિ

સિદ્વ પુરુષને પુણિયો ઝડપથી આંબી ગયો. સિદ્વપુરુષે પુણિયાને પોતાની પછવાડે આવી

પહોંચેલો જોઇને આશ્ચર્યથી પૂછયું,તમે? પુણિયાની છાતિમાં શ્વાસ સમાતો નહોતોઃઆપ

એવું કશુંક કરીને ગયા કે મારે તરત દોડવું પડયું! પુણિયાએ જીર્ણ વસ્ત્રમાં લપેટેલી તપેલી

કાઢીને કહ્યુંઃ આ તમે શું કર્યું ? તમે તપેલી સોનાની બનાવી દીધી પણ હું તે રાખી લઉં

એટલે મારી જીંદગી શ્યામ જ બની જાયને! શ્રમ વિનાનું લેવાય? આજે જે શુભ ભાવનાઓ-

અરમાનો મારા ઉરમાં ઊભરાય છે, પછી તે પ્રકટશે?મહાપુરુષ,મને સુવર્ણ નહીં, સત્કર્મ

જોઇએ. વિધાસિદ્વ પુરુષનાં નેત્રોમાં ઝળઝળિયાં આવી ગયા! આવો અપૂર્વ વૈરાગ્યભાવ કયાં

મળે! જે સંતોષથી તમારું જીવન ચમકે છેદમકે છે, એ મને પણ પ્રાપ્ત હજો. સુવર્ણનો આ

જગતમાં કોને મોહ ન થાય? પણ તું નિર્લેપ રહ્યોઃ ધન્ય તને પુણિયા! આકાશમાં ઊડતાં

પંખીઓ, વનનાં વૃક્ષો, સૂર્યના કિરણો પુણિયાની આંતરિક મહાનતાને આવકારી રહ્યા : સુંદર

રાજગૃહી એ દિવસે વધુ સુંદર બની.

જ્ઞાન-દર્શન-ચરણરૂપી રત્નત્રય જે ઉજજવળા,

કયારે કદાપિ પાળીયા કે ખીલવી સંયમકળા,

તેવા સવિ શુભ કર્મ જે મેં નાનકાં પણ આદર્યા,

સારું કર્યું - સુંદર કર્યું,ભાવે કરું અનુમોદના

અનુક્રમણિકા

વાર્તા નં : ૪૯ પુણીઓ શ્રાવક

એક વખત વ્યાખ્યાન પુરું થતાં ભગવાન મહાવીરને રાજા શ્રેણિકે પૂછયું, ભગવાન! મારે

નરક નો બંધ છે તો મારે નરક ટળે એવો ઉપાય બતાવો.પ્રભુએ રસ્તા બતાવ્યા. એમા એક

રસ્તો એ બતાવ્યો કે પુણીયા શ્રાવક પાસે જઇ એની એક સામાયિકનું ફળ વેંચાતુ લઇ આવ.

આ ફળ જો મળી જાય તો નરકે નહીં જવું પડે.

શ્રેણિક મહારાજને વાત સહેલી લાગી. તેણે પુણીયા શ્રાવકને બોલાવી કહ્યુંકે તારી એક

સામાયિકનું ફળ મને વેંચાણ કરી આપ. તમો કહો તે કિંમત આપવા હું તૈયાર છું. બોલો

તમારે કેટલી કિંમત જોઇએ છે? પુણીયા શ્રાવકે કહ્યું ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેંચી ન

શકાય. અને એની શી કિંમત ગણાય એનો મને ખ્યાલ નથી . પણ તમને જેણે સામાયિકનું

ફળ વેંચાતું લેવાનું કહ્યું હોય તેને જ તેની કિંમત પુછો.મહારાજ શ્રેણિકે ભગવાન પાસે આવી

શ્રાવકનો જવાબ સંભળાવ્યો અને વિનંતી કરી કે, આ શ્રાવકની સામાયિકની કિંમત કેટલી

કહેવાય એ પ્રભુ મને કહો. ત્યારે ભગવાને જણાવ્યું કે - તારું સમગ્ર રાજરિદ્ધિ આપી દે તો

પણ તેની કિંમત ભરપાઇ થાય નહીં.. ફકત તેની દલાલી ચૂકવી શકાય. કિંમતતો બાકી

જ રહે. બીજી રીતે સમજાવતાં કહ્યું કે કોઇ અશ્વ ખરીદ કરવા જાય, તેની લગામની કિંમત

જેટલી તારી સમગ્ર રાજરિદ્ધિ ગણાય અને અશ્વની કિંમતતો બાકી જ રહે. તેમ આ પુણીયા

શ્રાવકનું સામાયિક અમૂલ્ય છે. તેની કિંમત આંકી શકાતી જ નથી. આ સાંભળી શ્રેણીક રાજા

નિરાશ તો થયાં પણ પુણીયા શ્રાવકની સામાયિકની પ્રશંસા કરવા લાગ્યા. હવે આ પુણીયા

શ્રાવકનું જીવન કેવું હતું એ જોઇએઃ પુણીયો શ્રાવક પ્રભુ મહાવીરનો ખરેખરો ભકત હતો.

વીરની વાણી સાંભળી તેણે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો. આજીવિકા ચલાવવા તે રૂની

પુણીઓ બનાવી વેંચીને તેમાંથી મળતાં બે આનાથી તે સંતોષ માનતો.લાંભાતરાયના ઉદયથી

તેને વધારે કાંઇ મળતું ન હતું. તે અને તેની સ્ત્રી બન્ને જણ સ્વામી વાત્સલ્ય કરવાના હેતુથી

એકાંતરે ઉપવાસ કરતાં હતાં. બે જણની રસોઇ થતી તેથી બહારના એક જણને જમાડતાં.

એક જણને ઉપવાસ કરવો પડતો હતો. બન્ને સાથે બેસી સામાયિક કરતાં હતાં. પોતાની

સ્થિતિથી સંતોષ માની સુખપૂર્વક બન્ને રહેતાં હતાં.એક દિવસ સામાયિકમાં ચિત્ત સ્થિર રહેતું

નથી. તેનું શું કારણ? તું કંઇ અદ્રત્ત કે અનીતિનુંદ્રવ્ય લાવી છું? શ્રાવિકાએ વિચાર કરી કહ્યું

કે, માર્ગમાં અડાણા-છાણા પડયા હતાં તે લાવી હતી. બીજું કંઇ લાવી નથી. પુણીયા શ્રાવકે

કહ્યું કે, રસ્તામાં પડેલ ચીજ આપણાથી કેમ લેવાય?તે તો રાજદ્રવ્ય ગણાય, માટે છાણા

પાછા રસ્તા પર નાંખી દેજો અને હવે પછી આવી કોઇ ચીજ રસ્તા પરથી લાવશો નહીં.

આપણને અણહક્કનું કશું પણ ખપે નહીં. ધન્ય પુણીયો શ્રાવક કે જેનાં ભગવાન મહાવીર

સ્વામીએ સ્વમુખે વખાણ કર્યા. સુખ દુઃખ સકલ વીસરૂં પ્રભુ! એવી મળે ભકિત મને - સૌને

કરૂં શાસન રસી એવી મળો શકિત મને -સંકલેશ અગન બુઝાવતી મળજો અભિવ્યકિત મને -

મન ને પ્રસન્ન બનાવતી મળજો અનાસકિત મને.આત્મા તણાં આનંદમાં મશગૂલ રહેવા

ઇચ્છતોે સંસારના દુઃખ દર્દથી ઝટ છૂટવાને ઇચ્છતો આપો અનુપમ આશરો પ્રભુ ! દીનબંધુ

દાસને આવ્યો છું શરણે આપના તારો પ્રભુ! તારો મને !

હે દેવ! તારા દિલમાં, વાત્સલ્યનાં ઝરણાં ભર્યા,

હે નાથ ! તારા નયનમાં કરુણાતણાં અમૃત ભર્યા,

વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા,

તેથી જ તારા શરણમાં બાળક બની આવી ચડયા.

.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૦ શ્રી માનતુંગસૂરિ

ભોજરાજાની ધારા નગરીમાં બાણ અને મયૂૂર નામના સાળા બનેવી બેપંડિતો રહેતા હતા.

બન્ને જણ પોતાનીપંડિતાઇ માટે પરસ્પર ઇર્ષા ધરાવતા હતા. બન્ને જણે રાજયસભામાં સારી

પ્રતિષ્ઠા મેળવી.. બન્ને રાજમાન્યપંડિત હતા. એક વખત બાણપંડિત પોતાની બહેનને મળવા

માટે તેને (મયુરના) ઘરે ગયો. તેની સારી સરભરા કરી રાત્રે ઓસરીમાં બિછાનું પાથરી તેને

સુવાડયો. ઘરમાં મયૂર અને તેની સ્ત્રી (બાણ ની બહેન) સુતાં. પણ દંપતિને રાત્રી વખતે

કોઇક વાતની તકરાર થઇ પડી. તે બધી તકરાર બહાર સુતેલા બાણે સાંભળી લીધી. મયૂર

તેની સ્ત્રીને ઘણુંં ઘણું સમજાવે છે પણ તે સ્ત્રી માનતી નથી. પછી સવાર થવા આવતાં મયૂર

તેણીને મનાવવા એક કવિતા બોલવા લાગ્યો.તેમાંનાં ત્રણ પદ જયારે તેણીને સંભળાવ્યા

ત્યારે બહાર સુતેલા બાણથી રહેવાયું નહીં.. તેથી ચોથુ પદ તેણે પૂર્ણર્ર્ કર્યું. તે સાંભળી તેની

બહેનને ઘણી રીસ ચઢી. પોતાના મીઠા કલહમાં અણછાજતી રીતે ભાઇની દખલગિરિ થવાથી

તેને એવો શ્રાપ આપ્યો કે,જા તું કોઢિયો થઇ જઇશ.તે સ્ત્રી સતી હતી. તેથી તે (બાણપંડિત)

તરતજ કોઢિયો થઈ ગયો.

પ્રાતઃકાળે રાજસભામાં મયૂરપંડિત પહેલાથી બેઠેલા હતા. તેણે જયારે બાણપંડિત આવ્યા

ત્યારે કહ્યું કે-આવો આવો કોઢિયા બાણ આવો. મયૂરના આવા વચન સાંભળી રાજા ભોજ

બોલ્યા કે એને કોઢ શી રીતે થયો. એટલે મયુરે બધી વાત ત્યાં જણાવી. એટલુંજ નહીં પ્રત્યક્ષ

બાણનાં અંગો ઉપર કોઢના સફેદ ચાંઠા બતાવ્યાં. તેથી ભોજરાજાએ એવો હુકમ કર્યો કે,

જયાં સુધી એને કોઢ મટે નહીં ત્યાં સુધી એેને રાજસભામાં આવવાની તેમજ નગરમાં

રહેવાની સખ્ત મનાઇ ફરમાવાઇ. આવા કારણથી બાણપંડિત ઘણો જ લજવાઇ ગયો અને

અભિમાનમાં આવી જઇ તરતજ ત્યાંથી ઉઠીને નગર બહાર ચાલ્યો ગયો. નગર બહાર બે

વાંસડાના સ્તંભ આરોપી, વચ્ચે ઉંચી દોરી બાંધી.તેમાં એક છ બંધનવાળું સીકું બાંધી,તેમાં તે

પોતે બેઠો અને નીચે અગ્નિકુંડ સળગાવી. સૂર્યદેવતાની સ્તવના સંબંધી એકેક કાવ્ય રચી

બોલીને એકેક સીંકાની દોરી પોતાના હાથથી જ છેદી નાખતાં પાંચ કાવ્યો બોલીપાંચદોરીઓ

છેદી નાંખી. છેવટની દોરી છઠ્ઠા કાવ્ય બોલવાને અંતે જયારે કાપવાનો આરંભ કરે છે તે

વખતે જોવા મળેલ પુષ્કળ માણસોની ભીડ વચ્ચે સૂર્યદેવતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા એટલુંજ

નહીં પણ તેનો કોઢ દૂર કરી સુવર્ણક્રાંતિ જેવું શરીર કરી આપ્યું. આવો બનાવ બનવાથી ત્રીજે

દિવસે રાજાએ તેને ઘણાં ઠાઠથી ગાજતે વાજતે દરબારમાં બોલાવ્યો.જયારે આવ્યો ત્યારે તેણે

પોતાના બનેવીને (મયૂર) કહ્યું કે કાળા મોંના કાગડા જેવા ક્ષુૃદ્વપંખી!ગરુડના જેવા મારા

આગળ તારીશી શકિત છે?જો શકિત હોયતો દેખાડને?બેસી કેમરહ્યો છે? તે વખતે મયૂર

બોલ્યો કે છે, છેઃ અમારામાં પણ એવી શકિત છે. જો કે નીરોગીને ઓૈષધની કંઇ જરૂર નથી.

તો પણ તારા વચનને અન્યથા કરવા હું મારી શકિત સભા સમક્ષ બતાવી દઉં છું તે તું તારી

આંખો ઉઘાડીને જો. એમ કહીને તરતજ તેણે એક છરી મંગાવી પોતાના હાથ-પગની

આંગળીઓ પોતાના હાથેજ છેદી નાંખી અને ચંડી દેવીની સ્તવના કરતાં, કાવ્ય રચી

બોલતાં, કવિતાના છઠ્ઠા અક્ષરનો ઉચ્ચાર કરતાં દેવી પ્રસન્ન થઇ આવી ઉભા રહ્યા -

બોલ્યા કે હે મહા સાત્વિક! માંગ, હું તારા પર પ્રસન્ન છું. તું જે માંગે તે આપું. તેણે તરતજ

દેવી પાસેથી વર માંગી પોતાની છેદેલી આંગળીઓ સાજી કરાવી. એટલુંજ નહીં પણ પ્રસન્ન

થયેલી દેવીએ તેનું વજ્રમય દઢ શરીર કરી આપ્યું. આ ચમત્કાર દેખી આખી સભા આશ્ચર્ય

પામી ગઇ. આથી રાજાએ તેનું ઘણું જ સન્માન કર્યું એટલું જ નહીં પણ તેના વર્ષાસનમાં

પણ ઘણો વધારો કરી આપ્યો.

આવા અવસરે જૈન ધર્મ ઉપર દ્વેે્રષ ધરનારા કોઇકે સભા વચ્ચે વાત ચલાવી કે જૈન ધર્મમાં

આવી ચમત્કારિક કવિતા રચનારાપંડિતો કોઇ પણ જોવામાં આવ્યા નથી. જેથી રાજાએ

તરતજ પોતાના સેવકોને મોકલી દૂર દેશમાં વિચરતા શ્રી માનતુંગાચાર્ય નામના જૈનાચાર્યને

રૂબરૂ બોલાવ્યાને પૂછયું કે, તમારામાં એવો વિવ્દ્વાન ન હોયતો તમારા ધર્મ માટે કંઇ પણ

વિચાર કરવો પડશે.માનતુંગાચાર્યે કહ્યું કે - મને એક ઓરડામાં પૂરો અને મારા શરીરને ચારે

બાજુ લોખંડની સાંકળથી બાંધો.હાથે પગે બેડીઓ બાંધો.તેને ચુમાલીશ તાળાં મારો.હું સ્તોત્ર

રચતો જઇશ અને બેડીઓ,સાંકળો અને તાળાંઓ તૂટતાં જશે અને હું ઓરડાનીબહારઆવીશ

રઆવીશ આવીશ. રાજાએ તાત્કાલિક આ રીતે પ્રબંધ કરાવી શ્રી માનતુંગાચાર્યને એક

ઓરડામાં બેસાડી સાંકળ વગેરે બાંધી બારણા બંધ કરી ચુમાલીશતાળામાર્યા.શ્રીમાનતુંગચાર્યે

પ્રભુ આદેશ્વરની પ્રાર્થર્ના કરી. હૃદયમાં શ્રી આદેશ્વર તિર્થંકરને સ્થાપ્યા અને એક પછી એક

ભકતામર સ્તોત્રની ગાથા પોતાની અનોખી કવિતા શકિતથી બનાવતાં ગયા. જેમ જેમ ગાથા

બોલતા ગયા તેમ તેમ સાંકળો-બેડીઓ અને તાળાં તૂટતાં ગયા અને છેલ્લી ગાથા બોલ્યા

ત્યારે મહારાજશ્રી તદન બંધન મુકત થઇ ઓરડાની બહાર આવ્યા. રાજા અને રાજસભા અને

પુષ્કળ લોકોએ આ ચમત્કાર જોયો. અને આવો ચમત્કાર દેખી જૈન શાસનની મોટી ઉન્નતિ

થઇ એટલુંજ નહીં પણ રાજા ભોજ તેમજ સભાનો મોટો ભાગ જૈન ધર્મનો બોધ પામ્યા. જે

ચુમાલીશ ગાથાઓની તેમણે રચના કરી તે આજે ભકતામર સ્તોત્ર નામથી સુપ્રસિધ્ધ છે.

દિગંબર લોકો તેમાં ચાર ગાથા ઉમેરી તેની ૪૮ ગાથાઓનો પાઠ પણ ભણે છે.

ભકતામર -પ્રણત-મૌલિ-મણિ–પ્રભાણા

મુધોતકં દલિત-પાપ-તમો-વિતાનમ ;

સમ્યક પ્રણમ્ય જિન–પાદ-યુગં યુગાદા,

વાલંબનં ભવ-જલે પતતાં જનાનામ.

યઃ સંસ્તુતઃસકલ વાઙમય- તત્ત્વ–બોધા,

દુદભૂત-બુદ્ધિ–પટુભિઃ સુરલોકનાથૈ;

સ્તોત્રે-ર્જગત્ત્રિતયચિત્તહરેરુદારૈ;

સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્વમ.

અર્થઃ- ભકિતમંત દેવતાઓના નમેલા મુકુટને વિષે રહેલા મણિઓની ક્રાંતિઓને પ્રકાશ

કરનાર, દલન કર્યો છે પાપ રૂપ અંધકારનો સમૂહ જેણે એવા અને ૧ યુગની આદિમાં

ભવસમુદ્વમાં પડતાં ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થંકરના ચરણયુગલને રૂડે

પ્રકારે નમસ્કાર કરીને જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાન થકી ઉત્પન્ન થયેલ

બુદ્ધિવડે કુશળ એવા ઇન્દ્વ વડે ત્રણ જગતના ચિત્તને હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રો વડે

રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ છે, તે પ્રથમ જિનેન્દ્વને હું પણ નિશ્વે સ્તવીશ.

જગતમાં કોઇએ ન આપ્યો હોય એવો કર્મવાદ જિનેશ્વર ભગવંતે આપ્યો છે. પ્રત્યેક કર્મનો

બંધ, કર્મનો ઉદય, કર્મ-વિપાક - પરિણામ બધું જ પ્રભુએ દર્શાવ્યું છે. જગતમાં જે કાંઇ

દુઃખ આવે છે તેની પાછળ માત્રને માત્ર કર્મ કારણ છે. ઉદયમાં આવી ચૂકેલા કર્મને સમતાથી

સહન કરી લેવું તે શ્રેષ્ટ માર્ગ છે.

આવો જીવનમાં નયને કરુણા લાવીએ.

આવો જીવનમાં વચને અમૃત વહાવીએ.

આવો જીવનમાં હૃદયે સ્નેહની ગંગા વહાવીએ.

ધર્મરાજાની ઇમારત નમસ્કાર પર ઉભી છે.

મોહરાજાની ઇમારત અહંકાર પર ઉભી છે.

પ્રવાસમા ભકિત ઉમેરાય તો તે યાત્રા બને.

ભોજનમાં ભકિત ઉમેરાય તા તે પ્રસાદ બને.

શ્રમમાં ભકિત ઉમેરાય તો તે સેવા બને.

જલપાનમાં ભકિત ઉમેરાય તો તે ચરણોદક બને.

નિરાહારમાં ભકિત ઉમેરાય તો તે ઉપવાસ બને.

મકાનમાં ભકિત ઉમેરાય તો તે મંદીર બને.

પથ્થરમાં ભકિત ઉમેરાય તો તે મૂર્તિ બને.

શબ્દમાં ભકિત ઉમેરાય તો તે પ્રાર્થના બને.

આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન છે. ધર્મર્ એટલે જ ભકિત. .

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૧ મેતારજ મુનિ

ભગવાનશ્રી મહાવીરનું ચોમાસું રાજગૃહી નગરીમાં, રાજા શ્રેણિક, તેમની રાણીઓ- પુત્રો–

નગરજનો વગેરે દેશના સાંભળે છે.શ્રેષ્ઠીશ્રી મેતાર્યને દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગ્યો.

ભગવાનને ચારિત્ર આપવા વિનંતી કરી. સંસારી સગાઓએ અને ખુદ શ્રેણિક રાજા મેર્તાયને

સમજાવે છે : આ વૈભવ, નવ નવ નારીઓ છોડી આ દુષ્કરપંથે કયાં જાઓ છો, વિચારો?

મેતાર્ય - ભગવાને દેશનામાં કીધેલ ઘેટાને સારું સારું ખવરાવી કસાઇ છેવટે કાપવાનો જ છે.

એ ઘેટુંં સમજતું નથી એમ જીવ ખાઇ-પી મોજ માણે છે પણ એક દિવસ યમરાજ જીવ લઇ

જવાના છે તે જીવ સમજે તો ચારિત્ર એ જ એક માત્ર ઉપાય, આત્મા માટે ભવ ભ્રમણામાંથી

છૂટવાનો છે.ભગવાન મેતાર્યર્ શ્રેષ્ઠીને દીક્ષા આપી મેતારજ મુનિ બનાવે છે. મુનિ મેતારજે

આકરાં તપ શરૂ કર્યા. ઘણા વખત બાદ પાછા રાજગૃહ આવ્યા. એક મહિનાના ઉપવાસ

બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા એક સોનીને ઘેર પધાર્યા. સોની રાજા શ્રેણિક

માટે સોનાના જવલા ઘડતો હતો. વહોરાવવા માટે ગોચરી લેવા અંદરના ભાગમાં ગયો.

સોની અંદર ગયો એટલે એક ચકલો ત્યાં આવી સાચા જવ સમજી ચરી ગયો અને સોની

બહાર આવે ત્યાર પહેલાં ઊડી બાજુના ઝાડ ઉપર જતો રહ્યો. સોનીએ બહાર આવી મુનિને

ભાવથી ગોચરી વોહરાવી અને મુનિ વિદાય થયા. સોની પાછો કામે બેઠો અને જોયું તો

જવલા ન મળે -કયાં જાય જવલા, ચોક્કસ મુનિ લઇ ગયા. દોડયો,મુનિને પકડયા. ઘરે પાછા

લાવી ધમકાવ્યા. જવલા લાવો. મુનિતો સાચા વૈરાગી - સાચું બોલતો સોની ચકલાને મારી

જવલા મેળવે જેથી હિંસાનું પાપ લાગે- જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે. મુનિ મૌન જ

રહ્યા .સોનીતો ક્રોધ કરતોજ ગયો. સાચી વાત તે જાણતો નથી. જવલા રાજાજીને ન

પહોંચાડેતો રાજાજી ભારે દંડ કરશે - એમ વિચારી સાધુ મુનિને ભારે શિક્ષા કરવા મનથી

નક્કી કરી.. પાસે પડેેલ ચામડાનું વાઘરું પાણીમાં પલાળી મુનિના મસ્તકે તાણી તાણીને બાંધી

દીધું. વાઘરું મસ્તકની ગરમીથી સુકાશે તેમ તેમ મસ્તકની નસોેખેંચાશે અને મુનિ માની જશે.

જવલા આપી દેશે. એમ સોની માનતો હતો.મુનિતો સમતા ધારી ઉભા છે. કેવા કેવા ઉપસર્ગો

સહન કરી મહાનુભાવો મોક્ષે ગયા છે, તે વિચારતાં વિચારતાં મસ્તકની વેદના સહન કર્યે

જાય છે. ચામડું ખેંચાતું જાય છે. મસ્તકની નશો તૂટતી જાય છે અને મુનિ અંતરથી સર્વ

જીવોને ખમાવતા જાય છે. પોતાનાં કર્મો ખપતાં જાય છે. સોનીનો કોઇ દોષનથીચકલાનો

પણ કંઇ દોષ નથી. એમ વિચારતાં સમતાનાસર્વોતમ શિખરે પહોંચી મુનિ કેવળજ્ઞાની થાય

છે. થાડીક વારમાં દેહ ઢળી પડે છે. મુનિનો આત્મા મોક્ષેજાય છે.થોડા વખત પછી એક બાઇ

લાકડાનો ભારો ઝાડ નીચે નાંખે છે. તે અવાજથી ચોંકી જઇ ક્રોંચ પક્ષી ચરકી જાય છે અને

તેના ચરકમાં જવલા દેખતાં જ સોની કંપી ઊઠે છે.અરરર! સાચું જાણ્યાં વિના કેવો અનર્થ

કર્યો. મુનિના પ્રાણની જવાબદારી કોની?આ ગુના માટે રાજાજી ભારે શિક્ષા કરશે જ.

ગભરાયેલ સોનીેએ મુનિનો ઓઘો લઇ તેમનાં વસ્ત્રો પહેરી તે સોની અણગાર (સાધુ)બની

ગયો. કાળે કરી ખુબ જ પસ્તાવો કરી પોતાના આત્માને તાર્યો. મા-બાપથી મોટા કોઇ

ભગવાન નથી,મા-બાપથી મોટું કોઇ તીર્થ નથી. જે ઘરમાં છે મા-બાપ ના માન તે ઘરમાં

રાજી છે ભગવાન. હુંં યુવાવર્ગને કહીશ કે તમે એવું કયારેય ન બોલતા કે અમારી સાથે માતા-

પિતા રહે છે પણ એમ બોલો કે અમે અમારા માતા-પિતા સાથે રહીએ છીએ. આવું

બોલવામાં જ સમજદારી છે. એટલે કે માતા પિતાને પોતાની સાથે ન રાખો પણ તમે માતા

પિતા સાથે રહો. સંતાનોને વિચારવું પડશે કે, ફાઇવસ્ટારમાં એક દિવસ રહેવાનું ભાડું કેટલું

હોય છે? ખબર છે? એટલું જ નહીં ૨૫ વર્ષ સુધી મોટા કર્યા તે ૯૦૦૦ દિવસનું ભાડું

આપી શકશો? જીવનમાં ધર્મનું કેટલું મહત્વ છે? તેના માટે શું કરવું? જેવી રીતે શરીરમાંથી

ચામડીને અલગ નથી કરી શકાતી તેવી જ રીતે ધર્મને જીવનમાંથી અલગ નથી કરી શકાતો.

ધર્મ તો આત્માનો સ્વભાવ છે.ધર્મની પ્રથમ શરૂઆત ઘરથી થાય છે. મંદિરથી નહીં. જીવનમાં

માતા-પિતા જ સૌ પ્રથમ ભગવાન છે. નૈતિકતાની શરૂઆત પણ ઘરથી કરો.જીવનમાં બે વસ્તુ

ન ભૂલો મા અને ક્ષમા જો આ વસ્તુ અપનાવશો તો જીવનમાં વિકાસ થશે અને જીવન ખીલી

ઉઠશે. જીવનમાં સહુથી વજનદાર શબ્દ હોયતો તે છે મા. ક્ષમાતો વીરોનું આભૂષણ છે.

બાળપણમાં મા-બાપના આશીર્વાદ જોઇએ,યુવાવસ્થામાં મહાત્માના આશીર્વાદ અને

વૃદ્ધાવસ્થામાં પરમાત્માના આશીર્વાદ જોઇએ.

જે દિવસે માબાપ તમારા કારણે રડે છે,

ત્યારે તમારો કરેલો ધર્મ, એ આંસુમાં વહી જાય છે.

ધર્મની માતા દયા ને ધર્મનો પિતા છે દાન,

પાપની માતા માયા ને પાપનો પિતા છે લોભ.

મેળવળ નાંખ્યા પછી દહીં જામે તેની રાહ જ જોવાની હોય,

અવિશ્વાસ ન રખાય,સાધના મળી તેનું પરિણામ આવશે જ.

ધીરજ રાખવાની હોય.

મેળવજો નીતિથી,

વાપરજો રીતિથી

રહેજો પ્રીતિથી,

તો બચી જશો દુર્ગતિથી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૨ અનાથી મુનિ

એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઉભા છે. ત્યાં મગધરાજ

શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે.

મુનિની કંચનવર્ણી કાયા, રૂપાળુ મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઇ મુનિને પૂછે

છે?અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવનવયને કેમ વૈરાગ્યમય બનાવ્યો?આ વયે

ધનને યૌવનને કેમ ભોગવતા નથી - અવસર આવે ભલે વૈરાગી - પણ આ વયે કુટુંબ, ધન,

યૌૈવન કેમ છોડયું?મુનિ કહે છેઃ રાજન! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડયો છે.

એટલે શ્રેણિક રાજા કહે છે-હું તમારો નાથ થાઉં જે જોઇએ તે આપીશ. ચાલો મારી સાથે

મારા રાજયમાં.મુનિ કહે છે,અરે ભાઇ, તું પણ અનાથ છે. તું કયાંથી મારો નાથ થઇશ. જો

સાંભળ, મારા ઘરે ઇંદ્રાણી જેવી સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી- મારે મા-બાપ,

બાપ,કાકા,કાકી, મામા,માસી,બેન,ભાણેજો હતા- બધી સાહ્યબી મારે હતી - બધી જાતનાં

ભોગ હું ભોગવતો હતો. પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુઃખ

અને વેદના થતી હતી. વૈદોએ દવા આપી. મંત્ર-યંંત્ર કીધા. પણ કોઇ રીતે દુઃખ ઓછુ ન

થયું. મારા સગાં મા-બાપ, મારી સ્ત્રી કોઇ મારું દુઃખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું ભોગવતો

જ રહ્યો. કોઇ સહાય કામ ન આવી.. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યુ કે મારું કોઇ નથી.

હું એકલોજ છું. આ દુઃખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઇ લઉં. આવો નિશ્ચય મનમાં

કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઇ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઇ અને મેં મારા

નિશ્ચય પ્રમાણે ઘરથી નીકળી સંયમ લઇ લીધો. હે રાજન! મને પાકું સમજાયુંકે હું અનાથ જ

હતો. હવે હું સનાથ છું. શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું

કે,ખરેખર તમારું કહેવું સાચું છે. હુંં પણ અનાથ જ છું કયાંથી તમારો નાથ થાઉં? મુનિની

પ્રશંસા કરી, તેમને શીશ નમાવી, વંદના કરી , પોતાના મહેલે આવ્યા - મુનિ ચારિત્ર પાળી

શિવપુરી પહોંચ્યા.

જો ઘરમાં બધું હોય પણ પ્રેમ ન હોય તો એ ઘર ઘર નથી પરંતુ સ્મશાન છે. પરિવારમાં પ્રેમ

ભાવના-સમર્પણ હોય તો જીવન ર્સ્વગ છે. પરસ્પર પ્રેમ-વાત્સલ્ય એ સંસારમાં મુખ્ય છે. ધૃણા

નફરતથી મોટું દુનિયામાં કોઇ નર્ક નથી.

વિચારો કેટલા આવે છે?

મહત્વનું નથી.

કેવા આવે છે?

બહું મહત્વનું છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૩ ગજસુકુમાલ

સોરઠ દેશની ધ્વારિકાનગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર ગજ-સુકુમાલ.

એક દિવસ નેમીજિણંદ ધ્વારિકા પધાર્યા.રાજય પરિવાર સહીત બધા ભગવંતનીવાણી સાંભળે

છે અને ગજસુકુમાલને વાણી ર્સ્પશી જાય છે. ચારિત્ર લઇ વૈરાગી થવા મનથી નક્કી કરે છે

કે, ચારિત્ર લેવા રજા આપ! માતાજી આ સાંભળી મોહવશ હોવાથી બેભાન થઇ જાય છે.

ભાનમાં આવતા ગજસુકુમાલને ચારિત્ર કેટલું મુશકેલ છે તે સમજાવે છે. દીકરા,આ સમુદ્ર

તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘરે ઘરે ફરી ભિક્ષા લાવવી

પડે.ઉઘાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું હજી નાનો છે

માટે નહીં સહી શકે. ગજસુકુમાલ જવાબ આપે છે કે,કાયરો ચારિત્ર ન પણ પાળે.હું સિંહ

જેવો છું. ગમે તેવો તારો અને વસુદેવનો દીકરો છું. મોહ છોડી મને ચારિત્ર માટે રજા આપ.

માસમજાવે છેકેતેં સોમલની બેટીનું પાણીગ્રહણકરેલ છે.તેની સાથે તારે લગ્ન કરી સંસારસુખ

ભોગવવાના છે. તારી ઉપર અપાર પ્રેમ છે. આ બધું સુખ છોડી ના જા દીકરા, ના જા. દ્વ

જયારે માતાની કોઇકારી ફાવતી નથી ત્યારે કહેજા,સિંહની માફક ચારિત્ર પાળજે. દુશ્કરપંચ

મહાવ્રત બરાબર પાળજે. એવી આશિષ સાથે આપે છે.ગજસુકુમાલ નેમિજીનેશ્વર પાસે સંયમ

ગ્રહણ કરે છે અને આગમનો અભ્યાસ કરે છે. એક દિવસ ભગવાનનો આદેશ લઇ કાઉસગ

ધ્યાને સ્મશાને જઇ ઉભા રહે છે ત્યાં પોતાની બેટીને ન પરણતાં તેનું વેર વાળવા સોમલ

(તેના સસરા) સ્મશાને આવે છે અને ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી વચ્ચે

સળગતાં અંગારા મૂકે છે. સળગતી સગડીમાં અંંગારા સળગે તેમ ગજસુકુમાલના માથા ઉપર

અંગારા સળગે છે. ગજસુકુમાલ ખૂબજ વેદના દુઃખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઇ

બળતું નથી. મારા સસરા ખરેખરા મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણાં

અપરાધો કર્યા છે, તે બધા ખમાવી લઇએ, એમ શુકલ ધ્યાને ચડી ગયા. સસરાએ મુકિતની

પાઘડી મને પહેરાવી એમ વિચારતાં વિચારતાં કર્મ ખપી ગયાં. માથું અગ્નિજવાળાએ ફાટી

ગયું. પણ મરણ થતાં પહેલાં ગજસુકુમાલ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.

સાગર દયાના છો તમે કરુણા તણા ભંડાર છો

અમ પતિતોને તારનારા વિશ્વના આધાર છો

તારા ભરોસે જીવન નૈયા આજ મેં તરતી મૂકી

કોટિ કોટિ વંદન કરું જિનરાજ! તુજ ચરણે ઝુકી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૪ ભરતેશ્વર અને બાહુબલિ

બાહુબલિજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી . શરીર ઉપર સેંકડો શાખાઓવાળી લતાઓ

વીંટાઇ હતી અને પક્ષીઓએ શરીરમાં માળા બાંધ્યા.તે સમયે ભગવાન શ્રી ઋષભદેવે બ્રાહ્મી

અને સુંદરીને બોલાવી બાહુબલજીપાસે જવાકહ્યું અને મોેહનીકર્મનાઅંશરૂપમાન(અભિમાન)

ને લીધે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી બ્રાહમી અને સુંદરી બાહુબલજી જયાં તપ

કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું. હે વીર! ભગવાન એવા આપણા

પિતાજીએ કહેરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી. વીરાગજથી હેઠા ઉતરો.

આ સાંભળી બાહુબલિજી વિચારવા લાગ્યા કે, હું કયાં હાથી ઉપર બેઠો છું પણ આ બન્ને

ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે અને સમજાયું કે, હું વયે મારાથી નાના

પણ વ્રતથી મોટા મારા ભાઇને હું કેમ નમસ્કાર ન કરું? - એવું જે અભિમાન મને છે તે–રૂપી

હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાધ્યો. એઓકનિષ્ટ છે વાંદવાની ઇચ્છા મને ન

થઇ. હવે હમણાંજ ત્યાં જઇ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલિએ પોતાનો

પગ ઉપાડયો અને બધાં દેહાંતિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન

પ્રાપ્ત થયું.ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે

દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંતઃપુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે ઝડેલા

દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતાં ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ.એ

આંગળી ઉપર નજર પડતાં તે ક્રાંંતિ વિનાની લાગી. એથી વિચાર્યું કે આ આંગળી શોભા

રહિત કેમ છે? જો બીજા આભૂષણ ન હોય તો તે પણ શોભા રહિત લાગે? એમ વિચારતાં

વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધા આભૂષણ ઉતરી ગયાં ત્યારે પોતાનું શરીર

પાંદડા વગરનાં ઝાડ જેવું લાગ્યું.શરીર મળ અનેમૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપુર અને

કસ્તૂરી વગેરેના વિલેપનને પણ તે દોષીત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં

ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઇ શુકલધ્યાન પામતા અને સર્વ ઘાતિ કર્મના ક્ષય થવાથી કેવળજ્ઞાન

પામ્યા.

વિકાસનું એક માત્ર કારણ પ્રેમ છે.

વિનાશનું એક માત્રરણ અહંકાર છે.

કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો

માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૫ સંતોષી કોણ?

એક ધનપતિના મૃત્યુ બાદ તેની અંતીમ ઇચ્છા પ્રમાણે એક જાહેરાત કરાઇ કે નગરીના સહુથી

સંતોષી મનુષ્યને એની તીજોરીની ચાવી આપવામાં આવશે.સંતોષીઓ (?) ની લાંબી લાઇન

લાગી. છેવટે સર્વશ્રેષ્ઠ (?) સંતોષીને પસંદ કરવામા આવ્યો. અને તેને તીજોરીની ચાવી

આપવામાં આવી. ચાવી લગાડીને તીજોરી ખોલીતો તીજોરી ખાલીખમ.અંદર માત્ર એક

કાગળ હતો. જેમાં લખેલ હતું કે જો તમે સંતોષી હોત તો તમે આ માટે મેહનત જ ન કરી

હોત. તમને તો ધનની અપેક્ષા હતી-અપેક્ષાથી કેટલી બધી પીડા થાય છે. એટલે જ કહેલ છે

સાદું જીવન જીવો -તમારી ઇચ્છા પર કાબુ રાખો- તૃષ્ણા તો એવો ખાડો છે કે તે કદી પુરાશે

નહીં.. ઇચ્છા અને અપેક્ષા જ દુઃખનુ મોટું કારણ છે. જેટલી જરુરીયાત ઓછી એટલું જીવન

સુખમય. જીવવા માટે ખાવાનું છે ખાવા માટે જીવવાનું નથી.

કોઇ ભિખારીને એક સવારે એક વનદેવી મળી ગઇ. વનદેવીએ કહ્યુંઃતારી ઝોળી ધર. હું એમા

સોનામહોર નાંખું છું. પણ એટલું ધ્યાનમાં રાખજે કે એક પણ સોનામહોર નીચે પડશે તો એ

બધી સોનામહોરો માટી થઇ જશે.

ભિખારીએ કહ્યુંઃ દેવી, નાંખો તમે તમારે. હું એક પણ સોનામહોર નીચે નહીં પડવા દઉં.

વનદેવીએ સોનામહોરો નાંખવા માંડી. બેત્રણ ખોબા નાખતાં ભિખારીની જૂની ઝોળી ફાટવા

લાગી.. વનદેવીએ પૂછયુંઃ બસ ને હવે? ના, ના, નાંખોને થોડી,માડી! એકાદ ખોબામાં

વાંધો નહીં આવે. અસંતોષી ભિખારી બોલ્યો. વનદેવીએ વધુ એક ખોબો સાનામહોરોનાંખી.

ભિખારીની ઝોળી ફાટી ગઇ અને બધી સોનામહોરો જમીન પર વેરાતાં ધૂળ થઇ ગઇ.સંતોષી

નર સદા સુખી એ સાદી કહેવતમાં ઘણો અર્થ ભર્યો છે. લોભને થોભ નથી હોતો એથીલોભી

માણસ કદી સુખી થતોનથી.પોતાની પાસે જેટલું હોય એટલામાં સંતોષ માનનાર હંમેશાંસુખી

થાય છે. અંગ્રેજ નિબંધકાર એડિસન કહે છે, સંતોષી આત્મા એ મનુષ્યપરનો મોટામાંમોટો

આશીર્વાદ છે. એવો આત્મા મળ્યો હોય એ માણસ દુનિયામાં આનંદથી જીવી શકે છે.

સંતોષી માણસ સદાય ઉમદા સ્વભાવ ધરાવનારા હોય છે.

સંતોષ એ જીવનનું મહામોલું સત્વ છે.જે લોકો એમ માને છે કે સંતોષ માણસને પુરુષાર્થમાં

પાંગળો બનાવે છે, પ્રગતિ અને સતત પુરુષાર્થ માટે અસંતોષ આવશ્યક છે,એ લોકો

પ્રગતિનો સાચો અર્થ સમજતા નથી. અસંતોષથી જે પ્રગતિ થાય છે તે ભૌતિક પ્રગતિ છે. એ

માટે જેમ્સ મેકિનટોસે સારી સલાહ આપી છે. એ કહે છે કે, આપણી પાસે જેટલું છે એનાથી

સંતોષ માનો,પણ આપણે જેવા છીએ એનાથી સંતોષીના બનો. મતલબકે ભૌતિક સાધનો

જેટલાં હોય એટલાથી સંતોષ માનો, પણ આંતરિક સદગુણો ઓછા હોયતો એનાથીઅસંતુષ્ટ

રહી એ વધારવા પ્રયાસ કરો.કવિ બાલાશંકરે એક ગઝલમાં કહ્યું છે કેઃરહેજે શાંતિ-સંતોષે

સદાયે નિર્મળ ચિત્તે.આચરણમાં-વ્યવહારમાં ઉતારશો તો-સાથે પરોપકાર ભાવના- દયા-

કરુણા સત્ય માર્ગે ચાલવાનું-બની શકે એટલું પોતાનુ સુખ વધુમાં વધુ લોકોને આપું અને

શકય એટલું બીજાનું દુઃખ હું કેમ ઓછું કરુ તેવી ભાવના જોઇએ. સર્વ જીવો પ્રત્યે મનમાં

મૈત્રી ભાવના હોવી જૌઇએ -દ્વેષ - મોહ-માયા - લોભ -પરનિંદાથી દૂૂર.. અરે મનને એવી

રીતે કેળવવું જોઇએ કે કોઇ પરસ્ત્રી જોઇને મનમાં વીકાર ભાવના ન આવે- મન કહે કે આ

બહેન પણ કોઇની મા છે-કોઇની પત્ની છે,કોઇની દીકરી છે-કોઇની બહેન છે. હે પ્રભુ!આ

સમજયા બાદ પણ મારા મનમાં વાસના-વીકાર ઉત્પન થાયતો મારી આંખો ફોડી નાંખશો.

આપે આ આંખ સારુ જોવા માટે આપી છે એટલે તેનો કદી પણ દુરૂપયોગ કરીશ નહીં..

સાચી કિંમત માપવાનો એક જ માપદંડ છે. તે પોતાની જાતથી, પોતાના સ્વાર્થથી કેટલો

મુકત થયો છે તે જ સાચો માપદંડ. સારા અને શુદ્ધ માણસો જ માનવજાત ને આગળ લઇ જઇ

શકેે.ત્યાગમાં જે સુખ છે તે ભોગમાં નથી. બીજાને આપવામાં જે સુખ છે તે ભંડાર ભરવામાં

નથી. જેટલું બીજાને સુખ આપશો તેટલા તમો સુખી થશો. વૃક્ષ નીચે ઉભા રહી ને શીતળતા

મળે છે. તેમ સંતપુરુષોના સાનિધ્યમાં આવનારા ને શીતળતા લાગે છે. વૃક્ષ પોતે તડકો

સહન કરે છે અને બીજાને છાંયો આપે છે. વૃક્ષ કોઇને કહેતું નથી - કેટલા માણસોને છાયો

આપ્યો? તેમ સંતપુરુષો કદી કહેતા નથી-તે પોતાનું કાર્ય સદભાવનાથી કરે છે. માણસ

જેટલો ઉંચો ઉઠે છે તેટલી સરળતાથી તે બીજાનું ભલું કરતો રહે છે. બીજાનું ભલુ કર્યાનો

એહસાસ પણ રાખતો નથી. તે સત્કર્મો કરતો રહે છે તેનો લાભ કોને મળે છે તે જોતો

પણ નથી- એક નદી ની જેમ તે વહે છે તેના નીર કોણ પીએે છે તેનો તે ખ્યાલ કરતા નથી તે

જે કાંઇ કરે છે તે અનાયાસે થઇ જાય છે. આવો સરળ અને સહજ માણસ સંત જેવો હોય છે.

તે કદી કોઇનું અહિત કરતો નથી. તેના દિલમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ,દયા અને કરુણા હોય

છે.માણસે માત્ર એટલી વાત સમજવી જોઇએ કે બીજાનું ભલું કરવામાંજ પોતાનું ભલું

સમાયેલું છે. જીવન એક સમપર્ણ છે પરમાત્માને.બીજાનું ભલું કરવાની તક કેટલા પુણ્ય કર્યા

હોય ત્યારે મળે છે. એવી જો એકાદ તક મળેતો એને હાથથી જવા નહીં દેતા.ખેતરમાં વાવેલ

અનાજના બધા કણ નહીં ઉગે પણ સત્કર્મના કણે કણ ઉગીને પાંગરસે એ ચોક્કસ છે.

ધોળી ધજા યુધ્ધવિરામ,ધોળા ભાત ભોજન વિરામ, ધોળા વાળ જીવન વિરામ.

ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.

ધર્મ માં લાગી જા - આત્મા ને સાધી જા.

જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઇ રહેતું નથી.

જે કંઇ થાય છે પ્રભુ કૃપાથી -પ્રભાવથી થાય છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૬ વચન મુજબ કરણી

હમણાં એક પુણ્યવાન મને મળવા આવેલા. તેમનો યુવાન પુત્ર ફોરેનમાં વસે છે. ધંધામાં

નુકશાન કર્યા બાદ પપ્પાને ફોન કર્યો. બાપે કહ્યું કે, ભલે બેટા જે પૈસા ગયા તે તારા નહીં

મારા કમાયેલા હતા. હવે તું તારી રીતે ત્યાં ટા્રય કર અથવા અહીં વતનમાં પાછો આવ તો હું

તને સેટ કરી દઉં. દીકરો કહે કે, ના! મારે અહિં જ રહેવું છે. ફોન મુકતા બાપે કહ્યું કે, ભલે

ત્યાં રહે પણ ધ્યાન રાખજે કે, ધંધામાં જેને ખોટું કહેવાય એવું કરીશ નહીં અને ધંધામાં

ધર્મનો દસ ટકા ભાગ રાખવાનું ભૂલીશ નહીં. આપણા સંસ્કારનો વારસો જીવતો રાખીશ

તોય સુખી થઇશ.દીકરો બાપની સાચી સલાહ માનીને ભાગ્યનો ખેલ ખેલી લેવા નીકળ્યો.

માત્ર એક માસના ટુંક સમયમાં તે દીકરો સાડા ત્રણ કરોડ રૂપીયા કમાયો. પાછો પપ્પાને

વધામણીનો ફોન કર્યો - તો બાપે કહ્યું કે બેટા! જે કમાયો છે તેમાંથી દશ ટકાતો અવશ્ય

સારા કાર્યમાં વાપરજે. દીકરાએ તરતજ પાંત્રીસ લાખનો ડા્રફટ પૂજય પિતાશ્રી ને સત્કાર્યાથે

વાપરવા મોકલી દીધો. આજે આપણે કમાઇએ છીએ પણ તેમાંથી ધર્માદા માટે શું વાપરીયે

છીએ? લક્ષ્મીનો પ્રવાહ ચાલુ રહેશે જો સત્કાર્ય ચાલુ હશે તો જ.આ વાત લખતાં મુંબઇની

એક જાણીતી શ્રીમંત પેઢીની વાત યાદ આવે છે. નામ છે શેઠ શ્રી દીપચંદ ગાર્ડી પરિવાર.

તેમણે ધર્માદા માટે બહુ મોટુ ટ્રસ્ટ બનાવ્યું છે. આજ રોજના એક લાખ રૂપીયાનું દાન કરે છે.

તેમણે માસ્ટર પ્લાન તો એવો ગોઠવ્યો છે કે, તેમનો ગ્રાન્ડસન મોટો થશે ત્યારે તે રોજનું

એક કરોડ રૂપીયાનું દાન કરી શકશે. આવા પૂણ્યવાન દાતારોથી આ ધરતી આજે પણ ટકી

છે.સામાન્ય રીતે માણસો પોતાની કથા કરવામાં સવિશેષ દિલચસ્પી દાખવતા હોય છે.

માણસને જેમ બીજાના નાના દોષોને મોટા કરીને દેખાડવાની કુટેવ હોય છે તેમ પોતાના

નાના અમસ્તા દુઃખને મસમોટું રૂપ આપીને સૌને બતાવતા કરવાની અને એમ કરીને બને

તેટલાંની, બને તેટલી સહાનુભૂતિ ઉઘરાવતા રહેવાનીયે કુટેવ હોય છે. પોતાનાં રોદણાં

રોઇ સામાને પોતા તરફ ખેંચવાના વૃતિવર્તાવ ઠીક તો નથી જ. આપણું જીવનતો છે એક

નિરંતર વહેતી નદી કોઇ ઘાટે, કોઇ કાંઠે તે અટકી રહેતી નથી.. તમને કોઇ વ્યકિત મળે તો

તમે તેની નબળી વાત કદી કરતા નહીં. દા.ત. તમે કેમ ઢીલા દેખાઓ છો? તમારું શરીર

નબળુંં પડી ગયુ છે? તમે કોઇ ચિંતામાં લાગો છો? આના બદલે આવું બોલજો..

તમારી તબિયત સરસ લાગે છે. મોં ઉપર પ્રસન્નતા જણાય છે. નેગેટીવ કથનો હતાશ કરે

છે. પોઝીટીવ કથનો ઉત્સાહ જન્માવે છે. બીજાને હતાશ કરવાનો આપણને શો અધિકાર?

અંતર કે આયને કી જબ સફાઇ હો જાયેગી,

બાદશાહી તો કયાં ખુદ ખુદાઇ મિલ જાયેગી.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૭ શ્રી કુરગુડુ મુનિ

એક દ્રષ્ટિવિષ સર્પ હતો. તેને જે કોઇ બાજુ થી જુવે તેનું મોત થાય તેવું વિષ વાળું તેનુ શરીર

હતું. તેણે પૂર્વ ભવે કરેલ પાપો જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યાં અને તેથી તેનું મોઢું

દરમાં જ રાખવા લાગ્યો.મોં બહાર કાઢે અને કોઇ જુએ તો ઘણાં લોકોનું મોત થાય.એવું

મારે ન કરવું જોઇએ. એમ સમજીનેફકત તેનું પૂછડું જ દર ની બહાર રહે તેમ રાખવા લાગ્યો.

એવામાં કુંભ નામના રાજાના પુત્રને કોઇક સર્પે ડંખ માર્યો જેથી તે તરતજ મૃત્યુ પામ્યો.

આ કારણથી સર્પ ની જાતિ ઉપર કુંભરાજા બહુ ક્રોધે ભરાયા અને તેણે હુકમ બહાર પાડયો

કે જે કોઇ પણ સર્પને મારીને તેનું મડદું લઇ આવશે તેને દરેક મુડદાં દીઠ એકએકસોનામહોર

ઇનામ આપવામાં આવશે. આવા ઢંઢેરાથી લોકો ખોળી ખોળી સાપ મારીને તેનું મૃતશરીરલઇ

લઇ આવવા લાગ્યા. એક જણે પેલા દ્રષ્ટિવિષ સાપનું પૂછડું જોયું તેને જોરથી પૂછડું ખેંચવા

માંડયું પણ પૂંછડું ખેંચવા છતાં દયાળુ સાપ બહાર ન નીકળયો.પૂંછડું તૂટી ગયું.સાપઆવેદના

સમતાથી સહન કરી રહ્યો હતો. વળી તૂટી ગયેલા પૂંછડાનો થોડો ભાગ દેખાતા પેલા

માણસે કાપી લીધું.આમ શરીરના છેદન-ભેદન થતા હતા તે વખતે સર્પ વિચારતો હતો કે

‘ચેતન. તું એમ ન સમજ કે આ મારું શરીર જ કપાય છે પણ એમ સમજ કે આ શરીરના

કપાવવાથી તારાં પૂર્વ કરેલાં કર્મો કપાય છે. જો તેને સમતાથી સહન કરીશ તો આ દુઃખ

ભવિષ્યમાં તારું ભલું કરનારા થશે. આમ વિચારી તે આખરે મૃત્યુ પામ્યો.‘

એક રાત્રે પેલા કુંભ રાજાને સ્વપન આવ્યું કે તારે કોઇ પુત્ર નથી એની સતત ચિંતા તું કરે

છે. જો તું હવેથી કોઇ પણ સર્પને નહીં મારું એવી પ્રતિજ્ઞા લે તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ

થશે.આથી કુંભ રાજાએ હવેથી સર્પ ન મારવાની પ્રતિજ્ઞા આચાર્ય મહારાજ પાસે જઇ લીધી.

દ્રષ્ટિવિષ સર્પ મરીને આ કુંભરાજાની રાણીની કુક્ષીએ અવતર્યો. તેનું નામ નાગદત્ત રાખ્યું.

યૌવન અવસ્થાએ પહોંચતાં એક વખત પોતાના ગોખમાં ઉભા ઉભા નીચે જૈન મુનિઓને

જતા જોયા અને વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ થતાં સર્પનો પૂર્વ ભવ યાદ આવ્યો.

તેથી તે નીચે ઉતરી સાધુ મહારાજને વંદન કરી વૈરાગ્ય પામેલ હોવાથી દીક્ષા લેવા તૈૈયાર

થયો. માતાપિતાએ તેને ઘણો સમજાવ્યો છતાં કોઇનું ન માનતાં, મહામહેનતે તેમની આજ્ઞા

લઇ તેણે સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. તે તિયર્ંચ યોનીમાંથી આવેલો હોવાથી અને તેને

વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતો ન હતો. તેથી એક પોરસી માત્રનુું પણ

પચ્ચખાણ કરી શકાતું ન હતું. આવી તેની પ્રકૃતિ હોવાથી ગુરુ મહારાજે તેની યોગ્યતા જાણી

એવો આદેશ આપ્યો કે, જો તારાથી તપશ્ચર્યા થઇ શકતી નથી તો તારે સમતા અંગીકાર

કરવી એથી તને ઘણો લાભ થશે.

તે દીક્ષા સારી રીતે પાળવા લાગ્યો. પણ દરરોજ સવારમાં ઉઠી એક ગડુઆ (એક જાતનું

વાસણ) ભરીને કુર (ભાત) લાવીને જયારે વાપરે ત્યારે જ તેને હોશ–કોશ આવે. આમ

દરરોજ કરવાથી તેનું નામ કુરગડુ પડી ગયું.જે આચાર્યશ્રી પાસે કુરગડુએ દીક્ષા લીધી હતી

તેમના ગચ્છમાં બીજા ચાર સાધુઓ મહાતપસ્વી હતા. એક સાધુ એક માસના લાગલગાટ

ઉપવાસ કરતાં.બીજા સાધુ બે માસના લાગલગાટ ઉપવાસ કરતાં, ત્રીજા સાધુ ત્રણ માસના

ઉપવાસે પારણું કરતા અને ચોથા સાધુ ચાર માસના લાગટ ઉપવાસ કરી શકતા. આ ચારે

સાધુ મહારાજ આ કુરગડુ મુનિને -નિત્ય ખાઉં - એમ કહીં તેની દરરોજ નિંદા કરતા હતા.

પણ કુરગડુ મુનિ સમતા રાખી તેમના ઉપર તલ માત્ર દ્વેષ કરતા ન હતાં.એક વખત શાસન

દેવીએ આવીને કુરગડુ મુનિને પહેલા વાંધ્યા. આ જોઇ તપસ્વી મુનિએ કહ્યું, તમે પહેલાં

તપસ્વી મુનિને ન વાંદતાં આ તુચ્છ મુનિને કેમ વાંધ્યા? ત્યારે શાસનદેવી એ આ કુરગડુ

મુનિની સ્તુતિ કરતાં બોલ્યા કે હું દ્રવ્ય તપસ્વીઓને વાંદતી નથી. મેં ભાવ તપસ્વીનેે વાંદયા

છે. એક મહાપર્વ ને દિવસે સવારે કુરગડુ મુનિ ગોચરી વહોરી લાવ્યા અને જૈન આચાર

પ્રમાણે તેમણે દરેક સાધુને બતાવી કહ્યું - આમાંથી જો કંઇક વાપરવાની અભિલાષા હોય તો

વાપરો - આટલું સાંભળતાં જ તપસ્વી મુનિઓ ક્રોધાયમાન થઇ જેમ તેમ બોલવા લાગ્યા

અને કહ્યું આવા પર્વના દિવસે પણ તમે તપ કરતાં નથી. ધિક્કાર છે તમને, અને અમોને

પાછું વાપરવાનું કહો છો? આમ લાલપીળા થઇ ક્રોધથી હાકથું એમ કહી માંએથી બળખા

કાઢી તેમના પાતરામાં થુંકયા. આમ થવા છતાં પણ કુરગડુને બીલ્કુલ ગુસ્સો આવ્યો નહીં

અને મનથી વિચારવા લાગ્યા, હું પ્રમાદમાં પડેલો છું નાનું સરખું તપ પણ હું કરી શકતો

નથીં. ધિક્કાર છે મને, આવા તપસ્વી સાધુઓની યોગ્ય વૈયાવચ્ચ પણ કરતો નથી.. આજે

તમારા ક્રૌધ નું સાધન હું બન્યો. ઇત્યાદિક આત્મનિંદા કરતાં પાત્રામાં રહેલો આહાર

નિઃશકપણે વાપરવા લાગ્યા અને શુકલધ્યાનમાં ચડી જતાં તરત જ કેવળજ્ઞાન પામ્યા.

દેવતાઓ તરત જ દોડી આવ્યા અને સુવર્ણ સિંહાસન ઉપર તેમને સ્થાપી કેવળજ્ઞાન

મહોત્સવ ઊજવવા લાગ્યા.ચારે તપસ્વી મુનિઓ અચંબામાં પડી ગયા અને ઓહો, આ સાચા

ભાવ તપસ્વી છે.અમો ફકત દ્વવ્ય તપસ્વીઓજ રહ્યા. એ તરી ગયા. ઓહો ધન્ય છે તેમના

આત્માને. એમ કહી કેવળજ્ઞાની કુરગડુ મુનિને ખમાવવા લાગ્યા. એમ ત્રિકરણ શુદ્વિએ તેમને

સાચા ભાવથી ખમાવતા તે ચારે પણ કેવળજ્ઞાન ને પામ્યા.

પાવન કરે તે પર્વ,તારે તે તીર્થ,

શ્રદ્વા ત્યાં એકરાર, તર્ક ત્યાં તકરાર.

ચડતા દિનનું પારખું, નિત આવે મેહમાન,

પડતા દિનનું પારખું, ઘર ન આવે શ્વાન.

અનુક્રમણિકા

વાર્તા નં : ૫૮ શ્રી નમિરાજા

નભિરાજા અને ચંદ્રયશા બન્ને સહોદરને લડતાં બચાવ્યા અને ચંદ્રયશાએ રાજય નભિરાજાને

સોંપી દીક્ષા લીધી તે વાત આપણે મદનરેખાના ચારિત્રમાં જોઇ.

નભિરાજા ન્યાયમાર્ગે રાજય ચલાવતા હતા. ચંદ્રયશાનું રાજય લીધા પછી લગભગ છ મહિને

તેમને દાહ જવર ઉત્તપન્ન થયો. વૈદોે તેમની દવા કરતા હતા. પણ દાહ જવરમાં કિંચિંત ફેર

પડતો ન હતો. દાહ જવરને શાંત કરવા તેમની રાણીઓ ચંદન ઘસતી હતી. તેમના

ચૂડલાનો અવાજ નભીરાજાને અત્યંત વેદના કરતો હતો. તેમણે કહ્યું, મને આ દારુણ

અવાજ શેનો સંભળાય છે? તેના જવાબમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેમ જણાવ્યું અને

કહ્યું કે, ચંદન ઘસતી રાણીઓના હાથ ઉપરનાં કંકંણોનો આ અવાજ છે ત્યારે બધી

રાણીઓએ એકેક કંકણ રાખી બાકીના કંકણ કાઢી નાંખ્યા જેથી થતો અવાજ બંધ થઇ જાય.

વધારાના કંકણો ઉતારી નાખવાથી અવાજ બંધ થયો. આમ થવાથી નભીરાજાએ પૂછયું કે,

હવે કેમ અવાજ બંધ થઇ ગયો? ત્યારે સેવકોએ જણાવ્યું કે, સૌભાગ્યનું કંકણ રાખીને બાકી

નાં બધાં ઉતારી નાંખ્યા છે. ત્યારે રાજા વિચારવા લાગ્યો. ઘણા કંકણો હતાં તેનો અવાજ

દુઃખકારક હતો પણ ફકત એક જ કંકણ રહેવાથી એકદમ શાંતી થઇ. એમ એકલાપણાં માં

મહાસુખ છે. જંજાળ વધવાથી દુઃખ વધે છે, સુખ વધતું નથી. માટે આત્મહિત માટે જંજાળ

નો ત્યાગ કરવો એમ વિચારતાં મનથી નક્કી કર્યું કે જો મારો આ દાહ જવર બિલકુલ શાંત

થશે તો હું ચારિત્ર અંગીકાર કરીશઆમ વિચારી તેઓ સુઇ ગયા.

પ્રભાતે ઊઠયા ત્યારે દાહ જવર શાંત થઇ ગયો હતો. તે રાત્રે સ્વપ્નમાં તેમણે ઐરાવત

હસ્તી અને મેરૂપર્વત ને જોયેલ. આવા સુંદર સ્વપ્નના કારણે રોગ દૂર થયો એમ નભિરાજા

સમજયા. આ સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વ

ભવે સાધુપણુું પાળ્યું હતું. ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રાણાત દેવલોકે દેવતા થયો હતો. આમ

જાતિયસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પુત્રને રાજય સોંપી દીક્ષા ગ્રહણ કરી નભિરાજાએ

ચારિત્ર લીધું એટલે ઇંદ્રરાજાએ બ્રાહ્મણનું રૂપ લઇને તેમની પરીક્ષા કરવા આવ્યા અને કહે,

હે રાજન! તેં રાજયનો તૃણવત ત્યાગ કર્યો તે બહુ સારુ કર્યુ પણ તારે જીવદયા પાળવી

જોઇએ. તારી સ્ત્રીઓ તું વ્રત ગ્રહણ કરે છે તેથી રૂદન કરે છે માટે જીવદયા ખાતર તારે વ્રત

ગ્રહણ ન કરવું જોઇએ .

નભિ મુનિ એ ઉત્તર આપ્યો કે મારું વ્રત એ દુઃખનું કારણ નથી પણ તેઓના સ્વાર્થમાં હાની

પહોંચે છે, તે તેમને દુઃખકર્તા છે. માટે હું તો મારું જ કાર્ય કરું છું . ઇંદ્રે કહ્યું,હે રાજન!

તારા મહેલ,અંતઃપુર આદિ સળગે છે તેની તું કેમ ઉપેક્ષા કરે છે ? નભિરાજાએ કહ્યું આ

મહેલ મારા નથી. અંતઃપુર પણ મારું નથી.ઇંદ્રે કહ્યું રાજન! જયારે તું રાજય છોડીને જાયે

તો આ નગરીના કોટ ને મજબૂત કરીને જા . રાજર્ષિએ કહ્યું મારે તો સંયમ એ જ નગર

છે, તેમાં શમ નામે કોટ છે, ને યમ નામે યંત્ર છે . ઇંદ્રે કહ્યું, હૈ ક્ષત્રિય! લોકોને રહેવા

માટે મનોહર પ્રાસાદ કરાવીને પછી વ્રત લેજે . મુનિએ ઉત્તર આપ્યો એતો દુર્બુદ્ધિજન કરે,

મારે તો જયાં મારો દેહ છે ત્યાં જ મંદિર છે .વળી ઇંદ્રે કહ્યું તું ચોર લોકોનો નિગ્રહ કરી

પછી વ્રત લે .મુનિ બોલ્યા મેં રાગ,દ્વેષ આદિ ચોરોનો નિગ્રહ કર્યો છે .ઇંદ્રે કહ્યું,કેટલાક

ઉદ્ધત રાજાઓ હજી તને નમતા નથી તેમનો પરાજય કરી પછી તું પ્રવજયા લે.રાજાએ કહ્યું,

યુદ્ધમાં લાખો સુભટોને જીત્યાથી શું જય ગણાય? ખરો જય તો એક આત્માને જીત્યાથીથાય

છે અને એને જીતીને મેં પરમ જય મેળવ્યો છે. (ઇત્યાદિ બોધદાયક નભિરાજર્ષિ અને

ઇંદ્રરાજાનો સંવાદ ઉત્તરાધ્યન સૂત્રથી જાણવો.) આ સંવાદ પૂરો થતાં નભિરાજ આગળ

ચાલવા જાય છે ત્યાં ઇંદ્રે પોતાનું અસલ સ્વરુપ પ્રગટ કરીને બોલ્યા,હૈ યતિશ્વર! તમને

ધન્ય છે. તમે સર્વ ભાવ વૈરીનો પરાભવ કરી તમારો ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવ્યો છે.એમ

સ્તુતિ કરી ઇંદ્ર સ્વર્ગમાં ગયા અને નભિરાજા કાળે કરી મુકિતએ ગયા.ગુણને નમસ્કાર એટલે

ગુણીને નમસ્કાર..હું તમે કે આ દુનિયાનો કોઇ પણ આત્મા રાગદ્ધેષ ખતમ કરી દે તો

ભગવાન બની શકે છે. ભગવાન બનવાની મોનોપોલી જૈન શાસનમાં કોઇ એક વ્યકિતને

આપવામાં નથી આવી. માટે બર્નાડશા જૈનકુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા.

ખ્ર્દ્ર.ક્ડથ્દ્રડ્ઢડ ઉંડદ્રત્ત્ટ્ટદ્રઠ્ઠ ચ્ઢટ્ટદ્વ, ણ્ત્ત્ દ્દઢડ ઠથ્દ્ધદ્રદ્મડ થ્ડ્ડ ઢણ્દ્મ દ્દટ્ટત્ણૂદ્મ દ્વણ્દ્દઢ ચ્ઢદ્રણ્ ઊંડદ્યણ્ઠ્ઠટ્ટદ્મ ક્ટ્ટત્ત્ઠ્ઠઢણ્, દ્મથ્ત્ત્ થ્ડ્ડ ખ્ર્ટ્ટઢટ્ટદ્દત્ર્ટ્ટ ક્ટ્ટત્ત્ઠ્ઠઢણ્ ડદૃથ્ર્દ્રડદ્મદ્મડઠ્ઠ દ્દઢડ દ્યણ્ડદ્વ દ્દઢટ્ટદ્દ ક્રટ્ટણ્ત્ત્ટ્ટ ચ્ર્ડટ્ટઠઢણ્ત્ત્ડ્ઢદ્મ દ્વડદ્રડ ટ્ટથ્ર્થ્ર્ડટ્ટત્ણ્ત્ત્ડ્ઢ દ્દથ્ ઢણ્ત્ર્ ત્ર્દ્ધઠઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢટ્ટદ્દ ઢડ દ્વણ્દ્મઢડઠ્ઠ દ્દથ્ ટ્ઠડ દ્રડટ્ઠથ્દ્રત્ત્ ણ્ત્ત્ ટ્ટ ક્રટ્ટણ્ત્ત્ ડ્ડટ્ટત્ર્ણ્ત્ધ્. ઊંદ્ધડ દ્દથ્ દ્દઢડ ણ્ત્ત્ડ્ડત્દ્ધડત્ત્ઠડ થ્ડ્ડ ક્રટ્ટણ્ત્ત્ણ્દ્મત્ર્, ઢડ દ્વટ્ટદ્મ ટ્ટત્દ્વટ્ટધ્દ્મ દ્દટ્ટણૂણ્ત્ત્ડ્ઢ થ્ર્દ્ધદ્રડ ડ્ડથ્થ્ઠ્ઠ ડ્ડદ્રડડ ડ્ડદ્રથ્ત્ર્ ત્ર્ડટ્ટદ્દ ઠ્ઠણ્ડદ્દ ટ્ટત્ત્ઠ્ઠ ત્ણ્દદ્ધથ્દ્ર. ઊંણ્દ્યણ્ત્ત્ણ્દ્દધ્ દ્મણ્ત્ત્ડ્ઢદ્મ ડ્ડદ્રથ્ત્ર્ દ્દઢડ ઢડટ્ટદ્રદ્દદ્મ થ્ડ્ડ દ્દઢથ્દ્મડ દ્વઢથ્ ઠટ્ટત્ત્ ટ્ઠડ ડ્ઢથ્થ્ઠ્ઠ ડદ્યડત્ત્ દ્દથ્ દ્દઢથ્દ્મડ દ્વઢથ્ ઢટ્ટદ્યડ ત્ત્થ્દ્દ ટ્ઠડડત્ત્ ડ્ઢથ્થ્ઠ્ઠ દ્દથ્ દ્દઢડત્ર્. ચ્ર્થ્ ટ્ઠડ દ્રદ્ધઠ્ઠડ ણ્દ્મ દ્દઢડણ્દ્ર ઠઢટ્ટદ્રટ્ટઠદ્દડદ્રદ્દથ્ ટ્ટથ્ર્થ્ર્દ્રડઠણ્ટ્ટદ્દડ ણ્દ્મ ત્ર્ધ્ ઊઢટ્ટદ્રટ્ટઠદ્દડદ્ર. ઋદૃથ્ર્ડદ્રણ્ડત્ત્ઠડ ણ્દ્મ દ્દઢડ ટ્ઠડદ્મદ્દ દ્દડટ્ટઠઢડદ્ર. ઉડ્ડદ્દડદ્ર દ્દઢડ ડ્ઢટ્ટત્ર્ડ થ્ડ્ડ ઠઢડદ્મદ્મ- દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ ટ્ટત્ત્ઠ્ઠ દ્દઢડ થ્ર્ટ્ટદ્વત્ત્ ડ્ઢથ્ ણ્ત્ત્દ્દથ્ દ્દઢડ દ્મટ્ટત્ર્ડ ટ્ઠથ્દૃ, ડ્ઢથ્ડદ્મ દ્દઢડ ક્કદ્દટ્ટત્ણ્ટ્ટત્ત્ દ્મટ્ટધ્ણ્ત્ત્ડ્ઢ. ચ્ર્દ્રદ્ધડ, ટ્ઠદ્ધદ્દ દ્વઢધ્ ટ્ઠડ ટ્ટ થ્ર્ટ્ટદ્વત્ત્ દ્વઢડત્ત્ ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ ટ્ઠડ દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ. ઉદ્મ દ્દઢડ ણૂણ્ત્ત્ડ્ઢ, ધ્થ્દ્ધ ઠટ્ટત્ત્ દ્મડદ્રદ્યડ દ્મથ્ ત્ર્ટ્ટત્ત્ધ્ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠડ દ્ધદ્મડડ્ડદ્ધત્ દ્દથ્ દ્મથ્ ત્ર્ટ્ટત્ત્ધ્. ઙડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર, દ્મડદ્રદ્યણ્ઠડ દ્દથ્ ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ ણ્દ્મ દ્દઢડ દ્રડત્ત્દ્દ દ્વડ થ્ર્ટ્ટધ્ ડ્ડથ્દ્ર ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ દ્દઢણ્દ્મ થ્ર્ત્ટ્ટત્ત્ડદ્દ. જઢટ્ટદ્દ દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્ધદ્રદ્મડત્દ્યડદ્મ દ્વણ્ત્ત્ ઠ્ઠણ્ડ દ્વણ્દ્દઢ દ્ધદ્મ,દ્વઢટ્ટદ્દડદ્યડદ્ર દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્વણ્ત્ત્ ટ્ઠડ ત્ડડ્ડદ્દ ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્દ દ્વણ્ત્ત્ દ્રડત્ર્ટ્ટણ્ત્ત્ ણ્ત્ર્ત્ર્થ્દ્રદ્દટ્ટત્. ઉત્ત્ ત્ર્દ્ધદ્મદ્દ દ્રડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઠ્ઠથ્ડદ્મ ઠથ્ત્ર્ડ ણ્ત્ત્ દ્દઢડ ડત્ત્ઠ્ઠ. ચ્થ્ત્ર્ડ થ્ર્ડથ્થ્ર્ત્ડ ટ્ટદ્રડ દ્ધત્ત્ઠ્ઠડદ્ર દ્વદ્રથ્ત્ત્ડ્ઢ ણ્ત્ર્થ્ર્દ્રડદ્મદ્મણ્થ્ત્ત્ ટ્ટટ્ઠથ્દ્ધદ્દ ડધ્ડ ટ્ટત્ત્ઠ્ઠ ટ્ઠથ્ઠ્ઠધ્ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દણ્થ્ત્ત્. ઋદ્યડત્ત્, ણ્ડ્ડ ધ્થ્દ્ધ ઠ્ઠથ્ ત્ત્થ્દ્દ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દડ ટ્ટત્ત્ધ્દ્દઢણ્ત્ત્ડ્ઢ - દ્દઢડત્ત્ ટ્ટત્દ્મથ્ થ્ત્ત્ઠડ ધ્થ્દ્ધદ્ર દ્મથ્દ્ધત્ ણ્દ્મ ત્ત્થ્ ત્ર્થ્દ્રડ ણ્ત્ત્ દ્દઢડ ટ્ઠથ્ઠ્ઠધ્ -ણ્ડ્ડ ધ્થ્દ્ધ દ્દઢણ્ત્ત્ણૂ ઠ્ઠડડથ્ર્ત્ધ્ દ્વઢટ્ટદ્દ ધ્થ્દ્ધ ટ્ટડ્ઢદ્રડડ દ્દથ્ ઠ્ઠથ્ત્ત્ટ્ટદ્દડ ટ્ટડ્ડદ્દડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઢડત્થ્ર્દ્મ દ્દદ્વથ્ ટ્ઠત્ણ્ત્ત્ઠ્ઠ થ્ર્ડદ્રદ્મથ્ત્ત્દ્મ- દ્મડડ દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ. ચ્ર્ઢડણ્દ્ર દ્રડદ્મથ્ર્ડઠદ્દ ડ્ડથ્દ્ર ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ દ્વણ્ત્ત્ થ્ર્થ્દ્મણ્દ્દણ્દ્યડત્ધ્ ણ્ત્ત્ઠદ્રડટ્ટદ્મડ ટ્ટત્ત્ઠ્ઠ ક્ક ટ્ટત્ર્ દ્મદ્ધદ્રડ દ્દઢથ્દ્ધડ્ઢઢ દ્દઢડધ્ ત્ર્ટ્ટધ્ ત્ત્થ્દ્દ ણૂત્ત્થ્દ્વ-દ્વઢથ્ ણ્દ્મ દ્દઢડ ઠ્ઠથ્ત્ત્થ્દ્ર -દ્મદ્દણ્ત્ત્ દ્દઢડણ્દ્ર ટ્ઠત્ડદ્મદ્મણ્ત્ત્ડ્ઢદ્મ દ્વણ્ત્ત્ ઠથ્ત્ર્ડ ડ્ડદ્રથ્ત્ર્ દ્દઢડણ્દ્ર ઢડટ્ટદ્રદ્દ. ક્કડ્ડ દ્દઢડધ્ ઠ્ઠથ્ ટ્ઠધ્ ઠઢટ્ટત્ત્ઠડ -ટ્ટત્ત્ધ્દ્દઢણ્ત્ત્ડ્ઢ દ્વદ્રથ્ત્ત્ડ્ઢ - ધ્થ્દ્ધ દ્વણ્ત્ત્ ત્ત્થ્દ્દ ટ્ઠડ ડ્ઢદ્ધણ્ત્દ્દધ્. ગ્થ્દ્વ, ક્થ્ઠ્ઠ ઢટ્ટદ્મ ડ્ઢણ્દ્યડત્ત્ ધ્થ્દ્ધ ડધ્ડદ્મ- ણ્ડ્ડ ધ્થ્દ્ધ ઠ્ઠથ્ દ્મથ્ત્ર્ડદ્દઢણ્ત્ત્ડ્ઢ દ્વદ્રથ્ત્ત્ડ્ઢ ઠ્ઠથ્ ધ્થ્દ્ધ ત્ર્ડટ્ટત્ત્ દ્દથ્ દ્મટ્ટધ્ -ક્થ્ઠ્ઠ ણ્દ્મ દ્રડદ્મથ્ર્થ્ત્ત્દ્મણ્ટ્ઠત્ડ. ઘ્ત્ડટ્ટદ્મડ દ્દદ્રધ્ દ્દથ્ દ્ધત્ત્ઠ્ઠડદ્રદ્મદ્દટ્ટત્ત્ઠ્ઠ - ક્ષ્ઉઙખ્ર્ઉ દ્દઢડથ્દ્રધ્.

અનુક્રમણિકા

વાર્તા નં :૫૯ આંધળાનો હાથી

કાશી ની ઉત્તર દિશામાં એક સુંદર શહેર આવેલું છે. ખાધેપીધે સુખી છે. ખેડખેતરે પૂરું છે.

નવાણ-નીરે છલકાતુ છે. એમા રહે છે સાતભદ્રમાણસોે.આ સાતે કાશી જઇને ભણી આવ્યા

છે. વિધામાં, વિવેકમાં,વિનયમાં એકબીજાને આંટે એવા છે! એકને જુઓ, બીજાને ભૂલો!

એકલી વિધાથી ન ચાલે! વિધા સાથે વિવેક અને વિનય પણ ખરાં. ભણીએ પણ વિવેક ન

જાણીએ તો યે નકામું. વિધા અને વિવેક હોય, પણ વિનય ન હોય તો બે ય નકામા! જૂના

વખતમાં એ ત્રણેય સાથે ભણે તે જપંડિત કહેવાય. લોકોને ખબર પડી કે કાશી એ જઇને

ભણી આવેલાપંડિતો આવ્યા છે; એટલે સહુનો પડયો દરોડો. સહુ કહે કે અમને તમારી

વિધાનું સત્વ કરો.

વિધાનું સત્વ એટલે તારણ.દૂધને મેળવી દહીં કરીએ ને દહીં ને વલોવી છાશ જુદી કરી,

માખણ તારવી લઇએ એનું નામ સત્વ. સાતેપંડિતો પોતપોતાની વિધાનું સત્વ આપવા

લાગ્યા.

પહેલોપંડિત કહે દુનિયામાં જ્ઞાન ઉત્તમ છે, જ્ઞાન વગરનું બધું નકામું. ખૂબ જ્ઞાન ભણો, તો

જ માનવ જીવનનું સાર્થક કરશો .

બીજોપંડિત કહે, જ્ઞાન તો ઠીક; પણ ક્રિયા મોટી ચીજ છે. મોંએથી પાણી પાણી બોલીએ,

વળી જ્ઞાનથી આપણે જાણીએ કે પાણી પીધે તરસ છીપે, પણ જયાં સુધી પાણી પીવાની ક્રિયા

ન કરીએ ત્યાં સુધી બધું નકામું તળાવે જઇને તરસ્યા આવવા જેવું એ તો કહેવાય!

ત્રીજોપંડિત કહે જ્ઞાન અને ક્રિયા તો ઠીક, પણ તપ મોટી ચીજ છે. કાયા ને કષ્ટ ન આપો

ત્યાં સુધી દુનિયામાં કંઇ કામ ન સરે .

ચોથોપંડિત કહે, જ્ઞાન, ક્રિયા ને તપ તો ઠીક, પણ જીવનમાં દયાભાવ રાખવો જોઇએ.

કહ્યું છે ને, દયા ધર્મકા મૂલ હૈ .

પાંચમોપંડિત કહે, જ્ઞાન,ક્રિયા,તપ ને દયાભાવ તો ઠીક, પણ પહેલા સંસારથી અળગા થઇ

સંન્યાસ લેવો જોઇએ. દુનિયાદારી સાથે બહુ સંબંધ રાખો એટલે તો ફસાઇ જ પડો .

છઠ્ઠોપંડિત કહે, એમ સંન્યાસ લઇ તમારે વન જંગલમાં જવાની જરૂર નથી. અરે, કહ્યું છે

ને કે, સંસાર સુ સરસો રહે ને મન મારી પાસ - ભકિત કરતાં આવડવી જોઇએ. મન ચંગા

તો કથરોટમાં ગંગા - ભકિત કરો તો જ બેડો પાર થાય.

સાતમોપંડિત કહે, એ બધું ઠીક, પણ સેવાભાવ રાખો તો એમા બધું આવી જાય.

શાસ્ત્રમાં સેવાધર્મ ને પરમ ગહન કહ્યોછે.

આમ મૂંડે મૂંડે જુદી મતિ થઇ! ગામના લોકો ભારે મૂંઝવણમાં પડયા એટલે ગયા રાજા

પાસે, એ વેળાએ રાજા બહુ ડાહયો અને ચતુર. એણેપંડિતોને બોલાવ્યા ને કહ્યું કે ધર્મમાં કે

તત્વ માં હું કાંઇ ન સમજું. વાદવિવાદ કરો ને સાચો કોણ એ નક્કી કરો. સહુથી શ્રેષ્ટ ઠરે

એપંડિતને મારે રાજદરબારમાં રાજપંડિતનું સિંહાસન ને વિધાની મશાલ આપવી છે.

એ વખતે સાતેપંડિતો હાથ જોડીને બોલ્યા રાજાજી! કહો તે રીતે વાદવિવાદ કરીએ.

આપને રુચે તેની વાત માનો, પણ રાજદરબારમાં સિંહાસન મુકાય તો સાતેયનાં મુકાય; ન

મુકાય તો એકેયનું નહીં! રાજા કહે, તો સાતમાં સાચું કોણ?

સાચુ માણસ અને સાચી માણસની માણસાઇ! સાતેપંડિતોએ કહ્યું. અમે લડવા-ઝઘડવા કે

એકબીજાને નીચે દેખાડવા વિધા ભણ્યા નથી. આ તો અમે જે સમજયા તે ન કહીએ તો વિધા

ના ૃદ્વોહી ઠરીએ. દુનિયામાં કુસંપથી મોટોે કોઇ અધર્મ નથી. રાજાએ સાતેને પોતાની સભામાં

સિંહાસન-માન બધું આપ્યું.એ વાતને એક જમાનો વીતી ગયો. સાતેપંડિતો અને રાજા પણ

કાળક્રમે ગુજરી ગયા. નવો રાજા-નવી પ્રજા -સાતેપંડિતોના પુત્રો આવ્યા.

નવા રાજા એ વિચાર કર્યો કે સાતપંડિતોના સાત સિંહાસનો દરબારમાં ખુબજ જગા રોકે છે.

નવા રાજાએપંડિતોને નોતર્યા ને કહ્યું તમારા સાતમાં કોણ શ્રેષ્ટ છે તેને રાજગુરુનું સિંહાસન

મળશે. સાતેપંડિતોમાં તું તું ને મેં મેં થઇ રહ્યું કયાં બાપ ને કયાં બેટા! વિવેક અને વિનય

વિનાની વિધા તે આનું નામ! રાજા એ નારાજ થઇ સાતે સિંહાસન દરબારમાંથી રદ કર્યા.

લાખનાપંડિતો ટકાના ત્રણ શેર થઇ ગયા. હવે એમની આંખો ખુલી. બનવાકાળ કે એ

ગામમાં એક મહાજ્ઞાની ગુરુ પધાર્યા.જંગલમાં રહે, સહેજમાં મળે તે ખાય. આખો દિવસ

ધ્યાનમાં મસ્ત રહે. બધાપંડિતો જુદા જુદા એ ગુરુ પાસે પહોંચ્યા. એમના મનમાં એમ કે

ગુરુ પાસે પોતાનો મત સાચો ઠેરવી લઇએ, પછી જોઇ લેવાશે! રાજા પણપંડિતોના

ઝઘડાથી કંટાળ્યા હતા. એ પણ ગુરુ પાસે પહોંચ્યા. ગામ લોકો પણ રોજના લેવા-દેવા

વગરના આ ઝઘડાથી કંટાળ્યા હતા. તેઓ પણ ત્યાં આવ્યા.પંડિતોએ, રાજાએ, લોકોએ

ગુરુને પ્રશ્ન પૂછયો - આ બધામાં કયાપંડિતનો મત સાચો છે? ગુરુજી જાણકાર હતા.

એમણે ન શાસ્ત્ર કાઢયાં, ન વિવાદ કર્યો, સામાન્ય વાત કરતા હોય તેમ કહ્યું કે તમારા

ગામમાં અંધ માણસો કેટલા છે? લોકો કહે કે સાત જણા તો સાવ જન્મથી જ અંધ છે, બાકી

કોઇ રોગથી, કોઇ અકસ્માતથી, કોઇ મારામારી થી-એમ અંધ થયેલાં ઘણાં છે. ગુરુ એ કહ્યું

- જન્મથી અંધ છે તે સાત જણાને બોલાવો.તથા રાજાની ગજશાળામાંથી એક હાથી ને

બોલાવો. હાથી આવ્યો એટલે ગુરુએ જન્માંધો ને પૂછયું - ભાઇએા તમે કદી હાથી જોયો છે?

બધા કહે અમે તો જન્મથી જ અંધ છીએ. હાથી કયાંથી જોયો હોય?ગુરુ કહે - હાથી વિશે

કાંઇ સાંભળ્યું છે? પેલા સાતે આંધળા કહે - ના બાપજી! ગુરુ કહે ચાલો ત્યારે, તમને

બતાવું. પછી તેઓ એક અંધ ને હાથીની સૂંઢ પાસે લઇ ગયા. કહ્યું કે આ હાથી છે, એને

અડો. બીજાને પગ પાસે લઇ જઇને ઉભો રાખ્યો. ત્રીજાને પૂંછડા પાસે, ચોથા ને કાન પાસે,

પાંચમાને દંતશુળ પાસે, છઠ્ઠાને પેટ પાસે ને સાતમાને ગંડસ્થળ પાસે ઊભો રાખ્યો ને કહ્યું કે

હાથી ને બરાબર જોઇ તપાસી લો.

થોડી વારે ગુરુએ પૂછયું કહો ભાઇઓ! હાથી કેવો? સૂંઢ ઝાલનાર અંધ કહે-ગુરુજી -હાથી

અજગર જેવો છે. ત્યાંતો પૂંછડું ઝાલનાર અંધ કહે - અજગર જેવો તો નહીં, પણ દોરડા જેવો

છે. ત્યાં તો કાન ઝાલનારે કહ્યું - અલ્યા આંખોના આંધળા તો છો સાથે અક્કલના પણ અંધ

છો? હાથી તો ચોખ્ખો સૂપડા જેવો છે. ત્યાંતો ગંડસ્થળ પર બેઠેલો કુધો નીચે તે ઝનૂનમાં

બોલ્યો, હાથી તો માટલા જેવો છે. ત્યાં તો પેલો પેટવાળો અંધ બરાડી ઊઠયો.અરરરરરર!

તમારા બધાનું ખસી ગયું લાગે છે. હાથી તો ખાસ્સો મશક જેવો છે. તો પેલો પગ ઝાલનારો

કહે કે તમારા બધાની આંખ સાથે અક્કલ પણ ફૂટી ગઇ લાગે છે. હાથી તો થાંભલા જેવો છે.

ત્યાં દંતશૂળ ઝાલનારો કહે કે ફૂટી તો આપણા બધાની ગઇ છે, બાકી મેં પાકી ખાત્રી કરી

છે, કે હાથી લાકડા જેવો છે.

બધા ને લાગ્યું કે ગુરુએતો વળી નવો ઝઘડો ખડો કર્યો! એક તો સાતપંડિતોનો ઝઘડો

ઉભો છે ત્યાં આ બીજો જાગ્યો! પણ ના, એ તો સમજાવવાની નવી રીત હતી. એતો આડે

લાકડે આડો વેહ! સાચા ગુરુની ખૂબી જ એ છે! સાતે આંધળા લડવા માંડયા, એટલે ગુરુએ

સહુને શાંત પાડતાં કહ્યું-તમારા રાજા તમને કહેશે કે હાથી કેવો છે. રાજા કહે- હાથી

સૂપડાના જેવા કાનવાળો, સાપના જેવી સૂંઢવાળો, દોરીના જેવીપૂંછવાળો, માટલા જેવા

ગંડસ્થળવાળો, મશક જેવા પેટવાળો, થાંભલાના જેવા પગવાળો ને લાકડાના જેવા

દંતશૂળવાળો છે. દરેક આંધળાએ હાથીનું એક એક એમ અલગ અંગ ઝાલેલ -બધા ની વાત

તે અંગ પૂરતી સાચી હતી. ગુરુ એ કહ્યું કે જેઓને જોવા માટે કુદરતે દીવા જેવી આંખો આપી

છે, તેઓ જયારે મોટાઇથી અંધ બનીને લડે છે ત્યારે કોને દેખતા કહેવા ને કોને આંધળા

કહેવા એની ભારે વિમાસણ થઇ જાય છે.

વાહ ગુરુ વાહ, ખરું સમસ્યામાં સમજાવ્યું.પંડિતો આખરેતો જ્ઞાની હતા ને! તેઓ પોતાની

ભૂલ સમજયા, પણ તે કેવા? વાઢો તો લોહી ન નીકળે! તેઓ ગુરુના ચરણમાં પડયા ને

બોલ્યા - અમો પણ છતી આંખે આંધળા બન્યા, છતી અક્કલે ર્મૂખ બન્યા. છતે જ્ઞાને અજ્ઞાની

બન્યા, માણસાઇરુપી હાથી ને જ વીસરી ગયા, ને પૂંછ કે પગ ઝાલી મંડયા લડવા-ઝગડવા,

જયાં ઝઘડો ત્યાં ધર્મ નથી, એ અમે ન સમજયા. ગુરુ કહે- ભાઇઓ, ડાહયા ભૂલે ત્યારે

આખી ભીંત ભૂલે. ભલે તમને સૂજેે તે દેશકાળને અનુસરતા તમારા મત સ્થાપો, પણ

માણસાઇરૂપી હાથીને કદી ન ભૂલશો. કોઇ એક અંગમાં જ્ઞાન પણ સાચું છે, ક્રિયા પણ

સાચી છે, તપ સદાવ્રત સેવા અને સંન્યાસ પણ સાચા છે. છતાં એ વાત ન ભૂલશો કે એ બધા

માણસાઇના અંગ છે. માણસાઇમાં એ બધું આવી જાય.માણસાઇ જાય ત્યાંથી એ બધું જાય.

બધા પોતાની ભૂલ સમજયા,ને બગડેલી બાજી સુધારવા લાગી ગયા.

ખામેમી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે,

મિત્તિમે સવ્વ ભુએસુ, વેરં મજઝ ન કેણઇ.

ભૂલ થઇ જાય એ પ્રકૃત્તિ છે.

ભૂલ પર ભુલ કર્યા કરવી એ વિકૃતિ છે.

ભૂલ થયા બાદ એને સુધારી લેવી એ સંસ્કૃતિ છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૦ રેતી અને પથ્થર

બે મિત્રો રણમાં ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા કોઇક વાતે તેઓ ઝઘડી પડયા અને

એક મિત્રે બીજા મિત્રે બીજાને લાફો મારી દીધો. જેને લાફો પડયો તે મિત્રને ખુબ દુઃખ

થયું,પણ કંઇ બોલ્યા વગર તેણે રેતીમાં લખ્યું, આજે મારા શ્રેષ્ટ મિત્રે મને તમાચો માર્યો.

તેમણે ચાલવાનું રાખ્યું અને તેઓ એક જગ્યાએ પહોંચ્યા જયાં પાણીના નાના તળાવ જેવું

હતું. તેમણે ત્યાં નહાવાનું નક્કી કર્યું. તેઓ પાણીમાં ઉતર્યા. જેને લાફો પડયો હતો તે મિત્ર

ડુબવા લાગ્યો અને બીજા મિત્રે તેને બચાવ્યો. સ્વસ્થ થઇ ગયા બાદ તેણે એક પથ્થર પર

લખ્યું, આજે મારા સૌથી નજીકના અને શ્રેષ્ટ મિત્રે મારો જીવ બચાવ્યો.

બીજા મિત્રે પુછયું,જયારે મેં તને માર્યુ ત્યારે તે રેતીમાં લખ્યું પણ જયારે મેં તારો જીવ

બચાવ્યો ત્યારે તેં પથ્થર પર લખ્યું. આવુંશા માટે?હસીને પેલાએ જવાબ આપ્યો, જયારે

કોઇ મિત્ર તમને દુઃખ પહોંચાડે ત્યારે તમારે તે રેતી માં લખવું જોઇએ, જેથી ક્ષમાનો પવન

એ લખાણ ને ભૂંસી નાંખશે. પણ જયારે કોઇક મહાન ઘટના બને ત્યારે આપણે તેને

હૃદયરૂપી પથ્થર પર કોતરી નાંખવી જોઇએ જેથી કોઇ તેને ભૂંસી શકે નહીં..

આમ, જયારે તમારું કોઇ સ્વજન કે તમારો અંગત મિત્ર તમારી લાગણી દુભવે ત્યારે તમે પણ

રેતીમાં લખજો એટલે કે તેને ભૂલી જજો. અને જયારે તમારું કોઇ અંગત સ્વજન કે સ્નેહી

મિત્ર તમારા માટે ખરેખર કંઇક સારું કરે ત્યારે તેને પથ્થર પર લખજો ઐટલે કદાપિ

ભૂલશોનહીં.. ખોટું બોલતાં શીખવું પડે છે. જયારે સત્ય કુદરતી બોલાય જાય છે.સદાચાર

એટલે પ્રભુ સમીપ લઇ જનાર આચાર..મુકિત એ ભકિતનો પડછાયો છે. ભકિતથી અવશ્ય

મુકિત મળે છે.

ઉત્ત્ધ્ ડ્ઢથ્થ્ઠ્ઠત્ત્ડદ્મદ્મ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ, થ્દ્ર ડદ્યડત્ત્ ટ્ટ ણૂણ્ત્ત્ઠ્ઠ ડ્ઢડદ્મદ્દદ્ધદ્રડ ટ્ઠધ્ ટ્ટત્ત્ધ્ ટ્ઠડણ્ત્ત્ડ્ઢ થ્ડ્ડ દ્દઢડ દ્ધત્ત્ણ્દ્યડદ્રદ્મડ ણ્દ્મ દ્વથ્દ્રદ્દઢ ઠટ્ટદ્રદ્યણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ ધ્થ્દ્ધદ્ર ઢડટ્ટદ્રદ્દ. ઉત્ત્ધ્ ણ્ત્ત્ણુદ્ધદ્મદ્દણ્ઠડ ઠ્ઠથ્ત્ત્ડ દ્દથ્ ધ્થ્દ્ધ ણ્દ્મ દ્વથ્દ્રદ્દઢ દ્વદ્રણ્દ્દણ્ત્ત્ડ્ઢ થ્ત્ત્ દ્દઢડ દ્મટ્ટત્ત્ઠ્ઠ. ૠથ્દ્રડ્ઢણ્દ્યડ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્રડ્ઢડદ્દ ણ્દ્મ દ્દઢડ થ્ર્ટ્ટત્ત્ટ્ટઠડટ્ટ ડ્ડથ્દ્ર ટ્ટઠઢણ્ડદ્યણ્ત્ત્ડ્ઢ ઢટ્ટથ્ર્થ્ર્ણ્ત્ત્ડદ્મદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડદ્દડદ્રત્ત્ટ્ટત્ થ્ર્ડટ્ટઠડ થ્ડ્ડ ત્ર્ણ્ત્ત્ઠ્ઠ દ્વઢણ્ઠઢ દ્વડ ટ્ટત્ત્ ત્થ્ત્ત્ડ્ઢ ડ્ડથ્દ્ર..ડ્ડદ્રથ્ત્ર્ ઋત્ત્ડ્ઢત્ણ્દ્મઢ ડઠ્ઠણ્દ્દણ્થ્ત્ત્ - ‘ઊટ્ટદ્રદ્યડ ક્કદ્દ ગ્ર્ત્ત્ જીથ્દ્ધદ્ર કડટ્ટદ્રદ્દ ટ્ઠધ્ ઉઊકઉઙજીઉ ચ્કઙક્કખ્ર્ઉઊં જ્ક્કક્રઉજી ઙઉચ્ર્ગ્ઉચ્છગ્ઊંઋઙચ્છઙક્કચ્કજઉઙક્રક્ક ખ્ર્ઉકઉઙઉક્ર ચ્ઉકઋઉં.

ઉઊકઉઙજીઉ ચ્કઙક્કખ્ર્ઉઊં જ્ક્કક્રઉજી ઙઉચ્ર્ગ્ઉચ્છગ્ઊંઋઙચ્છઙક્કચ્કજઉઙક્રક્ક ખ્ર્ઉકઉઙઉક્ર ચ્ઉકઋઉં.

દુઃખો તણા ડુંગર ભલે તૂટી પડો મુજ ઉપરે,

આપત્તિના વાદળ ભલે વરસી પડો મુજ ઉપરે,

રોગો તણી ફોજો ભલે ને ત્રાટકે મુજ ઉપરે,

પણ સર્વ કાળે નાથ! તારો હાથ રહો મુજ ઉપરે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૧ ધોબીનો કુતરોે ન ઘરનો કે ઘાટનો

મોહન નાનો હતો. તેના પિતા સદાચારી હતા.તેમણે મોહનને સદાચારી અને સુસંસ્કારી

બનાવવા માટેના ખુબ જ અરમાનો અને અભરખા હતા. પોતાના જીવનમાં સુસંસ્કારો અને

સંતાનમાં પણ આવે તેવું ઇચ્છતા હતા. પરન્તુ ન જાણ્યું જાનકી નાથે,કાલે સવારે શું થવાનું

છે. પુત્રને સંસ્કારો આપે એની પૂર્વે સ્વધામ સિધાવ્યા. જયારે મોહનના પિતા હયાત હતા

ત્યારે તો એમની પાસે સંપત્તિ પણ ઘણી હતી. મોહનની માતા ભણેલી ન હતી. ગામડાની

નારી હતી. અને તે કારણે તે સ્વભાવે સરળ અને ભોળી પણ હતી. મોહનના પિતાના મૃત્યુ

પછી પોતાના ઘરે આવેલા સ્વજનોએ સંપત્તિ વગે કરી અને સ્વજનોએ સંપત્તિ લીધી તો

ગામના લોકોએ પણ સંપત્તિ લેવામાં બાકી ન રાખ્યું. આમ થતાં જ કરોડપતિમાંથી રોડપતિ

બની ગયાં. મોહનની માતા નિર્ધન બની.

મોહનની મા રોજ પારકા ઘરે મજૂરી કરવા જતી . કોઇને ત્યાં કપડાં ધોતી તો કોઇક ને ત્યાં

વાસણ સાફ કરતી. મોહનની માતા માટે એક સમય એવો પણ હતો કે પાણી માંગે દૂધ

હાજર થતું, અત્યારે બે ટાઇમ જમવાની પણ તકલીફ પડતી હતી. પતિ સ્વધામે સિધાવ્યો -

સંપત્તિ ચાલી ગઇ અને પારકા ઘરે કરવી પડતી કાળી મજૂરીના કારણે દુઃખી બની ગઇ અને

ચિંતાને કારણે અકાળે વૃદ્ધ બની ગઇ, દુઃખના કારણે તથા કાળી મજૂરીના કારણે તથા

અપુરતા પોષણના કારણે શરીર પણ ઉતરી ગયું, શરીરને ન મળતાં પુરતાં પોષણના કારણે

એક વાર મોહનની મા બિમાર પડી તાવ આવ્યો, મોહન મૂંઝાઇ ગયો. ઘરમાં પૈસા નથી,

બિમાર માની દવા કેવી રીતે કરવી, મોહન વિચારે છે કે જે માએ પોતે ભુખી રહી મને

જમાડયો, જે માએ મારા માટે કેટકેટલા કષ્ટો સહન કર્યા, મારા અસ્તિત્વ ને જાળવવા માટે

કેટકેટલું કરી મારા ઉપર ઉપકાર કરેલ છે તેવી અનંત ઉપકારિણી મા જયારે બીમાર પડી છે

ત્યારે હું તેની દવા નથી કરાવી શકતો, ધિક્કાર..છે મને.

આવા વિચારોથી મોહનનું દીલ ભરાઇ આવ્યું અને પોતાની માતાને તાવમાં રીબાતી જોઇ

ચોધાર આંસુએ રડી પડયો, માતાએ પોતાના પુત્રને રડતો જોઇ માનું હૈયુ કંપી ઉઠયું,

માતાથી પણ ન રહેવાયું અને એ પણ રડી પડી, અને કહ્યું બેટા .ચિંતા ના કરીશ -

આપણાં સારા દિવસો ફરી આવશે, બેટા.તુ રડ નહીં. આમ દિવસ પછી દિવસ પસાર

થવાં લાગ્યાં. સતત બે દિવસના ભૂખ્યાં મા-દિકરાના આંસુ લુછનાર ત્યાં કોઇ નથી.એક

દિવસ માએ મોહનને કહ્યું, બેટા.હું જે શેઠને ત્યાં નોકરી કરું છું એ શેઠને ત્યાં જઇ બધી

વાત કરજે, થોડી ઘણી મદદ કરે તો દવા કરી શકાશે અને દવા લીધા બાદ બે-ચાર દિવસમાં

સારું થઇ જશે. પછી નોકરી કરી એમને પૈસા વાળી આપીશું, માના કહેવાથી દીકરો શેઠ

પાસે ગયો. માની અત્યંત માંદગીની તેમજ એના ઘરની અસહય પરિસ્થિતિની અને વેદનાની

વાત શેઠને કરી અને મદદ માટે કાકલુદીભરી વિનંતી કરી, પણ શેઠનું હૈયુ પથ્થરનું હોઇ

લેશમાત્ર પણ પીગળ્યું નહીં, મોહન સતત કરગરે છે. મોહન પોતાની માની દવા કરાવવા

માટે કરવા પડતાં તમામ પ્રયત્નો કરી છૂટે છે છતાં શેઠનો સ્વભાવ એટલે પથ્થર ઉપર

પાણી..પીગળ્યો જ નહીં ને.. શેઠ એકપણ પૈસો આપવા તૈયાર થયાં નહીં, શેઠે મોહનને

સ્પષ્ટ સંભળાવી દીધું કે અહીંયા કંઇ પૈસાના ઝાડ ઉગે છેએટલુંજ નહીં એ પણ સંભળાવી

દીધું કે તારા બાપા મારે ત્યાં કોઇ થાપણ મૂકી ગયા છે? તે માંગવા આવ્યો છે.મોહન તો

શેઠના વચનો સાંભળી આભો જ બની ગયો. મોહનને તિરસ્કાર કરીને શેઠે તેમના નોકરો

મારફતે ઘરની બહાર કઢાવી મૂકયો. મોહન આંસુ પાડયા સિવાય કાંઇ કરી શકયો નહીંં ંઅને

કરી પણ શું શકે ગરીબ પાસે એના સિવાય શું હોઇ શકે.માત્ર આંસુ જ કારણ કે

ગરીબની તો તે મૂડી છે નેઘણીવાર તો આ આંસુ પણ પાડી પાડી સૂકાઇ જાય છે

ને..શું આપણે આવી હકીકત બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશને કે ઘર આગળ ભીખ માંગવા

આવનારમાં જોઇ નથી? જો જોઇ હોય તો કદી આપણને વિચાર આવ્યો છે કે કંઇ મજબુરીથી

આપણી પાસે શું અપેક્ષા રાખે છે.પોતાની માની દવા માટે પૈસા માંગવા આવેલ છે. એેક

આશા શેઠ પાસે હતી તે ઠગારી નીવડી તેથી રડતો રડતો દીકરો ઘરે આવ્યો. ઘરમાં પ્રવેશતાં

જ મહામહેનતે કઠણ કરી રાખેલું હૈયું ભાંગીને ભૂક્કો થઇ ગયું, ઘરે આવતાં જ દીકરા મોહને

જોયું કે પોતાની માની સેવા બાજુમાં રહેતા રમીલાબેન કરતાં હતા. હવે પ્રભુ કૃપાએ માને

સારું થઇ ગયું હતુ. મા હવે મજૂરી કરવા જઇ શકતી હતી. આગળ જતાં એક દિવસ એવો

પણ આવ્યો કે ઘરમાં અનાજનો દાણો પણ નથી. રોજ રોજ મજૂરી કરવી પડે અને તે

રોજગારીમાંથી રોજ રોજ જમવાનુંથાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ. એક પણ દિવસ મજૂરીએ

ના જાય તો ભૂખ્યાં સૂઇ રહેવું પડે. મા પોતે ભૂખી રહીને પણ મોહનને જમાડે છે. મા મેહનત

મજૂરી કરીને પણ પોતાના દીકરા મોહનને ભણાવે છે. દીકરો મોહન હોંશિયાર હતો. ખંત

અને મહેનતથી ભણવા લાગ્યો, મોહને મનમાં નક્કી કર્યુ, હું ભણી ગણી એવી મોટી ઉપાધી

(ડીગ્રી) મેળવું કે જેથી માને મજૂરી કરવી ન પડે.અને સુખના દિવસો પાછા આવે. મોહન એક

નો એક પુત્ર હોવાના કારણે નક્કી કરે છે કે હવેનું શેષ જીવન માની સેવામાં વિતાવીશ અને

માને એક દિવસ પણ અળગી મૂકીને કયાંય જઇશ નહીં. મોહન હોશિયાર તથા બુદ્વિશાળી

હોવાને કારણે પહેલા નંબરે પાસ થયો, સ્થાનિક શાળામાં જયાં સુધી અભ્યાસ થઇ શકતો

હતો ત્યાં સુધીનો તમામ અભ્યાસ થઇ ચૂકયો હતો- હવે વધુ અભ્યાસ કરી ભાવિમાં ડોક્ટર

બનવા માટે શહેરમાં જવું જરૂરી હતું અને તે માટે શિષ્યવૃત્તિ સિવાય વધુ અભ્યાસ થઇ શકે

તેમ ન હતો. તેવા સમયે મા એ સ્વૈચ્છિક સંસ્થામાં મોહન હોંશિયાર હોય તેને વધુ અભ્યાસ

માટે સહાય મેળવવા પ્રયત્ન કર્યો. મોહને પોતાની મા ને સહાય મેળવી વધુ અભ્યાસ કરવાની

ના પાડી કારણ કે પોતાની ગેરહાજરીમાં પોતાની માનું કોણ એ ચિંતા મોહનને સતત

સતાવતી હતી.. જે મા એ પોતાના અસ્તિત્વ માટે કેટકેટલા દુઃખો વેઠયા છે તે તમામ તેના

માનસ પટ ઉપર ઉપસી આવ્યા. મા નો ઉપકાર તો શે ભૂલાય. જે મા એ પોતે ભૂખી રહીને

મને જમાડયો,એ માને એકલા મૂકીને વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનો જીવ દીકરાનો

ચાલતો નથી.. મા એ જે સંસ્થામાં વાત કરી હતી તે સંસ્થાના મેનેજર મોહનની મા ને મળ્યા,

મોહનને વધુ અભ્યાસ માટે શહેરમાં મોકલવાનો તમામ ખર્ચ સંસ્થા ઉપાડી લેશે એમ જણાવી

કહ્યું તમે તમારા મોહનને શહેરમાં મોકલો. મા એ વિચાર્યું કે મારી જીંદગી મહેનત મજૂરીમાં

ગઇ , પણ મોહનને શહેરમાં મોકલવો. કમ સે કમ તે તો સુખી થશે ને..મા એ મોહનને

સમજાવ્યો, બેટા તું આગળ અભ્યાસ કરીશ તો તે તારા અને મારા બંનેના સુખ માટેે જ છે ને

આમ કહેતા મોહનની ઇચ્છા ન હોતી છતાં ભાવિમાં સુખની અપેક્ષાએ મોહને વધુ અભ્યાસ

માટે સંમતિ જાણી જણાવ્યું કે માત્ર દર અઠવાડિયે પત્ર લખતો રહીશ તો પણ મને સંતોષ

થશે. બેટાસાચવીને જજે. માએ તિલક કરી આર્શીવાદ આપ્યા. મા ને મોહને પ્રણામ કર્યા

અને આર્શીવાદ માંગ્યાં. મા ના આશિષ મેળવી વધુ અભ્યાસ માટે શહેરમાં ગયો, થોડાક

દિવસો પસાર થયાં હશે,ત્યાં એક દિવસ દિકરાનો પત્ર આવ્યો.પુત્રનો પત્ર જોઇ મા આનંદીત

બની ગઇ , એમા જણાવ્યું હતું કે તબિયત સારી છે. અભ્યાસ સારો થાય છે. અનુકુળતા

મેળવી લીધી છે, મારી કોઇ જાતની ચિંતા કરીશ નહી . તારી તબિયત સાચવજે, વારંવાર પત્ર

વાંચ્યા કરે છે -માની છાતી ગજગજ ફૂલે છે. પડોશીઓના ઘરે જઇ કહે છે કે મારા દીકરાનો

પત્ર આવ્યો છે. એક નો એક પત્ર વારંવાર વાંચી દીકરો જાણે પ્રત્યક્ષ હોય તે રીતે જ પત્ર

સાથે વાતો કરે છે. તેમ કરતાં ખાવા પીવાનું પણ ભાન ભૂલી જાય છે. થોડોક સમય પસાર

થયો હશે. ત્યાં બીજો પત્ર આવ્યો એમા જણાવ્યું હતું કે મા હવે તું મજૂરી કરીશ નહીં, અહીં

મને અભ્યાસની સાથે સાથે નોકરી પણ મળી ગઇ છે. હવે આવક પણ થવા લાગી છે.

મોહન માને રકમ પણ મોકલવા લાગ્યો. એક દિવસ દીકરાનો પત્ર માના હાથમાં આવ્યો,

લખ્યું હતું કે મારો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે ડોકટર બની ગયેલ છું. હવે હું ટુંક સમયમાં જ

ઘરે આવી જઇશ.મા હવે વિચારે છે કે મારો દીકરો ડોકટર બની ગયો છે હવે તો ખાનદાન

ઘરની કન્યા સાથે પરણાવીશ, પછી તો મારે ઘરમાં કાંઇજ કામ કરવાનું રહેશે નહીં. હવે

અમારા સુખના દિવસો ફરી આવી રહ્યા છે.પત્ર આવ્યો ત્યારથીજ રોજ મા બસ સ્ટેશને જાય

બસ આવે તેના દીકરાની રાહ જૂએ દીકરો આજે આવશે-કાલે આવશે તેમ માની રોજ

છેલ્લી બસ આવે ત્યાં સુધી રાહ જુએ. રોજ સવારે જાય અને સાંજે પાછી આવે, દીકરો પ્રત્યેે

મા ની કેવી લાગણી છે. દીકરો આજે ચોક્કસ આવશે. લાવ દિકરાને લઇ આવું,રોજ

બસસ્ટેન્ડે જાય અને પાછી આવે.

મોહન એક દિવસ બસમાં પોતાના માદરે વતન પરત આવી રહ્યો છે ત્યારે વિચારે છે કે

આટઆટલાં વર્ષ પછી ઘરે જઇ રહ્યો છું. મને જોઇને મા કેટલી આનંદીત થશે, હવે માને કોઇ

જાતની ચિંતા નહીં રહે. મારી માના દરેક અરમાનો, અપેક્ષાઓ, ઇચ્છાઓ ને હું પૂર્ણ કરીશ.

મારી માનો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે. નાનો હતો ત્યારે મારી માએ કેટકેટલા દુઃખો

સહન કર્યા છે, કેટકેેટલી મુશ્કેલિઓ વેઠી ત્યારે મને મોટો કર્યો છે, ઘેર જઇ માને કોઇ

તકલીફ ન પડે તેનું હુ ધ્યાન રાખીશ, જયાં દીકરો મા નો વિચાર કરી રહ્યો છે.એજ અવસરે

બસમાંં બેઠેલી એક યુવતીનો પરિચય થયો, પળવારના પરિચયમાં તો બંન્નેએ એકબીજાને

લગ્નના કોલ આપી બેઠા, અને મા એ આપેલ સંસ્કારો પર પાણી ફરી વળ્યું વીસ વીસ વર્ષ

ના મા સાથેના સંબંધો તોડી માની આ અંગે સલાહ કે આજ્ઞા લીધા સિવાય બંન્ને જણાએ

લગ્ન કરવાનું નક્કી કરી લીધું. વાતવાતમાં મોહને એની માની ઉપકારની વાત યુવતીને કરી,

યુવતીએ વિચાર કર્યો કે જેની સાથે આખી જીંદગી જીવવાની હોય તેની પરીક્ષા કર્યા વગર

લગ્ન ના કરી શકાય, વગર વિચાયુર્ં ઉતાવળું પગલું ભરવું જોઇએ નહીં અને ભરીશ તો

ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે. યુવતીએ મોહનની પરીક્ષા કરવાનું નક્કી કરી કહ્યું કે જો

તમો તમારી મા નું કાળજું કાપી મને લાવી આપો તો જ હું તમારી સાથે લગ્ન કરું.

મોહન યુવતીની વાત સાંભળી વિચારમાં પડી ગયો, જે માએ નવ-નવ મહીના સુધી પેટમાં

રાખ્યો, પ્રસુતિની પીડા સહન કરી મને જન્મ આપ્યો, મારા અભ્યાસ માટે, મારા વિકાસ માટે

એણે મહેનત મજૂરી કરી, કાળી મજૂરી કરી ને પણ મારી દરેક ઉચ્છા પૂર્ણ કરી, પોતે ભીને

સૂઇને મને સૂકે સૂવડાવ્યો, પોતે ભૂખે રહીને મને જમાડયો.મારા મળ મૂત્ર સાફ કર્યા. હું

કેટલીય વાર રાત્રે રડયો હોઇશ અને મારી મા ને સુખેથી સૂવા પણ ન દીધી હશે. છેલ્લે મને

ઉચ્ચ અભ્યાસ માટે ડોકટર બનાવવા પોતે દુઃખ વેઠીને પણ મને શહેરમાં અભ્યાસ કરવા

મોકલ્યો. આવી ઉપકારીણી માતાની સેવા કરવી તો બાજૂ પર રહી પણ માનું કાળજું તો કેવી

રીતે મંગાય.

માણસને સમય, સંજોગ અને સ્થાન બદલાય તો વિચારોમાં પણ પલટો આવ્યા વિના રહેતો

નથી..મોહનને યુવતીનો સંજોગ મળ્યો,કુળજોયા સિવાય લગ્નનો કોલ આપી બેઠો મોહમાં

ફસાયોસુસંસ્કારોમાં આગ લાગી રાખ થઇ ગયાં અને તેમ થતાં જ પોતાના સારા

વિચારોમાં પરિવર્તન આવ્યું જેમ લીંબુનું એક ટીપું પણ તમામ સારા દૂધ ને ફાડી નાંખવા

સમર્થ છે.તે ન્યાયે મોહને વિચાર્યું બહું લાગણીવેડા કરવાની જરૂર નથી. મા ની તો આમે

ય ઉંમર થઇ છે તે તો હવે ખર્યુ પાન જ કહેવાય, ગમે ત્યારે મરવાની તો છે જ ને,પરન્તુ

આવી રૂપાળી યુવતી થોડી ગુમાવાય. મોહને યુવતીનું સરનામું લઇ લીધું . યુવતીનું સ્થાન

આવતા તે ઉતરી ગઇ. ઉતરતાં પહેલા મોહને ફરી મળવાનું નક્કી કરી લીધું હતું. યુવતીના

વિચારોમાં ને વિચારોમાં તથા યુવતીએ કહેલી શરત કેવી રીતે પુરી કરવી તે વિચારોમાં બાકી

રહેલ માર્ગ કયારે કપાઇ ગયો તેનું ભાન રહ્યું નહીં, પોતાનું સ્થાન આવ્યું પણ શરતની

પૂર્ણતા કેવી રીતે કરવી તેની મૂંઝવણ કેવી રીતે દૂર કરવી તેના વિચારોમાં ખોવાઇ ગયો. જે

મા પાસે આશિષ, આશિર્વાદ માંગી કે મેળવિ શકાય તે જ માનું કાળજુ કેવી રીતે મંગાય કે

મેળવી શકાય ? મોહન ઉદાસ બની ગયો. મા ને પોતાના દીકરાને માણસ બનાવતાં વીસ

વર્ષ લાગે, પણ વીસ વર્ષની યુવતી એજ યુવાનને ક્ષણમાં બેવકુફ બનાવી શકે છે.

પોતાનું ગામ આવ્યું. બસમાંથી ઉતર્યો, મા તો હંમેશની જેમ આવેલી જ હતી.. દીકરાને જોઇ

માં ના આનંદનો કોઇ જ પાર રહ્યોનહીં . મા નું દીલ ભરાઇ આવ્યું. હર્ષના આંસુ આંખમાંથી

સરી પડયાં, ગળામાં ડુમો ભરાઇ ગયો, દીકરાને ભેંટી પડી . બંનેમાંથી કોઇ બોલતું નથી.

થોડોક સમય પસાર થયો. બંને ઘરે પહોંચ્યા. પણ મા એ જોયું કે મોહન આનંદમાં નથી .

કાંઇ ખોવાયેલો લાગે છે. દીકરાને ઉદાસ જોઇ માએ પુછયું - બેટા ઉદાસ કેમ છે ? શું તને

કોઇ તકલીફ તો નથી ને?કે મારા તરફથી કોઇ દુઃખ થયું છે.મારી કોઇ ભૂલતો નથી થઇ ને?

બેટા..મૂંઝાઇશ નહીં જે હોય તે કહે પણ તું ઉદાસ ન રહે. તારા આનંદમાં મારો આનંદ છે.

તારી ઉદાસી માં મારી ઉદાસી છે. તારું હાસ્ય જોવા મારી આંખો તલસી રહી છે. તું નાનો

હતો ત્યારે પણ તારા હાસ્યથી જ મેં મારા કઠીન દિવસો પણ સુખેથી વિતાવ્યા છે. માટે તું હવે

હસએટલું જ કહેતા ભૂતકાળના સંસ્મરણો યાદ કરતાં જ મા ગળગળી થઇ ગઇ. દીકરાના

મગજમાં યુવતી એ મૂકેલી શરત પૂરી કરવા માટેનો આ શ્રેષ્ટ સમય જોઇ, આ સમયે મા પાસે

કાળજાની માંગણી કરવામાં આવશે તો મા ના પાડી શકશે નહીં.

મરતી મા જીવતા દીકરાનો વિચાર કરે છે,

જીવતો દીકરો મરતી માનો વિચાર નથી કરતો.

મોહને પોતાનું કાળજું કઠણ કયુર્ંં. માના આગ્રહની સામે દીકરાએ કહી દીધું-મા .. મારે

એક ચીજ જોઇએ છે જે તારા સિવાય કોઇ આપી શકે તેમ નથી.. હું માંગીશ તો આપીશ જ

ને..ના તો નહીં પાડે ને. ના ન પાડે તો માંગુુ.

મા કહેબેટા તારી ખુશી માટે મેં શું શું નથી કર્યું અને તારી ખુશી માટે તો મારી જીંદગી

ખર્ચી નાંખી. હવે તો શેષ જીંદગી તારા સિવાય કોના કામમાં આવશે? તારા માટે તો જીવી

રહી છું, તું મારા પ્રાણથી તો અધિક નહી જ માંગી શકે ને? તું કહે તો મારા પ્રાણ પણ

આપી દઇશ, પણ તું હાસ્ય રેલાવી કહે.તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ.દીકરો યુવતીના મોહ

અને માયામાં ફસાયેલો હોઇ માએ આપેલા સુંસંસ્કારોને ભૂલી જઇ કહી દીધું કે

મા તારું કાળજું જોઇએ છે

બચપણમાં માતા દીકરાને ગોદ આપે છે,

મોટો થયા પછી દીકરો માને દગો આપે છે ે

મા એ કહ્યું બેટાતારી પાછળ જીંદગી ખર્ચી નાંખી છે હવે તો તારી છેલ્લી ઈચ્છા પણ હું

પૂર્ણ કરીશ. મોહને પોતાની શરત પૂર્ણ થતી હોઇ હાસ્ય રેલાવ્યુંમા હાસ્ય જોઇ આનંદીત

થઇ ઉઠી અને તુરત જ મોહને સુતેલી મા ઉપર તલવારથી કાળજું કાઢયું, માની અંતિમ વિધિ

કરવા પણ ન રોકાયો, કાળજું લઇને ઉલ્લાસ મને યુવતી પાસે જઇ રહ્યો છે. ત્યાં રસ્તામાં

ઠેસ વાગી, કાળજું નીચે પડી ગયું. દીકરો ઉભો થઇને કાળજું લેવા જાય છે, ત્યાં માના

કાળજામાંથી અવાજ આવ્યો, બેટા વાગ્યુંતો નથી ને? પણ યુવતીને મેળવવાની ઉતાવળમાં

એની જ તમન્નામાં, કાળજામાંથી આવેલો અવાજ પણ સંભળાયો નહીં. હરખાતો હરખાતો

જયાં યુવતીના ઘરે પહોંચ્યો, ઘંટડી વગાડી, યુવતીને કહે છે લે મારી માનું કાળજું. કાળજું

જોઇ યુવતીએ ભયંકર આશ્ચર્ય વ્યકત કર્યુ અને વાઘણની જેમ મોહન ઉપર તૂટી પડી, લાત

મારી મોહનને કાઢી મૂકયો, આજે તું મારા રૂપનું પતંગિયું બની, તારી ઉપકારીણી માતાને

મારતા વિચાર નથી કર્યો, તોે મારા કરતાં અધીક રૂપવતી યુવતી મળી જાયતો એના કહેવાથી

તું મને નહીં મારે એનો શો ભરોશોે? મોહનની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ,નહીં

ઘરનો કે નહીં ઘાટનો.મોહનના જીવનમાં મધ્યાન્હને સૂર્યાસ્ત થઇ ગયો, યુવતીતો ન મળી

પણ પોતાની ઉપકારીણી મા પણ ગુમાવી.

એક સમય એવો હતો કે રડવું આવે ત્યારે મા યાદ આવતી

હવે મા યાદ આવે છે ત્યારે રડવું આવે છે.

મોહન વિચારે છે કે હવે જીવવું કોના માટે. અંતે પોતે પણ પોતાની જાતને જે શસ્ત્ર વડે

માનું કાળજું મેળવ્યું હતું તે જ શસ્ત્ર વડે પોતાની જીંદગીનો અંત લાવી સ્વધામ સિધાવે છે.

જે મા એ નિર્સ્વાથ ભાવે દીકરાને મોટો કરેલ, જે દીકરા ઉપર ઉપકારોની હેલી વરસાવેલ, એ

દીકરો માનું મૃત્યુ નિપજાવી કયારેય સુખી ન બની શકયો, અકાળે મર્યો.

આ તો લૌકીક દષ્ટાંત છે. માતા પણ લોકોત્તર જૈન શાસનને સમજેલી હોતતો કથાનકનો

પ્રસંગ અન્ય રીતે ઘટયો હોત. પણ આપણે તેમાંથી માત્ર આટલો સાર જો જીવનમાં સુખી થવું

હોય તો નીચેના વાકયો યાદ રાખોઃ

સુખી બનવાનો સરળ ઉપાય મા બાપની આંતરડી ઠારજો,દુઃખી બનવાનો સરળ ઉપાય મા

બાપની આંતરડી બાળજો.

અનુક્રમણિકા

વાર્તાનઃ૬૨ સૂર્યોદય

ઉત્તમ પહાડો અને ઘેઘૂર વૃક્ષોના વન વીંધીને મલયાનિલનો પવન વહી આવતો હતો.

પાટલીપુત્ર શાંત નિદ્રામાં પોઢી ચૂકયું હતું. તે વેળાએ નગરશ્રેષ્ટી ધનાવહની પુત્રી રુક્ષમણિની

આંખોમાં અનિદ્રા અંજાઇ હતી. સંધ્યા ઢળતી હતી, ત્યારે જે સાંભળ્યું તેનાથી એ બેચેન બની

ગઇ હતી..મનોહર ઝરૂખામાં એ એકલી બેઠી હતી. આકાશમાં અજવાળું ઓછું થઇ રહ્યું હતું.

એ વખતે અનુપમા આવી. સાદા અને શુભ વસ્ત્રોમાં પણ એ અનુપમ લાગતી હતી.

રુક્ષ્મણિએ મનોમન પોતાની સાથે એની સરખામણી કરી મેઇઃ ના, મારા જેટલી સુંદર એ

નથી લાગતી! અનુપમાએ રુક્ષ્મણિનેે આવકારી ત્યારે અનુપમા ખરે જ ઉત્સાહમાં હતી. તેણે

કહ્યું આવતી કાલથી નગરમાં ઉત્સવ રહેશે. કેમ?મુનિ વજ્ર્રકુમાર પધારે છે! એ કોણ?

અનુપમા હસીઃ જેને સમગ્ર ભારતવર્ષ જાણે છે તેને જ તું નથી જાણતી ? એ મહાજ્ઞાની છે.

બાળપણે એણે દીક્ષા ગ્રહણ કરી અને જૈન મુની બન્યા. એમ કહે છે કે એ જન્મે બ્રાહ્મણ

હતા પણ માતાની કસોટીમાંથી પસાર થઇને એમણે બાળપણમાં સંસાર ત્યજી દીધો! હજી

યુવાનીની વસંત મહોરે તે પૂર્વ તેમણે અગાધ શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કર્યુ છે અને દેવોને

પોતાના તપોબળથી વશ કર્યા છે! ને પણ તું તો મને તેમની જીવનકથા કહેવા બેઠી!

રુક્ષ્મણિ છેડાઇ ગઇ.અનુપમાનો ભાવોઉલ્લાસ ન ઘટયો. તેણે કહ્યું : એમને મેં જોયાને

તેમના મુખકમળનું તેજ મેં જોયું, તે હજીય મારાથી વિસરાતું નથી! એમના દેહની ગરિમા .

આવું અદ્દભૂત પૌરુષ - લાવણ્ય મેં કયાંય જોયું નથી. અને આંખોમા રમતું વિમળ કૌતુક

..ઓહ! રુક્ષ્મણિ હવે એકતાર થઇ ગઇ : એ શબ્દો પુનઃ ઉચ્ચાર ને, અનુપમા! આંખોમાં

શુ? આંખો જોઇને મોહી જવાય તેવી નિર્મળ હસતી આંખો. રુક્ષ્મણિએ આ સાંભળતા આંખો

મીંચી દીધી : અનુપમા કયારે ચાલી ગઇ તે ખબર ન રહી. એ અતીતમાં સરકી ગઇ હતી.

વર્ષો પૂર્વે કોઇએ કહેલુ. જેની આંખોમાં નિર્મળતા રમવા નીકળી હોય તેઓ યુવાન કયાં મળે

છે? એ વખતે તો રુક્ષ્મણિના સમજણનો ઉષાઃકાળ હતો, છતાં મનોમન નિશ્ચય કરેલોઃ હુ

એવા જુવાનને પરણીશ, જેના નયનો મને જ નિહાળે! પણ વર્ષોના સમયગાળામાં એવો

યુવાન ન મળ્યો, જેની આંખોમાં કૌતુક હૌયઃજેની આંખોમાં આકર્ષણ હોયઃ જેની આંખોમાં

તેજ છલકતું હોય. પડખા ઘસતી રુક્ષ્મણિને જંપ નહોતોઃ શું મુનિ વજ્ર્રસ્વામી એવા જુવાન

હશે? એની આંખોમાં કોઇ અદ્દભૂતનુર હશે? જો એવું હશે તો .એ મખમલની પથારીમાં

બેઠી થઇ ગઇઃ તો તો એજ મારો સ્વામી હશે? રુક્ષ્મણિએ દઢ પ્રતિજ્ઞા લઇ લીધી. .

પરણીશ તો એને જ!દૂર કૂકડો બોલ્યો, સૂર્યોદય ને ઘડીભરની વાર હશે ને રુક્ષ્મણિ તૈયાર

થઇ ગઇ. એને વહેલી તૈયાર થઇને જોતા શ્રેષ્ટી ધનાવહ હસ્યા : બેટા, કેમ જલ્દી? પણ

રુક્ષ્મણિ દલિલ કર્યા વગર તેમને સમજાવીને ઉધાન તરફ ચાલી, જયાં મુનિ વજ્રસ્વામી આવી

રહ્યા હતા!થોડાક મુનિઓ સાથે શ્રી વજ્રસ્વામી આવ્યા. રુક્ષ્મણિ એમને અનિમેષ જોઇ

રહીઃવજ્રસ્વામીની દેહની આસપાસ જે તપનું, જ્ઞાનનું, સચ્ચાઇનું આભામંડળ રચાયું હતું,

તે અનન્ય હતું. ઉંચો અને પ્રભાવશાળી દેહ, ગૌર મુખ અને એમની આંખો! જે જોવા

વર્ષોથી પોતે ઝંખતી હતી તે આંખો!રુક્ષ્મણિ પાગલ થઇ ગઇ : સમગ્ર સંસારનું લાવણ્ય,તેજ

ત્યાં ઉભરાય છે તેવી આંખો! એ આજ છે જેને વર્ષોથી પોતે શોેધે છે! વજ્રસ્વામીની સાથે

આવેલ મુનિઓએ ગુરુવર માટે આસન બિછાવ્યું, ત્યાં વજ્રસ્વામી બિરાજયા. આશિષ આપતો

વરદ હસ્ત ઊંચો કર્યોઃ ધર્મલાભ!ઉપસ્થિત ધર્મીજનોને પ્રણામ કર્યાને વીખરાયા ત્યાં સુધી

પિતા ધનાવહ સાથે સ્થિર ઉભેલી રુક્ષ્મણિ આગળ આવીને ઝુકી પડી! મને સ્વીકારો, નાથ!

વજ્રસ્વામી સ્તબ્ધ થઇ ગયા. આવી અદભુત રુપવતી કન્યા વળી સંસ્કારી દેખાતી, ને શું બોલે

છે? ભદ્રે તેં શું કહ્યું? વજ્રસ્વામીએ પૂછયું ત્યારે નતમસ્તક રહેલી રુક્ષ્મણિ કહેતી હતી :મને

સ્વીકારો નાથ! જેને મેળવવા ઝંખતી હતી તે યુવાન તમે છો! મને સ્વીકારો! વજ્રસ્વામી હવે

વધુ સ્તબ્ધ હતા, શ્રેષ્ટી ધનાવહ પણ. એમને સમજાતું નહોતું કે આ શું બની રહ્યું છે?

વજ્રસ્વામી આ ચરણો પાસે ઢળેલી અને દેવી રુપ ધરાવતી કન્યાને નિહાળી રહ્યા. એની

વિનંતીમાં રહેલો ધ્વનિ એમણે ઓળખ્યો અને બીજી ક્ષણે મૃગજળ જેવી સંસારની માયા

એમને નાચતી દેખાઇ. સંસારની માયાએ કોને છોડયા છે? એમણે ધીમેથી કહ્યું : ભદ્રે તું

કોણ છો? નાથ! આ પળે હું માત્ર સમર્પિતા છું! મને સ્વીકારો! તું મને શા માટે સમર્પિત

હશે, ભંતે? રુક્ષ્મણિએ સહેજ ઊંચુ જોયું. એના રુપાળા મુખ પર આંસુ અને લજજા રમતાં

હતાં. સ્વામી! વર્ષોથી એવા યુવાનને શોધતી હતી, જેના નેત્રૌમાં સૌને આકર્ષતું બળ રમતું

હોય! તમને નિહાળ્યા અને તે શોધ પૂરી થઇ, નાથ તમારી આ આંખોથી મને આવરી લો,

સ્વામી.! ઓહ! વજ્રસ્વામી એ શબ્દો ઝડપી લીધાઃતને મારા નેત્રોમાં કાંઇક અનેરું લાગ્યું,

ખરું ? રુક્ષ્મણિએ હક્કાર ભણ્યો. એ કયાંથી આવ્યું જાણે છે? એણે મૌન પાળ્યું, એને

વજ્રસ્વામીના ઊંડાણમાંથી આવતા શબ્દો શાતા દેતા હતા. જીંદગીમા કશુંક અનોખું, અનુપમ

મેળવવું હોય તો તે માટે ત્યાગ કરવો પડે છે,તપ કરવુંપડે છે, સાધના કરવી પડે છે. ત્યાગ

પછી એ બધુ સાંપડે છે. વર્ષોથી સાધના પછી આવેલા એ તેજે તને આકર્ષી લાગે છે.... તને

માત્ર આ તેજ ગમે છે કે હું પણ? આપતો સર્વસ્વ છો, મારા નાથ!વજ્રસ્વામીએ હવે વાતનો

તાર સાંધ્યોઃ ભંતે! આ તેજ, આ મહાનતા એ તપથી મળી છે,જે તપ આના કરતાં

અનંતગણી વધુ તેજોભૂમિ સુધી લઇ જવા સમર્થ છે.તું જે ઝંખે છે તે સંશારની માયા છે. હું જે

ઝંખુ છું તે માયાથી પર અપૂર્વ સ્થિતિ છે તે માયા થી પર છે. ત્યાં પહોંચવા માટે દેહની

લાલસા ન ચાલેઃ દેહમુકત આત્મપ્રેમ પકડવો જોઇએ! ભદ્રે ત્યાં પહોંચવા માટે મથતો હું એક

યાત્રિક છું . તું મને એમા સહકાર ન કરે? રુક્ષ્મણિ સાંભળી રહી હતી ત્યારે એના હૃદયના

પડ ખૂલતાં જતાં હતાં. એને સમજાયું કે આ તો મુનિ છે -સ્ત્રી, ધન અને સંસારના સમસ્ત

ત્યાગી! આવા ત્યાગીનેપંથે ચાલવામાં જીવનમાં જે કસોટી છે, તેમાંથી પોતે પસાર થઇ

શકે? પોતે શુૃદ્વ નિક મૌહથી જ આ વાતો નહોતી કરી? જે તપ જ દ્વારા વજ્રસ્વામી મહાન

બન્યા તે પોતે પણ પામે તો ? એણે હસ્તદ્વયની માળા રચી : પ્રભુ તમારો જેપંથ તે મારોપંથ

હજો. મનેય આવું અપૂર્વ આત્મતેજ આપવા દિક્ષા આપો.વજ્રસ્વામીએ દીક્ષા આપી. રૂક્ષ્મણિ

સાધ્વી રૂક્ષ્મણિ બનીને ચાલ્યાં ત્યારે વજ્રસ્વામીેએ આકાશ ભણી જોયું. એમને આજનો

સૂર્યોદય અદભુત લાગ્યો : આજે આકાશ અને પૃથ્વી બંને સ્થળે સૂર્યોદય થયો હતો.

અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો,

જીવનના ઓ જયોતિર્ધર, નિશ દિન એને જલતો રાખો;

ઊંચે ઊંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો,

તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો.

દાદા તારી મુખ મુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો,

તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો,

ક્ષણભર આ સંસારની માયા તારી ભકિતમાં ભુલી ગયો,

તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો .

જો જાગત હૈ સો પાવત હૈ.

જો સોવત હૈ સો ખોવત હૈ.

ચલના જીવનકી કહાની

રુકના મૌત કી નિશાની.

સુખમાં સાંભરે સોની. દુઃખમાં સાંભરે રામ -

સુખ કે માથે શીલા પડો - હરી હૃદય સે જાય. બલિહારી ઉસ દુઃખકી પળ પળ હરી

સંભળાય.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

જ્ઞાનના આલોકને પોતાના સ્પર્શે યશોજજવલ બનાવી દે તેવા એ જ્ઞાની.પૃથ્વીને પગલે પગલે

તીર્થભૂમિ બનાવી દે તેવા એ સંતપુરુષ. આત્માને આકાશને છેડે ઊર્ધ્વભૂ સુધી ઉન્નત

બનાવવા સતત મથતા એ મહામુનિ.

અરુણોદય થવાની એકાદ ઘડી વેળા હશે ત્યારે વનને પાર કરી રહેલા એ મુનિના પ્રભાવશાળી

વ્યકિતત્વથી અંજાઇને કોઇ જિજ્ઞાસુએ પૂછયું,પૂજયવર! આપનું નામ કહેશો? સંતપુરુષે

તેની સામે જોયુંને ક્ષણ પછી કહ્યું લોકો મારા દેહને આનંદધન કહે છે!આપજ આનંદધનજી?

પૂછનારના ઉદગારમાં ભકિતનો વેગ ભળ્યો. પણ તે પહેલા તો આનંદધનજી દૂર નીકળીગયા

હતાઃ સંસારીના શબ્દોનું ઘેન ચઢે તો સંત વિકાસ ખોઇ બેસે!વનના માર્ગે ચાલી રહેલા

આનંદધનજીને સ્વાનુભવ સ્મૃતિએ ચઢયોઃ કેવા હતા એ દિવસો! બે મિત્રો, સુવર્ણસિદ્ધિ

મેળવવા ગામ,નગર, વનમાં ઘૂમે. વેલીના રસ કાઢે,તાંબુ તપાવે, મંત્રો ઉચ્ચારે, અગ્નિ

પ્રગટાવે. છેવટે મળે રાખ! સુવર્ણ ના નામથી એ બંને પાગલ થઇ ગયેલા. કયાં મળે? પણ એ

ન મળ્યું, ભટકીને થાકયા. અંતે બંને મિત્રોમાંથી એક સાધુ થઇ ગયો.ન જોઇએ આ બધું!

અહીં માગ્યા પેટભર ધાન નથી મળતા, તો સુવર્ણ કયાંથી મળે? માયા છોડીને એ દિક્ષિત થઇ

ગયા. વનમાં રહે, ઝાડ નીચે સૂએ. અલખની ગેબી વાણી જેવું કશુંક ગુંજયા કરે!

કાળ કાળનું કામ કરે. એકદાઆ મહાત્મા પાસે આવીને કોઇએ કૂંપી મૂકી. કાચની શીશીને

રસથી ભરેલી. આંગતુકને સંતે પૂછયુંઃ શું છે ભાઇ,આ? આંગતુકે કહ્યું,આપના મિત્રે મોકલી

છે. સંતને યાદન આવ્યુંઃ કોણે મોકલી છે?આપની સાથે વર્ષો પૂર્વે જે મિત્ર સુવર્ણસિદ્ધિની

પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરેલો તેણે તે પ્રાપ્ત કરી લીધી છેઃ પણ જેવી તેમને એ સિધ્ધિ મળી કે

તરત જ પોતાનો નિરાશ થઇને સાધુ થયેલો મિત્ર સાંભર્યો. હું એમનો અનુયાયી છું.

મુનિએ કુંપી ઊંચકી ને પલકવારમાં ભૂતકાળ યાદ કરી લીધોઃ માયાને એક વાર ત્યાગી, પછી

પુનઃ સંગ કેવો? એમણે તે ફેંકીઃ આંગતુક સ્તબ્ધ બની ગયોઃ અરે અરે .. એના

અવાજમાં ગભરાટ હતોઃ આ શું કરો છો? જેને મેળવવા .. હા મુનિએ વાકય

સાંધ્યુંઃ જેને મેળવવા લોકો ભટકે છે, તડપે છે,તેને હું ફેંકી દઉ છું! ભાઇ, જયાં સુધી હુંય

તદર્થે ભટકયો,ત્યાં સુધી કાંઇ જ ન મળ્યું.ને છોડીને ચાલી નીકળયો ત્યારથી આ દેહના અણૂ-

અણૂમાંથી સુુવર્ણ સર્જનારો રસ ઝરે છે. પણ એથી શું? એણે કોને સુખી કર્યા છે? સાચું અને

સ્થિર શાશ્વત સુખતો અંતરમાં વિલસે છે. હું એને પામવા તડપું છું. મને બાહરી સુખ પ્રત્યે

લેશ પણ આંકાક્ષા નથી .

આંગતુક મુનિ આનંદધનના તેજથી ઝળહળાં થતા મુખને નિહાળી રહ્યો. આનંદધનજીએ

શાશ્વત સુખની શોધ અખંડ ચાલુ જ રહી હતી. અત્યારે વનને પાર કરતાં કરતાં પણ એમને

સતત આ પૂર્વે એ સુખને પ્રાપ્ત કરી ચૂકેલા સિદ્ધોે સ્મરણે ચઢતા હતા. વનને પાર કરીને કોઇ

ગ્રામભૂમિ તરફ તેઓ વળ્યા. ગામના પાદરમાં ઢોલ-ત્રાંસા વાગતાં હતાં.લોકો પાગલ થઇને

નાચતા હતા. ાષ્ઠની ચિત્તા સળગતી હતી. અબીલ-ગુલાલ ઉડતો હતો.આકાશ ચિરાઇ જાય

એવા ભયજનક અવાજો થતા હતા.આનંદધને એ દિશા તરફ જોયું.ગામના પાદરમાં લોકો આ

શું કરતા હશે તેવો સવાલ થયો,પરંતુ તરત જ એમણે મન વાળીને પોતાના માર્ગે ચાલવા

માંડયું. થોડાક ડગલા હજી એમણે કાપ્યા હશે ત્યાં કાને મરણચીસ અથડાઇ. ચોંકીને ઉભા

રહી ગયાઃ લોકાનાં ટોળાને વીંધીને ચીસ આવતી હતી. આનંદધને અવાજ પારખવા કોશીશ

કરીઃ એ કોઇ સ્ત્રીનો હતો! એ ઝડપથી લોકોની વચમાં જઇને ઉભા રહ્યા, ત્યાંકારમું કારમું

દ્રશ્ય રચાયું હતુંઃ ચિત્તા પર એક યુવાન પુરુષના દેહને લઇને કોઇ યુવાન સ્ત્રી બેઠીહતી.લોકો

ભયંકર અવાજો કરતાં હતા, ચિત્તાને ઘેરી વળ્યા હતા. આનંદધનની પીડાઅસીમ બની ગઇ.

તેમણે કોઇને પૂછયુંઃ આ બધુ શું છે? પેલાએ ઉત્તર ન આપ્યો.આનંદઘનઅકળાતાઃઆ સ્ત્રીને

જીવતી કેમ જલાવો છો?કોઇએ ઉત્તર આપ્યો -એ તો સતી થાય છે! એટલે? આજે એનો

પતિ મરી ગયો. સ્ત્રી તેના વિના જીવી નહીં શકે.એ તેનીજ સાથે સતી થશેઃ આવતે ભવે ફરી

એને પામશે.ઓહ! એવું કયાંથી બની શકે? આનંદધન એ જીવંત મૃત્યુનું ભયંકર દ્રશ્ય ખમી

ન શકયા. અહીં કોઇને કશું કહેવાનો અર્થ નહોતો. એ પોતાના માર્ગે ચાલ્યા, પણ પીડાના

ઓથારને લઇને એમના ચિત્તતંત્રને શારડી ફરતી હોય એવી વેદના થતી હતી. આ શું

અજ્ઞાનતા છે? મોહ છે આ? શું પુનઃ એ જ પતિ મળે? આવી કાતિલ પીડામાં શું એ જ

સુખને પણ પુનઃ પુનઃ મેળવવાની ઝંખના અવશેષ રહેતી હશે? આ બધું એ સ્ત્રી ની

સ્વઇચ્છાથી થતું હશે?આ બધું શેમાંથી આવ્યું? આ સમગ્ર ઘટનાનું મૂળ શોધવા એ પ્રયતી

રહ્યા : લગ્નના સુખની ભાવનામાંથી? લગ્ન એવાં થવાં ઘટે જે કદી વિરહ ન આપે. જેનો

સંસંર્ગ કદી છૂટવાનો જ ન હોય તેવો સંબંધ રચાવો જોઇએ. એ લગ્ન દૈહિક નથી હોતાંઃ

આંતરિક હોય છે. હા, સંબંધ અને આંતરિક સંબંધ અને શાશ્વત આંતરિક સંબંધ નિર્માણ

થવો ઘટેઃ દેહનો નહીં, દેહની પેલે પારનો. આનંદઘનને એ ભીષણ વિચારસંક્રમણને અંતે

કંઇક હૃદયમાંથી ફૂટતું લાગ્યું. એ ઉભા રહ્યા , ને એક અમરગાથા અંતરમાંથી વહી આવીઃ

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે,ઔર ન ચાહું રે કંત;

રીઝયો સાહિબ સંગ ન પરિહરે,ભાંગે સાદિ અનંત. ઋષભ

પ્રીત સગાઇ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ ન કોય;

પ્રીત સગાઇ રે નિરુપાધિક કહી રે, સોપાધીક ધન ખોય. ઋષભ

કોઇ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંત ને ઘાય;

એ મળો નવિ કહિએેે સંંભવેરે, મેળો ઠામ ન ઠાય. ઋષભ.

ગ્રામભૂમિથી થોડે દૂર ઊભેલા યોગી અનંદધનના અંતરમાંથી સ્તવન, હિમાલયમાંથી વહી

આવેલી ગંગાની જેમ પ્રકટી આવ્યું : ભીતરમાંથી આવતી એ પ્રત્યેક પંકિત આનંદધનને પેલા

શાશ્વત સુખની નજીક લઇ જતી હતી!

પાંચમાં ધોરણમાં બાબો પાંચમી વાર નાપાસ થયો અને તમારો પિત્તો ફાટયો. નાલાયક!

સ્કૂલમાં તું ભણવા જાય છે કે હજામત કરવા? અને બાબાએ તમને ઠંડે કલેજે જવાબ આપી

દીધો,પપ્પા!હું ચોથા ધોરણમાંતો નથી આવી ગયોને? જવાબ આપો. જીવનમાં આજે જે

પણ ધર્મ છે એ આજનો જ છે કે વરસોનો છે? જો વરસોનો એ ધર્મ છે તો આટલાં વર્ષો

બાદ પણ એ ધર્મમાં આપણે વધારો નથી કરી શકયા એની આપણને વેદના છે કે પછી ય એ

ધર્મ આપણે ટકાવી શકયા છીએ એ બદલ આપણે સંતુષ્ટ જ છીએ? બાબાએ જો આગલા

ધોરણમાં જવું જ જોઇએ તો ધર્મમાં આપણે પણ આગળ વધવું જ જોઇએને?

હે ત્રણ ભુવનના નાથ! મારી કથની જઇ કોને કહું?

કાગળ લખ્યો પહોંચે નહીં ફરિયાદ જઇ કોને કરૂં?

તું મોક્ષની મોઝારમાં હું દુઃખભર્યા સંસારમાં

જરા સામું પણ જુઓ નહીં તો કયાં જઇ કોને કહું?

ઙડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર, દ્મડદ્રદ્યણ્ઠડ દ્દથ્ ઢદ્ધત્ર્ટ્ટત્ત્ણ્દ્દધ્ ણ્દ્મ દ્દઢડ દ્રડત્ત્દ્દ દ્વડ થ્ર્ટ્ટધ્ ડ્ડથ્દ્ર ત્ણ્દ્યણ્ત્ત્ડ્ઢ ણ્ત્ત્ દ્દઢણ્દ્મ થ્ર્ત્ટ્ટત્ત્ડદ્દ. જઢટ્ટદ્દ દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્ધદ્રદ્મડત્દ્યડદ્મ દ્વણ્ત્ત્ ઠ્ઠણ્ડ દ્વણ્દ્દઢ દ્ધદ્મ,દ્વઢટ્ટદ્દડદ્યડદ્ર દ્વડ ઠ્ઠથ્ ડ્ડથ્દ્ર થ્દ્દઢડદ્રદ્મ ટ્ટત્ત્ઠ્ઠ ડ્ડથ્દ્ર દ્દઢડ દ્વથ્દ્રત્ઠ્ઠ દ્વણ્ત્ત્ ટ્ઠડ ત્ડડ્ડદ્દ ટ્ઠડઢણ્ત્ત્ઠ્ઠ ટ્ટત્ત્ઠ્ઠ ણ્દ્દ દ્વણ્ત્ત્ દ્રડત્ર્ટ્ટણ્ત્ત્ ણ્ત્ર્ત્ર્થ્દ્રદ્દટ્ટત્. ઉત્ત્ ત્ર્દ્ધદ્મદ્દ દ્રડત્ર્ડત્ર્ટ્ઠડદ્ર ઠ્ઠડટ્ટદ્દઢ ઠ્ઠથ્ડદ્મ ઠથ્ત્ર્ડ ણ્ત્ત્ દ્દઢડ ડત્ત્ઠ્ઠ.

બોલ સકોતો મીઠા બોલો, કટુ બોલના મત શીખો,

બદલ સકોતો કુપથ બદલો, રાહ બદલના મત શીખો,

બતા સકોતો રાહ બતાઓ, પથ ભટકાના મત શીખો,

જલા સકોતો દીપ જલાઓ, દીલકો જલાના મત શીખો

બીછા સકોતો ફૂલ બીછાઓ, કાંટે બીછાના મત શીખો,

કમા સકોતો પુણ્ય કમાઓ, પાપ કમાના મત શીખો,

મીટા સકોતો વૈર મીટાઓ, પ્રેમ મીટાના મત શીખો,

લગા સકોતો બાગ લગાઓ,આગ લગાના મત શીખો.

આંતકવાદી જો આ સમજી જાયતો આતંક જ મટી જાય.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૪ તેલનો અઢોળ કટોરો

મંત્રીશ્વર અભય, મગધના મહામંત્રી, મુનીશ્વરાના પરમ અનુયાયી, સંસારમાં રહેવા છતાં

યે આત્માના ઊંચા સાધક. એમનો એક મિત્ર,ધર્મ સાધનાથી સંર્પૂણ વિમુખ.નામે અંબર.

અભયકુમાર સાધના કે જાગૃતિની વાતો કરે તો અંબર છળી ઉઠે. એ કહેઃ આ બધી નકામી

અને છેતરામણી વાતો છે. માનવી એ કક્ષાએ આત્મલીન બની શકતો નથી. જયાં સંસારનું

કોઇ નામ નથી,બાહ્ય વાસનાનું કોઇ નિશાન નથી . અને જો એમ બનતું નથી તો એવો

નિરર્થક પ્રલાપ કે પ્રચાર કર્યે સો લાભ? એ તારી જૂઠી દલીલો છે. મંત્રી કહેતા, માનવી

એવી પરમ કક્ષાનું ધ્યાન ધરી શકે છે અને ત્યારે તેને કોઇ સંસારી વાસનાનો સ્પર્શ સુધ્ધાં

થતો નથી! અને એવી કક્ષાનું ધર્મધ્યાન આવે તો જ જીવ મોક્ષ ભણી જાય છે, તો ય અંબર

માનવા તૈયાર નહોતો.એને આ બધું આકાશમાં કમળ ઊગવા જેવું ભારેખમલાગતું.મંત્રીશ્વર

અભય હેરાન થઇ જતા કે મારા સંગે રહેલા મિત્રનું જીવન શું સદાયે વાસનાગ્રસિત રહેશે?

અને જો એમ જ થશે તો એના ભયંકર પાપકર્મો તેને કઇ ગતિ સુધી દોરી જશે?મહામૂલો

મનખો અવતાર એળે જાશે. તેમણે નક્કી કર્યુ કે અંબર નું શુભ થાય તેવું કશુક કરવુંજ.

કેટલોક વખત વીત્યો. એક વેળા અંબર કંઇક ગુનામાં સપડાયો. અભયે આ તક ઝડપી લીધી.

અભયકુમારમાનતાહતા કેઆ દુનિયામાં હરકોઇને પોતાનો જીવ વહાલો છે, ઐનાથી અધીક

કશું જ નહીં!માનવી પોતાનો જીવ બચાવવા ગમે તે આપી દેતો હોય છે! અને, વિશેષતા તો

એ છે કે માનવીને હંમેશા સુખ જ પસંદ છે.એને દુઃખકે મૃત્યુની વાત માત્રથી પસીનો વળી

જતો હોય છે. અભય ને થયું કે જો તે મૃત્યુથી ડરે તો આ તક છે!અંબરને તેમણે કહ્યું, તને

સજા ભયંકર થશે. શી, મંત્રીશ્વર ? હું તમારો જીગરી મિત્ર છું તે ન ભૂલશો. ન્યાય

પાસે મિત્ર ને દુશમન બંને સમાન છે. તને આ જન્મ કેદ થી ઓછી સજા નહીં હોયઃ તો પણ

મહારાજ શ્રેણિકે તારી મુકિત અર્થે એક માર્ગ સૂચ્વયો છે. શું? અંબર થથરી ગયો.પોતાને

આજીવનકેદ? અભયકુમાર તેના મનનો ભાર પારખી ગયા. તે કહેઃ માર્ગતો છે,સજામાંથી

છૂટી શકાય તેમ છે, પણ મુશકેલ માર્ગ છે શું થશે? હું મુશકેલને સહેલ બનાવીશ. અંબરની

વેદના મોં પર વરતાતી હતી, રહી સહી મુકિતની બારી પણ કાંઇ નષ્ટ ન થઇ જાય!

અભયકુમારે કહ્યું કે તું નહીં કરી શકે છતાં પ્રયત્ન કર.એમા માત્ર જાગૃતિની - પૂર્ણ જાગૃતિની

જરૂર છે.તેમણે ભારપૂર્વક કહ્યું,અલબત્ત. તારામાં એ સામર્થ્ય તો છે જ.આ જન્મ કેદની સજા

અથવા ગમે તો બીજી આઃતારા હાથમાં તેલથી છલોછલ કટોરો દેવામાં આવશે.તારી સાથે

સૈનિકો પણ રહેશે, રાહમાં નૃત્યો યોજાશે.તારેતે કટોરો લઇને રાજગૃહીની કોટની રાંગે રાંગે

ફરવાનું.જો તેલના કટોરામાંથી એક બુંદ પણ ઢળે તો તો મને કહેતા વેદના થાય છેઃ એનો

અંજામ બૂરો આવશેત્યાં ને ત્યાં વધ! આ ભયાનક સજા છે. છે તૈયારી? હા! અંબર

તૈયાર થઇ ગયોઃ તેને કારાગર કરતાં આ વધુ પસંદ હતું ને પોતાના પર હતીઃ શ્રદ્વા તેલના

કટોરામાંથી એક બુંદ નહીંજ ઢોળાય! ધનપતિ અને સુખ ભરપૂર જીવન જીવવા ટેવાયેલો

અંબર કેદમાં રહે?અંબર હાથમાં કટોરો લઇને નીકળી પડયો.સાથે સૈનિકો ખુલ્લી તલવારે

ચાલતા હતાઃ જાણે જીવતું મોત સાથે ચાલતું હતું!

માર્ગમાં અદ્દભૂત નૃત્યો થતાં હતાં. સુમધુર સંગીત ગુંજતું હતું.રાજગૃહીના કાંગરે કાંગરે

આકર્ષક દ્રશ્યો રચાયાં હતાં. કિંતુ અંબરનું ધ્યાન એ કશામાં નહોતું. એ જાણતો હતો કે અહીં

એકપળ પણ બેકરાર રહ્યેતો જાન ખતમ! કટોરોમાં રહેલા બુંદ-બુંદમાં એનો જીવ પરોવાઇ

ગયો હતો! એ આવી પહોંચ્યો ત્યારે અભયે પૂછયુંઃ કેવો અનુભવ થયો અંબર!રાહમાં શું શું

જોયું? અંબર કાતિલ માનસિક પીડાના છૂટકારા પછીની સ્થિતિમાં હતોઃ નિહાળૂુંતો જાન

જાય! બહારની દુનિયા જ કોણે ઉંચી આંખે જોઇ છે? હાશ! માંડ બચ્યા!પણ તું તો કહેતો

હતો ને કે માનવી દુનિયાથી પર જાગૃતિપૂર્ણ એકાગ્રતા કેળવવા અસર્મથ છે, ને આજે..

અંબરના જવાબમાં અનુભવની સચ્ચાઇ આવીઃ મોત કોને ગમે? હવે લાગે છે કે દેહથી

મુકત એવું આત્મઘાત થઇ શકે. અભયના ચેહરા પર સ્મિત ઝળકતું હતુંઃતું હવે સાચું

સમજયો છે,અંબર! દરેક માનવી એવી પરમ જાગૃતિ અવશ્ય મેળવી શકે છે કે જેમાં કોઇ જ

વાસના,લોલુપતા.ઝંખના સ્પર્શતા નથી! તને કેદની સજા થઇ ને તું ભયાર્ત બની ગયો. પણ

પ્રિય! તું વાસનાઓની,કર્મોની કેદમાં અનંત સમયથી પ્રતિબંધિત છે. શું એની કોઇ ચિંતા

તને નથી થતી? મૃત્યુનો ડર તને લાગ્યો.પણ કર્મમુકત આત્મદશા ન પ્રકટે ત્યાં સુધી

જન્મમરણની વેદના અવિરામ રહેવાની જ. જો મૃત્યુથી ડરે છે તો મૃત્યુનું પણ મૃત્યુ થાય તેવી

સાધનામાં લાગી જવું જોઇએ! એવા મનુષ્યનું જીવન ખુદ આત્માને અંજલી બને. આપ

સાચું કહો છો પણ એનો ઉપાય?ભગવાન જિનેશ્વરના શરણે જવું તે. એના ચરણનું

શરણ ગ્રહે તેને ભવબંધનમાંથી મુકિત મળે. શું તને કોઇ એવી ભાવના થાય છે?

અભયકુમારને અંબરમાં કાંઇ પરિવર્તન દેખાયું. અંબરે થોડી ક્ષણો મૌનમાં ગાળી! મિત્ર!

તારા સંસર્ગે આજે મને મુકિતનો માર્ગ લાધ્યોઃ જાગૃતિનો મહિમા સમજાયો. તું જ મારો

સાચો મિત્ર, તારો અહેસાન માનું છું. હવે મને બાહ્ય ઝંખના નથી. મૃત્યુથી બચવા જે

ચીવટથી મેં તેલનો કટોરો અઢોળ રાખ્યો એના કરતાં અધિક ચીવટથી હું ભગવાન

મહાવીરનાં ચરણે જઇશઃ નિર્મળ ચારિત્ર્યની ઉત્કૃષ્ટ સાધનાથી આત્માને અજવાળીશ. દૂર-

સુંદર મેના એ જ પળે ગુંજી, પોપટે સૂર પૂર્યા, સાધનાના માર્ગે જઇ રહેલા અંબરને જોઇ

અભયકુમાર ને થયું, અંબર કરતાં પોતે નાનો છે! ચાલો આટલું કરીએ : દરેક વ્યકિતમાં

કોઇ ને કોઇ દોષ તો છે જ. આપણે એને માફ ન કરી શકીએ ? દરેક વ્યકિતમાં વિવિધતા -

વિચિત્રતા તો છે જ. આપણે એને શું નભાવી ન શકીએ? દરેક વ્યકિતમાં કોઇ ને કોઇ આદત

તો છે જ .આપણે એને પ્રેમથી સ્વીકારીન શકીએ? દરેક વ્યકિતના પોતાના સિદ્ધાંત -માન્યતા

હોવાનાજ આપણે એને હૃદયથી માન ન આપી શકીએ? દરેક વ્યકિતમાં કોમળ લાગણીનું

ઝરણુંતો વહે છે આપણે એની કદર ન કરી શકીએ? દરેક સાલ સંવત્સરી તો આવેજ આપણે

એને સાચી રીતે ઉજવી ન શકીએ? દરેક ને સાચા હૃદયથી ક્ષમાપના આપીએ અને બધા પાસે

પણ ક્ષમાપના માંગીએ. વેર થી વેર શમે નહીં જગમાં, જીવનમાં -પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.

હે પરમાત્મા, મને તમારી શાંતિનું વાહન બનાવ :

ક્ષ :ઃઃ ક્ષણીક છે જીવન કીંમતી છે હર પળ.

માઃઃઃઃઃ માફી માંગો અને માફી આપો.

પ :ઃઃઃઃ પરોપકાર કરો - પાપનો પશ્ચાતાપ કરો.

ના :ઃઃઃઃ નાનપ ન રાખો - મન મોટું રાખો.

ક્ષમા એ મોક્ષનો દરવાજો છે-તેેમાં પ્રવેશવા માટેનો મહામંત્ર મિચ્છામી દુક્કડમ

છે.આગમાં તો જે લાકડાં નાંખો તે જ બળે છે, પણ પશ્ચાતાપની આગમાં તો..ભવોભવના

પાપો બળી જાય છે. વંદન,ચંદન કરતા શીતળ છે. ચંદન કપાળને ઠંડુ કરશે,વંદન હૃદયને ઠંડુ

કરશે. પ્રભુ પિતા પણ આ રીતે પ્રસન્ન થાય છે. નમવું એટલે નમ્ર થવું. નમવું એટલે મય થવું.

સંસ્કાર હશે તેને નમસ્કાર ગમશે. નમ્રતા એ જ્ઞાનનો પ્રારંભ છે. ધર્મ માત્રનું મૂળ નમ્રતા

છે. ધર્મ પામવાનું પહેલું પગથીયું નમ્રતા છે. જે નમ્ર બની શકતો નથી,તે ધર્મને ઓળખી

શકતો નથી. ધર્મનું મૂળ નમ્રતા એટલે વંદના છે.

કલેશ થાય તેવું બોલવું નહીં

રોગ થાય તેવું ખાવું નહીં

પાપ થાય તેવું કમાવું નહીં

દેવું થાય તેવું ખર્ચવું નહીં.

મન બગડે તેવું વીચારવું નહીં

જીવન બગડે તેવું આચરવું નહીં .

સંસાર ઘસાય તેનું નામ ધર્મ

પૈસાની મૂર્ચ્છા ઘસાય તે દાન

વાસના મનથી ઘસાય તે શીલ

ખાવાપીવાની ઇચ્છા ઘસાય તે તપ અને

મનની પ્રવૃત્તિઓ ઘસાય તે ભાવ.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૫ જગડું તુ દાતાર, દૂજો થાવો નથી

આંખ માંડો ત્યાં અફાટ રણ સિવાય કંઇ દેખાતું નહોતું. ધરતી પર એકેય લીલું તરણું પણ

રહ્યું નહોતું. આકાશ અને ધરા - બંને સૂકાં સૂકાં હતાં. ધૂળની ડમરીઓ ઉડતી હતી. ઊંચી

હવેલીના ગવાક્ષમાં બેઠેલા જગડુના દૂર-દૂર નિહાળતાં આંખ અને અંતર બળતાં હતાં હવે

તો આંસુય ઊભરાતાં નથી!એને થતું હતુંઃ શું આ બળબળતો વલોપાત આંસુય બાળી

નાંખશે

ગવાક્ષમાં સુખાસન પર બેઠેલા જગડુશાને ચેન નથી. એના ગરવા મુખ પર સમસ્ત વેદના

જડાઇ ગઇ હતી. ભેંકાર દશ્ય સતત વલય રચતું હતું. ધરતી તપતિ હતી, એમા તિરાડો ઊઠી

હતી. આકાશ બેવફા થયું હતું. માનવ અને પ્રાણી - સૌ પાણી માટે વલવલતાં હતાં.

જગડુશાનાં હૃદયમાં વેદનાના શોર ઊઠતા હતાં. માનવી સ્વયં માનવતા વેંચવા બેસે તેવા

કરૂણ દિવસો આવ્યા હતા! એના કાનમાં પેલી સ્ત્રીનું કરુણ આક્રંદ અફળાતું હતું. એણે કહ્યું

હતું, શેઠ પાણી વિના તરફડીએ છીએ. હવે તો એક જ રસ્તો છે! શો? જગડુશાના મનમાં

આશા ઝબકી. આ મારો દીકરો છે ને ? પેલી સ્ત્રીએ હાથમાં કોમળ ફૂલ જેવો દીકરો, જે

સાક્ષાત દુકાળના દીદાર જેવો દેખાતો હતો, તેને બતાવીને કહ્યુંઃ શેઠ.આ દીકરાને મારી ને

તેનું લોહી પીવાનો રસ્તો બાકી છે! પાણી વિના કેમ ચાલે?હેં! એ સાંભળતા જગડુશાને,

પોતાને કોઇ ચીરી રહ્યું હોય તેવી વેદના થઇ હતી કેવો કરુણ કાળ! ને હજી તો, દુકાળ નું

પહેલું વર્ષ પુરું થયું છે. ન જાણે હજીય કેવા દિવસો આવશે!આ ગમગીન સમયના

આગમનની તો જગડુશાને પહેલેથી ખબર પડી ગઇ હતી. સંધ્યાની વેળા હતી, આકાશ

વાદળથી આચ્છાદિત હતું. વાદળ રચાતાં હતાં, વીખરાતાં હતાં, વરસતા નહોતાં. ધર્મી

જગડુશા કુદરતનો આ તાપ નિહાળતા ઉપાશ્રયમાં પહોંચ્યા. સૌનું નિરંતર કલ્યાણ ઇચ્છતા

ગુરુજનોની નિશ્રામાં ધર્મક્રિયા કરી. એ દિવસે પ્રતિક્રમણ કરતાં વિશેષ આહલાદ થયો. તેથી

વધુ સમય રોકાયા. એક ખૂણામાં બેઠા ને એકાગ્રચિત્તે પ્રભુસ્મરણ આદર્યું.મધરાત થવા

આવી. ત્યાં ગુરુજન ઊઠયા. ઉપાશ્રયમાં બેચેનીથી ઘૂમવા માંડયા. સાથે બેઠેલા શિષ્યે પૂછયુંઃ

ગુરુદેવ, તબિયતની કોઇ અવસ્થતા તો નથી ને? ઉત્તર ન મળ્યો. પુનઃ અનુત્તર પ્રશ્ન.

પુનઃ પ્રશ્ન . ગુરુદેવે કહ્યું,વત્સ! મનમાં જિરવાશે તારાથી? હવે શિષ્યે મૌન પાળ્યું. ગુરુજી

ગંભીર હતા. કંઇક ગંભીર વાત હતી. થોડીક ક્ષણો પછી ગુરુદેવ કહેતા હતા,એમના

ધ્વનિમાં મેઘનો લય અને વાદળનો વિષાદ હતોઃ બિહામણો કાળ આવે છે! ભેંકાર દિવસો

આવશે. પાણી પણ નહીં મળે, પશુઓ માટે લીલું ઘાસ નહીં મળે - બાળકો,સ્ત્રીઓ, વૃદ્વો ,

જુવાનો, પ્રાણીઓ- સૌ તરફડશે, કકળશે, વલવલશેઃ ઓહ! બિહામણો કાળ આવે

છે! અંધારિયા ખૂણામાં બેઠેલા જગડુશાના કાને આ શબ્દો અડકયા ને એ ગુરુદેવ પાસે

આવી ઉભા રહ્યા : ગુરુદેવ! ક્ષમા,મેં એ સાંભળ્યું છે. પુનઃ કહો પ્રભુ! શું થશે? ગુરુ

અને શિષ્ય જગડુશા ને નિહાળી રહ્યા . એમને કલ્પના નહોતી કે ઉપાશ્રયમાં કોઇક છે!

ગુરુદેવે કહ્યુંઃ તેં સાંભળ્યું, જગડુશા? જી!જગડુશાના અવાજમાં અપરાધભાવ હતો. ખોટું

થયું! ખોટું થયું!ગુરુદેવે કહ્યું, એમના કપોલ ઉપર પ્રસ્વેદબિંદુ ઝબકયુંઃ જાણે એ વિષાદનો

છાંટો હતો. ખોટું થયું જગડુશા! તેં કાળવાણી સાંભળી!

ના, ગુરુદેવ! જગડુશાએ સવિનય ગુરુદેવને રોકયા. સારું થયું છે, આ કાળવાણી હું

જીરવીશ, એ પળે શું કરવું તેની આજ્ઞા કરો.

ક્ષણનું મૌન. પછી ગુરુદેવે કહ્યુંઃ દુકાળ આવશે. ભયંકર દુકાળ. આચાર્ય ભદ્રબાહુસ્વામીના

સમયમાં આવ્યો હતો. તેવો બિહામણો, વિકરાળ. જગડુશા તારાથી થાયતો આજથી ઘાસ

સંઘરજે, અનાજ ભરજે, પાણી સાચવજે. સૌને કહેજે કે પાણી ઘી ની જેમ વાપરે!અને

ગુરુદેવ વહેલી સવારે વિહાર કરી ગયા.એ દિવસે જગડુશા ઘરે પહોંચ્યા ત્યારે એક ઓલિયા

ફકીર ગૃહઆંગણે ઊભા હતાં. વિષાદના વમળની વચ્ચે તેને આનંદ થયોઃ પ્રાતઃકાળે

ગુરુવરનાં દર્શન કરીને આવ્યો ને અહીં ફકીરના દર્શન થયા! સરસ થયું. ઓલિયાપીરને એ

ઝૂકયો ત્યારે ફકીરે કહ્યુંઃ આ ઘરના આંગણામાં પથ્થર રખડે છે તે શું છે?જગડુશા

ચમકયોઃ એ તો ખાલી પથ્થર છે!નહીં, એમા રત્નો છે! કહીને ફકીર અલોપ થઇ

ગયા! ખરેખર, એ પથ્થરમાંથીં રત્નો નીકળયાં. જગડુશાના આશ્ચર્યની અવધિ નહોતીઃ એણે

દેશભરમાંથી અનાજ ભર્યું, પાણીના કૂવા ગળાવ્યા. ને ગુરુવાણી સત્ય ઠરી.. દુકાળના પહેલા

વર્ષે એની વિકરાળતાનો પરિચય આપી દીધોઃ લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા. ધરતી જીવતી

ચિત્તા બની ગઇ. લોકો પાસે અનાજ ખૂટવા માંડયુ એટલે જગડુશાએ પોતાના ભંડારો ખુલ્લા

મૂકી દીધા. ભદ્રેશ્વરસહિ પાસે લોકોના પૂર આવતા રહ્યા ં. જગડુશા સૌને મળે.એમના

દુઃખમાં સહભાગી થાય, આશ્વાસન આપેઃવરસાદ આવવાનો જ છે, એનેે જ આપણા વિના

નહીં ગમે! હૃદયની સચ્ચાઇમાંથી આવતાં એ મીઠાં વેણ જનસમૂહને તૃપ્ત કરતાં.

બીજું વર્ષ ભયંકર વીત્યું. ત્રીજા વર્ષનો આષાઢ આવ્યો. વાદળ રચાયા. પણ વરસ્યા નહીં!

દુકાળના એ ત્રીજા વર્ષમાં જગડુશાએ સૌને સાચવી લેવા દ્રઢ સંકલ્પ કરીને બેઠા હતા.

માનવી અને પશુઓનો જીવ બચવો જોઇએ : ધનની કોઇ વિસાત નથી. દુકાળના એ કરાળ

કાળને નાથવા જગડુશાએ જીવનસર્વસ્વ અર્પી દીધું. જનસમૂહના પૂર ઊભરાતાં રહેતા હતાં.

જગડુશાના આવાસ પાસે ઠલવાતા રહેતાં. જગડુશા આંખના અમીથી અને અંતરના હેતથી

સહુને આવકારતા, ન કોઇ હિજરાતું, સહુનુ દુઃખ સહુમાં વહેંચાઇ જતું હતું. જગડુશા જાણે

એમા વધારે ભાગ પડાવતા હોય તેમ દિવસ-રાત એક કરતા.ત્રણ-ત્રણ વર્ષના ભયાનક

સમયકાળ પછી એક દિવસ આકાશ ઘેરાયું, વાદળ રચાયાં ને મેઘ મન મૂકીને વરસ્યો, ત્યારે

તેનું બુંદે બુંદ ગાતું હતુંઃ જગડુ, તુ દાતાર! દૂજો થાવો નથી!

જગડુશાના આવાસ પાસે ઊભેલા વિરાટ લોકસાગરે એ પંકિત ઊર્મિથી ગાઇ. જગડુશા લોક

હૈયે અમર બની ગયા છે. મહાન દાનેશ્વરી જગડુશાના મૃત્યુ સમયે સૌએ આંસુ પાડયાં, પણ

વૃક્ષ,ધરતી ને પવનઃ માનવી ને પ્રાણી : સૌને હૈયે તે અમર છે.

મૃત્યુ તો દેહના થાય છે, અમરપંથ છે આત્માનો. દાનધર્મનો આવો મહિમા સાંભળીને તમારા

જીવનમાં તમે રોજ નાનું મોટું કંઇ દાન આપવાનો નિર્ધાર કરજો! તમારું એકાંતે કલ્યાણ

થાશે. બીજા પણ દાનીઓની થોડી વાત યાદ આવે છે તે પણ જણાવવી જરૂરી છેઃકવિવર

માધની સ્થિતિ ખૂબ ખરાબ હતી. ઘરનું વાસણ વેેંચાઇ ગયું હતું. છાપરામાં ભારવટમાં

નાંખેલા એવા મોટા કાષ્ટ પણ વેચાઇ ગયા હતા. અન્ન-દાંતને વૈર પડયા હતા ત્યારે રાજા

ભોજને કાવ્ય સંભળાવીને દાન મેળવવાની આશા એ તેઓ રાજસભામાં ગયા હતા. રાજાએ

ખુશ થઇને લાખ સોનામહોર આપી હતી. જગતમાં દાનેશ્વરીની ખ્યાતિ પામેલા માધ

રાજસભામાં ગયા હતા રાજાએ ખુશ થઇને લાખ સોનામહોર આપી હતી. જગતમાં

દાનેશ્વરીની ખ્યાતિ પામેલા માધ રાજસભામાંથી બહાર નીકળયા ત્યાં તો યાચકોની લાઇનો

લાગી ગઇ હતી. હાથ લંબાવતા ગયા અને માધ ડોનેશન આપતા ગયા. નગરની બહાર

નીકળે ત્યાં તો લાખ સોનામહોરો પુરી થઇ ગઇ. ઘરે લઇ જવા કશું જ બચ્યું ન હતું. ગામની

બહાર જે ઝુંપડીમાં તેઓ ગરીબીના દિવસો વીતાવી રહ્યા ં હતા ત્યાં સુધી યાચકો પાછળ ને

પાછળ લાગ્યા રહ્યા . માધ પાસે હવે દાન દેવા માટે કશું જ બચ્યું ન હતું. તેઓ યાચકોને

તો ના ન પાડી શકયા. પોતાના પ્રાણને પ્રાર્થના કરતાં કહ્યું કે! હે પ્રાણ! યાચકોને તમે

કશું આપી શકતા નથીતો શરીરમાં રહીને શું કરશો? હે પ્રાણ! તમે ચાલી જાવ! આ પિંજર

ખાલી કરો! આટલા આટલા શબ્દો બોલતાં બોલતાં તો માધના શ્વાસ પુરા થઇ ગયા.

માધકવિના પ્રાણ પરલોકે ચાલ્યા ગયાં ઇતિહાસમાં આજ સુધી માધ સમાન કોઇ દાતો થયો

નથી અને થવાનો પણ નથી.

આત્માનો જીવનવિકાસ આમ દાનધર્મ દ્વારા થાય છે. દાનધર્મથી તત્કાળ પુણ્યનો બંધ થાય

છે. તે પુણ્ય થી આગળ વધવા માટે જરૂરી બધી સામગ્રીઓ અને સંજોગો આવી મળે છે.

જીવનની વિકાસયાત્રા નિરાધાબાધપણે આગળ વધતી જ રહે છે. દાન ધર્મ જીવનના

વિકાસનો મૂલાધાર છે, એટલે પદાર્થો પ્રત્યેના મમત્વભાવને ઓછો કરી ને જયાં પણ અવસર

મળે ત્યાં દાનધર્મનો લાભ લેતા રહેવું જોઇએ. દાન દેવાથી લેનારા જીવને તત્કાળ શાતા મળે

છે. ભોજન એ સર્વ જીવોની એકસરખી આવશ્યકતાવાળી ચીજ છે. વિશ્વનો કોઇ પણ જીવ

ભોજન વિના રહી શકતો નથી. ભોજન ન મળે ત્યાં સુધી જીવ વ્યાકુળ સ્થિતિમાં હોય છે.

ભોજન મળતાં જ જીવને તૃપ્તિ થાય છે, શાંતિ થાય છે. દુઃખી જીવને તત્કાળ સુખનો

અનુભવ કરાવનાર ભોજન છે, માટે સર્વ દાનોમાં અન્નદાન શ્રેષ્ટ કહેવાયું. કરવાનું કામ

કરજો! યજ્ઞકુંડના અગ્નિમાં ઘી હોમવાની બદલે જઠરના પ્રબળ અગ્નિમાં અન્નનો હોમ

કરવાનું ચૂકશો નહીં , એ સાચો યજ્ઞ થયો કહેવાશે.

સ્વર્ગીય દેવી શ્રીમતી તારાબેન કાંકરીયાએ પોતાના જીવનમાં આવા દીન-દુઃખીયાના દુઃખો

દૂર કરવાના ઘણા કાર્યો કર્યા હતા. છતાં કોઇને ખબર પડવા દેતા ન હતાં. કલકત્તાના રોડ

પર, ફૂટપાથો પર રઝળતા ભિખારીઓને પોતાની ગાડીમાં જાતે ઉંચકીને બેસાડતા,

લક્ષ્મીનારાયણ હોસ્પિટલમાં એડમીટ કરતા, ડોકટરોને કડક સૂચના આપતા. દિવસમાં બે

વાર તે ભિખારીની ખબર અંતર પૂછવા જતા, સાથે ફળ-નાસ્તો લઇ જતા . જરૂર હોય તેને

દવા પણ અપાવી દેતા. એમનો જીવ ખૂબ જ ઉદાર હતો. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની

ભકિત પણ તેઓ ખૂબ જ કરતા. જીવદયા, અનુકંપામાં પણ તેઓ છુટ્ટે હાથે દાન કરતાં હતા.

પ.પૂ.આ.શ્રી હેમરત્નસૂરીશ્વરજી મ.સા.ગુજરાતમાં વિ.સં. ૨૦૪૩-૪૪-૪૫ માં દુષ્કાળ ન

ઉત્તરે ત્યાં સુધી દૂધ ન વાપરવાની પ્રતિજ્ઞા કરી હતી. તારાબેનને ખબર પડી એટલે તેઓ

અમદાવાદ-નારણપૂરા વંદન કરવા આવ્યા. આચાર્ય ભગવંતને વિનંતી કરી કે તમો દૂધની

બાધા ખોલો! સાહેબે કહ્યું કે દૂધ આપનારા ઢોરો જયારે રોજ હજારોની સંખ્યામાં મરી રહ્યા

હોય ત્યારે આપણાથી દૂધ કેવી રીતે વાપરી શકાય? તારાબેને કહ્યું કે તમો જો દૂધની બાધા

ખુલ્લી કરો તો હું આજથી રોજ દોઢ લાખ રૂપિયા પશુઓ માટે વાપરીશ. જેટલો સમય

દુષ્કાળ ચાલશે તેટલો સમય ડોનેશન આપવાનું ચાલું રાખીશ, પણ આપ દૂધની બાધા ખુલ્લી

કરો! આવો આગ્રહ કરીને તેમણે બાધા ખોલાવી હતી અને રોજ દોઢ લાખ રૂપિયા પશુઓ

માટે આપવાના ચાલુ કર્યા હતા. જોગાનુજોગ જ તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદ પડયો અને

ગુજરાતમાંથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા.

એક શ્રાવકભાઇ બહુજ મુશકેલીમાં હતા. ઘણી મુંઝવણમાં હતા. રોજ ઉપાશ્રય જતા હતા.

પૂ. આચાર્યશ્રીને એમણે એક દિવસ ગભરાતાં ગભરાતાં વાત કરી કે સાહેબ માથે દેવાનો પાર

નથી. ઘરમાં ખાવા માટે ઘાન નથી, બજારમાં ધંધો નથી, ઉઘરાણી પાછી આવતી નથી . શું

કરું ? મને તો મરવાના વિચારો આવ્યા કરે છે. પૂજયશ્રીએ તેને કહ્યું કે, જયારે કપરા દિવસો

ચાલતા હોય ત્યારે દાન ધર્મ ઉદારતા પૂર્વક કરવો જોઇએ. પોતાની બધી ચિંતા છોડી દઇને

અબોલ-મૂંગા પશુ-પક્ષીની ચિંતા કર. જા! કાલથી એક મુઠ્ઠી જુવાર કબુતરોને નાંખજે! તારા

બધા પ્રોબ્લમ પતિ જશે. પેલા ભાઇએ જરા પણ ભૂલ્યા વિના આ દાનધર્મ પાળવાનું ચાલુ

કર્યું. પરિણામે જતે દિવસે બધી જ મુશકેલીઓ ટળી ગઇ. એ ભાઇ કરોડપતિ બન્યા, માત્ર

એક મુઠ્ઠી જુવારના પ્રભાવે. નાનકડો પણ આવો દાનધર્મ કયારેક બહુ મોટું રીઝલ્ટ દેખાડે છે,

માટે કયારેય દાનધર્મમાંથી પાછા પડવું નહીં. દાનધર્મનો આ મહિમા સાંભળીને તમારા

જીવનમાં તમે રોજ નાનું મોટું કંઇ દાન આપવાનો નિર્ધાર કરજો! તો એકાંતે કલ્યાણ થાશે.

દાન છાનું કરો છપાવીને નહીં.એક વાર એક ભિખારી ને બે રૂપીયા આપ્યાં. અને હું

આગળ નીકળી ગયો. કૂતહલવશ મેં પાછળ જોયું એ ભિખારી પાનવાળાની દુકાન પર ઉભો

રહીને જીભ પર માવાની પડીકી મૂકી રહ્યો હતો! મારા દાનના આપેલ રૂપીયાનો આવો

દુરુપયોગ? પળભર આ વિચારે મન ખિન્ન થઇ ગયું. જો આપણા આપેલા દાનનો આવો

જ દુરુપયોગ જ થતો હોય તો બહેતર છેે દાન આપવાનું બંધ જ કરી દેવું. પણ બીજી જ પળે

એક અલગ વિચારણાના સહારે મનને એ વિચારથી મુકત કરી દીધું મારા આપેલ દાનનો

દુૂરુપયોગ કરનારને દાન આપવાનું બંધ કરી દેવાનું જો હું વિચારું છું તો આવતી કાલે પ્રભુ

પણ એમ વિચારે કે મેં જયારે આ યુવકને આંખ,કાન, નાક,પગ,મન,સંપત્તિ વગેરે જે આપેલ

છે એનો એ જો દુુરુપયોગ જ કરી રહ્યો છે તો શા માટે આવતાં જન્મમાં એ બધું એને આપવું

જોઇએ? ટુંકમા દાન આપવાનું બંધ તો ન જ કરવું જોઇએ પરંતુ દાન વિવેકપૂર્વક કરવું

જોઇએ. દા.ત. તમારા દ્વારા અપાયેલ પૈસાથી ભિખારી બીડી- સિગરેટ જ પિતો હોય,

માવો જ ખાતો હોય કે જુગાર જ રમતો હોય તો તમે એને પૈેસા દેવાનું બંધ કરી - એને એ

બદલે કેળાં આપો, બિસ્કિટ આપો કે રોટલી વગેરે આપો. ટુંકમાં સત્કાર્ય સેવન બંધ કરવાની

કયારે ય ભૂલ ન કરવી . ભગવાન આ જ વાત કરે છે. તને દુઃખ છગનભાઇએ આપ્યું છે કે

મગનભાઇએ આપ્યું છે. તારું અપમાન ચિન્ટુએ કર્યુર્ છે કે નિકુંજે કર્યુ છે, તારી ઉઘરાણી

નરેશે દબાવી છે કે રમેશે દબાવી છે. તને ગાળ નાથાલાલે કે પેથાલાલે આપી છે, તારા

પોતાના કોક જન્મના પ્રમાદ સેવનના ફળ સ્વરૂપે બંધાયેલ અશુભ કર્મો સિવાય એમા અન્ય

કોઇ જવાબદાર નથી. તને જેઓ ગુનેગાર કે જવાબદાર લાગે છે એ બધાય માત્ર નિમિત્ત જ

છે.ભગવાન શ્રી મહાવીરના કાનમાં ઠોકાયેલા ખીલાના પ્રસંગમાં આપણે જો પ્રભુએ ૧૭ માં

ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડયું એ કૃત્યને જ જવાબદાર ઠેરવીએ છીએ તો પછી

આપણાં વર્તમાન દુઃખમાં ભૂતકાળના કોક ભવના પ્રમાદને-કર્મોને જવાબદાર માનવા જ

પડશે.

દાનેશ્વરી કર્ણ પાસે અચાનક એક યાચક આવી ચડયો. એ વખતે કર્ણના હાથમાં એક સુવર્ણ

પાત્ર હતું. કર્ણેે સુવર્ણપાત્ર દાનમાં આપી દેવા યાચકના હાથમાં મૂકવાનો જેવો પ્રયાસ

કર્યો,યાચકે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.પણ કેમ? સુુવર્ણપાત્ર તમારા ડાબાહાથમાં

છે અને ડાબા હાથે અપાતા દાનને સ્વીકારવામાં અપશુકન થાય છે. તમે સુવર્ણપાત્ર જમણા

હાથમાં લઇને મને આપો તો એ હું સ્વીકારું. ભૂદેવ! તમારી વાતતો સાચી છે પણ એક વાત

તમને કરું? નથી તો મને મારા આયુષ્ય પર ભરોસો કે નથી તો મને મારા મન પર ભરોસો.

ડાબા હાથમાં રહેલ સુવર્ણપાત્ર જમણાહાથમાં લેવા જતાં વચ્ચે જ મારું ય આયુષ્ય પુરું થઇ

જાય એ ય શકયતા છે તો વચ્ચે મારું મન બદલાઇ જાય એ ય શકયતા છે.માટે ભૂદેવ! મારું

ડાબા હાથનું દાન પણ તમે સ્વીકારી જ લો.

શાલીભદ્રે પોતાના પૂર્વભવમાં ભરવાડના ભવમાં જે દાન કર્યુ હતું, તે ખૂબ સાંકડા સંજોગમાં

કયુર્ં હતુ. કોકના ઘરે રંધાતી ખીર જોઇને ઘરે જઇને ખીર ખાવાની જીદ કરી હતી. માતાએ

આસપાસમાંથી માંગી માંગીને દૂધ, સાકર, ચોખા ભેગા કરીને ખીર બનાવી હતી. ભૂખ

કકડીને લાગી હતી. ખીર ખાવાની ઉતાવળ હતી. જીંદગીમાં પ્રથમ જ વાર ખીર મળી રહી

હતી. આ ખીર દાનમાં આપી દેવાય તો જીંદગીમાં ફરી ખીર ખાવા મળવાની ન હતી. જે

ચીજ રડીને મેળવી હતી . માતાએ દ્રવ્યો ઉઘરાવીને બનાવી હતી.. આવા સંજોગોમાં આ ખીર

શાલિભદ્રના જીવે માસક્ષમણના તપસ્વી મુનીરાજને વહોરાવી દીધી. પૂરેપૂરી ખીર આપી

દીધી. ઉદારતા સાથે. તમારામાં શકિત હોય, સમજણ હોય તો પહેલું કામ ભૂખ્યાનો

જઠરાગ્નિ શાંત કરવાનું કરજો! પુણ્ય કરવાની તક મળે તો ચૂકશો નહીં.

ધર્મ વગરના માનવીને સુખ મળે કે દુઃખ; બંને દુર્ગતિમાં લઇ જાય. સુખ મળે તો રાગ કરીને

કર્મ બાંધે અને દુઃખ મળે તો દ્વેષ કરીને પાપ કરે . બેય રીતે મરે..જયારે ધર્માત્મા સુખમાં

વિરકિત અને દુઃખમાં સમાધિ રાખીને સદગતીમાં જાય. રસ્તામાં ખાડા ટેકરા વગેરાતો

રહેવાના જ. સુખી માણસો સારી શોકએબસોર્બરવાળી ગાડી વસાવી તેમાં બેસીને નીકળે

છે, જેથી કોઇ ચિંતા જ નહીં. ધર્મ એ સારી ગાડી જેવો છે. હૃદયમાં ગોઠવી દો તો સંસારના

ચડાવ-ઉતાર બધું જ આવે પણ તમે મસ્તીમાં જ રહી શકશો. ક્રિયા એ ધર્મને પેદા કરવાનું

માધ્યમ છે. કોડીયું,તેલ ને વાટ એ જયોતને પ્રગટાવવાનું સાધન છે. માત્ર ક્રિયા કરનારો વર્ગ,

જે ભાવ પેદા કરવાનો પ્રયત્ન નથી કરતો તે કોડીયું, તેલ ને વાટ ને જ ભેગી કરે છે. એકલી

ભાવની વાત કરે છે તે બધાં કોડિયું,તેલ ને વાટ વિના જ જયોતને પ્રાપ્ત કરવાનું કહે છે. તે

પણ વ્યર્થ છે. બંને જોઇએ. જે ક્રિયા દ્વારા ધર્મ પેદા થાય તેને ધર્મક્રિયા કહેવાય.

દુનીયામાં બે પ્રકારના માણસોછે. કેટલાક જયાં જાય ત્યાં આનંદ ફેલાવે છે. કેટલાક જયાંથી

જાય ત્યાં આનંદ ફેલાવે છે. આપણો નંબર શેમાં છે.? તમારા નાના અવગુણોને મોટા માની

તજો. ઇંદ્રિયો ઉપર જય કરે છે તે મોટા મહારાજા. અહિંસા અમૃત છે. અપરિગ્રહ અમીરી છે.

કુદરત કર્મની સજા ધીરે ધીરે કરે છે. અલ્પભાષી સર્વોતમ મનુષ્ય છે. અણબોલાવ્યો બોલે તે

તણખલાની તોલે. તૃષ્ણા એ વધતો જતો રાક્ષસ છે. દાનએ લક્ષ્મીની પરમ શોભા છે.

કુમાર્ગની ગીની કરતાં સુમાર્ગની પાઇ વધે. નિંદા છાનું અને ધીમુ ઝેર છે. જેની પાસે દીલ

ની કોમળતા છે - સામાના કુટુંબને સમજવાની આગવી સમ્યગદ્રષ્ટિ-કર્મોના વિષમ વિપાકોની

સમજ છે. અંતકરણમાં પરોપકારનો રસ છે એ આત્માની મનોવૃતી સંપૂર્ણપણે બદલાઇ જાય

છે. બીજા પર આવી પડેલા દુઃખને મારું ચાલેતો દૂૂર કરી ને જ રહું અને મારી પાસે રહેલ

સુખને વધુ થી વધુ વ્યકિતઓ સુધી વહેંચતો રહું આવી મનોવૃતી એ આત્માની બની જાય છે.

કોઇ પણ દુઃખ આવે છે તે પીડા માટે નહીંં પણ આપણને ઘડવા માટે આવે છે. નિકાચિત

કર્મ ઉદયમાં આવવાથી દુઃખ આવે છે. નીતિ શાસ્ત્ર લખે છે કે મજેથી જીવવું હોયતો તમારા

પોતાનાં ઘરમાંય મહેમાનની જેમ રહો -પણ કરૂણતા એ સર્જાઇ છે કે આજનો માણસ

મહેમાનના ઘરમાંય માલિકની જેમ રહેવા માંડયો છે.

સંત તુકારામ રસ્તે જતા હતા ને ચણતાં કબુતરો ઊડી ગયા. તેમનાં હૃદયમાં ઘા પડયો. મારા

દ્ધારા કેટલું દુઃખ થયું? કેટલો અંતરાય થયો? કોઇની ભૂખ તો કદાચ હું ન ભાંગી શકુ પણ

કોઇને સુખે ખાવાય ન દઉં? આવું મારુ જીવન? તેઓ ત્યાં જ બેસી ગયા-નક્કી કર્યુ જયાં સુધી

કબુતર પાછા ન આવે ત્યાં સુધી અન્ન–જળનો ત્યાગ. સંત તુકારામની સંકલ્પ શકિતથી

કબુતરો પાછા આવી ને પ્રેમથી તેમના ખભા ઉપર બેઠા.

આપણે પ્રથમ અહંકાર ને ઓગાળી નાંખવો પડે. અભિમાન અને અહંકાર હોય ત્યાં સુધી

સાચી વાત સમજાય નહીં. સત્યને બીજે કાંઇ શોધવાની જરૂર નથી-તે આપણી અંદર જ છે.

જયાં સુધી માણસ જાગૃત ન બને ત્યાં સુધી આત્મદર્શન દુર્લભ છે. સ્વયં ને અને સત્યને જાણ્યા

વગર આત્માને ઓળખી શકાય નહીં.

ગમે તેટલું મળે પણ મનનો સ્વભાવ જ એવો છે એને એ ઓછું લાગે. મહિને ૧ લાખનો નફો

થાય પણ એનેે ખબર પડે કે મારો હરીફ મહીનાના ૨ લાખ કમાય છે તો મન દુઃખી થાય છે.

લાખ રૂપીયા કમાવા છતાં આનંદ મળતો નથી. મનના લોભને કદી સંતોષ નથી. માણસ જ

એક એવો ગધેડો છે કે જે એક ના એક ખાડામાં વારંવાર પડયા પછી ય એમાથી કોઇ

બોધપાઠ લેવા તૈયાર થતો નથી. આપણે આવું બનવું છે?માણસને એક દિવસતો બધું

છોડીને એકલા જ મૃત્યુ પામવાનું છે -પણ એક માત્ર પ્રભુ એવો છે જે મને મોતના સમયે

પણ વિજેતા બનાવી શકે છે. કારણ કે પ્રભુ પોતે મોત નું મોત કરી ચુકયા છે . તે અજર-

અમર-અવિનાશી બની ચૂકયા છે અને શાશ્વતસુખના સ્વામી બન્યા છે. જિંદગીનો બધો જ

સમય તમે જેને આપી રહ્યા છો એમાની એક પણ ચીજ આંખ બંધ થયા પછી સાથે આવવાની

નથી અને જે ચીજ સાથે આવવા તૈયાર છે એને માટે તમારી પાસે સમય જ નથી. આને

કરુણતા કહેવી કે મૂર્ખાઇ?વાસના એક જ વાત કરે છે, બને એટલો સહુનો ઉપયોગ કરી લો.

પ્રેમ એક જ વાત કરે છે, બને તેટલા સહુને ઉપયોગી બની જાઓ. પ્રેમમાં ભૂલ કરવાની

નબળાઇ છે એ વાત મંજૂર છે પણ સામાની સંખ્યાબંધ ભૂલોને ભૂલી જવાની ઉદારતા પણ

પ્રેમમાં છે એ વાત સતત આંખ સામે રાખજો.સંપત્તિ કદાચ આ ભવને સદ્ધર બનાવે છે,

સત્કાર્યો કદાચ પરભવને સદ્ધર બનાવે છે, પણ સદબુદ્ધિતો ભવોભવને સદ્ધર બનાવી દે છે.

આ વાસ્તવિકતા એક પળ માટે ય વિસરશો નહીં..ક્ષમા એ મોક્ષનો દરવાજો છે.

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૬ હસતો ગઢ ગિરનાર

ગરવો ગઢ ગિરનનાર શોભે છે. દૂર દૂર થી યાત્રિકો દર્શનાર્થે આવે છે. આજે કેટલાક

મુનિઓ આ તીર્થ માટે પાવન થવા પધાર્યા છે. પ્રભુનું દર્શન,જીવનનો કેટલો મોટો લહાવો!

વિહારનો શ્રમ દેહને પીડે છે પણ મન આનંદથી ઓળઘોળ છે. વાહ,મનમાન્યું તીર્થર્ મળ્યુ!

જાણે પતિતપાવનની ગંગા મળી! શિખરે પહોંચવા પેલા મુનિવરોએ જયાં પહેલા સોપાને

પગ માંડયો, કે એક અવાજ આવ્યોઃ ઊભા રહો! કેમ? અજાણ્યા ન થાવ. દામ વગર

જગતમાં કામ થતું નથી. શેના દામ? દર્શનના દામ! મુનિઓમાં રહેલા મોટા વિસ્મયથી

બોલ્યા, ભાઇ! દર્શનનાં તે વળી દામ હોતા હશે? ને અમે તો મુનિ. માયાના ત્યાગી. અમારી

પાસે એ કયાંથી હોય?એ અમે ન જાણીએ. અમારે તો દામનું કામ. આ ભૂમિના અમે

માલિક. અમારા જીવનનો આ જ આધાર છે. અહીં આવે તે પાંચ દ્વમ્મ આપીને જાય, ન

અપેતો પાછા જાયમુનિના ગરવા મુખ પર વેદના તરી આવી. જે તીર્થ ઘાટે છોડવાનું

ત્યાગવાનું છે, ત્યાં જ ધનની વાત?! તો શું અમારે દર્શન કર્યા વિના જ પાછા ફરવું પડશે?

હા. મુનિઓ પાછા વળ્યા. દર્શનનો ઉમંગ નિરાશામાં પરિણમ્યો. એ પાછા વળ્યા, પણ એ

મુનિત્રિપુટી ચિત્તે હેરાન પરેશાન થઇ ગઇ. પ્રભુદર્શનાથે ખેડેલો આ વિરાટ વિહાર નિષ્ફળ

જશે કે શું? ત્યાગની ધરતી પર આ શું ? ભકિતશીલ મુનિઓઅ દ્રઢ પ્રતિજ્ઞા કરીઃ પ્રભુના

દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળ નો ત્યાગ..! આખોય દિવસ માંડ વિત્યો. અંતરમાં

અંજપો ઉભરાતો હતો, ને એ અંજપામાં ત્રણ ત્રણ દિવસ વિત્યા. મુનિઓ દર્શન માટે

પ્રતિદિન તીર્થ ભણી ડગ માંડતા રહ્યા , પણ પેલા લોકો માન્યા નહીં. મુનિઓ દર્શન માટે

મક્કમ હતા. પેલા દામ માટે.ઐવામાં પવનની નાજુક સવારી પર સંગીતની સુમધુર સૂરાવલિ

વહેતી આવતી મુનિઓએ અનુભવી. આ શેનો અવાજ છે?અવાજ નજીકને નજીક

આવતો હતો. મુનિઓને થયું કે આ તો કોઇ પુણ્યશાળી પ્રભુને ભેંટવા વાજતેગાજતે

આવતા દીસે છે! મુનિઓ નજીક સર્યા. મંત્રીશ્વર વસ્તુપાલ તેમના સંઘ સાથે તીર્થભણી

આગળ આવતા હતા. તેમણે મુનિજનોને નિહાળ્યા, પૂછયું ધન્ય બન્યા પ્રભુ, તમારા

દર્શનથી. કાંઇ સેવા?સેવા? મુનિના નેત્ર ચમકયા. ત્રણ ત્રણ દિવસથી પ્રભુનો વિરહ

અમને વિહવળ બનાવે છે. મંત્રીશ્વર!વસ્તુપાળે વિનયથી કહ્યુંઃ ગુરુદેવ સંઘ સાથે

ભગવાનને ભેંટવા પધારો.મુનિએ આકાશભણી મીટ માંડી. ઊંચેરા ગઢ ગિરનાર પરથી

ભગવાન નેમનાથ તેમને નિમંત્રતા હતા. એમની આર્ષદૃષ્ટિએ ભવિષ્ય ભાળ્યુંઃ અમે તો સંઘ

સાથે જઇશું. કિંતુ પછી પધારનારા મુનિવરોનું કોણ? દર્શનના દામ એ કયાંથી લાવશે?

મંત્રીશ્વરને મુનિશ્વરે ટપાર્યાઃ વસ્તુપાળ! આજનું કાજતો સરી જશે, કાલનું શું?મંત્રી

સમજી ગયા. મુનિની વાણીમા વહેતી વેદના એમણે પારખી. નમ્રતાપૂર્વક એમણે પૂછયુંઃ

ગુરુજી, આનો ઉપાય શો?ઉપાય હું બતાવું. વેરો બંધ થાય તેવું કંઇક કરો. વેરાના

બદલામાં એ લોકો જે ઇચ્છે તે આપી સંકટ સદાયને માટે દૂૂર કરો. ધર્મને માર્ગે આવો

અંતરાય કોઇને નડવો ન જોઇએ. વસ્તુપાળના ગળે મુનિની વાત ઉતરી. સિપાઇઓને

મોકલી એમણે વેરો ઉઘાવનારાઓને બોલાવ્યા ને પૂછયુંઃ ભાઇઓ! આ વેરો લેવાનું તમે

બંધ ન કરો?તો પછી અમારું પોષણ શી રીતે થાય?એની વ્યવસ્થા થઇ રહેશે. કહો

વેરો બંધ કરવાના બદલામાં તમો શું ઇચ્છો છો? આપ અમારી ઇચ્છા પૂરી કરશો,

મંત્રીશ્વર? જરૂર મંત્રીશ્વરે ખાત્રી આપી. તો બાજુનું કુહાડી ગામ અમોને સોંપી દો એટલે

આ ગિરનાર પરનો બધો હક્ક અમે આપને આપી દઇશું. મંત્રીશ્વર વસ્તુપાલના મોંમાંથી

શબ્દો બહાર આવ્યાઃ‘ આજથી એ કુહાડી ગામ તમારું; બસ‘! વેરો બંધ થયો. યાત્રા સુલભ

થઇ. મુનિ અને મંત્રીએ આ ધર્મકાર્યથી સંતુષ્ટ થઇને ગિરનાર સામે જોયું ગરવો ગિરનાર

હસતો હતો. જાણે એમને નિમંત્રણ આપતો ના હોય!

નિર્લેપ રહેતાં આવડે તો ન થાય

દુઃખી કે દર્દી કે કોઇ, ભૂલેલા માર્ગ વાળાને ,

વિસામો આપવા ઘરની, ઉઘાડી રાખજો બારી,

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,

તમારા કર્ણનેત્રોની, ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોમાં, છૂટા જંજીરથી થાવા,

જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

ગુણની ઉપર ગુણ કરે એ તો વહેવારાં વટ,

અવગુણ ઉપર ગુણ ખરી ખાત્રિયાં વટ

એકના બદલામાં એક એનું નામ વ્યવહાર,

શૂન્યના બદલામાં એક એનું નામ ઉપકાર..

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૭ સજ્જનનું વર્તન

આજ સવારની જ વાત. રાજસભા ભરાઇ હતી. મહારાજા સભાજનો પાસે નગરકથા

સાંભળતા હતા. મહારાણી જયાદેવી સોનાના પડદાની પછીતે બિરાજતાં હતાં. દીપકોના

ઝળહળાટમાં સમગ્ર રાજસભા પ્રકાશથી ઊભરાતી હતી. ઇંન્ૃદ્વની નગરી જેવી ચંપાપુરીનું

ઐશ્વર્ય અત્યારે રાજસભામાં ઠલવાતું હતું. પ્રસન્ન વાતાવરણ હતું.

એવામાં, અજાણ્યો કોઇ માનવી આવી ચઢયો. મુંઝાયેલો લાગતો હતો એ. કિંતુ એના વર્તન

પરથી એ સંસ્કારી જણાતો હતો. એની અકળામણ નિહાળીને મહારાજા વાસુપૂજયે તેને પાસે

બોલાવ્યો ને સ્નેહપૂર્વક પૂછયુંઃ કોઇ ચિંતામા છે, ભાઇ? એ આંગતુક માનવીનાં નેત્રોમાં

આંસુ છલકાયાં : રાજન, જીવનમાં દુઃખ કદી કોઇને ન આવશો .

મહારાજા હસ્યા, ભાઇ, એ આપણા હાથ ની કયાં વાત છે ? કર્યા કર્મ કોને છોડે છે?

કિંતુ રાજન! મારા દુઃખને કોઇ અવધિ નથી. એવું તે શું છે! કરુણ કથા છે,દેવ! મારા

પિતા આ જ નગરના વસનારા,અતીવ સંપત્તિવત. એમની હૂંડી તો વનમાં વૃક્ષ પણ સ્વીકારે,

તેવા નીતિવંત. એમનો હું એક જ પુત્ર.

કિંતુ ભાગ્યની કથા નિરાળી હોય છેઃ એમની પાસે અપાર સંપત્તિ હતી, મને મળી, પણ

મારા કિસ્મતનું પાત્ર ફૂટેલું તે કંઇ ન બચ્યું. માત્ર રહેવા માટેનો એક વિશાળ મહાલય

બચ્યો. તે પણ ખટપટ કરીને મારા મુનીમે પડાવી લીધો!

હા મને યાદ આવે છે! મહારાજા વચમાં બોલ્યા : પછી તમે અહીં આવેલા અને રાજની

વગથી એ મહાલય તમને પાછો અપાવેલો. ખરું?

ભલું યાદ રાખ્યું, પ્રભુ! આંગતુકે હાથ જોડયા ને પોતાની કર્મકથા આગળ વધારીઃ

રાજન! એ મહાલય મળ્યા પછી તેમાં રહેવા જવાનું નક્કી કર્યું. સાત માળનો મહેલ.

ગગનચુંબી મહાલય. અમે ત્યાં એક સપ્તાહથી આવી ગયા છીએ. પણ કુટુંબના એક પણ

સભ્યે જંપીને નિદ્વા લીધી નથી. રાત પડે છે અને મહાલયમાં અજાણ્યા રુદનના સ્વર ઊઠે છે!

ભેંકાર પડઘા પડે છે! બિહામણા દશ્યો રચાય છે! સતત અવાજ આવ્યા કરે છે! પડું?

પડું?

આ શું છે તે સમજાતું નથી ને અનિદ્વામાં દિવસ-રાત વિતાવીએ છીએ. રાજન, આપે

મહાલય તો પાછો અપાવ્યો પણ હવે નિરાંતે તેમાં શ્વાસ લઇ શકીયે તેવી કૃપા કરો.

મહારાજા વાસુપૂજય વિચારમાં પડી ગયા. આંગતુકની આંખોમાં દરિયો ઉભરાયોઃ શું ખુદ

મહારાજા આનો રસ્તો નહીં કાઢી આપે?

સ્વામી, અવિનય ક્ષમા કરો, પણ હું કંઇક કહું? સોનાના પડદા પાછળથી રૂપાની ઘંટડી

જેવો અવાજ આવ્યો. એ સ્વર મહારાણી જયાદેવીનો હતો. મહારાજાએ મૃદુ સ્વરે કહ્યું કહો

મહારાણી!

સ્વામી, આંગતુકને કહો એ નિચિંત રહે. આજે એ મહેલમાં હું રહીશ ને આવતી કાલથી એ

સુખની નિદ્વા પામશે. મને આજ્ઞા આપો, સ્વામી!

મહારાજા સ્તબ્ધ થઇ ગયાઃ આપ જશો? સ્વયં? મહારાણી, દેહની સ્થિતિ તો વિચારોઃ કશુંક

અવનવું થાયતો? મહારાજાનાં ચક્ષુ સમક્ષ પડદા પાછળ બિરાજમાન સતી શિરોમણિ

જયાદેવી તરી રહ્યા -એ ગર્ભવતી હતાં. જોશીઓએ આગાહી કરેલી : ગર્ભનો જીવ પુણ્યવંતો

છે. એ ચૌદ સ્વપ્નથી સૂચિત છે માટે. પૂર્વસૂરિઓએ કહ્યું છે તેમ, એ જીવ જન્મ પામીને

જૈનધર્મમાં બારમાં તીર્થંકર ભગવાન વાસુપૂજય પણ થાય! મહારાજા વિહવળ બની ગયાઃ

સ્વયં મહારાણી શા માટે જાય?

કિંતુ મહારાણી મક્કમ રહ્યા : સ્વામી મને આજ્ઞા આપો. ગર્ભસ્થ જીવની ચિંતા ન કરવી કલ્પેઃ

એનાં પુણ્યપ્રતાપ રૂડાં છે! આપણને કયાં અનુભવ નથી?

મહારાજા એ વાતે સંમત હતાઃ જયારથી એ બાળકનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારથી સર્વ

પ્રકારે નિત્ય વૃધ્ધિ છે! એમણે સંમતિ આપી. .

સંધ્યા આથમી ત્યારે મહારાણી તે મહાલયમાં પહોંચ્યા. સાતમાં માળે પહોંચ્યા ત્યારે

આકાશમાં ચંદ્રોેદય થઇ ચૂકયો હતો. ને મહાલયમાં ભેંકાર કોલાહલ ઉઠયો! ડાકલાં વાગતાં

જણાયાં! જાણે ભૂતના પડછંદા ગાજતા હતા! છતમાંથી અવાજ આવ્યોઃ

પડું? પડું? મહારાણીના કંઠમાંથી મધુર અવાજ પ્રકટયોઃ પડ!

ને એ જ પળે છતમાંથી સુવર્ણનો એક પુરુષ પડયો. ભેંકાર સ્વર બંધ થઇ ગયો. સુમધુર

સંગીત આપોઆપ ઝકૃત થઇ ગયું! મહારાજા ત્યાં દોડી આવ્યા, મંત્રીઓ, નગરવાસીઓ

બધા દોડીને આવ્યા. મહારાણીને વધાવી લીધાં, મહાલયનો માલિક એમના ચરણમાં પડીને

સતત વીનવતો હતોઃ મહાદેવી! આ તમારા પગલે સોનાનો વરસાદ વરસ્યોઃ કૃપા કરીને તે

સ્વીકારો. મહારાજા મૌન રહ્યા, મહારાણી જયાદેવી બોલ્યાંઃ ભાઇ, આ તારું છે ને તારે

રાખવાનું છે. સજજનોનું કામ સારા કાર્ય માં સહયોગી બનવાનું છે. એ બને તો આપે, લે

નહીં! ભાઇ, તું સુખી થા!

મહારાણી ના ભવ્ય નિર્મળ મુખને સૌ નિહાળી રહ્યા . ત્યાં અનોખી દીપ્તિ મહોરતી હતીઃ દૂર

કોયલ ને પપૈયા ટહુકતાં હતાં. જાણે તે ય મહારાણીને વધાવતાં ન હોય!

અનુક્રમણિકા

વાર્તા નં : ૬૮ કાયાના કુંભ પર કીર્તિકળશ

પૂર્વાકાશે કુમકુમવર્ણા કિરણો ફૂટયા. ધરતી સોનલવર્ણી બની ગઇ. ડેલીની સાંકળ ખખડી.

અંદરથી કશો પ્રત્યુત્તર ન મળ્યો. સાંકળ ફરી જોરથી ખખડી. સવચંદ શેઠ વિચારમાં ડૂબ્યા,

સવારના કોણ પરોણો હશે? આસ્તેથી એમણે દ્વાર ખોલ્યા. જોયુંતો ગામના મોટા

ગરાસદાર! શેઠના પ્રતિભાશાળી ચહેરા પર એક સ્મિત ઝબકયું. અંતરના ઉમળકાથી એમણે

ગરાસદાર ને આવકાર્યા : પધારો.. ગરાસદારે કહ્યું, શેઠ, મનમાં તો અનેકવાર થતું કે

મારે મળવું જોઇએ તમને, પણ કામોમાંથી બહાર નીકળાતું જ નથી. આજ તો થયું કે લાવ

અત્યારે જ મળી આવું. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય! આપના પગલાં અમ આંગણે કયાંથી? કહો

શી આજ્ઞા છે? ગરાસદાર બોલ્યો, શેઠ, આજ્ઞાતો શી હોય? તમારી નેકી અને નીતિના

વાવટાતો ચોમેર લહેરાય છે. શ્વાસથી જેમ શરીર નભે,તેમ આપના વિશ્વાસથી જીવનનાં

વહાણ તરે છે! હમણાં પૈસાની ખૂબ ખેંચ રહે છે. મનમાં થયું, પોતાના માણસ પાસે

અડધી રાતેય જવામાં વાંધો નહીં. શેઠ, મારા આપની પાસે લેણા નીકળતા એક લાખ રૂપીયા

અત્યારે આપશો? શેઠના શરીરમાંથી વીજળી જેવી એક કંપારી પસાર થઇ ગઇ.પૈસા! એક

લાખ રૂપીયા!શેઠને યાદ આવ્યું - પરદેશ ગયેલા પોતાના વહાણના હજુ કાંઇ સમાચાર

આવ્યા નથી. અહીંની પેઢી હમણાં ખોટમાં છે. પરદેશ ગયેલા મારાં વહાણ મારી સઘળી

મિલકત લઇ ગયાં છે.કદાચ દરિયામાં એ ડૂબી ગયા હશે તો?

શેઠના ચહેરા પર ચિંતાની છાલક વાગી, ઓહ! આ પૈસા નહીં અપાય તો ઇજજતનું શું?

મારા નામે લોકો પૈસા એમ ને એમ મારે ત્યાં મૂકી જાય છે. વામનસ્થલિનું એક એક બાળક,

વૃક્ષનું પ્રત્યેક પાન, સવચંદના વિશ્વાસે શિર મૂકીને પોઢી જાય છે. રે! એ વિશ્વાસનોે આજે

ભંગ થશે કે? કંચનની દરકાર નથી, કીર્તિનો કાંગરો ખરશે તો શું થશે? બીજી જ ક્ષણે શેઠ

સ્વસ્થથઇ ગયા. એકાદ અઠવાડિયું ધીરજ રાખી શકાય તો રાખો,ભાઇ, ત્યાં સુધીમાં

પરદેશથી મારાં વહાણ પણ પાછા વળશે.

ગરાસદાર હા જ ભણવા જતો હતો, પણ જીભ થોથવાઇ. એના કાનમાં હજીય પડઘાતા

હતા પેલા વેપારીના શબ્દોઃ એલા, જોજે! સવચંદ શેઠની વીતક હમણાં સારી નથી. પરદેશે

સંચરેલા વહાણના કુશળ વાવડ મળ્યા નથી. એમનાં વહાણ ભેળા તારા પૈસાય ડૂબી ન

જાય! ના, શેઠ, એ પૈસા વિના એક અઠવાડિયું તો શું એક દહાડો ય ચાલે તેમ નથી! ને

તમારી પેઢીનું તો નગર માં નામ ગાજે છે. ગમે તેને હુકમ કરશો એટલે પૈસાનો ઢગલો થઇ

જશે. મારે પૈસા હાલ જ જોઇએ છે. શેઠ ગરાસદારની દાનત કળી ગયા, નક્કી આ મારી

ઇજજત લેવા બેઠો છે! શું એમ તો નહીં હોય, કોઇએ મારી કીર્તિને કલંકિત કરવા આને

ચઢાવ્યો હોય!એક પળ એમણે વિચાર્યુ, શું કરું? વામનસ્થલિમાં કોઇને કહીશ તો મારી

આબરૂનો ભરમ નંદવાઇ જશે. દેશાવરમાં કોઇને લખુંતો? પણ કોને? કોણ આપશે આટલા

બધા પૈસા? ત્યાં જ એક નામ એમની સ્મૃતિઝરોએ ઝબકયું - સોમચંદ શેઠ! અમદાવાદનો

એ માલેતૂજાર શ્રીમંત! શેઠે કહ્યુંઃ ભાઇ! અમદાવાદ હૂંડી લખી આપું? ગરાસદારે હા

કહી. શેઠે હૂંડી લખવા માંડી, પણ એના હાથ કંપ્યા. મારે ને સોમચંદશેઠને શી પિછાણ? ના

ત્યાં મારું ખાતુ ચાલે છે કે ન નાણાં લેવડદેવડનો કશો વ્યવહાર ચાલે છે. એ હુંડી સ્વીકારશે

ખરા? ધ્રુજતા હાથે હૂંડી લખી રહેલા શેઠના નેત્રો છલકાયાં. આંસુનાં બે બુંદ એ હુંડી પર

ખરી પડયાં. થોડી વાર પછી ગરાસદારના હાથમાં હૂંડી મૂકી. ગરાસદાર હર્ષ પામતો વિદાય

થયો. વર્ષો વીતી ગયા છે. ગ્રીષ્મની વેળા છે. અમદાવાદના રાજમાર્ગ પરથી એક શ્રેષ્ટી

પસાર થઇ રહ્યા છે. એમની આંખોમાં ઉત્કંઠા અને ચાલમાં વેગ છે. સોમચંદશેઠનું ડહેલું

પૂછતાં એ આગળ વધી રહ્યા છે. પસીનાથી એ લથબધ છે ને તો ય મુખ પર પ્રસન્નતાનું

તેજ પથરાયેલું છે.સોમચંદશેઠના ડહેલે એ પહોંચ્યા. ગાડું ઊભું રખાવ્યું ને એમાથી રોકડા

રણકતા રૂપિયાની થેલીઓ ઉતરાવી. સોમચંદશેઠ આશ્ચર્યમાં પડયા. આ શું બની રહ્યું છે?

એક અજાણ મારે ત્યાં આટલા બધા રૂપિયા ઉતારે છે! એ પૂછી બેઠા, અરે ભાઇ! તમે કોણ

છો? ને આ શું કરો છો?આંગતુક શેઠ સોમચંદના ચરણે નમ્યો. એણે કહ્યું, મારી

ઇજજતના રક્ષક! આ આપનું ધન, આપને અપર્ણ! મારું ધન! સોમચંદ શેઠ ને લાગ્યુ કે

આંગતુક કશા ભ્રમમાં છે. એ બોલ્યા, ભાઇ તમારી કંઇક ભૂલ તો નથી થતી ને?ભૂલ?

હા તમારી કાંઇક ભૂલ થતી લાગે છે. મારું ધન તમારી પાસે કયાંથી? આંગતુકે કહ્યું

ઉદારતાના શ્રેષ્ટી,ભૂલ મારી નહીં,આપની થાય છે. વર્ષૌ પહેલા મારી એક હુંડી સ્વીકારીને

આપે એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ભૂલી ગયા છો એ વાત? સોમચંદશેઠના ચિત્તાકાશમાં

અતીતની એક ઘટના ઊપસી આવીઃ બરાબર આવી જ મધ્યાન્હની વેળા હતી. શ્રમથી થાકેલો

એક પુરુષ હાંફળો ફાંફળો થતો હુંડી લઇને પોતાની પેઢીએ આવેલો. ઉતાવળ માં હતો એ.

મેં એને અતિથિવાસમાં આરામ કરવા કહેલું. મુનીમને વામનસ્થલિના સવચંદ શેઠનું ખાતું

ખોળવા કહેલું, પણ આશ્ચર્ય! મારે ત્યાં ખાતું નહીં, ને હુંડી આવી! મુનીમને મેં ખાતું

ખોળવા ફરીથી કહ્યું ત્યારે મુનીમે કહેલું, શેઠ! આ નામનું કોઇ ખાતું જ આપણે ત્યાં ચાલતું

નથી! તત્કાળ મારી નજર હુંડી પર પડેલા આંસુ પર ગયેલી. સૂકાયેલા એ આંસુ કોઇ

આબરુદાર વ્યકિતના સૂકાયેલા જીવનની કથની કહેતાં હતા. મને થયું,આ હુંડી લખનારને

મારા પર કેટલી શ્રદ્વા હશે! કેટલો વિશ્વાસ હશે! રે! એ વિશ્વાસને- ને એ વિશ્વાસ

કરનારની પ્રતિષ્ઠાને હું કેમ તોડી શકું?મેં મુનીમજીને આદેશ કરી હુંડી લાવનારને એક લાખ

રૂપિયા ચૂકવ્યા હતા.સોમચંદશેઠની નજર આગળથી પેલી ઘટના પસાર થઇ રહી, ને ત્યાંજ

પેલા આંગતુક પર એમનું ધ્યાન ગયું. એ બોલ્યાઃ તો તમે જ સવચંદશેઠ?હા, હુ જ એ

સવચંદ! આપનો સેવક! ને આટલું બોલતાં તો સવચંદશેઠની આંખોમાં ઝળઝળિયા આવી

ગયાં. એ સોમચંદશેઠના ચરણે ઢળી પડયા.સોમચંદશેઠે કહ્યું, ભાઇ! સેવક નહીં, સાધર્મિક!

મનમાં સહેજે ઓછું ન આણો. એ રકમ તો મેં તમારા નામે નહીં, દેવ નિર્માલ્ય રૂપે આપેલી.

એ હવે હું શી રીતે પાછી લઉં? કિંતુ, શેઠ મેં તો રકમ લીધી હતી, એટલે પાછી આપવી જ

પડે ને! લીધેલું દેવું, એ તો વ્યવહાર છે, આ ધન સ્વીકારીલો એ આપનું જ છે. પણ વાહ,

સોમચંદશેઠ! રકમ લેવા એ તૈયાર થયા જ નહીં!એમણે માત્ર એક જ વાત કરીઃ આ રકમ

હવે મારી ગણાય જ નહીં. મેં તો આપી દીધી. આ તરફ સવચંદશેઠ પણ મક્કમ રહ્યા. ધન

બંનેની વચ્ચે પડયું હતું, ને કોઇ એનો માલિક થવા તૈયાર નહોતું. આખરે સવચંદશેઠના

શાણપણે વચલો માર્ગ વિચાર્યોઃઆ દ્રવ્ય આપણા બેમાંથી કોઇનું નથી. એને ધર્માથે

વાપરીએ તો? મંજૂર. સોમચંદશેઠના હૃદયમાં હર્ષનો ઉભરો આવ્યોઃ એમા મારી રકમ

ઉમેરું છું. આપણે સિધ્ધગિરિ પર ટૂંક સર્જીએ. આ દ્રવ્યનો એ જ માત્ર સદુપયોગ છે. આપ

શીલ્પીઓને નિમંત્રો. સવેળા જિનમંદિર રચો. સિધ્ધાચળના ગૌરવવંતા ગિરિ પર સવા-

સોમા ની ટૂંક પરની ભોમમાં લહેરાતી ધજા આજેય આ કીર્તિગાથા ગાયા કરે છે.

કસોટી થી સોનુ પરખાય - જીભથી માણસ પરખાય.

જીવદયા સાથે જીભદયા પણ પાળો.

દાન એક એેવી ઔષધી છે જે પરિગ્રહ નામના રોગ થી મુકત કરે.

સુવાસ જ ન હોય તો પુષ્પ અને પથ્થર માં